ધ્રાંગધ્રાના વીરેન્દ્રગઢ-કૂડા રોડ પર કારમાંથી વિદેશી દારૂની 394 બોટલ સાથે બે આરોપીની ધરપકડ


  • Published By :
  • Published Date : 2024-01-05 21:36:21

ગુજરાતમાં દરરોજ દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે, રાજ્યમાં જેટલો દારૂ પકડાય છે તેનાથી અનેક ગણા દારૂનું તો વેચાણ થાય છે. આજે ધ્રાંગધ્રા તાલુકાના વિસ્તારના વિરેન્દ્રગઢ-કુડા રોડ પર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલો નંગ 394  રૂ.2,08450/-તથા અન્ય રૂ.7,13,450/- નો મુદ્દામાલ અને હુન્ડાઇ ગાડી સહિત કુલ રૂ.921,900 નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે દારૂની તસ્કરી કરતા મૂળ રાજસ્થાનના બે શખ્સની પણ ધરપકડ કરી છે.


બાતમીના આધારે કાર્યવાહી


ધ્રાંગધ્રા તાલુકા સીની પો.સબ ઇન્સ. આર.જે.જાડેજા તથા ધ્રાંગધ્રા સર્વલન્સ સ્ટાફનાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે વિરેન્દ્રગઢ કુડા રોડ પર ખોટી નંબર પ્લેટ લગાડેલી હુન્ડાઇ કંપનીની આઇ-20 રજી નં.જીજે.12 ઈઈ 5241 ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી ગાડીમાથી ભારતીય બનાવટનો પ્રરપ્રાતીય વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડની બોટલો નંગ 394 કુલ કિ.રૂ.2,08450/- તથા અન્ય મુદ્દામાલ કિ.રૂ. 7,13,450/-મળી કુલ મુદ્દામાલ કુલ કી.રૂ.9,21,900 નો મુદ્દામાલ પકડી પાડી પ્રોહીબીશન એક્ટ મુજબ ધોરણસર ની કાર્યવાહી કરેલ છે. તે ઉપરાંત પોલીસે  મુકેશભાઇ રૂગનાથરામ ગુરુ જાતે બીસ્નોઇ રહે જોટડા તા. ચીતલવાના જી.સાચોર મુળ રહે ધમાણકા ગોલીયા તા.ધમાના જી.ઝાલોર (રાજસ્થાન) તથા આરોપી નં. (2) ડ્રાઇવર રામજાણી રહે ભોણીયા તા.ધોરીમનાર જી.બાડમેર રાજસ્થાનની ધરપકડ કરી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.