ભરૂચમાં બની દુર્ઘટના, ભૂગર્ભ ગટરની સફાઈ માટે ઉતરેલા કામદારોના ગૂંગળામણને કારણે થયા મોત


  • Published By :
  • Published Date : 2023-04-04 17:05:17

સમાજમાં દરેક માણસ દ્વારા આપવામાં આવતો ફાળો અમૂલ્ય હોય છે. અમૂક લોકો એવા હોય છે જેમનું યોગદાન પ્રત્યક્ષ રીતે આપણને નથી દેખાતું પરંતુ જો સમાજમાં તેમનું યોગદાન ન હોય તો આપણને તેમની મહત્તા સમજાઈ જાય છે. ગટરને સાફ કરતા લોકોને જોઈ આપણને તેમના દ્વારા આપવામાં આવેલા યોગદાન વિશે ખબર નથી પડતી પરંતુ જો તે ન હોય તો આપણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ ગટરની સફાઈ કરતી વખતે અનેક વખત સફાઈ કામદારો ગૂંગળામણને કારણે મોતને ભેટતા હોય છે. ત્યારે ભરૂચના દહેજમાં ગટર સાફ કરવા ઉતરેલા ત્રણ કામદારોના ગૂંગળામણને કારણે મોત થયા છે, જ્યારે એક કામદારની હાલત ગંભીર છે અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 



ગટરમાંથી ઝેરી ગેસ છૂટતા કામદારોના જીવને છે નુકસાન! 

ભૂગર્ભ ગટરમાં સફાઈ માટે ઉતરેલા કામદારો ગૂંગળામણને કારણે મોતને ભેટી રહ્યા છે. ગટરમાં ઝેરી ગેસ હોવાને કારણે સફાઈ માટે ઉતરેલા કામદારોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ગૂંગળામણને કારણે કામદારોની મોત થવાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. 


ગૂંગળામણને કારણે થયા ત્રણ કામદારોના મોત 

રાજકોટથી થોડા દિવસો પહેલા આવો જ કિસ્સો સામે આવ્યો હતો જેમાં ભૂગર્ભ ગટરની સફાઈ વખતે ગેસ લિક થતા શ્રમિકોના મોત થઈ ગયા હતા. જે બાદ આજે ભરૂચમાં આવી ઘટના બની હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કામદારોના મોતને પગલે અરેરાટી વ્યાપી ઉઠી હતી. ઘટના અંગે તપાસ કરવા પોલીસની ટીમ અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી.


નાના માણસના જીવની પણ કિંમત હોય છે

સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને કોઈ અગવડ ન થાય તે માટે પોતાના જીવની પરવા કર્યા વગર ગટરની સફાઈ કરવા નીચે ઉતરતા હોય છે. અનેક વખત ઝેરી ગેસને કારણે ગૂંગળામણને કારણે મોતને પણ ભેટતા હોય છે. ત્યારે આવા સફાઈ કામદાર મોતને ભેટે તો તેનો જવાબદાર કોણ? સમાજનો આ એવો વર્ગ છે જેને મુખ્યત્વે સન્માન આપવામાં આવતું નથી. સફાઈ કામદારને જ્યારે લોકો જૂએ તો તેમને ધીક્કારતા હોય તેવી નજરે જુએ છે. ત્યારે પૂછવાનું મન થાય કે ગટરમાં ઉતરનાર કામદાર માણસ નથી? આપણે કેમ લોકોને તેમના કામથી જજ કરીએ છીએ. પરંતુ નાના માણસના જીવની એટલી જ કિંમત હોય છે જેટલી કિંમત મોટા માણસના જીવની હોય છે.     



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.