Andhra Pradeshમાં સર્જાયો ટ્રેન અકસ્માત, પેસેન્જર ટ્રેન એકબીજા સાથે અથડાઈ થયા નિર્દોષ લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-10-30 09:12:38

થોડા સમય પહેલા ઓડિશામાં ટ્રેન અકસ્માત થયો હતો જેમાં અનેક લોકોના મોત થયા હતા. એ અકસ્માતમાં ત્રણ પેસેન્જર ટ્રેન એક-બીજા સાથે અથડાઈ હતી. ત્યારે આંધ્રપ્રદેશમાં ફરી એક ટ્રેન અકસ્માત સર્જાયો છે. રવિવાર સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ બે પેસેન્જર ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટના આંધ્રપ્રદેશના વિજિયનગરમ જિલ્લામાં સર્જાઈ છે. આ દુર્ઘટનામાં અંદાજીત 13 લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.સૂત્રોના જણાવ્યા અનુસાર વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર સ્પેશિયલ ટ્રેને પાછળથી વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર એક્સપ્રેસને ટક્કર મારી, જેને કારણે આ દુર્ઘટના સર્જાઈ. બંને ટ્રેન વચ્ચે અકસ્માત થતા ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ અથડામણ કાંટાકપલ્લે અને અલામંદા રેલવે સ્ટેશન વચ્ચે થઈ હતી.

 


મૃતકોનો આંકડો વધે તેવી સંભાવના 

ટ્રેન અકસ્માતમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. થોડા સમય પહેલા ઓડિશામાં ટ્રેન અકસ્માત થયો હતો જેમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારે આંધ્રપ્રદેશમાં રવિવાર રાત્રે ભીષણ ટ્રેન અકસ્માત સર્જાયો હતો. બે ટ્રેન વચ્ચે ટક્કર થઈ હતી જેમાં 13 લોકોના મોત થયા છે. પહેલા મોતનો આંકડો 11 હતો પરંતુ તે બાદ આંકડો 13 પર પહોંચી ગયો. આ આંકડો હજી વધી પણ શકે છે. ટ્રેન અકસ્માત સર્જાતા ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. આ દુર્ઘટનાને કારણે અનેક ટ્રેનોને ડાઈવટ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.  

કેવી રીતે સર્જાયો ટ્રેન અકસ્માત?

ન્યુઝ એજન્સી એએનાઈના પ્રમાણે આ અકસ્માત વિજિયાનગરમ જિલ્લામાં સર્જાયો. વિશાખાપટ્ટનમથી રાયગડા વચ્ચે ટ્રેન જઈ રહી હતી, પરંતુ ઓવરહેડ કેબલ તૂટવાને કારણે બંધ થઈ ગઈ. કેબલ તૂટવાને કારણે ટ્રેન ત્યાંની ત્યાં ઉભી રહી. પાછળથી આવી રહેલા પલાસા પેસેન્જરે ઉભેલી પેસેન્જર ટ્રેનને ટક્કર મારી હતી. ત્રણ કોચ પાટા પરથી ઉતરી ગયા. ઘટનાની તસવીરો સામે આવી છે. આમાં, પાટા પરથી ઉતરેલા કોચ જોવા મળે છે અને આસપાસ લોકોની ભારે ભીડ ભેગી થયેલી જોવા મળે છે.

મૃતકોને સહાય આપવાની કરાઈ જાહેરાત  

દુર્ઘટના સર્જાયા બાદ એનડીઆરએફની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને રાહત બચાવ કામગીરી શરૂ કરી દીધી હતા. ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોને 2 લાખની સહાય આપવામાં આવશે જ્યારે ઘાયલોને 50 હજારની સહાય આપવામાં આવશે તેવી જાહેરાત પીએમઓ દ્વારા કરવામાં આવી છે. 

હેલ્પલાઈન નંબર કરાયો જાહેર 

દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રી પણ એક્શન મોડમાં આવી ગયા છે. ઘાયલોને  હોસ્પિટલ પહોંચાડવામાં કોઈ તકલીફ ન પડે તે માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વિવિધ જિલ્લાઓથી એમ્બ્યુલન્સને ઘટનાસ્થળ પર પહોંચવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. ઉપરાંત હોસ્પિટલમાં પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. બીએસએનએલ નંબર - 08912746330, 08912744619. ત્યારે પ્રશ્ન થાય કે ક્યાં સુધી નિર્દોષ લોકોના જીવ આવી દુર્ઘટનાને કારણે જતા રહશે? 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.