Gujaratના આ જિલ્લાઓમાં આવશે મુસીબતનું માવઠું! જાણો Ambalal Patel અને હવામાન વિભાગે શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-11-27 08:40:45

રાજ્યમાં ગઈકાલથી શિયાળામાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતના પાકને મોટા પાયે નુકસાન થયું છે. અનેક જગ્યાઓ પર ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક કરા પડ્યા હતા. ગુજરાતનું વાતાવરણ આબુ જેવું બન્યું હતું. મળતી માહિતી અનુસાર સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગરના ચુડામાં વરસાદ વરસ્યો છે.  

Meteorological department's 4-day rain forecast | ગાજવીજ સાથે કમોસમી વરસાદ,  ડાંગરને 50 ટકા નુકસાની - Divya Bhaskar

આ જિલ્લાઓમાં આવી શકે છે માવઠું! 

ત્યારે આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં આસમાની આફત આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં માવઠું આવી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે જ્યારે સૌરાષ્ટ્રમાં ભારે કમોસમી વરસાદ થઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે અનેક લોકોના વીજળીને કારણે મોત થયા છે જ્યારે અનેક પશુ પણ આ માવઠાને કારણે મોતને ભેટ્યા છે. 

Gondal : વહેલી સવારથી કમોસમી વરસાદ, યાર્ડમાં વેપારીઓની જણસી પલળી

Various areas were flooded in Himmatnagar; Woman dies due to lightning in  Kabso Garha | હિંમતનગરમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા; કાબસો ગઢામાં વીજળી  પડતા મહિલાનું મોત - Divya Bhaskar

અંબાલાલ પટેલ કેવી રીતે બન્યા વરસાદની આગાહીના માસ્ટર - KalTak 24 News

અંબાલાલ પટેલે કમોસમી વરસાદ માટે કરી આ આગાહી!

આગાહી અનુસાર સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદી ઝાપટા છૂટાછવાયા વરસી શકે છે. દમણ, દાદરા નગર હવેલી તથા અમરેલી, ભાવનગર માટે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.  તે ઉપરાંત અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, બોટાદમાં માવઠું આવી શકે છે. હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથ અને વેરાવળ, જામનગરમાં વરસાદની સંભાવના છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.