Twitter કમાણી વધારવાની ફિરાકમાં, હવે Blue Tick દ્વારા દર મહિને વસૂલશે તગડી રકમ


  • Published By :
  • Published Date : 2022-10-31 12:34:28


ટ્વીટરની કમાન એલન મસ્કે સંભાળતા જ કંપનીમાં ધડમૂળથી પરિવર્તનો શરૂ થઈ ગયા છે. હવે ટ્વીટરે કમાણી વધારવાના નવા માર્ગો શોધવાનું શરૂ કર્યું છે. જેમ કે હવે  ટ્વીટરે સંકેત આપ્યો છે કે  તે વેરિફિકેશન બૈંજ માટે યુઝર્સ પાસેથી તગડી રકમ વસુલશે. ટ્વીટરના આ નિર્ણયથી સોશિયલ મીડિયા યુઝર્સને મોટો ઝટકો લાગ્યો છે. 


ટ્વીટર હવે બ્લૂ સબ્સક્રિપ્સન ચાર્જ વસૂલશે


ટ્વીટર હવે બ્યૂ સબ્સક્રિપ્સન દ્વારા મોટી કમાણી કરવાની ફિરાકમાં છે. આ બાબતની માહિતી કેટલાક મીડિયા રિપોર્ટ દ્વારા મળી રહીલ છે. વર્તમાનમાં વેરિફાઈડ યુઝર્સ પાસે બ્લૂ ટિક લીધા બાદ સબ્સસ્ક્રાઈબ કરવા માટે 90 દિવસનો સમય હોય છે, નહીં તો યૂઝર્સ પોતાનું બ્લૂ ટિક ચેકમાર્ક ગુમાવી દે છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા ટ્વિટરના કર્મચારીઓએ રવિવારે એટલે કે 30 ઓક્ટોબર જણાવવામાં આવ્યું છે કે તેમણે 7 નવેમ્બર સુધી આ ફિચરને લોન્ચ કરવા માટે ડેડલાઈન આપવામાં આવી છે, જો કોઈ કર્મચારી આવું નહીં કરે  તો કંપની તેની નોકરીમાંથી હકાલપટ્ટી કરશે. 


Twitter Verification Badge: કેટલો ચાર્જ લાગશે?


ટ્વીટર નજીકના ભવિષ્યમાં યુઝર્સ પાસેથી બ્લૂ ટિકનો ચાર્જ વસૂલશે, અને તે પણ એક વખત  નહીં પરંતું દર મહિને Twitter Blue Tickની  તગડી રકમ ચૂકવવી પડશે. હવે સ્વાભાવિક રીતે જ સવાલ થાય કે ટ્વિટર કેટલો ચાર્જ વસૂલશે? તો આપને જણાવી દઈએ કે યુઝર્સે દર મહિને યૂઝર્સે 19.99 ડોલર ( લગભગ 1646 રૂપિયા)નો ચાર્જ ચૂકવવો પડશે. 



પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. તેમની ટિકીટ રદ્દ થાય તેવી માગ સમાજ દ્વારા કરવામાં આવી.. આ બધા વચ્ચે થોડા દિવસ પહેલા સંકલન સમિતી દ્વારા આંદોલનને મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ તો હવે પદ્મિની બા વાળાએ પરષોત્તમ રૂપાલાને માફી આપી દીધી છે.

22 એપ્રિલથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરન લાપતા હતા! તે 17મેના રોજ ઘરે પાછા આવ્યા છે. પોલીસે તેમની શોધખોળ હાથ ધરી પરંતુ તે મળ્યા ના હતા ત્યારે તે ઘરે પાછા આવ્યા છે જેને લઈ તેમના પરિવારે અને ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.

એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..