વધુ એક નિર્માણાધીન બ્રિજ સાથે સર્જાઈ દુર્ઘટના, વાત્રક-મેશ્વો નદી પર બની રહેલા બ્રિજનો સપોર્ટ તૂટી પડ્યો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-12 14:54:27

ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ગુજરાતની નદીઓમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. પાણીની આવક થતાં નદીઓના જળસ્તર વધી રહ્યા છે. વરસાદની સિઝન દરમિયાન અનેક રસ્તાઓનું ધોવાણ થતું હોય છે, દિવાલ ધરાશાયી થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ બ્રિજ પડવાના કિસ્સાઓ પણ અનેક વખત બનતા હોય છે. ત્યારે ખેડાની વાત્રક-મેશ્વો નદી પર બની રહેલા બ્રિજનો એક સ્લેબ ધરાશાયી થઈ ગયો છે. નિર્માણાધીન પુલના સ્લેબના નીચેનો ટેકો ધડામ કરતો પડી ગયો છે. પાણીમાં વહેતા સ્લેબનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.     

ગુજરાતની નદીઓમાં થઈ પાણીની આવક

દેશના અનેક રાજ્યોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. અનેક રાજ્યોમાં અનેક ટકા વરસાદ પણ વરસી ગયો છે. ભારે વરસાદ થવાને કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં થતાં ભારે વરસાદને કારણે પણ ગુજરાતની નદીઓમાં પાણીની આવક થઈ છે. નદીઓ બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદને કારણે અનેક દુર્ઘટનાઓના સમાચારો સામે આવતા રહે છે. ત્યારે આજે એક વીડિયો સામે આવ્યો છે જેમાં ખેડાના દેદરડાથી વાસણા ખુર્દ ગામ વચ્ચે બની રહેલા પુલનો એક ભાગ પાણીમાં વહી ગયો. વાત્રક-મેશ્વો નદી પર બની રહેલ નવ નિર્માણ બ્રિજનું સ્ટ્રકચર પાણીમાં પડી ગયું. પાણીના તેજ પ્રવાહને કારણે તે સ્ટ્રક્ચર પાણીમાં વહેવા લાગ્યું. 



પાણીના પ્રવાહને કારણે પણ બ્રિજ થઈ શકે છે ધરાશાયી!

ઘણા સમયથી બ્રિજ તૂટી પડવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એ ભલે ગુજરાત હોય કે બિહાર હોય. નિર્માણ પામી રહેલા બ્રિજો પણ તૂટી રહ્યા છે. વરસાદને કારણે રસ્તાઓની હાલત તો બિસ્માર થઈ રહી છે પરંતુ બ્રિજ પણ તૂટી રહ્યા છે. નિર્માણધીન બ્રિજો પણ તૂટી રહ્યા છે. ત્યારે આ બ્રિજ ભ્રષ્ટાચારને કારણે તૂટી પડ્યો હોય તેવું પણ ના કહી શકાય. કારણ કે પાણી આગળ લોકો લાચાર છે. પાણીના ધસમસતા પ્રવાહમાં અનેક વસ્તુઓ તણાઈ જતી હોય છે, ત્યારે આ બ્રિજ પણ પાણીના પ્રવાહને કારણે તૂટી પડ્યો હોઈ શકે છે.     


અનેક બ્રિજો એવા છે જેની સાથે સર્જાઈ છે દુર્ઘટના 

થોડા દિવસ પહેલા અમરેલી જિલ્લાથી આવો કિસ્સો સામે આવ્યો હતો. ભાવનગર-સોમનાથ હાઈવે પર રાજુલાના દાતરડી ગામ પાસે બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું તે દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. બ્રિજ સંપૂર્ણ રીતે બનીને તૈયાર થાય તે પહેલાં જ સ્લેબ ધરાશાયી થયો હતો. આતો એવા બ્રિજ છે જેનું કામકાજ ચાલી રહ્યું હોય ત્યારે પડ્યા હોય. પરંતુ અનેક એવા બ્રિજો છે જેનું લોકાર્પણ થઈ ગયું હોય અને માત્ર થોડા સમય બાદ જ બ્રિજ પર ખાડા, ભૂવો જોવા મળતા હોય છે. અમદાવાદમાં પણ નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો હતો. બોપલથી શાંતિપુરા તરફ જવાના રસ્તા પર બની રહેલા બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. આવા તો અનેક કિસ્સાઓ છે.  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.