'જળ સેવા એ જ પ્રભુ સેવા' કહેવતને સાચી પાડતા રીક્ષાવાળા, આ રીક્ષા ચાલકો ગરમીમાં બૂઝાવે છે લોકોની તરસ!


  • Published By :
  • Published Date : 2023-06-01 12:28:27

પાણી માટે આપણે ત્યાં અનેક કહેવતો કહેવામાં આવી છે. જળ એ જ જીવન, જળ સેવા એજ પ્રભુ સેવા સહિતની અનેક કહેવતો છે. ઉનાળા દરમિયાન પાણીનો સોસ પડતો હોય છે. ઉનાળા દરમિયાન અનેક પરબો ખોલવામાં આવતી હોય છે. ત્યારે એવા અનેક સેવાકીય માણસો હોય છે જે માનવતાને મહેકાવતા હોય છે. એવા અનેક રીક્ષા વાળા છે રાજ્યમાં, જે ગરમીના સમય દરમિયાન લોકોને ઠંડુ પાણી પીવડાવે છે. ગરમીમાં તરસ્યો લોકોને પાણી પીવડાવી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડે છે. માનવતા પર વિશ્વાસ ટકાવી રાખે છે.   


અનેક વર્ષોથી કરે છે સેવાકાર્ય!

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. લોકોને પાણી મળી રહે તે માટે અનેક રીક્ષાવાળાઓ એવા હોય છે જે પોતાની રીક્ષામાં પાણી રાખે છે અને લોકોને પાણી પીવડાવે છે. ત્યારે જામનગરમાં હિરેન પાલા નામના વ્યક્તિ પોતાની રીક્ષામાં પાણી રાખે છે અને નિસ્વાર્થ ભાવે લોકોને પાણી પીવડાવે છે. હિરેનભાઈ રીક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે પરંતુ તેમનું દિલ સેવાકીય કાર્યોમાં પરોવાયેલું છે. આ સેવાના કાર્યને લઈ પાણીના પ્લાન્ટવાળા વેપારી પણ તેમની પાસેથી રુપિયા નથી લેતા.      


રાજકોટમાં પણ રીક્ષાવાળા મહેકાવે છે માનવતા!

તે સિવાય રાજકોટમાં પણ એક એવા રીક્ષાવાળા છે જે નિસ્વાર્થ ભાવે લોકોને પાણી પીવડાવે છે. શૈલેષભાઈ મજેઠીયા તેમનું નામ છે. એક સમયે તેમના શરીરમાં પાણીની ઘટ થઈ હતી જેને કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે બાદ તેઓ લોકોને ઉનાળા દરમિયાન પીવાનું પાણી આપી રહ્યા છે. છેલ્લા સાત વર્ષથી તેઓ આ કાર્ય કરી રહ્યા છે. કોઈ વખત પાણીની સાથે જગમાં છાશનું વિતરણ પણ કરે છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.