Junagadh લીલી પરિક્રમા દરમિયાન બની દુર્ઘટના, 11 વર્ષની બાળકી પર દીપડાએ કર્યો હુમલો, બાળકીનું થયું મોત


  • Published By :
  • Published Date : 2023-11-24 15:24:11

જુનાગઢ લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. લીલી પરિક્રમામાં ભાગ લેવા દૂર દૂરથી લોકો આવે છે. હર હર મહાદેવ તેમજ જય ગીરનારીના નાદથી પરિક્રમા પથ ગુંજી ઉઠ્યો છે. આ પરિક્રમામાં ભાગ લેવા માટે નાના બાળકો, યુવાનો તેમજ વૃદ્ધો આવતા હોય છે. સાધુ-સંતોનો પણ મેળાવડો જોવા મળે છે. એક તરફ ભક્તિનો માહોલ છે તો બીજી તરફ પરિક્રમા પથ પર એક કિસ્સો બન્યો જે દુખી કરે તેવો છે. પરિક્રમા રૂટ પર દીપડાએ 11 વર્ષની બાળકી પર હુમલો કર્યો છે. હુમલો થતા નાની બાળકીનું મોત નીપજ્યુ છે. બાળકીનું મોત થતા પરિવાર પર દુ:ખની લાગણી વ્યાપી ઉઠી છે. આવો બનાવ બનતા સમગ્ર પરિક્રમાના રૂટ પર ડરનો માહોલ છવાઈ ગયો છે. 

11 વર્ષની બાળકી પર દીપડાએ કર્યો હુમલો 

હજી સુધી આપણે શ્વાન તેમજ રખડતા ઢોરના હુમલાના સમાચાર સાંભળ્યા છે. પરંતુ જૂનાગઢની લીલી પરિક્રમા દરમિયાન દીપડાના હુમલોનો કિસ્સો સામે આવ્યો છે. ગઈકાલથી શરૂ થયેલી લીલી પરિક્રમામાં ભાગ લેવા માટે દેશભરથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. દેશભરથી આ લીલી પરિક્રમાનો હિસ્સો બનવા માટે લોકો જૂનાગઢ પહોંચી રહ્યા છે. અનેરો ઉત્સાહ છે. આ બધા વચ્ચે એક દુખી કરી દે તેવી ઘટના સામે આવી. લીલી પરિક્રમાના રૂટમાં દીપડાએ 11 વર્ષની બાળકી પર હુમલો કર્યો અને દીકરી મોતને ભેટી. આ ઘટના બાદ લોકોમાં ડરનો માહોલ વ્યાપી ઉઠ્યો છે.  આ અંગે મળતી માહિતી અનુસાર આ ઘટના વહેલી સવારે બની. બાવરકોટમાં પરિક્રમા માર્ગમાં દીપડાએ બાળકી પર હુમલો કર્યો છે. આ ઘટનામાં મૃતક પામનારી બાળકી અમરેલી જિલ્લાની નિવાસી છે તેવી માહિતી સામે આવી હતી. 


કેવી રીતે બની આ ઘટના? 

જે 11 વર્ષની દીકરીનું મોત થયું છે તેમનું નામ પાયલબેન સાખન છે. મળતી માહિતી અનુસાર વહેલી સવારે દીપડો તેને સવારે ખેંચીને લઈ ગયો. બાળકીને અનેક કલાકો સુધી પરિવારજનોએ શોધી પરંતુ તે મળી નહી. બાળકી કે દીકરી મળી નહી. જે બાદ પરિવારે જંગલ વિભાગને જાણ કરી હતી. જંગલ વિભાગને જાણ કરાતા બાળકીને શોધવાની તજવીજ હાથ ધરાઈ. શોધખોળ દરમિયાન બાળકી મૃત હાલતમાં મળી આવી. દીપડાના હુમલાની વાત વાયુવેગે પ્રસરી ગઈ.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.