Gujaratના આ જિલ્લાઓમાં આવશે મુસીબતનું માવઠું! જાણો Ambalal Patel અને હવામાન વિભાગે શું કરી છે આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-27 08:40:45

રાજ્યમાં ગઈકાલથી શિયાળામાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતના પાકને મોટા પાયે નુકસાન થયું છે. અનેક જગ્યાઓ પર ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક કરા પડ્યા હતા. ગુજરાતનું વાતાવરણ આબુ જેવું બન્યું હતું. મળતી માહિતી અનુસાર સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગરના ચુડામાં વરસાદ વરસ્યો છે.  

Meteorological department's 4-day rain forecast | ગાજવીજ સાથે કમોસમી વરસાદ,  ડાંગરને 50 ટકા નુકસાની - Divya Bhaskar

આ જિલ્લાઓમાં આવી શકે છે માવઠું! 

ત્યારે આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં આસમાની આફત આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં માવઠું આવી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે જ્યારે સૌરાષ્ટ્રમાં ભારે કમોસમી વરસાદ થઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે અનેક લોકોના વીજળીને કારણે મોત થયા છે જ્યારે અનેક પશુ પણ આ માવઠાને કારણે મોતને ભેટ્યા છે. 

Gondal : વહેલી સવારથી કમોસમી વરસાદ, યાર્ડમાં વેપારીઓની જણસી પલળી

Various areas were flooded in Himmatnagar; Woman dies due to lightning in  Kabso Garha | હિંમતનગરમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા; કાબસો ગઢામાં વીજળી  પડતા મહિલાનું મોત - Divya Bhaskar

અંબાલાલ પટેલ કેવી રીતે બન્યા વરસાદની આગાહીના માસ્ટર - KalTak 24 News

અંબાલાલ પટેલે કમોસમી વરસાદ માટે કરી આ આગાહી!

આગાહી અનુસાર સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદી ઝાપટા છૂટાછવાયા વરસી શકે છે. દમણ, દાદરા નગર હવેલી તથા અમરેલી, ભાવનગર માટે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.  તે ઉપરાંત અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, બોટાદમાં માવઠું આવી શકે છે. હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથ અને વેરાવળ, જામનગરમાં વરસાદની સંભાવના છે.  




ભાજપના કાર્યકરોમાં અસંતોષની લાગણી જાણે બહાર આવી રહી છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા કે ત્રણ નેતા વિરૂદ્ધ પગલા લેવા માટે હાઈકમાન્ડમાં રજૂઆત કરવામાં આવી.. આ બધા વચ્ચે એવું લાગી રહ્યું છે કે જવાહર ચાવડા આવનાર સમયમાં કંઈ નવા જૂની કરી શકે છે...

આજકાલ ગુજરાતમાં અકસ્માતના અનેક ઘટનાઓ બને છે. ફરી એક વાર આણંદના વાસદમાં ઓવર સ્પીડિંગ કાર પરથી કાબૂ ગુમાવતાં ચાર યુવકોના કરૂણ મોત થયા હતા. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટના બની ત્યારે યુવાન સોશિયલ મીડિયા પર લાઈવ કરી રહ્યો હતો અને દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સામે આવ્યો છે તે હચમચાવી દે તેવો છે..

મહીસાગરમાં એક અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિના મોત થઈ ગયા છે. ખાનપુરના પાંડરવાડા ગામની આ ઘટના છે જ્યાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે.. આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો છે. બાબલિયા ડિટવાસ હાઈવે પર આ અકસ્માત થયો છે.

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અનેક કેરીનો રસ બનાવતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે..