Suratમાં નવા વર્ષે સર્જાઈ દુર્ઘટના, ટાંકી સાફ કરવા ઉતરેલા મજુરોના ગુંગળામણને કારણે થયા મોત, આખરે આ સિસ્ટમ ક્યારે જાગશે?


  • Published By :
  • Published Date : 2023-11-15 16:23:59

ગટરને સાફ કરવા માટે જ્યારે સફાઈ કામદારો ઉતરે છે ત્યારે ગુંગળામણને કારણે તેમનું મોત થઈ જતું હોય છે. ગઈકાલે એક તરફ લોકો નવા વર્ષની ખુશી મનાવી રહ્યા હતા તો બીજી તરફ એ પરિવાર શોક મનાવી રહ્યો હતો જેમણે પોતાના સ્વજનને ગટરમાં થતાં ગુંગળામણને કારણે થયા હતા. સુરતથી એક સમાચાર સામે આવ્યા જેમાં ચાર મજુરોના મોત ગુંગળામણને કારણે ગુમાવ્યા હતા. સુરતમાં પલસાણા – કડોદરા રોડ પરની ઘટના સામે આવી છે. જેમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોના ગૂંગળામણના કારણે મોત થયા. આ પહેલી વાર નથી પરંતુ અનેક વખત આવા કિસ્સાઓ આવી રહ્યા છે.

4 Laborers Who Came Down To Clean The Tank In Surat Died Due To Suffocation  | Surat: સુરતમાં ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર શ્રમિકોના ગૂંગળાઇ જવાથી મોત

નવા વર્ષે ચાર મજુરોના મોત ગુંગળામણને કારણે થયા

એક તરફ આપણે વિકાસની વાતો કરીએ છીએ, પરંતુ હજી સુધી એવી સિસ્ટમ નથી વિકસાવી શક્યા કે જે મજુરોના જીવને બચાવી શકે! ટાંકી સાફ કરવા, ગટર સાફ કરવા જ્યારે શ્રમિકો નીચે ઉતરે છે ત્યારે તેમના જીવન પર સંકટ રહેલું હોય છે. નાના માણસના જીવનની કોઈ કિંમત જ નથી એવું વિચારવા માટે આવી ઘટનાઓ મજબૂર કરે છે. સુરતમાં નવા વર્ષના દિવસે એક દુર્ઘટના સર્જાઈ છે જેમાં ચાર મજુરોના મોત ગુંગળામણને કારણે થયા છે. 

Surat Accident News : પલસાણા ખાતે આવેલી મિલમાં બની ગોઝારી ઘટના, ટાંકી સાફ  કરવા ઉતરેલા 4 શ્રમિકોના ગુંગળાઇ જતા મોત, surat-workers-who-went-to-clean- tank-fell-unconscious-due-to ...

ટાંકી સાફ કરવા માટે નીચે ઉતર્યા હતા મજુરો 

આ અંગે મળતી માહિતી અનુસાર , કડોદરા રોડ પર આવેલ રાજહંશ ટેક્ષ નામની મિલમાં ઈન્ફ્યુલેન્ટ ટ્રીટમેન્ટની 20-25 ફૂંટ ટાંકાની સફાઈ કરવા માટે 4 જેટલા શ્રમિકો અંદર ઉતર્યા હતા. આ દરમિયાન તેઓને ગૂંગળામણ થવા લાગી હતી.બીજી તરફ આ બનાવની જાણ થતાં કામરેજ અને બારડોલી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં ફાયર વિભાગના જવાનોએ ટાંકામાંથી 4 શ્રમિકોના મૃતદેહો બહાર કાઢ્યા હતા. થોડા સમય પહેલા ભાવનગરથી આવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં ગટર સાફ કરવા ઉતરેલા મજુરનું મોત ગુંગળામણને કારણે થયું હતું.  


ક્યારે બદલાશે આવી પરિસ્થિતિ? 

ગુજરાતમાં વારંવાર આવી ઘટનાઓ બની રહી છે. સતત બનતી આવી ઘટનાઓ સામાન્ય લોકોને વિચારવા મજબૂર કરી રહી છે કે આ લોકોની સુરક્ષા માટે પણ યોગ્ય પગલા લેવાવા જોઈએ. સામાન્ય માણસના વિચારવાથી કંઈ નથી બદલાનું પરંતુ ત્યારે બદલાશે જ્યારે સરકાર તેમની સુરક્ષા માટે કોઈ પગલા લેશે. સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવી રહ્યા આ તેનું ઉદાહરણ છે. સરકારને જાણ હોવા છતાંય આવી ઘટનાઓને નજરઅંદાજ જાણી જોઈને કરતી હોય તેવું લાગી રહ્યું છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.