કેપ્ટન વિક્રમ બત્રાની જન્મ જયંતિ પર તેમના શૌર્યને વંદન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 13:15:33

STORY BY SAMIR PARMAR


વિક્રમ બત્રા ભારતીય સેનામાં કેપ્ટન પદે સેવા આપતા. કારગીલ યુદ્ધના મહાન યોદ્ધા કેપ્ટન વિક્રમ બત્રાનો જન્મ 9 સપ્ટેમ્બર 1947ના રોજ હિમાચલ પ્રદેશના પાલમપુર ખાતે થયો હતો. 


વિક્રમ બત્રાની તાલિમ 

વિક્રમ બત્રાને બાળપણથી જ સેનામાં જોડાવાનું મન બનાવ્યું હતું અને તેમણે સંયુક્ત સંરક્ષણ સેવાની પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગયા હતા. આ સમય દરમિયાન તેમને હોંગકોંગમાં મર્ચન્ટ નેવીમાં નોકરી પણ મળી હતી પરંતુ તેમણે તે સેવા સ્વિકારી ના હતી. ત્યાર બાદ જુલાઈ 1996માં તેઓ ઈન્ડિયન મિલિટરી એકાદમી દહેરાદુનમાં જોડાયા હતા. તાલિમ બાદ તેએ 6 ડિસેમ્બર 1997ના રોજ જમ્મુ કાશ્મીરના સોપાર નામના સ્થળે તેમની નિમણૂક થઈ હતી. 


વિક્રમ બત્રા અને કારગીલ યુદ્ધ

વર્ષ 1999ની કારગીલ યુદ્ધ દરમિયાન ઓપરેશન વિજય પોઈન્ટ 5,140 પર કબજો અને અન્ય ઘણા ઓપરેશન સાથે સંકળાયેલા હતા. તેમને વર્ષ 1999ના કારગીલ યુદ્ધમાં તેમની મહત્વની ભૂમિકા માટે તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ સૈન્ય અને પ્રતિષ્ઠિત પુરસ્કાર પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં તેમના નામ પરથી શેરશાહ ફિલ્મ રિલીઝ થઈ હતી અને તેમનું પાત્ર સિદ્ધાર્થ મલ્હોત્રાએ બખૂબી નિભાવ્યું હતું.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.