Junagadh લીલી પરિક્રમા દરમિયાન બની દુર્ઘટના, 11 વર્ષની બાળકી પર દીપડાએ કર્યો હુમલો, બાળકીનું થયું મોત


  • Published By :
  • Published Date : 2023-11-24 15:24:11

જુનાગઢ લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. લીલી પરિક્રમામાં ભાગ લેવા દૂર દૂરથી લોકો આવે છે. હર હર મહાદેવ તેમજ જય ગીરનારીના નાદથી પરિક્રમા પથ ગુંજી ઉઠ્યો છે. આ પરિક્રમામાં ભાગ લેવા માટે નાના બાળકો, યુવાનો તેમજ વૃદ્ધો આવતા હોય છે. સાધુ-સંતોનો પણ મેળાવડો જોવા મળે છે. એક તરફ ભક્તિનો માહોલ છે તો બીજી તરફ પરિક્રમા પથ પર એક કિસ્સો બન્યો જે દુખી કરે તેવો છે. પરિક્રમા રૂટ પર દીપડાએ 11 વર્ષની બાળકી પર હુમલો કર્યો છે. હુમલો થતા નાની બાળકીનું મોત નીપજ્યુ છે. બાળકીનું મોત થતા પરિવાર પર દુ:ખની લાગણી વ્યાપી ઉઠી છે. આવો બનાવ બનતા સમગ્ર પરિક્રમાના રૂટ પર ડરનો માહોલ છવાઈ ગયો છે. 

11 વર્ષની બાળકી પર દીપડાએ કર્યો હુમલો 

હજી સુધી આપણે શ્વાન તેમજ રખડતા ઢોરના હુમલાના સમાચાર સાંભળ્યા છે. પરંતુ જૂનાગઢની લીલી પરિક્રમા દરમિયાન દીપડાના હુમલોનો કિસ્સો સામે આવ્યો છે. ગઈકાલથી શરૂ થયેલી લીલી પરિક્રમામાં ભાગ લેવા માટે દેશભરથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. દેશભરથી આ લીલી પરિક્રમાનો હિસ્સો બનવા માટે લોકો જૂનાગઢ પહોંચી રહ્યા છે. અનેરો ઉત્સાહ છે. આ બધા વચ્ચે એક દુખી કરી દે તેવી ઘટના સામે આવી. લીલી પરિક્રમાના રૂટમાં દીપડાએ 11 વર્ષની બાળકી પર હુમલો કર્યો અને દીકરી મોતને ભેટી. આ ઘટના બાદ લોકોમાં ડરનો માહોલ વ્યાપી ઉઠ્યો છે.  આ અંગે મળતી માહિતી અનુસાર આ ઘટના વહેલી સવારે બની. બાવરકોટમાં પરિક્રમા માર્ગમાં દીપડાએ બાળકી પર હુમલો કર્યો છે. આ ઘટનામાં મૃતક પામનારી બાળકી અમરેલી જિલ્લાની નિવાસી છે તેવી માહિતી સામે આવી હતી. 


કેવી રીતે બની આ ઘટના? 

જે 11 વર્ષની દીકરીનું મોત થયું છે તેમનું નામ પાયલબેન સાખન છે. મળતી માહિતી અનુસાર વહેલી સવારે દીપડો તેને સવારે ખેંચીને લઈ ગયો. બાળકીને અનેક કલાકો સુધી પરિવારજનોએ શોધી પરંતુ તે મળી નહી. બાળકી કે દીકરી મળી નહી. જે બાદ પરિવારે જંગલ વિભાગને જાણ કરી હતી. જંગલ વિભાગને જાણ કરાતા બાળકીને શોધવાની તજવીજ હાથ ધરાઈ. શોધખોળ દરમિયાન બાળકી મૃત હાલતમાં મળી આવી. દીપડાના હુમલાની વાત વાયુવેગે પ્રસરી ગઈ.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.