Rajkotમાં સર્જાઈ દુર્ઘટના, સ્લેબ તૂટી પડ્તા લોકો થયા ઈજાગ્રસ્ત, વિપક્ષે ભાજપ પર કર્યા પ્રહાર, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-25 09:26:21

રાજકોટમાં ગઈકાલે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સર્વેશ્વર ચોકમાં પાસે એક સ્લેબ ધરાશાયી થયો છે. યાજ્ઞિક રોડ ઉપર ફૂડ બજાર ભરાય છે જ્યાં મોટી સંખ્યામાં લોકો ખાવાપીવા આવતા હોય છે. રવિવારે મોડી રાત્રે શહેરના સર્વેશ્વર ચોકમાં સંતોષ ભેલ પાસેનો સ્લેબ તૂટી જતાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્લેબ નીચે અનેક લોકો દટાયા હોવાની વાત સામે આવી હતી. આ દુર્ઘટનામાં 28 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો અને રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ દુર્ઘટનાને પગલે અફરા-તફરીનો માહોલ સર્જાયો છે.    

સ્બેલ ધરાશાયી થતાં સર્જાઈ દુર્ઘટના 

દુર્ઘટનામાં અનેક વખત અનેક લોકોના જીવ જતા હોય છે. અનેક વખત એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં સ્લેબ તૂટી પડવાને કારણે લોકો મોતને ભેટતા હોય છે અથવા તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે ગઈકાલે રાજકોટમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈના મોત થયા હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. રાજકોટ શહેરનાં સર્વેશ્વર ચોકમાં આવેલા સંતોષ ભેલ પાસેનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો જેને કારણે સ્લેબ નીચે અનેક લોકો દબાઈ ગયા હતા.

ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું અનુમાન 

આ ઘટનાને પગલે અનેક લોકો ઘાયલ થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેવા સમાચાર સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પોલીસ અને ફાયર વિભાગની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને લોકોને બચાવા રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દીધી હતી. આ ઘટનામાં વોકળા ઉપરનો સ્લેબ તૂટી પડ્યો હતો જેને કારણે 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.   


સુરેન્દ્રનગરમાં બની હતી બીજી મોટી દુર્ઘટના 

ગુજરાતમાં ગઈકાલે બે દુર્ઘટના સર્જાઈ હતી. આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ રાજ્ય  સરકાર પર પ્રહાર કર્યા હતા. ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરી જેમાં લખવામાં આવ્યું હતું કે ભાજપનો ભ્રષ્ટાચાર હવે પોકારી રહ્યો છે. મહત્વનું છે કે એક દુર્ઘટના રાજકોટમાં બની હતી જ્યારે બીજી દુર્ઘટના સુરેન્દ્રનગરમાં બની હતી. સુરેન્દ્રનગરના વસ્તડી અને ચૂડા ગામને જોડતો પુલ ધરાશાયી થતાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પુલ તૂટવાની ઘટનાઓ છાશવારે બની રહી છે. 


આવી દુર્ઘટનાઓ પાછળ ભ્રષ્ટાચાર જવાબદાર?

મહત્વનું છે કે આવી દુર્ઘટનાઓ કહીને નથી આવતી. પરંતુ જો છાશવારે આવી દુર્ઘટનાઓ સર્જાય તો? કોઈના ઈચ્છે કે લોકોના મોત થાય છે પરંતુ આવી ઘટનાઓ બને છે એનું શું? પુલના નિર્માણ દરમિયાન આચરવામાં આવતો ભ્રષ્ટાચાર આવી દુર્ઘટનાઓ પાછળ જવાબદાર હોય છે તેવા આક્ષેપો કરવામાં આવતા હોય છે. ઘણી વખત વિપક્ષી પાર્ટીના નેતાઓ દ્વારા આ મુદ્દાઓ ઉઠાવવામાં આવતા હોય છે. આ વાતનું સમર્થન તમે પણ કરો? આ મુદ્દે તમારું શું માનવું છે તે અમને જણાવો... 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.