ટ્વિટરની પેઈડ બ્લૂ ટિક સર્વિસ શરૂ, યુઝર્સે દર મહિને 8 ડોલર સબ્સક્રિપ્સન ચાર્જ ચૂકવવો પડશે


  • Published By :
  • Published Date : 2022-11-06 19:28:38

ટ્વિટરે તેની પેઈડ બ્લૂ ટિક સર્વિસની શરૂઆત કરી દીધી છે. તેને લઈને શનિવાર રાત્રે આઈઓએસ પ્લેટફોર્મ પર નોટિફિકેશન મોકલવામાં આવ્યા છે. તે મુજબ ટ્વિટર યુઝર્સે દર મહિને 8 ડોલર ચૂકવી તેની પ્રિમિયમ સબ્સક્રિપ્સન સર્વિસ લઈ શકશે. અત્રે ઉલ્લેખનિય છે કે ટ્વિટરની કમાન હાથમાં લેતા જ એલન મસ્કે પેઈડ બ્લૂ ટિક પર ભાર મુકલાનું શરૂ કરી દીધું હતું. 



વિશ્વના આ દેશોમાં શરૂ કરવામાં આવી પૈઈડ સર્વિસ


ટ્વિટરના સુત્રોના જણાવ્યા પ્રમાણે હાલ આ સેવા આઈઓએસ પ્લેટફોર્મ પર શરૂ કરવામાં આવી છે. તેને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ અને બ્રિટન માં તે શરૂ કરવામાં આવી છે. એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર પેઈડ સર્વિસ ક્યાં સુધીમાં શરૂ થશે અને ભારત સહિતના એશિયાના દેશોમાં તે ક્યારે શરૂ કરવામાં આવશે તે અંગે હાલ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ટ્વિટરના જણાવ્યા પ્રમાણે ટ્વિટર કંપનીની નુકસાની ઘટાડવા માટે પેઈડ બ્લૂ ટિક સર્વિસ શરૂ કરવામાં આવી છે.




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.