કેપ્ટન વિક્રમ બત્રાની જન્મ જયંતિ પર તેમના શૌર્યને વંદન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 13:15:33

STORY BY SAMIR PARMAR


વિક્રમ બત્રા ભારતીય સેનામાં કેપ્ટન પદે સેવા આપતા. કારગીલ યુદ્ધના મહાન યોદ્ધા કેપ્ટન વિક્રમ બત્રાનો જન્મ 9 સપ્ટેમ્બર 1947ના રોજ હિમાચલ પ્રદેશના પાલમપુર ખાતે થયો હતો. 


વિક્રમ બત્રાની તાલિમ 

વિક્રમ બત્રાને બાળપણથી જ સેનામાં જોડાવાનું મન બનાવ્યું હતું અને તેમણે સંયુક્ત સંરક્ષણ સેવાની પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગયા હતા. આ સમય દરમિયાન તેમને હોંગકોંગમાં મર્ચન્ટ નેવીમાં નોકરી પણ મળી હતી પરંતુ તેમણે તે સેવા સ્વિકારી ના હતી. ત્યાર બાદ જુલાઈ 1996માં તેઓ ઈન્ડિયન મિલિટરી એકાદમી દહેરાદુનમાં જોડાયા હતા. તાલિમ બાદ તેએ 6 ડિસેમ્બર 1997ના રોજ જમ્મુ કાશ્મીરના સોપાર નામના સ્થળે તેમની નિમણૂક થઈ હતી. 


વિક્રમ બત્રા અને કારગીલ યુદ્ધ

વર્ષ 1999ની કારગીલ યુદ્ધ દરમિયાન ઓપરેશન વિજય પોઈન્ટ 5,140 પર કબજો અને અન્ય ઘણા ઓપરેશન સાથે સંકળાયેલા હતા. તેમને વર્ષ 1999ના કારગીલ યુદ્ધમાં તેમની મહત્વની ભૂમિકા માટે તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ સૈન્ય અને પ્રતિષ્ઠિત પુરસ્કાર પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં તેમના નામ પરથી શેરશાહ ફિલ્મ રિલીઝ થઈ હતી અને તેમનું પાત્ર સિદ્ધાર્થ મલ્હોત્રાએ બખૂબી નિભાવ્યું હતું.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.