રાજ્યમાં આજે પણ સાર્વત્રિક માવઠું, કંડલામાં વાવાઝોડાના કારણે મહાકાય ક્રેન પણ તણાઈ


  • Published By :
  • Published Date : 2023-05-29 19:31:23

હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદે ઝડી વરસાદી છે. રાજ્યના તમામ ભાગોમાં માવઠું થયું છે, અમદાવાદમાં તો જાણે ભરઉનાળે અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. તે જ પ્રકારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજથી ભારે પવન સાથે આજે વરસાદ વરસી રહ્યો છે. કચ્છ, અમરેલી,રાજકોટ સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. કચ્છના કંડલા પોર્ટ પર તેજ પવન ફુંકાતા મહાકાય ક્રેન જ પત્તાના મહેલની જેમ ફેંકાતી જોવા મળી હતી.


કચ્છમાં વાવાઝોડા સાથે વરસાદ 


કચ્છમાં વાતાવરણને કારણે તેમની ચિંતા વધુ ઘેરાઈ છે, કચ્છના વિવિધ ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદ થઈ રહ્યો છે. કંડલામાં વાવાઝોડાના કારણે ભારે ભરખમ અને વિશાળ ક્રેન દરિયામાં આપમેળે દોડી રહી હતી. એટલે કે દરિયામાં જાણે ક્રેન તણાઈ રહી હતી. ભારે પવનના કારણે કેટલીક બિલ્ડિંગમાં કાચ તૂટ્યા હતા અને નુકસાન થયું હતું. ભારે પવનના કારણે કેટલીક બિલ્ડિંગમાં કાચ તૂટ્યા હતા અને નુકસાન થયું હતું. કચ્છના કંડલા ઉપરાંત અંજાર, આદિપુર, ગાંધીધામ, ભુજ માં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, ગાંધીધામ આદિપુરમાં અનેક જગ્યા નુકસાનીના સમાચાર સામે આવ્યા છે. જેમાં વીજપોલ ધરસાઈ થયા, પાણીની ટાંકીઓ હવામાં ઉડી, બિલ્ડિંગ-છતના કેટલાક ભાગો ફેંકાયા તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. 


 રાજકોટ, અમરેલીમાં વરસાદની એન્ટ્રી


રાજકોટ શહેર તેમજ આજુબાજુ વિસ્તારમાં પણ ભારે ભવન સાથે આંધી જેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ભારે પવનના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો, હોડીગ, વીજપોલ ધરાશાઈ થયા હતા. અમરેલી શહેરમાં પવન સાથે વરસાદ ખાબકતા અફરા તફરી મચી ગઈ છે.  ધૂળની ડમરી ઉડતા દોડધામ મચી ગઈ હતી. અમરેલી શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થતા શહેરમાં વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો છે.   વીજળીના કડાકા ભડાકા સાથે બાબરા સહિત અમરેલીમાં વરસાદની એન્ટ્રી થઈ છે. બપોર બાદ અમરેલી જિલ્લાના વડીયા શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન અને વીજળીના  કડાકા ભડાકા સાથે વરસાદ  શરૂ થયો છે.  ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી છે.   ભારે પવનોના કારણે વાવાજોડા જેવો માહોલ છે.  વીજળીના કડાકા અને ભારે પવન વચ્ચે વરસાદ શરુ થયો છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.