Twitter કમાણી વધારવાની ફિરાકમાં, હવે Blue Tick દ્વારા દર મહિને વસૂલશે તગડી રકમ


  • Published By :
  • Published Date : 2022-10-31 12:34:28


ટ્વીટરની કમાન એલન મસ્કે સંભાળતા જ કંપનીમાં ધડમૂળથી પરિવર્તનો શરૂ થઈ ગયા છે. હવે ટ્વીટરે કમાણી વધારવાના નવા માર્ગો શોધવાનું શરૂ કર્યું છે. જેમ કે હવે  ટ્વીટરે સંકેત આપ્યો છે કે  તે વેરિફિકેશન બૈંજ માટે યુઝર્સ પાસેથી તગડી રકમ વસુલશે. ટ્વીટરના આ નિર્ણયથી સોશિયલ મીડિયા યુઝર્સને મોટો ઝટકો લાગ્યો છે. 


ટ્વીટર હવે બ્લૂ સબ્સક્રિપ્સન ચાર્જ વસૂલશે


ટ્વીટર હવે બ્યૂ સબ્સક્રિપ્સન દ્વારા મોટી કમાણી કરવાની ફિરાકમાં છે. આ બાબતની માહિતી કેટલાક મીડિયા રિપોર્ટ દ્વારા મળી રહીલ છે. વર્તમાનમાં વેરિફાઈડ યુઝર્સ પાસે બ્લૂ ટિક લીધા બાદ સબ્સસ્ક્રાઈબ કરવા માટે 90 દિવસનો સમય હોય છે, નહીં તો યૂઝર્સ પોતાનું બ્લૂ ટિક ચેકમાર્ક ગુમાવી દે છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા ટ્વિટરના કર્મચારીઓએ રવિવારે એટલે કે 30 ઓક્ટોબર જણાવવામાં આવ્યું છે કે તેમણે 7 નવેમ્બર સુધી આ ફિચરને લોન્ચ કરવા માટે ડેડલાઈન આપવામાં આવી છે, જો કોઈ કર્મચારી આવું નહીં કરે  તો કંપની તેની નોકરીમાંથી હકાલપટ્ટી કરશે. 


Twitter Verification Badge: કેટલો ચાર્જ લાગશે?


ટ્વીટર નજીકના ભવિષ્યમાં યુઝર્સ પાસેથી બ્લૂ ટિકનો ચાર્જ વસૂલશે, અને તે પણ એક વખત  નહીં પરંતું દર મહિને Twitter Blue Tickની  તગડી રકમ ચૂકવવી પડશે. હવે સ્વાભાવિક રીતે જ સવાલ થાય કે ટ્વિટર કેટલો ચાર્જ વસૂલશે? તો આપને જણાવી દઈએ કે યુઝર્સે દર મહિને યૂઝર્સે 19.99 ડોલર ( લગભગ 1646 રૂપિયા)નો ચાર્જ ચૂકવવો પડશે. 



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?