ભારત જોડો યાત્રાને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલતું ટ્વિટર યુદ્ધ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 18:24:53

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકરોમાં નવો ઉત્સાહ ભરવા તેઓ પ્રયાસ કરી રહ્યા છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી જનારી યાત્રાને લોકો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રાહુલની આ યાત્રા પર અનેક વાક પ્રહાર કરવામાં આવ્યા છે.

કોરોના કાળને ભાજપે કર્યો યાદ

ભારત જોડો યાત્રાને લઈ રાહુલ ગાંધી સતત ભાજપના નિશાના પર છે. જ્યારથી યાત્રાની શરૂઆત થઈ છે ત્યારથી કોઈને કોઈ રીતે આ યાત્રા પર ભાજપ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા છે. ત્યારે ફરી એક વખત રાહુલની યાત્રા પર ભાતપે ટ્વિટ કરી છે. આ વખતે ભાજપે કોરોના કાળને યાદ કર્યો છે. એક ફોટો ટ્વિટ કરતા લખ્યું કે કોંગ્રેસનું ચરિત્ર ભારત તોડો.

 


કોંગ્રેસે વડાપ્રધાન મોદીને ગણાવ્યા પ્રચાર મંત્રી    

ભાજપના આ ટ્વિટ પર કોંગ્રેસે વળતો જવાબ આપ્યો છે. કોંગ્રેસે એક વિડીયો શેર કરતા કોરોના કાળ યાદ કરાવ્યો હતો. ટ્વિટમાં કોંગ્રેસે લખ્યું કે જ્યારે લોગો ભીષણ ગરમીમાં રસ્તા પર ચાલતા હતા, જ્યારે ઓક્સિજન, બેડ માટે લોકો તડપી રહ્યા હતા ત્યારે પ્રચાર મંત્રી ફોટોશૂટ કરાવી રહ્યા હતા. મોરને દાંણા આપી રહ્યા હતા. એ મોતના દ્રશ્યોને કોઈ ભૂલી નહીં શકે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.