ભારત જોડો યાત્રાને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલતું ટ્વિટર યુદ્ધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 18:24:53

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરોમાં નવો ઉત્સાહ ભરવા તેઓ પ્રયાસ કરી રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી જનારી યાત્રાને લોકો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રાહુલની આ યાત્રા પર અનેક વાક પ્રહાર કરવામાં આવ્યા છે.

કોરોના કાળને ભાજપે કર્યો યાદ

ભારત જોડો યાત્રાને લઈ રાહુલ ગાંધી સતત ભાજપના નિશાના પર છે. જ્યારથી યાત્રાની શરૂઆત થઈ છે ત્યારથી કોઈને કોઈ રીતે આ યાત્રા પર ભાજપ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે. ત્યારે ફરી એક વખત રાહુલની યાત્રા પર ભાતપે ટ્વિટ કરી છે. આ વખતે ભાજપે કોરોના કાળને યાદ કર્યો છે. એક ફોટો ટ્વિટ કરતા લખ્યું કે કોંગ્રેસનું ચરિત્ર ભારત તોડો.

 


કોંગ્રેસે વડાપ્રધાન મોદીને ગણાવ્યા પ્રચાર મંત્રી    

ભાજપના આ ટ્વિટ પર કોંગ્રેસે વળતો જવાબ આપ્યો છે. કોંગ્રેસે એક વિડીયો શેર કરતા કોરોના કાળ યાદ કરાવ્યો હતો. ટ્વિટમાં કોંગ્રેસે લખ્યું કે જ્યારે લોગો ભીષણ ગરમીમાં રસ્તા પર ચાલતા હતા, જ્યારે ઓક્સિજન, બેડ માટે લોકો તડપી રહ્યા હતા ત્યારે પ્રચાર મંત્રી ફોટોશૂટ કરાવી રહ્યા હતા. મોરને દાંણા આપી રહ્યા હતા. એ મોતના દ્રશ્યોને કોઈ ભૂલી નહીં શકે. 




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .