જેતપુરના મોટા ગુંદાળામાં બની દુર્ઘટના, સ્કૂલ બસ વિદ્યાર્થીની પર ફરી વળતા નિપજ્યું મોત! જાણો ઘટના બાદ જયેશ રાદડિયાએ કોને ખખડાવ્યા?


  • Published By :
  • Published Date : 2023-04-18 10:13:39

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં ભૂલ ગમે તેની હોય પરંતુ અનેક વખત નિર્દોષ વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. ત્યારે જેતપુરથી એક ઘટના સામે આવી છે જ્યાં વિદ્યાર્થીની પર સ્કૂલ બસ ફરી વળી હતી. સ્કૂલ બસના ટાયરની અડફેટે આવતા વિદ્યાર્થીની મોતને ભેટી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના રાજકોટના જેતપુર તાલુકાની છે. બસમાંથી વિદ્યાર્થીની નીચે ઉતરી અને આગળ વધી રહી હતી ત્યારે બસનું ટાયર વિદ્યાર્થીની પર ફરી વળ્યું હતું. અને તેનું મોત નિપજ્યું હતું. જ્યારે વિદ્યાર્થીનીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી ત્યારે હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે ફોરેન્સિક પીએમ કરવાની ના પાડી દીધી તેવો આક્ષેપ પરિવારજન દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે આ આક્ષેપો બાદ ધારાસભ્ય જયેશ રાદડિયા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તબીબનો ઉધડો લીધો હતો.   

બાળકી સ્કૂલ બસમાંથી ઊતરી ઘર તરફ વળી રહી હતી.


અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ.

સ્કૂલ બસના ટાયર નીચે આવી જતા થયું વિદ્યાર્થીનીનું મોત!

અકસ્માતમાં મોત થવાને કારણે અનેક પરિવારો વિખેરાઈ જતા હોય છે. ત્યારે જેતપુરથી એક એવી ઘટના સામે આવી છે જે દિલને હચમચાવી દે તેવી છે. એક વિદ્યાર્થીની પર સ્કૂલ બસનું ટાયર ફરી વળ્યું હતું જેને કારણે અકસ્માતમાં વિદ્યાર્થીનીનું મોત થઈ ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફરેણ સ્વામિનારાયણ સ્કૂલ બસમાં વિદ્યાર્થીની પરત ફરી રહી હતી. તે દરમિયાન મોટા ગુંડાળા પાસે વિદ્યાર્થીની ઉતરી ગઈ હતી. બસમાંથી નીચે ઉતર્યા બાદ વિદ્યાર્થીની બસ આગળથી પસાર થવા જઈ રહી હતી ત્યારે બસના ડ્રાઈવરે બસ ચલાવી દેતા બસના ટાયર વિદ્યાર્થીની પર ફરી વળ્યા હતા. અને તેનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.    

જાહેરમાં ડોક્ટરનો ઊધડો લીધો.

પોસ્ટમોર્ટમ ન કરાતા ધારાસભ્યએ લીધો સિવિલ હોસ્પિટલના સત્તાધીશોનો ઉધડો!

વિદ્યાર્થીનીનું મોત થતા પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. પોસ્ટમોર્ટમ માટે જ્યારે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી ત્યારે ત્યાં હાજર ડોક્ટરે ફોરેન્સિક પીએમ કરવાની ના પાડી દીધી. આવા આક્ષેપ વિદ્યાર્થીનીના પરિવાર દ્વારા લગાવવામાં આવ્યા છે. આ વાતની જાણ ધારાસભ્ય જયેશ રાદડિયાએ ડોક્ટરને ખખડાવ્યા હતા ઉપરાંત સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટનો પણ ઉધડો લીધો હતો. જે બાદ વિદ્યાર્થીનીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.