'જળ સેવા એ જ પ્રભુ સેવા' કહેવતને સાચી પાડતા રીક્ષાવાળા, આ રીક્ષા ચાલકો ગરમીમાં બૂઝાવે છે લોકોની તરસ!


  • Published By :
  • Published Date : 2023-06-01 12:28:27

પાણી માટે આપણે ત્યાં અનેક કહેવતો કહેવામાં આવી છે. જળ એ જ જીવન, જળ સેવા એજ પ્રભુ સેવા સહિતની અનેક કહેવતો છે. ઉનાળા દરમિયાન પાણીનો સોસ પડતો હોય છે. ઉનાળા દરમિયાન અનેક પરબો ખોલવામાં આવતી હોય છે. ત્યારે એવા અનેક સેવાકીય માણસો હોય છે જે માનવતાને મહેકાવતા હોય છે. એવા અનેક રીક્ષા વાળા છે રાજ્યમાં, જે ગરમીના સમય દરમિયાન લોકોને ઠંડુ પાણી પીવડાવે છે. ગરમીમાં તરસ્યો લોકોને પાણી પીવડાવી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડે છે. માનવતા પર વિશ્વાસ ટકાવી રાખે છે.   


અનેક વર્ષોથી કરે છે સેવાકાર્ય!

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. લોકોને પાણી મળી રહે તે માટે અનેક રીક્ષાવાળાઓ એવા હોય છે જે પોતાની રીક્ષામાં પાણી રાખે છે અને લોકોને પાણી પીવડાવે છે. ત્યારે જામનગરમાં હિરેન પાલા નામના વ્યક્તિ પોતાની રીક્ષામાં પાણી રાખે છે અને નિસ્વાર્થ ભાવે લોકોને પાણી પીવડાવે છે. હિરેનભાઈ રીક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે પરંતુ તેમનું દિલ સેવાકીય કાર્યોમાં પરોવાયેલું છે. આ સેવાના કાર્યને લઈ પાણીના પ્લાન્ટવાળા વેપારી પણ તેમની પાસેથી રુપિયા નથી લેતા.      


રાજકોટમાં પણ રીક્ષાવાળા મહેકાવે છે માનવતા!

તે સિવાય રાજકોટમાં પણ એક એવા રીક્ષાવાળા છે જે નિસ્વાર્થ ભાવે લોકોને પાણી પીવડાવે છે. શૈલેષભાઈ મજેઠીયા તેમનું નામ છે. એક સમયે તેમના શરીરમાં પાણીની ઘટ થઈ હતી જેને કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે બાદ તેઓ લોકોને ઉનાળા દરમિયાન પીવાનું પાણી આપી રહ્યા છે. છેલ્લા સાત વર્ષથી તેઓ આ કાર્ય કરી રહ્યા છે. કોઈ વખત પાણીની સાથે જગમાં છાશનું વિતરણ પણ કરે છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.