Hit And Run કાયદાનો રાજ્યભરમાં ટ્રક ડ્રાઈવરો કરી રહ્યા છે વિરોધ, Congressના ધારાસભ્ય Anant Patel આવ્યા ડ્રાઈવરોના સમર્થનમાં, જુઓ Video


  • Published By :
  • Published Date : 2024-01-02 10:30:13

શનિવારથી ટ્રક ડ્રાઈવરો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે. ડ્રાઈવરોએ અનેક રસ્તાઓ ચક્કાજામ કર્યા છે. ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશભરથી આવા વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે. અકસ્માતના નવા કાયદા અંગે રાજ્યમાં ટ્રક ડ્રાઇવરોએ અનેક જગ્યાઓએ ચક્કાજામ કરીને હડતાળ પાડીને વિરોધ નોંધાયો છે. આ હડતાળને લઈને કોંગ્રેસના એક ધારાસભ્ય ડ્રાઇવરોના સમર્થનમાં પહોંચ્યા હતા.આ કાયદામાં વાહન અકસ્માતના ગુનામાં માલવાહક વાહનના ડ્રાઈવરને અકસ્માતના કિસ્સામાં 10 વર્ષ સુધીની જેલ તેમજ ફરીથી વાહનચાલકને લાઈસન્સ મળે જ નહીં તેવી જોગવાઈઓ છે. જેની સામે ટ્રકચાલકોમાં ઉગ્ર રોષ છે.

ટ્રક ડ્રાઈવરોના સમર્થનમાં આવ્યા ધારાસભ્ય અનંત પટેલ

અકસ્માતના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. હિટ એન્ડ રનમાં અનેક લોકોના મોત થઈ રહ્યા છે. અકસ્માત સર્જનાર ઘાયલ વ્યક્તિને રસ્તા પર તડપતા મૂકીને ફરાર થઈ જાય છે. હોસ્પિટલ પણ ખસેડવામાં નથી આવતા. અનેક બાબતોને ધ્યાનમાં રાખી અકસ્માતના નવા કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા કાયદા અંતર્ગત અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ડ્રાઈવરને 10 વર્ષની સજા તેમજ ફાઈન ભરવાનો રહેશે. જોકે અકસ્માત બાદ નજીકના પોલીસ સ્ટેશને સરેન્ડર થનાર ડ્રાઈવરને આ કાયદો લાગુ નહીં થાય. અકસ્માત સ્થળે ટ્રક પડી હશે તો પણ નવા કાયદાની સજા લાગુ નહીં પડે. નવો કાયદો "હિટ એન્ડ રન"ની વ્યાખ્યામાં આવતો કાયદો, જે તમામ ડ્રાઈવરોને લાગુ પડશે. આંદોલનના નામે કયાંય પણ કાયદો વ્યવસ્થા ન ખોરવાય તે માટે એસોસિયેશન દ્વારા ડ્રાઈવરોને અપીલ પણ કરવામાં આવી છે. તો બીજી તરફ આ આંદોલનમાં રાજકીય વ્યક્તિઓ પણ જોડાયા છે



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.