ત્ર્યંબકેશ્વર મંદિરમાં વિધર્મીઓના બળજબરીપૂર્વક ઘુસવાના મામલે મહારાષ્ટ્ર સરકારે આપ્યો તપાસનો આદેશ, SITની રચના કરાઈ


  • Published By :
  • Published Date : 2023-05-16 16:01:28

મહારાષ્ટ્રના પ્રખ્યાત યાત્રાધામ ત્ર્યંબકેશ્વર મંદિરમાં કેટલાક દિવસો પહેલા વિધર્મીઓએ બળજબરીપૂર્વક ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. હવે સરકારે તે ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. આ માટે સરકારે ખાસ તપાસ ટીમ (SIT)ની રચનાનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના આદેશ પર SITની રચના કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત વર્ષે પણ ત્ર્યંબકેશ્વર મંદિરમાં આવી ઘટના સામે આવી હતી. આ જ કારણ છે કે સરકારે આ મામલાને ગંભીરતાથી લીધો છે. અને વિસ્તૃત તપાસનો આદેશ આપ્યો છે.


સમગ્ર મામલો શું હતો?


મહારાષ્ટ્રના નાશિક સ્થિત ત્ર્યંબકેશ્વર મંદિરમાં વિધર્મીઓના એક જુથે મંદિરમાં જબરદસ્તીપૂર્વક ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મંદિરના સુરક્ષાકર્મીઓએ વિધર્મીઓના આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે મંદિરના વહીવટી તંત્રએ હિંદુઓ સિવાય અન્ય ધર્મના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિગોમાંથી એક છે, અને કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. ઘટના બાદ મંદિર સમિતિએ આ કેસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બાદ કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી અને ફરાર આરોપીની શોધ ચાલી રહી છે. આ ઘટનાનો વીડિયો સોશલ મીડિયા પર પણ વાયરલ થયો હતો.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.