'જળ સેવા એ જ પ્રભુ સેવા' કહેવતને સાચી પાડતા રીક્ષાવાળા, આ રીક્ષા ચાલકો ગરમીમાં બૂઝાવે છે લોકોની તરસ!


  • Published By :
  • Published Date : 2023-06-01 12:28:27

પાણી માટે આપણે ત્યાં અનેક કહેવતો કહેવામાં આવી છે. જળ એ જ જીવન, જળ સેવા એજ પ્રભુ સેવા સહિતની અનેક કહેવતો છે. ઉનાળા દરમિયાન પાણીનો સોસ પડતો હોય છે. ઉનાળા દરમિયાન અનેક પરબો ખોલવામાં આવતી હોય છે. ત્યારે એવા અનેક સેવાકીય માણસો હોય છે જે માનવતાને મહેકાવતા હોય છે. એવા અનેક રીક્ષા વાળા છે રાજ્યમાં, જે ગરમીના સમય દરમિયાન લોકોને ઠંડુ પાણી પીવડાવે છે. ગરમીમાં તરસ્યો લોકોને પાણી પીવડાવી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડે છે. માનવતા પર વિશ્વાસ ટકાવી રાખે છે.   


અનેક વર્ષોથી કરે છે સેવાકાર્ય!

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. લોકોને પાણી મળી રહે તે માટે અનેક રીક્ષાવાળાઓ એવા હોય છે જે પોતાની રીક્ષામાં પાણી રાખે છે અને લોકોને પાણી પીવડાવે છે. ત્યારે જામનગરમાં હિરેન પાલા નામના વ્યક્તિ પોતાની રીક્ષામાં પાણી રાખે છે અને નિસ્વાર્થ ભાવે લોકોને પાણી પીવડાવે છે. હિરેનભાઈ રીક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે પરંતુ તેમનું દિલ સેવાકીય કાર્યોમાં પરોવાયેલું છે. આ સેવાના કાર્યને લઈ પાણીના પ્લાન્ટવાળા વેપારી પણ તેમની પાસેથી રુપિયા નથી લેતા.      


રાજકોટમાં પણ રીક્ષાવાળા મહેકાવે છે માનવતા!

તે સિવાય રાજકોટમાં પણ એક એવા રીક્ષાવાળા છે જે નિસ્વાર્થ ભાવે લોકોને પાણી પીવડાવે છે. શૈલેષભાઈ મજેઠીયા તેમનું નામ છે. એક સમયે તેમના શરીરમાં પાણીની ઘટ થઈ હતી જેને કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે બાદ તેઓ લોકોને ઉનાળા દરમિયાન પીવાનું પાણી આપી રહ્યા છે. છેલ્લા સાત વર્ષથી તેઓ આ કાર્ય કરી રહ્યા છે. કોઈ વખત પાણીની સાથે જગમાં છાશનું વિતરણ પણ કરે છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.