Twitter પેઇડ સબસ્ક્રિપ્શન સર્વિસ ભારતમાં શરૂ, Blue Tick માટે દર મહિને ચૂકવવો પડશે આટલો ચાર્જ


  • Published By :
  • Published Date : 2023-02-09 13:45:38

માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે આખરે ભારતમાં તેની પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સર્વિસ ટ્વિટર બ્લુ લોન્ચ કરી છે. ભારતમાં મોબાઈલ યુઝર્સને બ્લુ ટિક મેળવવા અને પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સર્વિસની સુવિધાઓનો ઉપયોગ કરવા માટે દર મહિને 900 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે કંપનીએ 650 રૂપિયામાં સૌથી ઓછી કિંમતનો પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પ્લાન જાહેર કર્યો છે. આ પ્લાન વેબ યુઝર્સ માટે છે. 


ટ્વિટર બ્લુ યુઝર્સને આ સુવિધાઓ મળશે


Twitterના જણાવ્યા અનુસાર, પેઇડ સબસ્ક્રિપ્શન લેનારા યુઝર્સને એડિટ ટ્વીટ બટન, 1080p વીડિયો અપલોડ, રીડર મોડ અને બ્લુ ટિકની સુવિધા મળશે. અત્રે ઉલ્લેખનિય છે કે કંપનીએ તેની જૂની વેરિફિકેશન પ્રક્રિયામાં પણ ફેરફાર કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, જૂના બ્લુ ટિક એકાઉન્ટ ધારકોને તેમની બ્લુ ટિક જાળવી રાખવા માટે થોડા મહિનાનો ગ્રેસ પીરિયડ આપવામાં આવશે. એટલે કે, તેમણે તેમના એકાઉન્ટ પર બ્લુ ટિક જાળવવા માટે થોડા સમય પછી સબસ્ક્રિપ્શન પણ લેવું પડશે.


આ દેશોમાં છે પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન 


ટ્વિટરે ગયા વર્ષે જ ટ્વિટર બ્લુને નવા સ્વરૂપમાં રજૂ કર્યું હતું. તે અગાઉ યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને જાપાન સહિતના કેટલાક દેશોમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે Twitterની કમાન સંભાળ્યા પછી, કંપનીના નવા બોસ એલોન મસ્કે કંપનીની આવક વધારવા અને ખર્ચ ઘટાડવા માટે ઘણા મોટા નિર્ણયો લીધા હતા અને પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સર્વિસ પણ તે નિર્ણયો  પૈકીનો એક હતો. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.