Hit And Run કાયદાનો રાજ્યભરમાં ટ્રક ડ્રાઈવરો કરી રહ્યા છે વિરોધ, Congressના ધારાસભ્ય Anant Patel આવ્યા ડ્રાઈવરોના સમર્થનમાં, જુઓ Video


  • Published By :
  • Published Date : 2024-01-02 10:30:13

શનિવારથી ટ્રક ડ્રાઈવરો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે. ડ્રાઈવરોએ અનેક રસ્તાઓ ચક્કાજામ કર્યા છે. ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશભરથી આવા વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે. અકસ્માતના નવા કાયદા અંગે રાજ્યમાં ટ્રક ડ્રાઇવરોએ અનેક જગ્યાઓએ ચક્કાજામ કરીને હડતાળ પાડીને વિરોધ નોંધાયો છે. આ હડતાળને લઈને કોંગ્રેસના એક ધારાસભ્ય ડ્રાઇવરોના સમર્થનમાં પહોંચ્યા હતા.આ કાયદામાં વાહન અકસ્માતના ગુનામાં માલવાહક વાહનના ડ્રાઈવરને અકસ્માતના કિસ્સામાં 10 વર્ષ સુધીની જેલ તેમજ ફરીથી વાહનચાલકને લાઈસન્સ મળે જ નહીં તેવી જોગવાઈઓ છે. જેની સામે ટ્રકચાલકોમાં ઉગ્ર રોષ છે.

ટ્રક ડ્રાઈવરોના સમર્થનમાં આવ્યા ધારાસભ્ય અનંત પટેલ

અકસ્માતના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. હિટ એન્ડ રનમાં અનેક લોકોના મોત થઈ રહ્યા છે. અકસ્માત સર્જનાર ઘાયલ વ્યક્તિને રસ્તા પર તડપતા મૂકીને ફરાર થઈ જાય છે. હોસ્પિટલ પણ ખસેડવામાં નથી આવતા. અનેક બાબતોને ધ્યાનમાં રાખી અકસ્માતના નવા કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા કાયદા અંતર્ગત અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ડ્રાઈવરને 10 વર્ષની સજા તેમજ ફાઈન ભરવાનો રહેશે. જોકે અકસ્માત બાદ નજીકના પોલીસ સ્ટેશને સરેન્ડર થનાર ડ્રાઈવરને આ કાયદો લાગુ નહીં થાય. અકસ્માત સ્થળે ટ્રક પડી હશે તો પણ નવા કાયદાની સજા લાગુ નહીં પડે. નવો કાયદો "હિટ એન્ડ રન"ની વ્યાખ્યામાં આવતો કાયદો, જે તમામ ડ્રાઈવરોને લાગુ પડશે. આંદોલનના નામે કયાંય પણ કાયદો વ્યવસ્થા ન ખોરવાય તે માટે એસોસિયેશન દ્વારા ડ્રાઈવરોને અપીલ પણ કરવામાં આવી છે. તો બીજી તરફ આ આંદોલનમાં રાજકીય વ્યક્તિઓ પણ જોડાયા છે



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.