Junagadh લીલી પરિક્રમા દરમિયાન બની દુર્ઘટના, 11 વર્ષની બાળકી પર દીપડાએ કર્યો હુમલો, બાળકીનું થયું મોત


  • Published By :
  • Published Date : 2023-11-24 15:24:11

જુનાગઢ લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. લીલી પરિક્રમામાં ભાગ લેવા દૂર દૂરથી લોકો આવે છે. હર હર મહાદેવ તેમજ જય ગીરનારીના નાદથી પરિક્રમા પથ ગુંજી ઉઠ્યો છે. આ પરિક્રમામાં ભાગ લેવા માટે નાના બાળકો, યુવાનો તેમજ વૃદ્ધો આવતા હોય છે. સાધુ-સંતોનો પણ મેળાવડો જોવા મળે છે. એક તરફ ભક્તિનો માહોલ છે તો બીજી તરફ પરિક્રમા પથ પર એક કિસ્સો બન્યો જે દુખી કરે તેવો છે. પરિક્રમા રૂટ પર દીપડાએ 11 વર્ષની બાળકી પર હુમલો કર્યો છે. હુમલો થતા નાની બાળકીનું મોત નીપજ્યુ છે. બાળકીનું મોત થતા પરિવાર પર દુ:ખની લાગણી વ્યાપી ઉઠી છે. આવો બનાવ બનતા સમગ્ર પરિક્રમાના રૂટ પર ડરનો માહોલ છવાઈ ગયો છે. 

11 વર્ષની બાળકી પર દીપડાએ કર્યો હુમલો 

હજી સુધી આપણે શ્વાન તેમજ રખડતા ઢોરના હુમલાના સમાચાર સાંભળ્યા છે. પરંતુ જૂનાગઢની લીલી પરિક્રમા દરમિયાન દીપડાના હુમલોનો કિસ્સો સામે આવ્યો છે. ગઈકાલથી શરૂ થયેલી લીલી પરિક્રમામાં ભાગ લેવા માટે દેશભરથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. દેશભરથી આ લીલી પરિક્રમાનો હિસ્સો બનવા માટે લોકો જૂનાગઢ પહોંચી રહ્યા છે. અનેરો ઉત્સાહ છે. આ બધા વચ્ચે એક દુખી કરી દે તેવી ઘટના સામે આવી. લીલી પરિક્રમાના રૂટમાં દીપડાએ 11 વર્ષની બાળકી પર હુમલો કર્યો અને દીકરી મોતને ભેટી. આ ઘટના બાદ લોકોમાં ડરનો માહોલ વ્યાપી ઉઠ્યો છે.  આ અંગે મળતી માહિતી અનુસાર આ ઘટના વહેલી સવારે બની. બાવરકોટમાં પરિક્રમા માર્ગમાં દીપડાએ બાળકી પર હુમલો કર્યો છે. આ ઘટનામાં મૃતક પામનારી બાળકી અમરેલી જિલ્લાની નિવાસી છે તેવી માહિતી સામે આવી હતી. 


કેવી રીતે બની આ ઘટના? 

જે 11 વર્ષની દીકરીનું મોત થયું છે તેમનું નામ પાયલબેન સાખન છે. મળતી માહિતી અનુસાર વહેલી સવારે દીપડો તેને સવારે ખેંચીને લઈ ગયો. બાળકીને અનેક કલાકો સુધી પરિવારજનોએ શોધી પરંતુ તે મળી નહી. બાળકી કે દીકરી મળી નહી. જે બાદ પરિવારે જંગલ વિભાગને જાણ કરી હતી. જંગલ વિભાગને જાણ કરાતા બાળકીને શોધવાની તજવીજ હાથ ધરાઈ. શોધખોળ દરમિયાન બાળકી મૃત હાલતમાં મળી આવી. દીપડાના હુમલાની વાત વાયુવેગે પ્રસરી ગઈ.  



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .