Hit And Run કાયદાનો રાજ્યભરમાં ટ્રક ડ્રાઈવરો કરી રહ્યા છે વિરોધ, Congressના ધારાસભ્ય Anant Patel આવ્યા ડ્રાઈવરોના સમર્થનમાં, જુઓ Video


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-02 10:30:13

શનિવારથી ટ્રક ડ્રાઈવરો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે. ડ્રાઈવરોએ અનેક રસ્તાઓ ચક્કાજામ કર્યા છે. ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશભરથી આવા વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે. અકસ્માતના નવા કાયદા અંગે રાજ્યમાં ટ્રક ડ્રાઇવરોએ અનેક જગ્યાઓએ ચક્કાજામ કરીને હડતાળ પાડીને વિરોધ નોંધાયો છે. આ હડતાળને લઈને કોંગ્રેસના એક ધારાસભ્ય ડ્રાઇવરોના સમર્થનમાં પહોંચ્યા હતા.આ કાયદામાં વાહન અકસ્માતના ગુનામાં માલવાહક વાહનના ડ્રાઈવરને અકસ્માતના કિસ્સામાં 10 વર્ષ સુધીની જેલ તેમજ ફરીથી વાહનચાલકને લાઈસન્સ મળે જ નહીં તેવી જોગવાઈઓ છે. જેની સામે ટ્રકચાલકોમાં ઉગ્ર રોષ છે.

ટ્રક ડ્રાઈવરોના સમર્થનમાં આવ્યા ધારાસભ્ય અનંત પટેલ

અકસ્માતના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. હિટ એન્ડ રનમાં અનેક લોકોના મોત થઈ રહ્યા છે. અકસ્માત સર્જનાર ઘાયલ વ્યક્તિને રસ્તા પર તડપતા મૂકીને ફરાર થઈ જાય છે. હોસ્પિટલ પણ ખસેડવામાં નથી આવતા. અનેક બાબતોને ધ્યાનમાં રાખી અકસ્માતના નવા કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા કાયદા અંતર્ગત અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ડ્રાઈવરને 10 વર્ષની સજા તેમજ ફાઈન ભરવાનો રહેશે. જોકે અકસ્માત બાદ નજીકના પોલીસ સ્ટેશને સરેન્ડર થનાર ડ્રાઈવરને આ કાયદો લાગુ નહીં થાય. અકસ્માત સ્થળે ટ્રક પડી હશે તો પણ નવા કાયદાની સજા લાગુ નહીં પડે. નવો કાયદો "હિટ એન્ડ રન"ની વ્યાખ્યામાં આવતો કાયદો, જે તમામ ડ્રાઈવરોને લાગુ પડશે. આંદોલનના નામે કયાંય પણ કાયદો વ્યવસ્થા ન ખોરવાય તે માટે એસોસિયેશન દ્વારા ડ્રાઈવરોને અપીલ પણ કરવામાં આવી છે. તો બીજી તરફ આ આંદોલનમાં રાજકીય વ્યક્તિઓ પણ જોડાયા છે



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.