Junagadh લીલી પરિક્રમા દરમિયાન બની દુર્ઘટના, 11 વર્ષની બાળકી પર દીપડાએ કર્યો હુમલો, બાળકીનું થયું મોત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-24 15:24:11

જુનાગઢ લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. લીલી પરિક્રમામાં ભાગ લેવા દૂર દૂરથી લોકો આવે છે. હર હર મહાદેવ તેમજ જય ગીરનારીના નાદથી પરિક્રમા પથ ગુંજી ઉઠ્યો છે. આ પરિક્રમામાં ભાગ લેવા માટે નાના બાળકો, યુવાનો તેમજ વૃદ્ધો આવતા હોય છે. સાધુ-સંતોનો પણ મેળાવડો જોવા મળે છે. એક તરફ ભક્તિનો માહોલ છે તો બીજી તરફ પરિક્રમા પથ પર એક કિસ્સો બન્યો જે દુખી કરે તેવો છે. પરિક્રમા રૂટ પર દીપડાએ 11 વર્ષની બાળકી પર હુમલો કર્યો છે. હુમલો થતા નાની બાળકીનું મોત નીપજ્યુ છે. બાળકીનું મોત થતા પરિવાર પર દુ:ખની લાગણી વ્યાપી ઉઠી છે. આવો બનાવ બનતા સમગ્ર પરિક્રમાના રૂટ પર ડરનો માહોલ છવાઈ ગયો છે. 

11 વર્ષની બાળકી પર દીપડાએ કર્યો હુમલો 

હજી સુધી આપણે શ્વાન તેમજ રખડતા ઢોરના હુમલાના સમાચાર સાંભળ્યા છે. પરંતુ જૂનાગઢની લીલી પરિક્રમા દરમિયાન દીપડાના હુમલોનો કિસ્સો સામે આવ્યો છે. ગઈકાલથી શરૂ થયેલી લીલી પરિક્રમામાં ભાગ લેવા માટે દેશભરથી શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. દેશભરથી આ લીલી પરિક્રમાનો હિસ્સો બનવા માટે લોકો જૂનાગઢ પહોંચી રહ્યા છે. અનેરો ઉત્સાહ છે. આ બધા વચ્ચે એક દુખી કરી દે તેવી ઘટના સામે આવી. લીલી પરિક્રમાના રૂટમાં દીપડાએ 11 વર્ષની બાળકી પર હુમલો કર્યો અને દીકરી મોતને ભેટી. આ ઘટના બાદ લોકોમાં ડરનો માહોલ વ્યાપી ઉઠ્યો છે.  આ અંગે મળતી માહિતી અનુસાર આ ઘટના વહેલી સવારે બની. બાવરકોટમાં પરિક્રમા માર્ગમાં દીપડાએ બાળકી પર હુમલો કર્યો છે. આ ઘટનામાં મૃતક પામનારી બાળકી અમરેલી જિલ્લાની નિવાસી છે તેવી માહિતી સામે આવી હતી. 


કેવી રીતે બની આ ઘટના? 

જે 11 વર્ષની દીકરીનું મોત થયું છે તેમનું નામ પાયલબેન સાખન છે. મળતી માહિતી અનુસાર વહેલી સવારે દીપડો તેને સવારે ખેંચીને લઈ ગયો. બાળકીને અનેક કલાકો સુધી પરિવારજનોએ શોધી પરંતુ તે મળી નહી. બાળકી કે દીકરી મળી નહી. જે બાદ પરિવારે જંગલ વિભાગને જાણ કરી હતી. જંગલ વિભાગને જાણ કરાતા બાળકીને શોધવાની તજવીજ હાથ ધરાઈ. શોધખોળ દરમિયાન બાળકી મૃત હાલતમાં મળી આવી. દીપડાના હુમલાની વાત વાયુવેગે પ્રસરી ગઈ.  



જમાવટની ટીમે બનાસકાંઠા લોકસભા સીટના બંને ઉમેદવાર ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરીને તેમનું વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. રેખાબેન ચૌધરી સાથે તો વાત ના થઈ પરંતુ ગેનીબેન ઠાકોરે આખું લિસ્ટ ગણાવ્યું...

પરષોત્તમ રૂપાલાનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યા છે. ત્યારે સંકલન સમિતી દ્વારા એખ પત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં લોકશાહી ઢબે આંદોલનને આગળ વધારવા માટે અપીલ કરવામાં આવી છે..

આજે ગુજરાત સ્થાપના દિવસ છે... અનેક ગુજરાતીઓ બહાર વસે છે પરંતુ દિલમાં તો તેમના ગુજરાત જ વસે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગુજરાત અને ગુજરાતીઓને સમર્પિત રચના..

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાએ પાર્ટીમાંથી રાજીનામું. ભાજપમાં ક્યારે જોડાશે તેની રાહ જોવામાં આવતી. ત્યારે થોડા દિવસ પહેલા તેમણે કેસરિયો ધારણ કર્યો છે. આ કાર્યક્રમમાં કુમાર કાનાણી ગેરહાજર હતા જેને લઈ અનેક સવાલો થયા.