Rajkotમાં સર્જાઈ દુર્ઘટના, સ્લેબ તૂટી પડ્તા લોકો થયા ઈજાગ્રસ્ત, વિપક્ષે ભાજપ પર કર્યા પ્રહાર, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-25 09:26:21

રાજકોટમાં ગઈકાલે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સર્વેશ્વર ચોકમાં પાસે એક સ્લેબ ધરાશાયી થયો છે. યાજ્ઞિક રોડ ઉપર ફૂડ બજાર ભરાય છે જ્યાં મોટી સંખ્યામાં લોકો ખાવાપીવા આવતા હોય છે. રવિવારે મોડી રાત્રે શહેરના સર્વેશ્વર ચોકમાં સંતોષ ભેલ પાસેનો સ્લેબ તૂટી જતાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્લેબ નીચે અનેક લોકો દટાયા હોવાની વાત સામે આવી હતી. આ દુર્ઘટનામાં 28 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો અને રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દુર્ઘટનાને પગલે અફરા-તફરીનો માહોલ સર્જાયો છે.    

સ્બેલ ધરાશાયી થતાં સર્જાઈ દુર્ઘટના 

દુર્ઘટનામાં અનેક વખત અનેક લોકોના જીવ જતા હોય છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં સ્લેબ તૂટી પડવાને કારણે લોકો મોતને ભેટતા હોય છે અથવા તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે ગઈકાલે રાજકોટમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈના મોત થયા હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. રાજકોટ શહેરનાં સર્વેશ્વર ચોકમાં આવેલા સંતોષ ભેલ પાસેનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો જેને કારણે સ્લેબ નીચે અનેક લોકો દબાઈ ગયા હતા.

ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું અનુમાન 

આ ઘટનાને પગલે અનેક લોકો ઘાયલ થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેવા સમાચાર સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પોલીસ અને ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને લોકોને બચાવા રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દીધી હતી. આ ઘટનામાં વોકળા ઉપરનો સ્લેબ તૂટી પડ્યો હતો જેને કારણે 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.   


સુરેન્દ્રનગરમાં બની હતી બીજી મોટી દુર્ઘટના 

ગુજરાતમાં ગઈકાલે બે દુર્ઘટના સર્જાઈ હતી. આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજ્ય  સરકાર પર પ્રહાર કર્યા હતા. ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરી જેમાં લખવામાં આવ્યું હતું કે ભાજપનો ભ્રષ્ટાચાર હવે પોકારી રહ્યો છે. મહત્વનું છે કે એક દુર્ઘટના રાજકોટમાં બની હતી જ્યારે બીજી દુર્ઘટના સુરેન્દ્રનગરમાં બની હતી. સુરેન્દ્રનગરના વસ્તડી અને ચૂડા ગામને જોડતો પુલ ધરાશાયી થતાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પુલ તૂટવાની ઘટનાઓ છાશવારે બની રહી છે. 


આવી દુર્ઘટનાઓ પાછળ ભ્રષ્ટાચાર જવાબદાર?

મહત્વનું છે કે આવી દુર્ઘટનાઓ કહીને નથી આવતી. પરંતુ જો છાશવારે આવી દુર્ઘટનાઓ સર્જાય તો? કોઈના ઈચ્છે કે લોકોના મોત થાય છે પરંતુ આવી ઘટનાઓ બને છે એનું શું? પુલના નિર્માણ દરમિયાન આચરવામાં આવતો ભ્રષ્ટાચાર આવી દુર્ઘટનાઓ પાછળ જવાબદાર હોય છે તેવા આક્ષેપો કરવામાં આવતા હોય છે. ઘણી વખત વિપક્ષી પાર્ટીના નેતાઓ દ્વારા આ મુદ્દાઓ ઉઠાવવામાં આવતા હોય છે. આ વાતનું સમર્થન તમે પણ કરો? આ મુદ્દે તમારું શું માનવું છે તે અમને જણાવો... 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.