રાજ્યમાં આજે પણ સાર્વત્રિક માવઠું, કંડલામાં વાવાઝોડાના કારણે મહાકાય ક્રેન પણ તણાઈ


  • Published By :
  • Published Date : 2023-05-29 19:31:23

હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદે ઝડી વરસાદી છે. રાજ્યના તમામ ભાગોમાં માવઠું થયું છે, અમદાવાદમાં તો જાણે ભરઉનાળે અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. તે જ પ્રકારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજથી ભારે પવન સાથે આજે વરસાદ વરસી રહ્યો છે. કચ્છ, અમરેલી,રાજકોટ સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. કચ્છના કંડલા પોર્ટ પર તેજ પવન ફુંકાતા મહાકાય ક્રેન જ પત્તાના મહેલની જેમ ફેંકાતી જોવા મળી હતી.


કચ્છમાં વાવાઝોડા સાથે વરસાદ 


કચ્છમાં વાતાવરણને કારણે તેમની ચિંતા વધુ ઘેરાઈ છે, કચ્છના વિવિધ ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદ થઈ રહ્યો છે. કંડલામાં વાવાઝોડાના કારણે ભારે ભરખમ અને વિશાળ ક્રેન દરિયામાં આપમેળે દોડી રહી હતી. એટલે કે દરિયામાં જાણે ક્રેન તણાઈ રહી હતી. ભારે પવનના કારણે કેટલીક બિલ્ડિંગમાં કાચ તૂટ્યા હતા અને નુકસાન થયું હતું. ભારે પવનના કારણે કેટલીક બિલ્ડિંગમાં કાચ તૂટ્યા હતા અને નુકસાન થયું હતું. કચ્છના કંડલા ઉપરાંત અંજાર, આદિપુર, ગાંધીધામ, ભુજ માં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, ગાંધીધામ આદિપુરમાં અનેક જગ્યા નુકસાનીના સમાચાર સામે આવ્યા છે. જેમાં વીજપોલ ધરસાઈ થયા, પાણીની ટાંકીઓ હવામાં ઉડી, બિલ્ડિંગ-છતના કેટલાક ભાગો ફેંકાયા તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. 


 રાજકોટ, અમરેલીમાં વરસાદની એન્ટ્રી


રાજકોટ શહેર તેમજ આજુબાજુ વિસ્તારમાં પણ ભારે ભવન સાથે આંધી જેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ભારે પવનના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો, હોડીગ, વીજપોલ ધરાશાઈ થયા હતા. અમરેલી શહેરમાં પવન સાથે વરસાદ ખાબકતા અફરા તફરી મચી ગઈ છે.  ધૂળની ડમરી ઉડતા દોડધામ મચી ગઈ હતી. અમરેલી શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થતા શહેરમાં વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો છે.   વીજળીના કડાકા ભડાકા સાથે બાબરા સહિત અમરેલીમાં વરસાદની એન્ટ્રી થઈ છે. બપોર બાદ અમરેલી જિલ્લાના વડીયા શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન અને વીજળીના  કડાકા ભડાકા સાથે વરસાદ  શરૂ થયો છે.  ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી છે.   ભારે પવનોના કારણે વાવાજોડા જેવો માહોલ છે.  વીજળીના કડાકા અને ભારે પવન વચ્ચે વરસાદ શરુ થયો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.