જેતપુરના મોટા ગુંદાળામાં બની દુર્ઘટના, સ્કૂલ બસ વિદ્યાર્થીની પર ફરી વળતા નિપજ્યું મોત! જાણો ઘટના બાદ જયેશ રાદડિયાએ કોને ખખડાવ્યા?


  • Published By :
  • Published Date : 2023-04-18 10:13:39

અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અકસ્માતમાં ભૂલ ગમે તેની હોય પરંતુ અનેક વખત નિર્દોષ વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડતો હોય છે. ત્યારે જેતપુરથી એક ઘટના સામે આવી છે જ્યાં વિદ્યાર્થીની પર સ્કૂલ બસ ફરી વળી હતી. સ્કૂલ બસના ટાયરની અડફેટે આવતા વિદ્યાર્થીની મોતને ભેટી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના રાજકોટના જેતપુર તાલુકાની છે. બસમાંથી વિદ્યાર્થીની નીચે ઉતરી અને આગળ વધી રહી હતી ત્યારે બસનું ટાયર વિદ્યાર્થીની પર ફરી વળ્યું હતું. અને તેનું મોત નિપજ્યું હતું. જ્યારે વિદ્યાર્થીનીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી ત્યારે હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે ફોરેન્સિક પીએમ કરવાની ના પાડી દીધી તેવો આક્ષેપ પરિવારજન દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે આ આક્ષેપો બાદ ધારાસભ્ય જયેશ રાદડિયા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તબીબનો ઉધડો લીધો હતો.   

બાળકી સ્કૂલ બસમાંથી ઊતરી ઘર તરફ વળી રહી હતી.


અકસ્માતની સમગ્ર ઘટના CCTVમાં કેદ.

સ્કૂલ બસના ટાયર નીચે આવી જતા થયું વિદ્યાર્થીનીનું મોત!

અકસ્માતમાં મોત થવાને કારણે અનેક પરિવારો વિખેરાઈ જતા હોય છે. ત્યારે જેતપુરથી એક એવી ઘટના સામે આવી છે જે દિલને હચમચાવી દે તેવી છે. એક વિદ્યાર્થીની પર સ્કૂલ બસનું ટાયર ફરી વળ્યું હતું જેને કારણે અકસ્માતમાં વિદ્યાર્થીનીનું મોત થઈ ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ફરેણ સ્વામિનારાયણ સ્કૂલ બસમાં વિદ્યાર્થીની પરત ફરી રહી હતી. તે દરમિયાન મોટા ગુંડાળા પાસે વિદ્યાર્થીની ઉતરી ગઈ હતી. બસમાંથી નીચે ઉતર્યા બાદ વિદ્યાર્થીની બસ આગળથી પસાર થવા જઈ રહી હતી ત્યારે બસના ડ્રાઈવરે બસ ચલાવી દેતા બસના ટાયર વિદ્યાર્થીની પર ફરી વળ્યા હતા. અને તેનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.    

જાહેરમાં ડોક્ટરનો ઊધડો લીધો.

પોસ્ટમોર્ટમ ન કરાતા ધારાસભ્યએ લીધો સિવિલ હોસ્પિટલના સત્તાધીશોનો ઉધડો!

વિદ્યાર્થીનીનું મોત થતા પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. પોસ્ટમોર્ટમ માટે જ્યારે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી ત્યારે ત્યાં હાજર ડોક્ટરે ફોરેન્સિક પીએમ કરવાની ના પાડી દીધી. આવા આક્ષેપ વિદ્યાર્થીનીના પરિવાર દ્વારા લગાવવામાં આવ્યા છે. આ વાતની જાણ ધારાસભ્ય જયેશ રાદડિયાએ ડોક્ટરને ખખડાવ્યા હતા ઉપરાંત સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટનો પણ ઉધડો લીધો હતો. જે બાદ વિદ્યાર્થીનીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે