ભારત અને UAE વચ્ચેનો વેપાર 100 અબજ ડોલરે પહોંચ્યો, UAE દેશમાં 50 અબજ ડોલરનું કરશે રોકાણ


  • Published By :
  • Published Date : 2023-11-03 18:48:14

ભારત દુનિયામાં સૌથી ઝડપથી હરણફાળ ભરી રહેલું અર્થતંત્ર છે. તમામ ગ્લોબલ એજન્સીઓની સાથે જ મોટા-મોટા દેશો પણ ભારતના વિકાસની પ્રશંસા કરી રહ્યા છે. ભારતની આ વિકાસયાત્રામાં હવે યુનાઈટેડ આરબ અમિરાત પણ જોડાવા જઈ રહ્યું છે. યુએઈ ભારતમાં મોટા મૂડીરોકાણની યોજના બનાવી રહ્યું છે. યુએઈનું આ અત્યાર સુધીનું સૌથી મોટું મૂડી રોકાણ હશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે યુએઈ ભારતમાં 50 અબજ ડોલરનું મૂડીરોકાણ કરશે. 


દ્વિપક્ષીય કારોબાર 100 અબજ ડોલરે પહોંચ્યો


બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, સંયુક્ત અરબ અમિરાત ખનીજ તેલની આવક પરની  તેની નિર્ભરતા ઘટવા માગે છે. યુએઈની સરકાર અન્ય ક્ષેત્રોમાં પણ મૂડીરોકાણ કરવાનો પ્લાન તૈયાર કરી રહી છે. ભારત અને યુએઈ વચ્ચેના સંબંધો ઘણા મજબુત છે, તે ઉપરાત બંને દેશો વચ્ચેનો વેપાર પણ સતત વધી રહ્યો છે.  હાલ ભારત અને યુએઈ વચ્ચે દ્વિપક્ષીય કારોબાર 100 અબજ ડોલર પર પહોંચી ગયો છે. આ સંબંધોને આગળ વધારવા માટે યુએઈ ભારતમાં 50 અબજ ડોલર એટલે કે 4 લાખ કરોડ રૂપિયાથી વધુનું મૂડીરોકાણ કરશે. 


આગામી વર્ષે જાહેરાત થાય તેવી સંભાવના


યુએઈ દ્વારા ભારતમાં 50 અબજ ડોલરના સંભવીત મૂડીરોકાણના સંબંધમાં જાહેર થયેલા રિપોર્ટમાં આ બાબતથી વાકેફ લોકોના મારફતથી કહેવામાં આવ્યું છે કે યુએઈ દ્વારા આ ઈન્વેસ્ટમેન્ટ અંગે આગામી વર્ષે એટલે કે વર્ષ 2024માં મોટી જાહેરાત થઈ શકે છે.  યુએઈ ભારતમાં જે સેક્ટરમાં મૂડી રોકાણ કરશે તેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ મુખ્ય છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.