રાજ્યના બહુચર્ચિત ડમીકાંડમાં કરાઈ વધુ બે આરોપીની ધરપકડ, જાણો હજી સુધી કેટલા આરોપીની કરાઈ છે ધરપકડ?


  • Published By :
  • Published Date : 2023-06-29 13:38:35

શાંત પડેલો મુદ્દો એવો ડમીકાંડનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. થોડા મહિના પહેલા યુવરાજસિંહે ઘટસ્ફોટ કર્યો હતો કે સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવે છે. એ સમયે આ મુદ્દો આગની જેમ ફેલાઈ રહ્યો હતો. સામે ચાલીને પોલીસે આ મામલે તપાસ આરંભી હતી અને અનેક લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. અને અન્ય લોકોની શોધખોળ કરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત ભાવનગર પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. હજી સુધી 64 જેટલા આરોપીની થઈ છે આ મામલે ધરપકડ.   


ભાવનગર પોલીસે કરી વધુ બે આરોપીની ધરપકડ 

ડમીકાંડમાં રોજ એક નવું અપડેટ સામે આવી રહ્યું છે. થોડા દિવસો પહેલા ભાવનગર પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી ત્યારે પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે ગીર ગઢડા ખાતે ક્લાર્ક તરીકે નોકરી કરતા પ્રકાશ દેવશંકર લાધવા તેમજ દાહોદ ખાતે તલાટી મંત્રી તરીકે નોકરી કરતા હરદેવ વેણીશંકર લાધવા જે બંને મહુવા તાલુકાના કરમદીયા ગામના રહેવાસી છે તેમની ધરપકડ કરી છે પ્રકાશ લાધવા એ ગ્રામ સેવકની પરીક્ષા 2017માં કીર્તિ પનોત વતી આપી હતી અને તે કીર્તિ પનોતની પહેલાજ ધરપકડ થઈ ચૂકી છે જ્યારે  હરદેવે  2017 ની વિરમદેવની એમ.પી.એસ.ડબલ્યુ ની પરીક્ષા આપી હતી.અત્યાર સુધીમાં પોલીસે એફઆઇઆર માં નામ હોય તેવા 31 તેમજ એફઆઇઆર બાદ તપાસમાં નામ ખુલ્યા હોય તેવા 33 મળી કુલ 64 આરોપીને ઝડપી લીધા છે


કાંડમાં શું હતી તેમની સંડોવણી? 

જ્યારે મંગળવારે પણ એક આરોપી પકડાયો હતો. જામનગરમાં એમપીએસડબલ્યુની નોકરી કરતા નિકેતન જગદીશ પંડ્યા નામના વ્યક્તિને પોલીસે પકડી પાડ્યો છે. નિકેતનની જગ્યાએ અગાઉ 2021માં હસમુખ નામ પ્રમાણે પરીક્ષા આપી હતી.ડમી તરીકે પરીક્ષા આપનાર હસમુખ અગાઉ ઝડપાઈ ચૂક્યો છે તેના એક દિવસ પહેલા ભાવનગર પોલીસે ડમીકાંડના 2 આરોપીની ધરપકડ કરી હતી ચોંકાવનારી વાત એ હતી કે જે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમા એક મહિલા અને એક સગીર છે મહિલા 20 વર્ષની જીજ્ઞા અને એક સગીર જેની પરીક્ષા ડમી તરીકે મિલન ઘુઘા બારૈયાએ આપી હતી મિલને જીજ્ઞની પરીક્ષા વર્ષ 2022માં અને સગીરની પરીક્ષા 2020માં આપી હતી. હજુ પણ કેટલાય આરોપી એવા છે જે પોલીસ પકડથી દૂર છે 


તોડકાંડમાં પોલીસે તૈયાર કરી ચાર્જશીટ   

તોડકાંડમાં પણ રોજ નવી અપડેટ આવી રહી છે તોડકાંડમાં 900 પાનાની ચાર્જશીટ તૈયાર કરાઈ છે જે કોર્ટમાં રજૂ કરાઈ છે. અને  તોડકાંડમાં યુવરાજસિંહ તેમજ તેમના બે સાળા સહિત 6 આરોપીઓ સામે ગુનો નોંધાયેલો છે. પણ 6 આરોપીમાંથી 4 આરોપીને જામીન મળી ચુક્યા છે જ્યારે યુવરાજસિંહ તેમજ તેમના સાળા શિવુભા હજુ પણ જેલમાં છે.રાજુ , કાનભા ગોહિલ , ઘનશ્યામ લાધવા અને બિપિન ત્રિવેદીના જામીન મંજુર થઈ ગઈ છે યુવરાજ સિંહને જો નીચલી કોર્ટમાં જામીન નહીં મળે તો તે હાઇકોર્ટમાં અરજી કરી શકે છે. ત્યારે જોવાનું એ રહ્યું કે તોડકાંડમાં તેમજ ડમીકાંડમાં શું કાર્યવાહી કરવામાં આવશે?



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.