ભરૂચમાં બની દુર્ઘટના, ભૂગર્ભ ગટરની સફાઈ માટે ઉતરેલા કામદારોના ગૂંગળામણને કારણે થયા મોત


  • Published By :
  • Published Date : 2023-04-04 17:05:17

સમાજમાં દરેક માણસ દ્વારા આપવામાં આવતો ફાળો અમૂલ્ય હોય છે. અમૂક લોકો એવા હોય છે જેમનું યોગદાન પ્રત્યક્ષ રીતે આપણને નથી દેખાતું પરંતુ જો સમાજમાં તેમનું યોગદાન ન હોય તો આપણને તેમની મહત્તા સમજાઈ જાય છે. ગટરને સાફ કરતા લોકોને જોઈ આપણને તેમના દ્વારા આપવામાં આવેલા યોગદાન વિશે ખબર નથી પડતી પરંતુ જો તે ન હોય તો આપણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ ગટરની સફાઈ કરતી વખતે અનેક વખત સફાઈ કામદારો ગૂંગળામણને કારણે મોતને ભેટતા હોય છે. ત્યારે ભરૂચના દહેજમાં ગટર સાફ કરવા ઉતરેલા ત્રણ કામદારોના ગૂંગળામણને કારણે મોત થયા છે, જ્યારે એક કામદારની હાલત ગંભીર છે અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 



ગટરમાંથી ઝેરી ગેસ છૂટતા કામદારોના જીવને છે નુકસાન! 

ભૂગર્ભ ગટરમાં સફાઈ માટે ઉતરેલા કામદારો ગૂંગળામણને કારણે મોતને ભેટી રહ્યા છે. ગટરમાં ઝેરી ગેસ હોવાને કારણે સફાઈ માટે ઉતરેલા કામદારોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ગૂંગળામણને કારણે કામદારોની મોત થવાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. 


ગૂંગળામણને કારણે થયા ત્રણ કામદારોના મોત 

રાજકોટથી થોડા દિવસો પહેલા આવો જ કિસ્સો સામે આવ્યો હતો જેમાં ભૂગર્ભ ગટરની સફાઈ વખતે ગેસ લિક થતા શ્રમિકોના મોત થઈ ગયા હતા. જે બાદ આજે ભરૂચમાં આવી ઘટના બની હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કામદારોના મોતને પગલે અરેરાટી વ્યાપી ઉઠી હતી. ઘટના અંગે તપાસ કરવા પોલીસની ટીમ અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી.


નાના માણસના જીવની પણ કિંમત હોય છે

સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને કોઈ અગવડ ન થાય તે માટે પોતાના જીવની પરવા કર્યા વગર ગટરની સફાઈ કરવા નીચે ઉતરતા હોય છે. અનેક વખત ઝેરી ગેસને કારણે ગૂંગળામણને કારણે મોતને પણ ભેટતા હોય છે. ત્યારે આવા સફાઈ કામદાર મોતને ભેટે તો તેનો જવાબદાર કોણ? સમાજનો આ એવો વર્ગ છે જેને મુખ્યત્વે સન્માન આપવામાં આવતું નથી. સફાઈ કામદારને જ્યારે લોકો જૂએ તો તેમને ધીક્કારતા હોય તેવી નજરે જુએ છે. ત્યારે પૂછવાનું મન થાય કે ગટરમાં ઉતરનાર કામદાર માણસ નથી? આપણે કેમ લોકોને તેમના કામથી જજ કરીએ છીએ. પરંતુ નાના માણસના જીવની એટલી જ કિંમત હોય છે જેટલી કિંમત મોટા માણસના જીવની હોય છે.     



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.