ધ્રાંગધ્રાના વીરેન્દ્રગઢ-કૂડા રોડ પર કારમાંથી વિદેશી દારૂની 394 બોટલ સાથે બે આરોપીની ધરપકડ


  • Published By :
  • Published Date : 2024-01-05 21:36:21

ગુજરાતમાં દરરોજ દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે, રાજ્યમાં જેટલો દારૂ પકડાય છે તેનાથી અનેક ગણા દારૂનું તો વેચાણ થાય છે. આજે ધ્રાંગધ્રા તાલુકાના વિસ્તારના વિરેન્દ્રગઢ-કુડા રોડ પર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલો નંગ 394  રૂ.2,08450/-તથા અન્ય રૂ.7,13,450/- નો મુદ્દામાલ અને હુન્ડાઇ ગાડી સહિત કુલ રૂ.921,900 નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે દારૂની તસ્કરી કરતા મૂળ રાજસ્થાનના બે શખ્સની પણ ધરપકડ કરી છે.


બાતમીના આધારે કાર્યવાહી


ધ્રાંગધ્રા તાલુકા સીની પો.સબ ઇન્સ. આર.જે.જાડેજા તથા ધ્રાંગધ્રા સર્વલન્સ સ્ટાફનાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે વિરેન્દ્રગઢ કુડા રોડ પર ખોટી નંબર પ્લેટ લગાડેલી હુન્ડાઇ કંપનીની આઇ-20 રજી નં.જીજે.12 ઈઈ 5241 ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી ગાડીમાથી ભારતીય બનાવટનો પ્રરપ્રાતીય વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડની બોટલો નંગ 394 કુલ કિ.રૂ.2,08450/- તથા અન્ય મુદ્દામાલ કિ.રૂ. 7,13,450/-મળી કુલ મુદ્દામાલ કુલ કી.રૂ.9,21,900 નો મુદ્દામાલ પકડી પાડી પ્રોહીબીશન એક્ટ મુજબ ધોરણસર ની કાર્યવાહી કરેલ છે. તે ઉપરાંત પોલીસે  મુકેશભાઇ રૂગનાથરામ ગુરુ જાતે બીસ્નોઇ રહે જોટડા તા. ચીતલવાના જી.સાચોર મુળ રહે ધમાણકા ગોલીયા તા.ધમાના જી.ઝાલોર (રાજસ્થાન) તથા આરોપી નં. (2) ડ્રાઇવર રામજાણી રહે ભોણીયા તા.ધોરીમનાર જી.બાડમેર રાજસ્થાનની ધરપકડ કરી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.