કેપ્ટન વિક્રમ બત્રાની જન્મ જયંતિ પર તેમના શૌર્યને વંદન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 13:15:33

STORY BY SAMIR PARMAR


વિક્રમ બત્રા ભારતીય સેનામાં કેપ્ટન પદે સેવા આપતા. કારગીલ યુદ્ધના મહાન યોદ્ધા કેપ્ટન વિક્રમ બત્રાનો જન્મ 9 સપ્ટેમ્બર 1947ના રોજ હિમાચલ પ્રદેશના પાલમપુર ખાતે થયો હતો. 


વિક્રમ બત્રાની તાલિમ 

વિક્રમ બત્રાને બાળપણથી જ સેનામાં જોડાવાનું મન બનાવ્યું હતું અને તેમણે સંયુક્ત સંરક્ષણ સેવાની પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગયા હતા. આ સમય દરમિયાન તેમને હોંગકોંગમાં મર્ચન્ટ નેવીમાં નોકરી પણ મળી હતી પરંતુ તેમણે તે સેવા સ્વિકારી ના હતી. ત્યાર બાદ જુલાઈ 1996માં તેઓ ઈન્ડિયન મિલિટરી એકાદમી દહેરાદુનમાં જોડાયા હતા. તાલિમ બાદ તેએ 6 ડિસેમ્બર 1997ના રોજ જમ્મુ કાશ્મીરના સોપાર નામના સ્થળે તેમની નિમણૂક થઈ હતી. 


વિક્રમ બત્રા અને કારગીલ યુદ્ધ

વર્ષ 1999ની કારગીલ યુદ્ધ દરમિયાન ઓપરેશન વિજય પોઈન્ટ 5,140 પર કબજો અને અન્ય ઘણા ઓપરેશન સાથે સંકળાયેલા હતા. તેમને વર્ષ 1999ના કારગીલ યુદ્ધમાં તેમની મહત્વની ભૂમિકા માટે તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ સૈન્ય અને પ્રતિષ્ઠિત પુરસ્કાર પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં તેમના નામ પરથી શેરશાહ ફિલ્મ રિલીઝ થઈ હતી અને તેમનું પાત્ર સિદ્ધાર્થ મલ્હોત્રાએ બખૂબી નિભાવ્યું હતું.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી