Christmas Vacation મનાવવા Hill Station જતા લોકોનો મૂડ Traffic Jamએ બગાડ્યો! કિલોમીટર લાંબી ગાડીઓની લાઈન, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-25 12:15:53

આપણે બહાર મૂડ ફ્રેશ કરવા માટે જતા હોઈએ છીએ. ઘરેથી નીકળીએ ત્યારે મનમાં વિચારી લીધું હોય કે ત્યાં જઈને આપણે આ કરીશું અને તે કરીશું. પરંતુ જ્યારે આ પ્લાનમાં ટ્રાફિકજામ વિધ્ન બને તો? સોશિયલ મીડિયા પર ટ્રાફિકજામના અનેક વીડિયો સામે આવી રહ્યા છે  જે મુખ્યત્વે હિમાચલ પ્રદેશ જઈ રહેલા લોકોએ પોસ્ટ કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રાવેલ કરી રહેલા લોકોએ ફરિયાદ કરવાની શરૂઆત કરી દીધી. ન માત્ર હિમાચલ પ્રદેશમાં આવી દશા હશે પરંતુ આવી અનેક જગ્યાઓ હશે જ્યાં આવા ટ્રાફિકજામના દ્રશ્યો દેખાતા હશે.

હિલસ્ટેશન પર જોવા મળી ગાડીઓની લાંબી કતાર 

ક્રિસમસ તેમજ ન્યુ યરનું વેકેશન શરૂ થતાં જ લોકો બહાર ફરવા જતા હોય છે. સૌથી પહેલી પસંદ લોકોની હિલસ્ટેશનની હોય છે. ત્યારે આ વેકેશનની શરૂઆત થતાં જ લોકો બહાર જવા નીકળી ગયા છે. જાય પણ કેમ નહી, આ વખતે બંને ફેસ્ટિવલ વિકએન્ડ પર આવી રહ્યા છે. જે લોકો વેકેશન મનાવવા નથી જઈ શક્યા તેમને દુખ થતું હશે પરંતુ જે વીડિયો વેકેશન પર જઈ રહેલા લોકો પોસ્ટ કરી રહ્યા છે તે કદાચ જે લોકો નથી ગયા તેમનં દુખ હળવું કરી શકે છે. હિલસ્ટેશન પર એટલી બધી ભીડ ભેગી થઈ ગઈ કે તેનો હિસાબ નથી મળતો. હિલસ્ટેશન પર કેટલી ભીડ હશે તેનો અંદાજો ટ્રાફિક જામના જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પરથી લગાવી શકાય છે.  

ટ્રાફિક જામના વીડિયો પર સામે આવી અલગ અલગ પ્રતિક્રિયા 

હિમાચલ પ્રદેશથી વીડિયો સામે આવ્યા છે જે ગભરાઈ દે તેવા છે. ગાડીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. કેટલી ગાડીઓ છે અને ક્યારે નંબર લાગશે તેની ખબર નથી. અલગ અલગ લોકો આ ટ્રાફિક જામની પોસ્ટ પર રિએક્શન આપી રહ્યા છે. મહત્વનું છે કે અનેક વખત આવા ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવતા હોય છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.