રાજસ્થાનમા ગુજરાત પોલીસની આબરુના થયા ધજાગરા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 17:07:52

રાજસ્થાનના ઉદયપુરમાં દારુના કેસની તપાસ કરવા ગયા હતા કોન્સ્ટેબલો
શંકાસ્પદ વ્યક્તિ તરીકે નાન નહીં દર્શાવવા બદલ લાંચ માગી હતી
શખસે એસીબીનો સંપર્ક કર્યો, છટકુ ગોઠવીને કોન્સ્ટેબલોને ઝડપી પાડ્યા

rajasthan acb caught two gujarat cops

રાજસ્થાનના ઉદયપુરમાં તોડ કરવા ગયેલા ગુજરાતના બે કોન્સ્ટેબલ ઝડપાયા છે. રાજસ્થાનની એસીબીની ટીમે બંને કોન્સ્ટેબલોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. રાજસ્થાનની એસીબીની ટીમે ફિલ્મી સ્ટાઈલથી ગુજરાતના આ બંને કોન્સ્ટેબલોને ઝડપી પાડ્યા હતા. બંને કોન્સ્ટેબલોને રુપિયા 1.10 લાખની લાંચ રેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. લાંચિયા કોન્સ્ટેબલોને રંગેહાથ ઝડપી પાડવા એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી હતી. એસીબીએ કોન્સ્ટેબલો ભરત અને મહેશ ચૌધરીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં સામે આવ્યું કે બને કોન્સ્ટેબલો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.


તોડ કરવા ઉદયપુર પહોંચ્યા

પ્રાપ્ત વિગતો મુજબ, કેટલાંક પોલીસકર્મીઓ તોડ કરવા કે લાંચ લેવા ગમે તે હદે જઈ શકે છે. ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના રખિયાલ પોલીસે વર્દી લજવી છે. રખિયાલ પોલીસની ટીમ રાજસ્થાનના ઉદયપુરમાં દારુના એક કેસની તપાસ માટે ગઈ હતી. દારુના આ કેસમાં બે પોલીસ કોન્સ્ટેબલે શંકાસ્પદ વ્યક્તિનું નામ આરોપી તરીકે નહીં દર્શાવવા બદલ લાંચ માંગી હતી.


એસીબીએ ઝડપી પાડ્યા

જે બાદ આ શખસે એસીબીનો પણ સંપર્ક કર્યો હતો. જેથી રાજસ્થાનની એસીબીની ટીમે એક છટકુ ગોઠવ્યું હતું. બાદમાં ફિલ્મી સ્ટાઈલથી લાંચિયા કોન્સ્ટેબલોને ઝડપી પાડ્યા હતા. એસીબીની ટીમે બંને કોન્સ્ટેબલો પાસેથી રુપિયા 1.10 લાખ પણ કબજે કર્યા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું કે, બંને કોન્સ્ટેબલો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.


બે લાખની લાંચ માગી હતી

થોડા દિવસો પહેલાં દારુ ભરેલી એક કાર જપ્ત કરવામાં આવી હતી. આ કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ ભરત અને મહેશ ચૌધરીને સોંપવામાં આવી હતી. જેથી તેઓ તપાસ માટે ઉદયપુર ગયા હતા. આ દારુના કેસમાં શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરી હતી અને કેસમાંથી મુક્ત કરવા તથા શંકાસ્પદ તરીકે નહીં દર્શાવવા માટે બે લાખ રુપિયાની લાંચ માગી હતી. આખરે રકઝક બાદ રુપિયા 1.10 લાખની રકમ નક્કી કરવામાં આવી હતી.


એસીબીના ટ્રેપમાં ભરાયા

એ પછી આ શખસે રાજસ્થાન એસીબીનો સંપર્ક કર્યો હતો. આખરે રાજસ્થાનની એસીબીની ટીમે છટકુ ગોઠવ્યું હતુ અને ફિલ્મી સ્ટાઈલથી લાંચિયા કોન્સ્ટેબલોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.