રાજસ્થાનમા ગુજરાત પોલીસની આબરુના થયા ધજાગરા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-17 17:07:52

રાજસ્થાનના ઉદયપુરમાં દારુના કેસની તપાસ કરવા ગયા હતા કોન્સ્ટેબલો
શંકાસ્પદ વ્યક્તિ તરીકે નાન નહીં દર્શાવવા બદલ લાંચ માગી હતી
શખસે એસીબીનો સંપર્ક કર્યો, છટકુ ગોઠવીને કોન્સ્ટેબલોને ઝડપી પાડ્યા

rajasthan acb caught two gujarat cops

રાજસ્થાનના ઉદયપુરમાં તોડ કરવા ગયેલા ગુજરાતના બે કોન્સ્ટેબલ ઝડપાયા છે. રાજસ્થાનની એસીબીની ટીમે બંને કોન્સ્ટેબલોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. રાજસ્થાનની એસીબીની ટીમે ફિલ્મી સ્ટાઈલથી ગુજરાતના આ બંને કોન્સ્ટેબલોને ઝડપી પાડ્યા હતા. બંને કોન્સ્ટેબલોને રુપિયા 1.10 લાખની લાંચ રેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. લાંચિયા કોન્સ્ટેબલોને રંગેહાથ ઝડપી પાડવા એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી હતી. એસીબીએ કોન્સ્ટેબલો ભરત અને મહેશ ચૌધરીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તપાસમાં સામે આવ્યું કે બને કોન્સ્ટેબલો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.


તોડ કરવા ઉદયપુર પહોંચ્યા

પ્રાપ્ત વિગતો મુજબ, કેટલાંક પોલીસકર્મીઓ તોડ કરવા કે લાંચ લેવા ગમે તે હદે જઈ શકે છે. ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના રખિયાલ પોલીસે વર્દી લજવી છે. રખિયાલ પોલીસની ટીમ રાજસ્થાનના ઉદયપુરમાં દારુના એક કેસની તપાસ માટે ગઈ હતી. દારુના આ કેસમાં બે પોલીસ કોન્સ્ટેબલે શંકાસ્પદ વ્યક્તિનું નામ આરોપી તરીકે નહીં દર્શાવવા બદલ લાંચ માંગી હતી.


એસીબીએ ઝડપી પાડ્યા

જે બાદ આ શખસે એસીબીનો પણ સંપર્ક કર્યો હતો. જેથી રાજસ્થાનની એસીબીની ટીમે એક છટકુ ગોઠવ્યું હતું. બાદમાં ફિલ્મી સ્ટાઈલથી લાંચિયા કોન્સ્ટેબલોને ઝડપી પાડ્યા હતા. એસીબીની ટીમે બંને કોન્સ્ટેબલો પાસેથી રુપિયા 1.10 લાખ પણ કબજે કર્યા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું કે, બંને કોન્સ્ટેબલો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.


બે લાખની લાંચ માગી હતી

થોડા દિવસો પહેલાં દારુ ભરેલી એક કાર જપ્ત કરવામાં આવી હતી. આ કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ ભરત અને મહેશ ચૌધરીને સોંપવામાં આવી હતી. જેથી તેઓ તપાસ માટે ઉદયપુર ગયા હતા. આ દારુના કેસમાં શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કરી હતી અને કેસમાંથી મુક્ત કરવા તથા શંકાસ્પદ તરીકે નહીં દર્શાવવા માટે બે લાખ રુપિયાની લાંચ માગી હતી. આખરે રકઝક બાદ રુપિયા 1.10 લાખની રકમ નક્કી કરવામાં આવી હતી.


એસીબીના ટ્રેપમાં ભરાયા

એ પછી આ શખસે રાજસ્થાન એસીબીનો સંપર્ક કર્યો હતો. આખરે રાજસ્થાનની એસીબીની ટીમે છટકુ ગોઠવ્યું હતુ અને ફિલ્મી સ્ટાઈલથી લાંચિયા કોન્સ્ટેબલોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.