Twitter કમાણી વધારવાની ફિરાકમાં, હવે Blue Tick દ્વારા દર મહિને વસૂલશે તગડી રકમ


  • Published By :
  • Published Date : 2022-10-31 12:34:28


ટ્વીટરની કમાન એલન મસ્કે સંભાળતા જ કંપનીમાં ધડમૂળથી પરિવર્તનો શરૂ થઈ ગયા છે. હવે ટ્વીટરે કમાણી વધારવાના નવા માર્ગો શોધવાનું શરૂ કર્યું છે. જેમ કે હવે  ટ્વીટરે સંકેત આપ્યો છે કે  તે વેરિફિકેશન બૈંજ માટે યુઝર્સ પાસેથી તગડી રકમ વસુલશે. ટ્વીટરના આ નિર્ણયથી સોશિયલ મીડિયા યુઝર્સને મોટો ઝટકો લાગ્યો છે. 


ટ્વીટર હવે બ્લૂ સબ્સક્રિપ્સન ચાર્જ વસૂલશે


ટ્વીટર હવે બ્યૂ સબ્સક્રિપ્સન દ્વારા મોટી કમાણી કરવાની ફિરાકમાં છે. આ બાબતની માહિતી કેટલાક મીડિયા રિપોર્ટ દ્વારા મળી રહીલ છે. વર્તમાનમાં વેરિફાઈડ યુઝર્સ પાસે બ્લૂ ટિક લીધા બાદ સબ્સસ્ક્રાઈબ કરવા માટે 90 દિવસનો સમય હોય છે, નહીં તો યૂઝર્સ પોતાનું બ્લૂ ટિક ચેકમાર્ક ગુમાવી દે છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા ટ્વિટરના કર્મચારીઓએ રવિવારે એટલે કે 30 ઓક્ટોબર જણાવવામાં આવ્યું છે કે તેમણે 7 નવેમ્બર સુધી આ ફિચરને લોન્ચ કરવા માટે ડેડલાઈન આપવામાં આવી છે, જો કોઈ કર્મચારી આવું નહીં કરે  તો કંપની તેની નોકરીમાંથી હકાલપટ્ટી કરશે. 


Twitter Verification Badge: કેટલો ચાર્જ લાગશે?


ટ્વીટર નજીકના ભવિષ્યમાં યુઝર્સ પાસેથી બ્લૂ ટિકનો ચાર્જ વસૂલશે, અને તે પણ એક વખત  નહીં પરંતું દર મહિને Twitter Blue Tickની  તગડી રકમ ચૂકવવી પડશે. હવે સ્વાભાવિક રીતે જ સવાલ થાય કે ટ્વિટર કેટલો ચાર્જ વસૂલશે? તો આપને જણાવી દઈએ કે યુઝર્સે દર મહિને યૂઝર્સે 19.99 ડોલર ( લગભગ 1646 રૂપિયા)નો ચાર્જ ચૂકવવો પડશે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.