Andhra Pradeshમાં સર્જાયો ટ્રેન અકસ્માત, પેસેન્જર ટ્રેન એકબીજા સાથે અથડાઈ થયા નિર્દોષ લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-10-30 09:12:38

થોડા સમય પહેલા ઓડિશામાં ટ્રેન અકસ્માત થયો હતો જેમાં અનેક લોકોના મોત થયા હતા. એ અકસ્માતમાં ત્રણ પેસેન્જર ટ્રેન એક-બીજા સાથે અથડાઈ હતી. ત્યારે આંધ્રપ્રદેશમાં ફરી એક ટ્રેન અકસ્માત સર્જાયો છે. રવિવાર સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ બે પેસેન્જર ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટના આંધ્રપ્રદેશના વિજિયનગરમ જિલ્લામાં સર્જાઈ છે. આ દુર્ઘટનામાં અંદાજીત 13 લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર સ્પેશિયલ ટ્રેને પાછળથી વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર એક્સપ્રેસને ટક્કર મારી, જેને કારણે આ દુર્ઘટના સર્જાઈ. બંને ટ્રેન વચ્ચે અકસ્માત થતા ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ અથડામણ કાંટાકપલ્લે અને અલામંદા રેલવે સ્ટેશન વચ્ચે થઈ હતી.

 


મૃતકોનો આંકડો વધે તેવી સંભાવના 

ટ્રેન અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. થોડા સમય પહેલા ઓડિશામાં ટ્રેન અકસ્માત થયો હતો જેમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારે આંધ્રપ્રદેશમાં રવિવાર રાત્રે ભીષણ ટ્રેન અકસ્માત સર્જાયો હતો. બે ટ્રેન વચ્ચે ટક્કર થઈ હતી જેમાં 13 લોકોના મોત થયા છે. પહેલા મોતનો આંકડો 11 હતો પરંતુ તે બાદ આંકડો 13 પર પહોંચી ગયો. આ આંકડો હજી વધી પણ શકે છે. ટ્રેન અકસ્માત સર્જાતા ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ દુર્ઘટનાને કારણે અનેક ટ્રેનોને ડાઈવટ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.  

કેવી રીતે સર્જાયો ટ્રેન અકસ્માત?

ન્યુઝ એજન્સી એએનાઈના પ્રમાણે આ અકસ્માત વિજિયાનગરમ જિલ્લામાં સર્જાયો. વિશાખાપટ્ટનમથી રાયગડા વચ્ચે ટ્રેન જઈ રહી હતી, પરંતુ ઓવરહેડ કેબલ તૂટવાને કારણે બંધ થઈ ગઈ. કેબલ તૂટવાને કારણે ટ્રેન ત્યાંની ત્યાં ઉભી રહી. પાછળથી આવી રહેલા પલાસા પેસેન્જરે ઉભેલી પેસેન્જર ટ્રેનને ટક્કર મારી હતી. ત્રણ કોચ પાટા પરથી ઉતરી ગયા. ઘટનાની તસવીરો સામે આવી છે. આમાં, પાટા પરથી ઉતરેલા કોચ જોવા મળે છે અને આસપાસ લોકોની ભારે ભીડ ભેગી થયેલી જોવા મળે છે.

મૃતકોને સહાય આપવાની કરાઈ જાહેરાત  

દુર્ઘટના સર્જાયા બાદ એનડીઆરએફની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને રાહત બચાવ કામગીરી શરૂ કરી દીધી હતા. ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોને 2 લાખની સહાય આપવામાં આવશે જ્યારે ઘાયલોને 50 હજારની સહાય આપવામાં આવશે તેવી જાહેરાત પીએમઓ દ્વારા કરવામાં આવી છે. 

હેલ્પલાઈન નંબર કરાયો જાહેર 

દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રી પણ એક્શન મોડમાં આવી ગયા છે. ઘાયલોને  હોસ્પિટલ પહોંચાડવામાં કોઈ તકલીફ ન પડે તે માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વિવિધ જિલ્લાઓથી એમ્બ્યુલન્સને ઘટનાસ્થળ પર પહોંચવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. ઉપરાંત હોસ્પિટલમાં પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. બીએસએનએલ નંબર - 08912746330, 08912744619. ત્યારે પ્રશ્ન થાય કે ક્યાં સુધી નિર્દોષ લોકોના જીવ આવી દુર્ઘટનાને કારણે જતા રહશે? 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.