રાજ્યના બહુચર્ચિત ડમીકાંડમાં કરાઈ વધુ બે આરોપીની ધરપકડ, જાણો હજી સુધી કેટલા આરોપીની કરાઈ છે ધરપકડ?


  • Published By :
  • Published Date : 2023-06-29 13:38:35

શાંત પડેલો મુદ્દો એવો ડમીકાંડનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. થોડા મહિના પહેલા યુવરાજસિંહે ઘટસ્ફોટ કર્યો હતો કે સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવે છે. એ સમયે આ મુદ્દો આગની જેમ ફેલાઈ રહ્યો હતો. સામે ચાલીને પોલીસે આ મામલે તપાસ આરંભી હતી અને અનેક લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. અને અન્ય લોકોની શોધખોળ કરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત ભાવનગર પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. હજી સુધી 64 જેટલા આરોપીની થઈ છે આ મામલે ધરપકડ.   


ભાવનગર પોલીસે કરી વધુ બે આરોપીની ધરપકડ 

ડમીકાંડમાં રોજ એક નવું અપડેટ સામે આવી રહ્યું છે. થોડા દિવસો પહેલા ભાવનગર પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી ત્યારે પોલીસે વધુ બે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે ગીર ગઢડા ખાતે ક્લાર્ક તરીકે નોકરી કરતા પ્રકાશ દેવશંકર લાધવા તેમજ દાહોદ ખાતે તલાટી મંત્રી તરીકે નોકરી કરતા હરદેવ વેણીશંકર લાધવા જે બંને મહુવા તાલુકાના કરમદીયા ગામના રહેવાસી છે તેમની ધરપકડ કરી છે પ્રકાશ લાધવા એ ગ્રામ સેવકની પરીક્ષા 2017માં કીર્તિ પનોત વતી આપી હતી અને તે કીર્તિ પનોતની પહેલાજ ધરપકડ થઈ ચૂકી છે જ્યારે  હરદેવે  2017 ની વિરમદેવની એમ.પી.એસ.ડબલ્યુ ની પરીક્ષા આપી હતી.અત્યાર સુધીમાં પોલીસે એફઆઇઆર માં નામ હોય તેવા 31 તેમજ એફઆઇઆર બાદ તપાસમાં નામ ખુલ્યા હોય તેવા 33 મળી કુલ 64 આરોપીને ઝડપી લીધા છે


કાંડમાં શું હતી તેમની સંડોવણી? 

જ્યારે મંગળવારે પણ એક આરોપી પકડાયો હતો. જામનગરમાં એમપીએસડબલ્યુની નોકરી કરતા નિકેતન જગદીશ પંડ્યા નામના વ્યક્તિને પોલીસે પકડી પાડ્યો છે. નિકેતનની જગ્યાએ અગાઉ 2021માં હસમુખ નામ પ્રમાણે પરીક્ષા આપી હતી.ડમી તરીકે પરીક્ષા આપનાર હસમુખ અગાઉ ઝડપાઈ ચૂક્યો છે તેના એક દિવસ પહેલા ભાવનગર પોલીસે ડમીકાંડના 2 આરોપીની ધરપકડ કરી હતી ચોંકાવનારી વાત એ હતી કે જે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમા એક મહિલા અને એક સગીર છે મહિલા 20 વર્ષની જીજ્ઞા અને એક સગીર જેની પરીક્ષા ડમી તરીકે મિલન ઘુઘા બારૈયાએ આપી હતી મિલને જીજ્ઞની પરીક્ષા વર્ષ 2022માં અને સગીરની પરીક્ષા 2020માં આપી હતી. હજુ પણ કેટલાય આરોપી એવા છે જે પોલીસ પકડથી દૂર છે 


તોડકાંડમાં પોલીસે તૈયાર કરી ચાર્જશીટ   

તોડકાંડમાં પણ રોજ નવી અપડેટ આવી રહી છે તોડકાંડમાં 900 પાનાની ચાર્જશીટ તૈયાર કરાઈ છે જે કોર્ટમાં રજૂ કરાઈ છે. અને  તોડકાંડમાં યુવરાજસિંહ તેમજ તેમના બે સાળા સહિત 6 આરોપીઓ સામે ગુનો નોંધાયેલો છે. પણ 6 આરોપીમાંથી 4 આરોપીને જામીન મળી ચુક્યા છે જ્યારે યુવરાજસિંહ તેમજ તેમના સાળા શિવુભા હજુ પણ જેલમાં છે.રાજુ , કાનભા ગોહિલ , ઘનશ્યામ લાધવા અને બિપિન ત્રિવેદીના જામીન મંજુર થઈ ગઈ છે યુવરાજ સિંહને જો નીચલી કોર્ટમાં જામીન નહીં મળે તો તે હાઇકોર્ટમાં અરજી કરી શકે છે. ત્યારે જોવાનું એ રહ્યું કે તોડકાંડમાં તેમજ ડમીકાંડમાં શું કાર્યવાહી કરવામાં આવશે?



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.