રાજસ્થાનમા ગુજરાત પોલીસની આબરુના થયા ધજાગરા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 17:07:52

રાજસ્થાનના ઉદયપુરમાં દારુના કેસની તપાસ કરવા ગયા હતા કોન્સ્ટેબલો
શંકાસ્પદ વ્યક્તિ તરીકે નાન નહીં દર્શાવવા બદલ લાંચ માગી હતી
શખસે એસીબીનો સંપર્ક કર્યો, છટકુ ગોઠવીને કોન્સ્ટેબલોને ઝડપી પાડ્યા

rajasthan acb caught two gujarat cops

રાજસ્થાનના ઉદયપુરમાં તોડ કરવા ગયેલા ગુજરાતના બે કોન્સ્ટેબલ ઝડપાયા છે. રાજસ્થાનની એસીબીની ટીમે બંને કોન્સ્ટેબલોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. રાજસ્થાનની એસીબીની ટીમે ફિલ્મી સ્ટાઈલથી ગુજરાતના આ બંને કોન્સ્ટેબલોને ઝડપી પાડ્યા હતા. બંને કોન્સ્ટેબલોને રુપિયા 1.10 લાખની લાંચ રેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. લાંચિયા કોન્સ્ટેબલોને રંગેહાથ ઝડપી પાડવા એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી હતી. એસીબીએ કોન્સ્ટેબલો ભરત અને મહેશ ચૌધરીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં સામે આવ્યું કે બને કોન્સ્ટેબલો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.


તોડ કરવા ઉદયપુર પહોંચ્યા

પ્રાપ્ત વિગતો મુજબ, કેટલાંક પોલીસકર્મીઓ તોડ કરવા કે લાંચ લેવા ગમે તે હદે જઈ શકે છે. ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના રખિયાલ પોલીસે વર્દી લજવી છે. રખિયાલ પોલીસની ટીમ રાજસ્થાનના ઉદયપુરમાં દારુના એક કેસની તપાસ માટે ગઈ હતી. દારુના આ કેસમાં બે પોલીસ કોન્સ્ટેબલે શંકાસ્પદ વ્યક્તિનું નામ આરોપી તરીકે નહીં દર્શાવવા બદલ લાંચ માંગી હતી.


એસીબીએ ઝડપી પાડ્યા

જે બાદ આ શખસે એસીબીનો પણ સંપર્ક કર્યો હતો. જેથી રાજસ્થાનની એસીબીની ટીમે એક છટકુ ગોઠવ્યું હતું. બાદમાં ફિલ્મી સ્ટાઈલથી લાંચિયા કોન્સ્ટેબલોને ઝડપી પાડ્યા હતા. એસીબીની ટીમે બંને કોન્સ્ટેબલો પાસેથી રુપિયા 1.10 લાખ પણ કબજે કર્યા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું કે, બંને કોન્સ્ટેબલો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.


બે લાખની લાંચ માગી હતી

થોડા દિવસો પહેલાં દારુ ભરેલી એક કાર જપ્ત કરવામાં આવી હતી. આ કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ ભરત અને મહેશ ચૌધરીને સોંપવામાં આવી હતી. જેથી તેઓ તપાસ માટે ઉદયપુર ગયા હતા. આ દારુના કેસમાં શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરી હતી અને કેસમાંથી મુક્ત કરવા તથા શંકાસ્પદ તરીકે નહીં દર્શાવવા માટે બે લાખ રુપિયાની લાંચ માગી હતી. આખરે રકઝક બાદ રુપિયા 1.10 લાખની રકમ નક્કી કરવામાં આવી હતી.


એસીબીના ટ્રેપમાં ભરાયા

એ પછી આ શખસે રાજસ્થાન એસીબીનો સંપર્ક કર્યો હતો. આખરે રાજસ્થાનની એસીબીની ટીમે છટકુ ગોઠવ્યું હતુ અને ફિલ્મી સ્ટાઈલથી લાંચિયા કોન્સ્ટેબલોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.