Christmas Vacation મનાવવા Hill Station જતા લોકોનો મૂડ Traffic Jamએ બગાડ્યો! કિલોમીટર લાંબી ગાડીઓની લાઈન, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-25 12:15:53

આપણે બહાર મૂડ ફ્રેશ કરવા માટે જતા હોઈએ છીએ. ઘરેથી નીકળીએ ત્યારે મનમાં વિચારી લીધું હોય કે ત્યાં જઈને આપણે આ કરીશું અને તે કરીશું. પરંતુ જ્યારે આ પ્લાનમાં ટ્રાફિકજામ વિધ્ન બને તો? સોશિયલ મીડિયા પર ટ્રાફિકજામના અનેક વીડિયો સામે આવી રહ્યા છે  જે મુખ્યત્વે હિમાચલ પ્રદેશ જઈ રહેલા લોકોએ પોસ્ટ કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રાવેલ કરી રહેલા લોકોએ ફરિયાદ કરવાની શરૂઆત કરી દીધી. ન માત્ર હિમાચલ પ્રદેશમાં આવી દશા હશે પરંતુ આવી અનેક જગ્યાઓ હશે જ્યાં આવા ટ્રાફિકજામના દ્રશ્યો દેખાતા હશે.

હિલસ્ટેશન પર જોવા મળી ગાડીઓની લાંબી કતાર 

ક્રિસમસ તેમજ ન્યુ યરનું વેકેશન શરૂ થતાં જ લોકો બહાર ફરવા જતા હોય છે. સૌથી પહેલી પસંદ લોકોની હિલસ્ટેશનની હોય છે. ત્યારે આ વેકેશનની શરૂઆત થતાં જ લોકો બહાર જવા નીકળી ગયા છે. જાય પણ કેમ નહી, આ વખતે બંને ફેસ્ટિવલ વિકએન્ડ પર આવી રહ્યા છે. જે લોકો વેકેશન મનાવવા નથી જઈ શક્યા તેમને દુખ થતું હશે પરંતુ જે વીડિયો વેકેશન પર જઈ રહેલા લોકો પોસ્ટ કરી રહ્યા છે તે કદાચ જે લોકો નથી ગયા તેમનં દુખ હળવું કરી શકે છે. હિલસ્ટેશન પર એટલી બધી ભીડ ભેગી થઈ ગઈ કે તેનો હિસાબ નથી મળતો. હિલસ્ટેશન પર કેટલી ભીડ હશે તેનો અંદાજો ટ્રાફિક જામના જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પરથી લગાવી શકાય છે.  

ટ્રાફિક જામના વીડિયો પર સામે આવી અલગ અલગ પ્રતિક્રિયા 

હિમાચલ પ્રદેશથી વીડિયો સામે આવ્યા છે જે ગભરાઈ દે તેવા છે. ગાડીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. કેટલી ગાડીઓ છે અને ક્યારે નંબર લાગશે તેની ખબર નથી. અલગ અલગ લોકો આ ટ્રાફિક જામની પોસ્ટ પર રિએક્શન આપી રહ્યા છે. મહત્વનું છે કે અનેક વખત આવા ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવતા હોય છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.