ધ્રાંગધ્રાના વીરેન્દ્રગઢ-કૂડા રોડ પર કારમાંથી વિદેશી દારૂની 394 બોટલ સાથે બે આરોપીની ધરપકડ


  • Published By :
  • Published Date : 2024-01-05 21:36:21

ગુજરાતમાં દરરોજ દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે, રાજ્યમાં જેટલો દારૂ પકડાય છે તેનાથી અનેક ગણા દારૂનું તો વેચાણ થાય છે. આજે ધ્રાંગધ્રા તાલુકાના વિસ્તારના વિરેન્દ્રગઢ-કુડા રોડ પર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલો નંગ 394  રૂ.2,08450/-તથા અન્ય રૂ.7,13,450/- નો મુદ્દામાલ અને હુન્ડાઇ ગાડી સહિત કુલ રૂ.921,900 નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે દારૂની તસ્કરી કરતા મૂળ રાજસ્થાનના બે શખ્સની પણ ધરપકડ કરી છે.


બાતમીના આધારે કાર્યવાહી


ધ્રાંગધ્રા તાલુકા સીની પો.સબ ઇન્સ. આર.જે.જાડેજા તથા ધ્રાંગધ્રા સર્વલન્સ સ્ટાફનાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે વિરેન્દ્રગઢ કુડા રોડ પર ખોટી નંબર પ્લેટ લગાડેલી હુન્ડાઇ કંપનીની આઇ-20 રજી નં.જીજે.12 ઈઈ 5241 ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી ગાડીમાથી ભારતીય બનાવટનો પ્રરપ્રાતીય વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડની બોટલો નંગ 394 કુલ કિ.રૂ.2,08450/- તથા અન્ય મુદ્દામાલ કિ.રૂ. 7,13,450/-મળી કુલ મુદ્દામાલ કુલ કી.રૂ.9,21,900 નો મુદ્દામાલ પકડી પાડી પ્રોહીબીશન એક્ટ મુજબ ધોરણસર ની કાર્યવાહી કરેલ છે. તે ઉપરાંત પોલીસે  મુકેશભાઇ રૂગનાથરામ ગુરુ જાતે બીસ્નોઇ રહે જોટડા તા. ચીતલવાના જી.સાચોર મુળ રહે ધમાણકા ગોલીયા તા.ધમાના જી.ઝાલોર (રાજસ્થાન) તથા આરોપી નં. (2) ડ્રાઇવર રામજાણી રહે ભોણીયા તા.ધોરીમનાર જી.બાડમેર રાજસ્થાનની ધરપકડ કરી છે.



લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા થઈ હતી. પરેશ ધાનાણીએ મતદાન પૂર્ણ થયા બાદ પ્રતિક્રિયા આપી છે જેમાં તે કહી રહ્યા છે કે રાજકોટ કોંગ્રેસ જીતે છે.

ગુજરાતમાં સાતમી તારીખે લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી.. ચૂંટણી પંચ દ્વારા ક્યા કેટલું મતદાન થયું તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે... જે મુજબ ગુજરાતમાં 60.13 ટકા મતદાન થયું છે...

સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.