Rajkotમાં સર્જાઈ દુર્ઘટના, સ્લેબ તૂટી પડ્તા લોકો થયા ઈજાગ્રસ્ત, વિપક્ષે ભાજપ પર કર્યા પ્રહાર, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-25 09:26:21

રાજકોટમાં ગઈકાલે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સર્વેશ્વર ચોકમાં પાસે એક સ્લેબ ધરાશાયી થયો છે. યાજ્ઞિક રોડ ઉપર ફૂડ બજાર ભરાય છે જ્યાં મોટી સંખ્યામાં લોકો ખાવાપીવા આવતા હોય છે. રવિવારે મોડી રાત્રે શહેરના સર્વેશ્વર ચોકમાં સંતોષ ભેલ પાસેનો સ્લેબ તૂટી જતાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્લેબ નીચે અનેક લોકો દટાયા હોવાની વાત સામે આવી હતી. આ દુર્ઘટનામાં 28 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો અને રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દુર્ઘટનાને પગલે અફરા-તફરીનો માહોલ સર્જાયો છે.    

સ્બેલ ધરાશાયી થતાં સર્જાઈ દુર્ઘટના 

દુર્ઘટનામાં અનેક વખત અનેક લોકોના જીવ જતા હોય છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં સ્લેબ તૂટી પડવાને કારણે લોકો મોતને ભેટતા હોય છે અથવા તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે ગઈકાલે રાજકોટમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈના મોત થયા હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. રાજકોટ શહેરનાં સર્વેશ્વર ચોકમાં આવેલા સંતોષ ભેલ પાસેનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો જેને કારણે સ્લેબ નીચે અનેક લોકો દબાઈ ગયા હતા.

ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું અનુમાન 

આ ઘટનાને પગલે અનેક લોકો ઘાયલ થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેવા સમાચાર સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પોલીસ અને ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને લોકોને બચાવા રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દીધી હતી. આ ઘટનામાં વોકળા ઉપરનો સ્લેબ તૂટી પડ્યો હતો જેને કારણે 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.   


સુરેન્દ્રનગરમાં બની હતી બીજી મોટી દુર્ઘટના 

ગુજરાતમાં ગઈકાલે બે દુર્ઘટના સર્જાઈ હતી. આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજ્ય  સરકાર પર પ્રહાર કર્યા હતા. ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરી જેમાં લખવામાં આવ્યું હતું કે ભાજપનો ભ્રષ્ટાચાર હવે પોકારી રહ્યો છે. મહત્વનું છે કે એક દુર્ઘટના રાજકોટમાં બની હતી જ્યારે બીજી દુર્ઘટના સુરેન્દ્રનગરમાં બની હતી. સુરેન્દ્રનગરના વસ્તડી અને ચૂડા ગામને જોડતો પુલ ધરાશાયી થતાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પુલ તૂટવાની ઘટનાઓ છાશવારે બની રહી છે. 


આવી દુર્ઘટનાઓ પાછળ ભ્રષ્ટાચાર જવાબદાર?

મહત્વનું છે કે આવી દુર્ઘટનાઓ કહીને નથી આવતી. પરંતુ જો છાશવારે આવી દુર્ઘટનાઓ સર્જાય તો? કોઈના ઈચ્છે કે લોકોના મોત થાય છે પરંતુ આવી ઘટનાઓ બને છે એનું શું? પુલના નિર્માણ દરમિયાન આચરવામાં આવતો ભ્રષ્ટાચાર આવી દુર્ઘટનાઓ પાછળ જવાબદાર હોય છે તેવા આક્ષેપો કરવામાં આવતા હોય છે. ઘણી વખત વિપક્ષી પાર્ટીના નેતાઓ દ્વારા આ મુદ્દાઓ ઉઠાવવામાં આવતા હોય છે. આ વાતનું સમર્થન તમે પણ કરો? આ મુદ્દે તમારું શું માનવું છે તે અમને જણાવો... 



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .