ત્ર્યંબકેશ્વર મંદિરમાં વિધર્મીઓના બળજબરીપૂર્વક ઘુસવાના મામલે મહારાષ્ટ્ર સરકારે આપ્યો તપાસનો આદેશ, SITની રચના કરાઈ


  • Published By :
  • Published Date : 2023-05-16 16:01:28

મહારાષ્ટ્રના પ્રખ્યાત યાત્રાધામ ત્ર્યંબકેશ્વર મંદિરમાં કેટલાક દિવસો પહેલા વિધર્મીઓએ બળજબરીપૂર્વક ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. હવે સરકારે તે ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. આ માટે સરકારે ખાસ તપાસ ટીમ (SIT)ની રચનાનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના આદેશ પર SITની રચના કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત વર્ષે પણ ત્ર્યંબકેશ્વર મંદિરમાં આવી ઘટના સામે આવી હતી. આ જ કારણ છે કે સરકારે આ મામલાને ગંભીરતાથી લીધો છે. અને વિસ્તૃત તપાસનો આદેશ આપ્યો છે.


સમગ્ર મામલો શું હતો?


મહારાષ્ટ્રના નાશિક સ્થિત ત્ર્યંબકેશ્વર મંદિરમાં વિધર્મીઓના એક જુથે મંદિરમાં જબરદસ્તીપૂર્વક ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મંદિરના સુરક્ષાકર્મીઓએ વિધર્મીઓના આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે મંદિરના વહીવટી તંત્રએ હિંદુઓ સિવાય અન્ય ધર્મના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિગોમાંથી એક છે, અને કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. ઘટના બાદ મંદિર સમિતિએ આ કેસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બાદ કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી અને ફરાર આરોપીની શોધ ચાલી રહી છે. આ ઘટનાનો વીડિયો સોશલ મીડિયા પર પણ વાયરલ થયો હતો.



કમોસમી વરસાદ અનેક જગ્યાઓ પર વરસ્યો જેને કારણે ઠંડક થઈ પરંતુ હવે તે બાદ હીટવેવની આગાહી કરવામાં આવી... રાજ્યના અનેક વિસ્તારો માટે હીટવેવની આગાહી કરાઈ છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.