ટ્વિટરની પેઈડ બ્લૂ ટિક સર્વિસ શરૂ, યુઝર્સે દર મહિને 8 ડોલર સબ્સક્રિપ્સન ચાર્જ ચૂકવવો પડશે


  • Published By :
  • Published Date : 2022-11-06 19:28:38

ટ્વિટરે તેની પેઈડ બ્લૂ ટિક સર્વિસની શરૂઆત કરી દીધી છે. તેને લઈને શનિવાર રાત્રે આઈઓએસ પ્લેટફોર્મ પર નોટિફિકેશન મોકલવામાં આવ્યા છે. તે મુજબ ટ્વિટર યુઝર્સે દર મહિને 8 ડોલર ચૂકવી તેની પ્રિમિયમ સબ્સક્રિપ્સન સર્વિસ લઈ શકશે. અત્રે ઉલ્લેખનિય છે કે ટ્વિટરની કમાન હાથમાં લેતા જ એલન મસ્કે પેઈડ બ્લૂ ટિક પર ભાર મુકલાનું શરૂ કરી દીધું હતું. 



વિશ્વના આ દેશોમાં શરૂ કરવામાં આવી પૈઈડ સર્વિસ


ટ્વિટરના સુત્રોના જણાવ્યા પ્રમાણે હાલ આ સેવા આઈઓએસ પ્લેટફોર્મ પર શરૂ કરવામાં આવી છે. તેને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ અને બ્રિટન માં તે શરૂ કરવામાં આવી છે. એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર પેઈડ સર્વિસ ક્યાં સુધીમાં શરૂ થશે અને ભારત સહિતના એશિયાના દેશોમાં તે ક્યારે શરૂ કરવામાં આવશે તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ટ્વિટરના જણાવ્યા પ્રમાણે ટ્વિટર કંપનીની નુકસાની ઘટાડવા માટે પેઈડ બ્લૂ ટિક સર્વિસ શરૂ કરવામાં આવી છે.




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .