Twitter કમાણી વધારવાની ફિરાકમાં, હવે Blue Tick દ્વારા દર મહિને વસૂલશે તગડી રકમ


  • Published By :
  • Published Date : 2022-10-31 12:34:28


ટ્વીટરની કમાન એલન મસ્કે સંભાળતા જ કંપનીમાં ધડમૂળથી પરિવર્તનો શરૂ થઈ ગયા છે. હવે ટ્વીટરે કમાણી વધારવાના નવા માર્ગો શોધવાનું શરૂ કર્યું છે. જેમ કે હવે  ટ્વીટરે સંકેત આપ્યો છે કે  તે વેરિફિકેશન બૈંજ માટે યુઝર્સ પાસેથી તગડી રકમ વસુલશે. ટ્વીટરના આ નિર્ણયથી સોશિયલ મીડિયા યુઝર્સને મોટો ઝટકો લાગ્યો છે. 


ટ્વીટર હવે બ્લૂ સબ્સક્રિપ્સન ચાર્જ વસૂલશે


ટ્વીટર હવે બ્યૂ સબ્સક્રિપ્સન દ્વારા મોટી કમાણી કરવાની ફિરાકમાં છે. આ બાબતની માહિતી કેટલાક મીડિયા રિપોર્ટ દ્વારા મળી રહીલ છે. વર્તમાનમાં વેરિફાઈડ યુઝર્સ પાસે બ્લૂ ટિક લીધા બાદ સબ્સસ્ક્રાઈબ કરવા માટે 90 દિવસનો સમય હોય છે, નહીં તો યૂઝર્સ પોતાનું બ્લૂ ટિક ચેકમાર્ક ગુમાવી દે છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા ટ્વિટરના કર્મચારીઓએ રવિવારે એટલે કે 30 ઓક્ટોબર જણાવવામાં આવ્યું છે કે તેમણે 7 નવેમ્બર સુધી આ ફિચરને લોન્ચ કરવા માટે ડેડલાઈન આપવામાં આવી છે, જો કોઈ કર્મચારી આવું નહીં કરે  તો કંપની તેની નોકરીમાંથી હકાલપટ્ટી કરશે. 


Twitter Verification Badge: કેટલો ચાર્જ લાગશે?


ટ્વીટર નજીકના ભવિષ્યમાં યુઝર્સ પાસેથી બ્લૂ ટિકનો ચાર્જ વસૂલશે, અને તે પણ એક વખત  નહીં પરંતું દર મહિને Twitter Blue Tickની  તગડી રકમ ચૂકવવી પડશે. હવે સ્વાભાવિક રીતે જ સવાલ થાય કે ટ્વિટર કેટલો ચાર્જ વસૂલશે? તો આપને જણાવી દઈએ કે યુઝર્સે દર મહિને યૂઝર્સે 19.99 ડોલર ( લગભગ 1646 રૂપિયા)નો ચાર્જ ચૂકવવો પડશે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .