MPના ઉજ્જૈનમાં સરદાર પટેલની પ્રતિમા પર ટ્રેક્ટર ચઢાવ્યું, મૂર્તિ નીચે પાડી ટોળાએ તોડફોડ કરી, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2024-01-25 19:50:41

ઉજ્જૈનના મકડોન વિસ્તારમાં બે પક્ષો સામસામે આવી ગયા હતા. આ વિવાદ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પાડી દેવા અને તોડફોડને લઈને થયો હતો. એક પક્ષના લોકોએ ટ્રેક્ટર વડે પ્રતિમાને તોડી પાડી હતી. પ્રતિમાને સળિયા અને પથ્થરો વડે માર મારીને તોડફોડ કરવામાં આવી હતી. આનાથી અન્ય પક્ષ નારાજ થઈ ગયો હતો. બંને તરફથી પથ્થરમારો અને લાકડીઓ ચલાવવામાં આવી હતી. રોષે ભરાયેલા ટોળાએ અનેક વાહનોમાં તોડફોડ પણ કરી હતી. કેટલાક વાહનો સળગાવ્યા. અનેક દુકાનો પર પથ્થરમારો પણ થયો છે.


પ્રતિમા જમીન પર પાડ્યા બાદ તોડફોડ 


મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં સ્થિત માકડોન ગામમાં વહેલી સવારે અરાજકતા સર્જાઈ હતી. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્થાપિત કરવાના મુદ્દે બે પક્ષો સામસામે આવી ગયા હતા. એક પક્ષે ટ્રેક્ટર વડે સરદાર પટેલની સ્થાપિત પ્રતિમાને નીચે પાડી હતી. તેનો વીડિયો સામે આવ્યો છે. બંને તરફથી ભારે પથ્થરમારો પણ થયો છે. હંગામા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવી છે. પ્રતિમા જમીન પર પાડ્યા બાદ સામે પક્ષના લોકોએ પણ તોડફોડ કરી હતી. પ્રતિમા હટાવવાથી સામે પક્ષે પણ ભારે નારાજગી હતી. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બંને પક્ષો વચ્ચે ભારે લાઠીચાર્જ અને પથ્થરમારો થયો હતો. ત્યાં એકઠા થયેલા રોષે ભરાયેલા ટોળાએ વાહનોની તોડફોડ પણ કરી હતી. સાથે જ કેટલાક વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. આસપાસની દુકાનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.


શું છે સમગ્ર મામલો?


આ આખો મામલો ઉજ્જૈનના માકડોન ગામનો છે. મેકડોનના મંડી ગેટ અને બસ સ્ટેન્ડ વચ્ચેની ખાલી પડેલી જમીન પર કેટલાક લોકોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્થાપિત કરી હતી. તે જમીન પહેલાથી જ વિવાદમાં છે. ભીમ આર્મીના લોકો આ જમીન પર બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવાની માંગ કરી રહ્યા હતા. જ્યારે પાટીદાર સમાજના લોકો સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્થાપિત કરવાની માંગ કરી રહ્યા હતા. આ સમગ્ર મામલો પંચાયતમાં પહેલેથી જ વિચારણા હેઠળ હતી, તેમ છતાં કેટલાક લોકોએ મોડી રાત્રે સરદાર પટેલની પ્રતિમા સ્થાપિત કરી હતી. આ વાતની જાણ સામા પક્ષના લોકોને થતાં જ તેઓ સવારે ત્યાં એકઠા થઈ ગયા હતા અને સરદાર પટેલની પ્રતિમાને તોડી પાડી હતી. આ મુદ્દે બંને પક્ષો સામસામે આવી ગયા હતા. ત્યાં પહેલેથી જ એકઠા થયેલા ટોળાએ ટ્રેક્ટર વડે સરદાર પટેલની પ્રતિમાને પાડી દીધી હતી. ટોળાએ સરદાર પટેલની પ્રતિમા પર પથ્થરમારો કર્યો હતો અને સળિયા વડે હુમલો પણ કર્યો હતો.


પોલીસ દળો તૈનાત


પ્રતિમા તોડવા અને ટ્રેક્ટરથી પાડી દેવા મામલે સામે બીજા પક્ષે વાંધો વ્યક્ત કર્યો હતો. જેના કારણે બંને પક્ષો વચ્ચે ભારે પથ્થરમારો શરૂ થયો હતો. એકઠા થયેલા ટોળાએ આસપાસની અનેક દુકાનો પર પથ્થરમારો પણ કર્યો હતો. સાથે જ ત્યાં પાર્ક કરાયેલા કેટલાક વાહનોમાં તોડફોડ કરી નુકસાન પણ કર્યું હતું. પથ્થરમારો કરનારાઓમાં પુરુષો, મહિલાઓ અને છોકરીઓનો સમાવેશ થાય છે, જેમણે જય ભીના નારા લગાવ્યા હતા. આ સમગ્ર મામલાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લોકોને સલાહ આપી રહી હતી. સ્થિતિ વણસતી જોઈને તરણા અને ઉજ્જૈનથી મોટી સંખ્યામાં પોલીસ દળો અહીં પહોંચી ગયા હતા. આ ઉપરાંત એડિશનલ એસપી નિતેશ ભાર્ગવ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બંને પક્ષોને સમજાવીને સમગ્ર મામલો શાંત પાડ્યો હતો. હાલ તકેદારીના પગલારૂપે ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગત ચૂંટણીમાં પણ ભાજપના નેતાઓએ અહીં સરદાર પટેલની પ્રતિમા સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી.



There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.