Suratમાં નવા વર્ષે સર્જાઈ દુર્ઘટના, ટાંકી સાફ કરવા ઉતરેલા મજુરોના ગુંગળામણને કારણે થયા મોત, આખરે આ સિસ્ટમ ક્યારે જાગશે?


  • Published By :
  • Published Date : 2023-11-15 16:23:59

ગટરને સાફ કરવા માટે જ્યારે સફાઈ કામદારો ઉતરે છે ત્યારે ગુંગળામણને કારણે તેમનું મોત થઈ જતું હોય છે. ગઈકાલે એક તરફ લોકો નવા વર્ષની ખુશી મનાવી રહ્યા હતા તો બીજી તરફ એ પરિવાર શોક મનાવી રહ્યો હતો જેમણે પોતાના સ્વજનને ગટરમાં થતાં ગુંગળામણને કારણે થયા હતા. સુરતથી એક સમાચાર સામે આવ્યા જેમાં ચાર મજુરોના મોત ગુંગળામણને કારણે ગુમાવ્યા હતા. સુરતમાં પલસાણા – કડોદરા રોડ પરની ઘટના સામે આવી છે. જેમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોના ગૂંગળામણના કારણે મોત થયા. આ પહેલી વાર નથી પરંતુ અનેક વખત આવા કિસ્સાઓ આવી રહ્યા છે.

4 Laborers Who Came Down To Clean The Tank In Surat Died Due To Suffocation  | Surat: સુરતમાં ટાંકી સાફ કરવા ઉતરેલા ચાર શ્રમિકોના ગૂંગળાઇ જવાથી મોત

નવા વર્ષે ચાર મજુરોના મોત ગુંગળામણને કારણે થયા

એક તરફ આપણે વિકાસની વાતો કરીએ છીએ, પરંતુ હજી સુધી એવી સિસ્ટમ નથી વિકસાવી શક્યા કે જે મજુરોના જીવને બચાવી શકે! ટાંકી સાફ કરવા, ગટર સાફ કરવા જ્યારે શ્રમિકો નીચે ઉતરે છે ત્યારે તેમના જીવન પર સંકટ રહેલું હોય છે. નાના માણસના જીવનની કોઈ કિંમત જ નથી એવું વિચારવા માટે આવી ઘટનાઓ મજબૂર કરે છે. સુરતમાં નવા વર્ષના દિવસે એક દુર્ઘટના સર્જાઈ છે જેમાં ચાર મજુરોના મોત ગુંગળામણને કારણે થયા છે. 

Surat Accident News : પલસાણા ખાતે આવેલી મિલમાં બની ગોઝારી ઘટના, ટાંકી સાફ  કરવા ઉતરેલા 4 શ્રમિકોના ગુંગળાઇ જતા મોત, surat-workers-who-went-to-clean- tank-fell-unconscious-due-to ...

ટાંકી સાફ કરવા માટે નીચે ઉતર્યા હતા મજુરો 

આ અંગે મળતી માહિતી અનુસાર , કડોદરા રોડ પર આવેલ રાજહંશ ટેક્ષ નામની મિલમાં ઈન્ફ્યુલેન્ટ ટ્રીટમેન્ટની 20-25 ફૂંટ ટાંકાની સફાઈ કરવા માટે 4 જેટલા શ્રમિકો અંદર ઉતર્યા હતા. આ દરમિયાન તેઓને ગૂંગળામણ થવા લાગી હતી.બીજી તરફ આ બનાવની જાણ થતાં કામરેજ અને બારડોલી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં ફાયર વિભાગના જવાનોએ ટાંકામાંથી 4 શ્રમિકોના મૃતદેહો બહાર કાઢ્યા હતા. થોડા સમય પહેલા ભાવનગરથી આવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં ગટર સાફ કરવા ઉતરેલા મજુરનું મોત ગુંગળામણને કારણે થયું હતું.  


ક્યારે બદલાશે આવી પરિસ્થિતિ? 

ગુજરાતમાં વારંવાર આવી ઘટનાઓ બની રહી છે. સતત બનતી આવી ઘટનાઓ સામાન્ય લોકોને વિચારવા મજબૂર કરી રહી છે કે આ લોકોની સુરક્ષા માટે પણ યોગ્ય પગલા લેવાવા જોઈએ. સામાન્ય માણસના વિચારવાથી કંઈ નથી બદલાનું પરંતુ ત્યારે બદલાશે જ્યારે સરકાર તેમની સુરક્ષા માટે કોઈ પગલા લેશે. સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવી રહ્યા આ તેનું ઉદાહરણ છે. સરકારને જાણ હોવા છતાંય આવી ઘટનાઓને નજરઅંદાજ જાણી જોઈને કરતી હોય તેવું લાગી રહ્યું છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.