રાજસ્થાનમા ગુજરાત પોલીસની આબરુના થયા ધજાગરા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 17:07:52

રાજસ્થાનના ઉદયપુરમાં દારુના કેસની તપાસ કરવા ગયા હતા કોન્સ્ટેબલો
શંકાસ્પદ વ્યક્તિ તરીકે નાન નહીં દર્શાવવા બદલ લાંચ માગી હતી
શખસે એસીબીનો સંપર્ક કર્યો, છટકુ ગોઠવીને કોન્સ્ટેબલોને ઝડપી પાડ્યા

rajasthan acb caught two gujarat cops

રાજસ્થાનના ઉદયપુરમાં તોડ કરવા ગયેલા ગુજરાતના બે કોન્સ્ટેબલ ઝડપાયા છે. રાજસ્થાનની એસીબીની ટીમે બંને કોન્સ્ટેબલોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. રાજસ્થાનની એસીબીની ટીમે ફિલ્મી સ્ટાઈલથી ગુજરાતના આ બંને કોન્સ્ટેબલોને ઝડપી પાડ્યા હતા. બંને કોન્સ્ટેબલોને રુપિયા 1.10 લાખની લાંચ રેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. લાંચિયા કોન્સ્ટેબલોને રંગેહાથ ઝડપી પાડવા એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી હતી. એસીબીએ કોન્સ્ટેબલો ભરત અને મહેશ ચૌધરીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં સામે આવ્યું કે બને કોન્સ્ટેબલો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.


તોડ કરવા ઉદયપુર પહોંચ્યા

પ્રાપ્ત વિગતો મુજબ, કેટલાંક પોલીસકર્મીઓ તોડ કરવા કે લાંચ લેવા ગમે તે હદે જઈ શકે છે. ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના રખિયાલ પોલીસે વર્દી લજવી છે. રખિયાલ પોલીસની ટીમ રાજસ્થાનના ઉદયપુરમાં દારુના એક કેસની તપાસ માટે ગઈ હતી. દારુના આ કેસમાં બે પોલીસ કોન્સ્ટેબલે શંકાસ્પદ વ્યક્તિનું નામ આરોપી તરીકે નહીં દર્શાવવા બદલ લાંચ માંગી હતી.


એસીબીએ ઝડપી પાડ્યા

જે બાદ આ શખસે એસીબીનો પણ સંપર્ક કર્યો હતો. જેથી રાજસ્થાનની એસીબીની ટીમે એક છટકુ ગોઠવ્યું હતું. બાદમાં ફિલ્મી સ્ટાઈલથી લાંચિયા કોન્સ્ટેબલોને ઝડપી પાડ્યા હતા. એસીબીની ટીમે બંને કોન્સ્ટેબલો પાસેથી રુપિયા 1.10 લાખ પણ કબજે કર્યા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું કે, બંને કોન્સ્ટેબલો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.


બે લાખની લાંચ માગી હતી

થોડા દિવસો પહેલાં દારુ ભરેલી એક કાર જપ્ત કરવામાં આવી હતી. આ કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ ભરત અને મહેશ ચૌધરીને સોંપવામાં આવી હતી. જેથી તેઓ તપાસ માટે ઉદયપુર ગયા હતા. આ દારુના કેસમાં શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરી હતી અને કેસમાંથી મુક્ત કરવા તથા શંકાસ્પદ તરીકે નહીં દર્શાવવા માટે બે લાખ રુપિયાની લાંચ માગી હતી. આખરે રકઝક બાદ રુપિયા 1.10 લાખની રકમ નક્કી કરવામાં આવી હતી.


એસીબીના ટ્રેપમાં ભરાયા

એ પછી આ શખસે રાજસ્થાન એસીબીનો સંપર્ક કર્યો હતો. આખરે રાજસ્થાનની એસીબીની ટીમે છટકુ ગોઠવ્યું હતુ અને ફિલ્મી સ્ટાઈલથી લાંચિયા કોન્સ્ટેબલોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.