વિકાસનો ભોગ લેવાયા વૃક્ષો! 13 વર્ષમાં આ શહેરમાં કપાયા આટલા વૃક્ષો! આંકડો જાણી તમે ચોંકી જશો


  • Published By :
  • Published Date : 2023-09-02 14:59:55

વૃક્ષારોપણ કરવા માટે સરકાર અનેક વખત લોકોને અપીલ કરતી હોય છે. વૃક્ષો હશે તો પર્યાવરણની રક્ષા થશે, વૃક્ષો હશે તો સારો વરસાદ આવશે વગેરે વગેરે વાતો આપણે સાંભળતા આવ્યા છીએ. સરકારના અનેક કાર્યક્રમોમાં વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે, પરંતુ તંત્ર દ્વારા જ વૃક્ષોને કાપવામાં આવી રહ્યા છે. આપણે તો વિકાસ તરફ આગળ વધી રહ્યા છીએ પરંતુ પ્રકૃતિને પર્યાયવરણને આપણે પાછળ ઘકેલી રહ્યા છીએ. શહેરમાં અનેક વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. અનેક નવા પ્રોજેક્ટ, નવા સાઈટનું ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે પરંતુ તે વિકાસનો ભોગ વૃક્ષો બની રહ્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર અમદાવાદમાં છેલ્લા 13 વર્ષમાં 1684 વૃક્ષોને જડમૂળથી કાપી નાખવામાં આવ્યા છે.  


13 વર્ષમાં કપાયા 1684 ઝાડ!

ગુજરાતમાં અનેક વિકાસના કામો થતા રહેતા હોય છે. અનેક પ્રોજેક્ટો ચાલતા રહે છે. ક્યાંક બ્રિજનું નિર્માણ ચાલતું હોય છે તો ક્યાંય રસ્તાનું નિર્માણ ચાલતું હોય છે. આની પહેલા પણ અનેક પ્રોજેક્ટો પૂર્ણ થયા છે. પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે અનેક વૃક્ષોને કાપવામાં આવ્યા છે. વિવિધ પ્રોજેક્ટોને લઈ છેલ્લા 13 વર્ષમાં 1684 વૃક્ષોને ધરાશાયી કરવામાં આવ્યા છે. આ આંકડા અમદાવાદના હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસના લઘુમતી વિભાગના કામચલાઉ ચેરમેન અતિક સૈયદે એક માગ કરી છે કે જેટલા વૃક્ષો કાપવામાં આવ્યા છે તેટલા વૃક્ષો ઉગાડવામાં આવે. શહેરમાં વોટર, બીઆરટીએસ, ઈજનેર, રોડ, ડ્રેનેજ, હાઉસિંગ સહિતના પ્રોજેક્ટની કામગીરી નડતરરૂપ થતા વૃક્ષોને કાપી દેવામાં આવ્યા છે. અને જેટલી સંખ્યામાં વૃક્ષોને કાપવામાં આવે છે તેટલા વૃક્ષો વાવવામાં આવતા નથી.


આ પ્રોજેક્ટ અંતર્ગત કપાયા વૃક્ષો 

જ્યારે પણ કોઈ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે છે ત્યારે જો વૃક્ષો કાપવા પડે તેવી પરિસ્થિતિ હોય તો આવા સંગોજોમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની પરમિશન લેવી પડતી હોય છે. રસ્તાનું નિર્માણ કરવું હોય અથવા તો રસ્તાને પહોળા કરવા હોય તો વૃક્ષોને કાપવામાં આવતા હોય છે. છેલ્લા 13 વર્ષમાં રસ્તો પહોંળા કરવા માટે 922 વૃક્ષોનો નાશ જળમૂળથી કરવામાં આવ્યો છે. જ્યારે બ્રિજ બનાવવા માટે 347 જેટલા વૃક્ષોને કાપવામાં આવ્યા છે જ્યારે પાઈપ લાઈન નાખવાની કામગીરી દરમિયાન 323 વૃક્ષોનો ભોગ લેવાયો છે.       



આ રહ્યું ઝોન વાઈઝ લિસ્ટ!

જો ઝોન વાઈઝ કાપવામાં આવેલા વૃક્ષોની વાત કરીએ તો, 300 જેટલા ઝાડ ઉત્તર ઝોનમાં કાપવામાં આવ્યા છે, 216 જેટલા ઝાડનો ભોગ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં લેવાયો છે, પૂર્વ ઝોનમાં 82 જેટલા ઝાડોને કાપવામાં આવ્યા છે, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 462 જેટલા વૃક્ષો ધરાશાયી કરાયા છે. પશ્ચિમ ઝોનમાં 473 જેટલા વૃક્ષોને તોડી નખાયા છે. મધ્ય ઝોનમાં 3 ઝાડને કાપવામાં આવ્યા છે જ્યારે દક્ષિણ ઝોનમાં 148 જેટલા વૃક્ષો કાપવામાં આવ્યા છે. મહત્વનું છે કે એક તરફ સરકાર વૃક્ષારોપણની વાતો કરે છે, લોકોને વૃક્ષો વાવવા માટે પ્રોત્સાહિત કરે છે. તો બીજી તરફ વિકાસના નામે, વિકાસના નામોમાં સરકાર જ વૃક્ષોનું મહત્વ ભૂલી જાય છે. ત્યારે સરકારે પણ વૃક્ષોના મહત્વને સમજવું પડશે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.