કેદારનાથ જવાના રસ્તે ભૂસ્ખલન થતાં સર્જાઈ દુર્ઘટના,પથ્થરો પડતા કાર દટાઈ, થયા આટલા ગુજરાતીઓના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-12 12:20:21

દેશના અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદ થવાને કારણે અનેક રાજ્યોથી ભૂસ્ખલન થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. પહાડી વિસ્તારોમાં મુખ્યત્વે આવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે કેદારનાથની યાત્રા હાલ ચાલી રહી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાબા કેદારનાથના દર્શન કરવા માટે જતા હોય છે, પરંતુ ભૂસ્ખલન થવાને કારણે અનેક વખત દુર્ઘટના સર્જાય છે જેમાં લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે આવી જ ઘટના કેદારનાથના દર્શન કરવા ગયેલા ગુજરાતી પરિવાર સાથે બની છે. ભૂસ્ખલન થવાને કારણે યાત્રાળુઓની ગાડી નીચે દટાઈ ગઈ અને કારમાં સવાર પાંચેય લોકોના મોત થયા છે. ગુજરાતીઓ કાળનો કોળિયો બન્યા છે.  


પર્વત પરથી પડ્યા મોટા મોટા પથ્થર  

હિંદુ ધર્મમાં ચારધામની યાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે. કેદારનાથના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ જતા હોય છે. પરંતુ અનેક વખત ભૂસ્ખલન થવાના સમાચાર સામે આવતા હોય છે. ચોમાસાની સિઝનમાં અનેક વખત ભૂસ્ખલનની ઘટનાઓ બનતી હોય છે જેમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે ગુજરાતીઓ કેદારનાથના દર્શને ગયા હતા, તે યાત્રાળુઓને ભૂસ્ખલનનો સામનો કરવો પડ્યો છે. ભૂસ્ખલન થતાં ગાડી નીચે દટાઈ ગઈ હતી. હરિદ્વારથી કેદારનાથ ગાડી લઈને જઈ રહ્યા ત્યારે ભૂસ્ખલન થયું અને તેમની ગાડી પથ્થર નીચે દટાઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર ફાટા વિસ્તારમાં આ ઘટના બની છે. પથ્થર રેસ્કયુની કામગીરી 12 કલાક સુધી ચાલી રેસ્ક્યુની કામગીરી ચાલી હતી.  


ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુની કામગીરી ચાલુ કરવામાં આવી 

ભૂસ્ખલન થતાં રસ્તાઓનું ધોવાણ થતું હોય છે. આ ભૂસ્ખલન થતાં 60 મીટરનો રસ્તો ધોવાઈ ગયો હતો. જ્યારે યાત્રાળુઓની કાર જ્યારે ફાટા પહોંચ્યા તે દરમિયાન પર્વત પરથી પથ્થરો પડ્યા અને કાર નીચે પડી ગઈ અને ગાડીમાં સવાર પાંચ લોકોના મોત થઈ ગયા હતા. ત્યાંના અધિકારીના જણાવ્યા અનુસાર ઘટનાની જાણ થતાં જ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સની ટીમ દ્વારા બચાવની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ રેસ્ક્યુની કામગીરી માટે વાતાવરણ અનુકુળ ન હતું, અનારાધાર વરસાદ વરસી રહ્યો હતો. જેને કારણે પથ્થર હટાવવામાં અનેક કલાકોનો સમય લાગ્યો. જ્યારે હવામાન સારૂં થયું ત્યારે બચાવની કામગીરી કરવામાં આવી. મળતી માહિતી અનુસાર જે ગુજરાતીઓના મોત થયા છે તે મણિનગરના રહેવાસી હતા.    



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.