ભરૂચમાં બની દુર્ઘટના, ભૂગર્ભ ગટરની સફાઈ માટે ઉતરેલા કામદારોના ગૂંગળામણને કારણે થયા મોત


  • Published By :
  • Published Date : 2023-04-04 17:05:17

સમાજમાં દરેક માણસ દ્વારા આપવામાં આવતો ફાળો અમૂલ્ય હોય છે. અમૂક લોકો એવા હોય છે જેમનું યોગદાન પ્રત્યક્ષ રીતે આપણને નથી દેખાતું પરંતુ જો સમાજમાં તેમનું યોગદાન ન હોય તો આપણને તેમની મહત્તા સમજાઈ જાય છે. ગટરને સાફ કરતા લોકોને જોઈ આપણને તેમના દ્વારા આપવામાં આવેલા યોગદાન વિશે ખબર નથી પડતી પરંતુ જો તે ન હોય તો આપણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ ગટરની સફાઈ કરતી વખતે અનેક વખત સફાઈ કામદારો ગૂંગળામણને કારણે મોતને ભેટતા હોય છે. ત્યારે ભરૂચના દહેજમાં ગટર સાફ કરવા ઉતરેલા ત્રણ કામદારોના ગૂંગળામણને કારણે મોત થયા છે, જ્યારે એક કામદારની હાલત ગંભીર છે અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 



ગટરમાંથી ઝેરી ગેસ છૂટતા કામદારોના જીવને છે નુકસાન! 

ભૂગર્ભ ગટરમાં સફાઈ માટે ઉતરેલા કામદારો ગૂંગળામણને કારણે મોતને ભેટી રહ્યા છે. ગટરમાં ઝેરી ગેસ હોવાને કારણે સફાઈ માટે ઉતરેલા કામદારોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ગૂંગળામણને કારણે કામદારોની મોત થવાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. 


ગૂંગળામણને કારણે થયા ત્રણ કામદારોના મોત 

રાજકોટથી થોડા દિવસો પહેલા આવો જ કિસ્સો સામે આવ્યો હતો જેમાં ભૂગર્ભ ગટરની સફાઈ વખતે ગેસ લિક થતા શ્રમિકોના મોત થઈ ગયા હતા. જે બાદ આજે ભરૂચમાં આવી ઘટના બની હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કામદારોના મોતને પગલે અરેરાટી વ્યાપી ઉઠી હતી. ઘટના અંગે તપાસ કરવા પોલીસની ટીમ અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી.


નાના માણસના જીવની પણ કિંમત હોય છે

સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને કોઈ અગવડ ન થાય તે માટે પોતાના જીવની પરવા કર્યા વગર ગટરની સફાઈ કરવા નીચે ઉતરતા હોય છે. અનેક વખત ઝેરી ગેસને કારણે ગૂંગળામણને કારણે મોતને પણ ભેટતા હોય છે. ત્યારે આવા સફાઈ કામદાર મોતને ભેટે તો તેનો જવાબદાર કોણ? સમાજનો આ એવો વર્ગ છે જેને મુખ્યત્વે સન્માન આપવામાં આવતું નથી. સફાઈ કામદારને જ્યારે લોકો જૂએ તો તેમને ધીક્કારતા હોય તેવી નજરે જુએ છે. ત્યારે પૂછવાનું મન થાય કે ગટરમાં ઉતરનાર કામદાર માણસ નથી? આપણે કેમ લોકોને તેમના કામથી જજ કરીએ છીએ. પરંતુ નાના માણસના જીવની એટલી જ કિંમત હોય છે જેટલી કિંમત મોટા માણસના જીવની હોય છે.     



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે