ત્ર્યંબકેશ્વર મંદિરમાં વિધર્મીઓના બળજબરીપૂર્વક ઘુસવાના મામલે મહારાષ્ટ્ર સરકારે આપ્યો તપાસનો આદેશ, SITની રચના કરાઈ


  • Published By :
  • Published Date : 2023-05-16 16:01:28

મહારાષ્ટ્રના પ્રખ્યાત યાત્રાધામ ત્ર્યંબકેશ્વર મંદિરમાં કેટલાક દિવસો પહેલા વિધર્મીઓએ બળજબરીપૂર્વક ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. હવે સરકારે તે ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. આ માટે સરકારે ખાસ તપાસ ટીમ (SIT)ની રચનાનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના આદેશ પર SITની રચના કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત વર્ષે પણ ત્ર્યંબકેશ્વર મંદિરમાં આવી ઘટના સામે આવી હતી. આ જ કારણ છે કે સરકારે આ મામલાને ગંભીરતાથી લીધો છે. અને વિસ્તૃત તપાસનો આદેશ આપ્યો છે.


સમગ્ર મામલો શું હતો?


મહારાષ્ટ્રના નાશિક સ્થિત ત્ર્યંબકેશ્વર મંદિરમાં વિધર્મીઓના એક જુથે મંદિરમાં જબરદસ્તીપૂર્વક ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મંદિરના સુરક્ષાકર્મીઓએ વિધર્મીઓના આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે મંદિરના વહીવટી તંત્રએ હિંદુઓ સિવાય અન્ય ધર્મના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિગોમાંથી એક છે, અને કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. ઘટના બાદ મંદિર સમિતિએ આ કેસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બાદ કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી અને ફરાર આરોપીની શોધ ચાલી રહી છે. આ ઘટનાનો વીડિયો સોશલ મીડિયા પર પણ વાયરલ થયો હતો.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.