Andhra Pradeshમાં સર્જાયો ટ્રેન અકસ્માત, પેસેન્જર ટ્રેન એકબીજા સાથે અથડાઈ થયા નિર્દોષ લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-10-30 09:12:38

થોડા સમય પહેલા ઓડિશામાં ટ્રેન અકસ્માત થયો હતો જેમાં અનેક લોકોના મોત થયા હતા. એ અકસ્માતમાં ત્રણ પેસેન્જર ટ્રેન એક-બીજા સાથે અથડાઈ હતી. ત્યારે આંધ્રપ્રદેશમાં ફરી એક ટ્રેન અકસ્માત સર્જાયો છે. રવિવાર સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ બે પેસેન્જર ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટના આંધ્રપ્રદેશના વિજિયનગરમ જિલ્લામાં સર્જાઈ છે. આ દુર્ઘટનામાં અંદાજીત 13 લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર સ્પેશિયલ ટ્રેને પાછળથી વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર એક્સપ્રેસને ટક્કર મારી, જેને કારણે આ દુર્ઘટના સર્જાઈ. બંને ટ્રેન વચ્ચે અકસ્માત થતા ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ અથડામણ કાંટાકપલ્લે અને અલામંદા રેલવે સ્ટેશન વચ્ચે થઈ હતી.

 


મૃતકોનો આંકડો વધે તેવી સંભાવના 

ટ્રેન અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. થોડા સમય પહેલા ઓડિશામાં ટ્રેન અકસ્માત થયો હતો જેમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારે આંધ્રપ્રદેશમાં રવિવાર રાત્રે ભીષણ ટ્રેન અકસ્માત સર્જાયો હતો. બે ટ્રેન વચ્ચે ટક્કર થઈ હતી જેમાં 13 લોકોના મોત થયા છે. પહેલા મોતનો આંકડો 11 હતો પરંતુ તે બાદ આંકડો 13 પર પહોંચી ગયો. આ આંકડો હજી વધી પણ શકે છે. ટ્રેન અકસ્માત સર્જાતા ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ દુર્ઘટનાને કારણે અનેક ટ્રેનોને ડાઈવટ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.  

કેવી રીતે સર્જાયો ટ્રેન અકસ્માત?

ન્યુઝ એજન્સી એએનાઈના પ્રમાણે આ અકસ્માત વિજિયાનગરમ જિલ્લામાં સર્જાયો. વિશાખાપટ્ટનમથી રાયગડા વચ્ચે ટ્રેન જઈ રહી હતી, પરંતુ ઓવરહેડ કેબલ તૂટવાને કારણે બંધ થઈ ગઈ. કેબલ તૂટવાને કારણે ટ્રેન ત્યાંની ત્યાં ઉભી રહી. પાછળથી આવી રહેલા પલાસા પેસેન્જરે ઉભેલી પેસેન્જર ટ્રેનને ટક્કર મારી હતી. ત્રણ કોચ પાટા પરથી ઉતરી ગયા. ઘટનાની તસવીરો સામે આવી છે. આમાં, પાટા પરથી ઉતરેલા કોચ જોવા મળે છે અને આસપાસ લોકોની ભારે ભીડ ભેગી થયેલી જોવા મળે છે.

મૃતકોને સહાય આપવાની કરાઈ જાહેરાત  

દુર્ઘટના સર્જાયા બાદ એનડીઆરએફની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને રાહત બચાવ કામગીરી શરૂ કરી દીધી હતા. ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોને 2 લાખની સહાય આપવામાં આવશે જ્યારે ઘાયલોને 50 હજારની સહાય આપવામાં આવશે તેવી જાહેરાત પીએમઓ દ્વારા કરવામાં આવી છે. 

હેલ્પલાઈન નંબર કરાયો જાહેર 

દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રી પણ એક્શન મોડમાં આવી ગયા છે. ઘાયલોને  હોસ્પિટલ પહોંચાડવામાં કોઈ તકલીફ ન પડે તે માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વિવિધ જિલ્લાઓથી એમ્બ્યુલન્સને ઘટનાસ્થળ પર પહોંચવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. ઉપરાંત હોસ્પિટલમાં પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. બીએસએનએલ નંબર - 08912746330, 08912744619. ત્યારે પ્રશ્ન થાય કે ક્યાં સુધી નિર્દોષ લોકોના જીવ આવી દુર્ઘટનાને કારણે જતા રહશે? 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .