ટ્વિટરની પેઈડ બ્લૂ ટિક સર્વિસ શરૂ, યુઝર્સે દર મહિને 8 ડોલર સબ્સક્રિપ્સન ચાર્જ ચૂકવવો પડશે


  • Published By :
  • Published Date : 2022-11-06 19:28:38

ટ્વિટરે તેની પેઈડ બ્લૂ ટિક સર્વિસની શરૂઆત કરી દીધી છે. તેને લઈને શનિવાર રાત્રે આઈઓએસ પ્લેટફોર્મ પર નોટિફિકેશન મોકલવામાં આવ્યા છે. તે મુજબ ટ્વિટર યુઝર્સે દર મહિને 8 ડોલર ચૂકવી તેની પ્રિમિયમ સબ્સક્રિપ્સન સર્વિસ લઈ શકશે. અત્રે ઉલ્લેખનિય છે કે ટ્વિટરની કમાન હાથમાં લેતા જ એલન મસ્કે પેઈડ બ્લૂ ટિક પર ભાર મુકલાનું શરૂ કરી દીધું હતું. 



વિશ્વના આ દેશોમાં શરૂ કરવામાં આવી પૈઈડ સર્વિસ


ટ્વિટરના સુત્રોના જણાવ્યા પ્રમાણે હાલ આ સેવા આઈઓએસ પ્લેટફોર્મ પર શરૂ કરવામાં આવી છે. તેને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ અને બ્રિટન માં તે શરૂ કરવામાં આવી છે. એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર પેઈડ સર્વિસ ક્યાં સુધીમાં શરૂ થશે અને ભારત સહિતના એશિયાના દેશોમાં તે ક્યારે શરૂ કરવામાં આવશે તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ટ્વિટરના જણાવ્યા પ્રમાણે ટ્વિટર કંપનીની નુકસાની ઘટાડવા માટે પેઈડ બ્લૂ ટિક સર્વિસ શરૂ કરવામાં આવી છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે