ભારત અને UAE વચ્ચેનો વેપાર 100 અબજ ડોલરે પહોંચ્યો, UAE દેશમાં 50 અબજ ડોલરનું કરશે રોકાણ


  • Published By :
  • Published Date : 2023-11-03 18:48:14

ભારત દુનિયામાં સૌથી ઝડપથી હરણફાળ ભરી રહેલું અર્થતંત્ર છે. તમામ ગ્લોબલ એજન્સીઓની સાથે જ મોટા-મોટા દેશો પણ ભારતના વિકાસની પ્રશંસા કરી રહ્યા છે. ભારતની આ વિકાસયાત્રામાં હવે યુનાઈટેડ આરબ અમિરાત પણ જોડાવા જઈ રહ્યું છે. યુએઈ ભારતમાં મોટા મૂડીરોકાણની યોજના બનાવી રહ્યું છે. યુએઈનું આ અત્યાર સુધીનું સૌથી મોટું મૂડી રોકાણ હશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે યુએઈ ભારતમાં 50 અબજ ડોલરનું મૂડીરોકાણ કરશે. 


દ્વિપક્ષીય કારોબાર 100 અબજ ડોલરે પહોંચ્યો


બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, સંયુક્ત અરબ અમિરાત ખનીજ તેલની આવક પરની  તેની નિર્ભરતા ઘટવા માગે છે. યુએઈની સરકાર અન્ય ક્ષેત્રોમાં પણ મૂડીરોકાણ કરવાનો પ્લાન તૈયાર કરી રહી છે. ભારત અને યુએઈ વચ્ચેના સંબંધો ઘણા મજબુત છે, તે ઉપરાત બંને દેશો વચ્ચેનો વેપાર પણ સતત વધી રહ્યો છે.  હાલ ભારત અને યુએઈ વચ્ચે દ્વિપક્ષીય કારોબાર 100 અબજ ડોલર પર પહોંચી ગયો છે. આ સંબંધોને આગળ વધારવા માટે યુએઈ ભારતમાં 50 અબજ ડોલર એટલે કે 4 લાખ કરોડ રૂપિયાથી વધુનું મૂડીરોકાણ કરશે. 


આગામી વર્ષે જાહેરાત થાય તેવી સંભાવના


યુએઈ દ્વારા ભારતમાં 50 અબજ ડોલરના સંભવીત મૂડીરોકાણના સંબંધમાં જાહેર થયેલા રિપોર્ટમાં આ બાબતથી વાકેફ લોકોના મારફતથી કહેવામાં આવ્યું છે કે યુએઈ દ્વારા આ ઈન્વેસ્ટમેન્ટ અંગે આગામી વર્ષે એટલે કે વર્ષ 2024માં મોટી જાહેરાત થઈ શકે છે.  યુએઈ ભારતમાં જે સેક્ટરમાં મૂડી રોકાણ કરશે તેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ મુખ્ય છે.  



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.