Gujaratના આ જિલ્લાઓમાં આવશે મુસીબતનું માવઠું! જાણો Ambalal Patel અને હવામાન વિભાગે શું કરી છે આગાહી?


  • Published By :
  • Published Date : 2023-11-27 08:40:45

રાજ્યમાં ગઈકાલથી શિયાળામાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતના પાકને મોટા પાયે નુકસાન થયું છે. અનેક જગ્યાઓ પર ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક કરા પડ્યા હતા. ગુજરાતનું વાતાવરણ આબુ જેવું બન્યું હતું. મળતી માહિતી અનુસાર સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગરના ચુડામાં વરસાદ વરસ્યો છે.  

Meteorological department's 4-day rain forecast | ગાજવીજ સાથે કમોસમી વરસાદ,  ડાંગરને 50 ટકા નુકસાની - Divya Bhaskar

આ જિલ્લાઓમાં આવી શકે છે માવઠું! 

ત્યારે આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં આસમાની આફત આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં માવઠું આવી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે જ્યારે સૌરાષ્ટ્રમાં ભારે કમોસમી વરસાદ થઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે અનેક લોકોના વીજળીને કારણે મોત થયા છે જ્યારે અનેક પશુ પણ આ માવઠાને કારણે મોતને ભેટ્યા છે. 

Gondal : વહેલી સવારથી કમોસમી વરસાદ, યાર્ડમાં વેપારીઓની જણસી પલળી

Various areas were flooded in Himmatnagar; Woman dies due to lightning in  Kabso Garha | હિંમતનગરમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા; કાબસો ગઢામાં વીજળી  પડતા મહિલાનું મોત - Divya Bhaskar

અંબાલાલ પટેલ કેવી રીતે બન્યા વરસાદની આગાહીના માસ્ટર - KalTak 24 News

અંબાલાલ પટેલે કમોસમી વરસાદ માટે કરી આ આગાહી!

આગાહી અનુસાર સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદી ઝાપટા છૂટાછવાયા વરસી શકે છે. દમણ, દાદરા નગર હવેલી તથા અમરેલી, ભાવનગર માટે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.  તે ઉપરાંત અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, બોટાદમાં માવઠું આવી શકે છે. હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથ અને વેરાવળ, જામનગરમાં વરસાદની સંભાવના છે.  




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી