કેદારનાથ જવાના રસ્તે ભૂસ્ખલન થતાં સર્જાઈ દુર્ઘટના,પથ્થરો પડતા કાર દટાઈ, થયા આટલા ગુજરાતીઓના મોત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-12 12:20:21

દેશના અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદ થવાને કારણે અનેક રાજ્યોથી ભૂસ્ખલન થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. પહાડી વિસ્તારોમાં મુખ્યત્વે આવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે કેદારનાથની યાત્રા હાલ ચાલી રહી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાબા કેદારનાથના દર્શન કરવા માટે જતા હોય છે, પરંતુ ભૂસ્ખલન થવાને કારણે અનેક વખત દુર્ઘટના સર્જાય છે જેમાં લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે આવી જ ઘટના કેદારનાથના દર્શન કરવા ગયેલા ગુજરાતી પરિવાર સાથે બની છે. ભૂસ્ખલન થવાને કારણે યાત્રાળુઓની ગાડી નીચે દટાઈ ગઈ અને કારમાં સવાર પાંચેય લોકોના મોત થયા છે. ગુજરાતીઓ કાળનો કોળિયો બન્યા છે.  


પર્વત પરથી પડ્યા મોટા મોટા પથ્થર  

હિંદુ ધર્મમાં ચારધામની યાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે. કેદારનાથના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ જતા હોય છે. પરંતુ અનેક વખત ભૂસ્ખલન થવાના સમાચાર સામે આવતા હોય છે. ચોમાસાની સિઝનમાં અનેક વખત ભૂસ્ખલનની ઘટનાઓ બનતી હોય છે જેમાં અનેક લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે ગુજરાતીઓ કેદારનાથના દર્શને ગયા હતા, તે યાત્રાળુઓને ભૂસ્ખલનનો સામનો કરવો પડ્યો છે. ભૂસ્ખલન થતાં ગાડી નીચે દટાઈ ગઈ હતી. હરિદ્વારથી કેદારનાથ ગાડી લઈને જઈ રહ્યા ત્યારે ભૂસ્ખલન થયું અને તેમની ગાડી પથ્થર નીચે દટાઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર ફાટા વિસ્તારમાં આ ઘટના બની છે. પથ્થર રેસ્કયુની કામગીરી 12 કલાક સુધી ચાલી રેસ્ક્યુની કામગીરી ચાલી હતી.  


ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુની કામગીરી ચાલુ કરવામાં આવી 

ભૂસ્ખલન થતાં રસ્તાઓનું ધોવાણ થતું હોય છે. આ ભૂસ્ખલન થતાં 60 મીટરનો રસ્તો ધોવાઈ ગયો હતો. જ્યારે યાત્રાળુઓની કાર જ્યારે ફાટા પહોંચ્યા તે દરમિયાન પર્વત પરથી પથ્થરો પડ્યા અને કાર નીચે પડી ગઈ અને ગાડીમાં સવાર પાંચ લોકોના મોત થઈ ગયા હતા. ત્યાંના અધિકારીના જણાવ્યા અનુસાર ઘટનાની જાણ થતાં જ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સની ટીમ દ્વારા બચાવની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ રેસ્ક્યુની કામગીરી માટે વાતાવરણ અનુકુળ ન હતું, અનારાધાર વરસાદ વરસી રહ્યો હતો. જેને કારણે પથ્થર હટાવવામાં અનેક કલાકોનો સમય લાગ્યો. જ્યારે હવામાન સારૂં થયું ત્યારે બચાવની કામગીરી કરવામાં આવી. મળતી માહિતી અનુસાર જે ગુજરાતીઓના મોત થયા છે તે મણિનગરના રહેવાસી હતા.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.