જેતપુરના મોટા ગુંદાળામાં બની દુર્ઘટના, સ્કૂલ બસ વિદ્યાર્થીની પર ફરી વળતા નિપજ્યું મોત! જાણો ઘટના બાદ જયેશ રાદડિયાએ કોને ખખડાવ્યા?


  • Published By :
  • Published Date : 2023-04-18 10:13:39

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં ભૂલ ગમે તેની હોય પરંતુ અનેક વખત નિર્દોષ વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. ત્યારે જેતપુરથી એક ઘટના સામે આવી છે જ્યાં વિદ્યાર્થીની પર સ્કૂલ બસ ફરી વળી હતી. સ્કૂલ બસના ટાયરની અડફેટે આવતા વિદ્યાર્થીની મોતને ભેટી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના રાજકોટના જેતપુર તાલુકાની છે. બસમાંથી વિદ્યાર્થીની નીચે ઉતરી અને આગળ વધી રહી હતી ત્યારે બસનું ટાયર વિદ્યાર્થીની પર ફરી વળ્યું હતું. અને તેનું મોત નિપજ્યું હતું. જ્યારે વિદ્યાર્થીનીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી ત્યારે હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે ફોરેન્સિક પીએમ કરવાની ના પાડી દીધી તેવો આક્ષેપ પરિવારજન દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે આ આક્ષેપો બાદ ધારાસભ્ય જયેશ રાદડિયા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તબીબનો ઉધડો લીધો હતો.   

બાળકી સ્કૂલ બસમાંથી ઊતરી ઘર તરફ વળી રહી હતી.


અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ.

સ્કૂલ બસના ટાયર નીચે આવી જતા થયું વિદ્યાર્થીનીનું મોત!

અકસ્માતમાં મોત થવાને કારણે અનેક પરિવારો વિખેરાઈ જતા હોય છે. ત્યારે જેતપુરથી એક એવી ઘટના સામે આવી છે જે દિલને હચમચાવી દે તેવી છે. એક વિદ્યાર્થીની પર સ્કૂલ બસનું ટાયર ફરી વળ્યું હતું જેને કારણે અકસ્માતમાં વિદ્યાર્થીનીનું મોત થઈ ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફરેણ સ્વામિનારાયણ સ્કૂલ બસમાં વિદ્યાર્થીની પરત ફરી રહી હતી. તે દરમિયાન મોટા ગુંડાળા પાસે વિદ્યાર્થીની ઉતરી ગઈ હતી. બસમાંથી નીચે ઉતર્યા બાદ વિદ્યાર્થીની બસ આગળથી પસાર થવા જઈ રહી હતી ત્યારે બસના ડ્રાઈવરે બસ ચલાવી દેતા બસના ટાયર વિદ્યાર્થીની પર ફરી વળ્યા હતા. અને તેનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.    

જાહેરમાં ડોક્ટરનો ઊધડો લીધો.

પોસ્ટમોર્ટમ ન કરાતા ધારાસભ્યએ લીધો સિવિલ હોસ્પિટલના સત્તાધીશોનો ઉધડો!

વિદ્યાર્થીનીનું મોત થતા પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. પોસ્ટમોર્ટમ માટે જ્યારે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી ત્યારે ત્યાં હાજર ડોક્ટરે ફોરેન્સિક પીએમ કરવાની ના પાડી દીધી. આવા આક્ષેપ વિદ્યાર્થીનીના પરિવાર દ્વારા લગાવવામાં આવ્યા છે. આ વાતની જાણ ધારાસભ્ય જયેશ રાદડિયાએ ડોક્ટરને ખખડાવ્યા હતા ઉપરાંત સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટનો પણ ઉધડો લીધો હતો. જે બાદ વિદ્યાર્થીનીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.