Rajasthanના કોટામાં વધુ બે વિદ્યાર્થીઓએ ટૂંકાવ્યું જીવન, છેલ્લા એક મહિનામાં 5 વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-28 11:44:11

આત્મહત્યા કરી વિદ્યાર્થીઓ પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. રાજસ્થાનના કોટામાં બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગયો છે. રવિવારે મેડિકલ એન્ટરન્સ એક્ઝામની તૈયારીઓ કરી રહેલા બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી જીવનનો અંત કરી દીધો છે. આ મામલે મળતી વિગતો અનુસાર મરનાર વિદ્યાર્થીઓમાંનો એક વિદ્યાર્થી મહારાષ્ટ્રમાં રહેતો હતો. જ્યારે બીજો વિદ્યાર્થી બિહારનો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવવાના ડરને લઈ વિદ્યાર્થીઓએ આ પગલું ઉઠાવ્યું હોય.   


એક મહિનાની અંદર પાંચ વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યા 

આજકાલની જનરેશનને જોતા એવું લાગે કે આ પેઢી બહુ જલ્દી હાર માની લે તેવી છે. નાની નાની નિષ્ફળતાઓને ધ્યાનમાં રાખી એવું મોટું પગલું ઉપાડી લે જેને ભોગવવાનો વારો તેમના માતા પિતાને આવતો હોય છે. વિદ્યાર્થીઓ નાની વાતમાં હિંમત ગુમાવી દેતા હોય છે, અને પરીક્ષામાં નપાસ થઈ જશે તો શું કરશે તેવો વિચાર કરી પોતાના જીવનનો અંત કરી લેતા હોય છે.  પરીક્ષામાં મળેલી નિષ્ફળતા જીવનની નિષ્ફળતા નથી તે વિદ્યાર્થીઓ જાણતા નથી. જેને કારણે તેઓ જલ્દી હતાશ થઈ આવા પગલા લેતા હોય છે. આજે આવી વાત એટલા માટે કરવી છે કારણ કે કોટામાં બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. છેલ્લા એક  મહિનાની અંદર કોટામાં આત્મહત્યાનો બનેલો આ પાંચમો બનાવ છે. એક મહિનાની અંદર 5 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. જ્યારે એક વર્ષમાં 23 વિદ્યાર્થીઓએ પોતાનો જીવ લઈ લીધો છે. 


કયા વિદ્યાર્થીઓએ ટૂંકાવ્યું જીવન?

જે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી તેમની વાત કરીએ તો મહારાષ્ટ્રના 16 વર્ષીય છોકરાએ કોચિંગ સેન્ટરમાં ટેસ્ટ આપી, અને તે બાદ બપોરના સમયે કોચિંગ સેન્ટરમાં વિદ્યાર્થીએ આ કદમ ઉઠાવી લીધું. બીજી ઘટના તેના 6 કલાક બાદ બની. કોટાના કુનાડી વિસ્તારમાં રહેતા 18 વર્ષીય વિદ્યાર્થીએ પોતાના ભાડાવાળા ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીએ પોતાને રૂમમાં બંધ કરી દીધો. જ્યારે પરિવારના સભ્યોએ દરવાજો ખખડાવ્યો ત્યારે તેણે દરવાજો ખોલ્યો ન હતો. જે બાદ દરવાજાને તોડવામાં આવ્યો અને જ્યારે દરવાજા ખુલ્યો ત્યારે છોકરો મૃતહાલતમાં દેખાયો હતો. બંનેને હોસ્પિટલ તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરાયા હતા.   


પ્રશાસને કોચિંગ સેન્ટરને આપ્યા આ આદેશ 

આ ઘટના બાદ પ્રશાસન એક્ટિવ મોડમાં આવી ગયું છે. કોચિંગ સેન્ટરમાં આગામી બે મહિના સુધી કોઈ પરીક્ષા ન લેવી તેવા આદેશ આપ્યા છે. મહત્વનું છે કે વિદ્યાર્થીઓમાં વધતા આત્મહત્યા કરવાના કિસ્સાઓ ચિંતાજનક છે. નાની ઉંમરે યુવાનો આત્મહત્યાનું પગલું લઈ રહ્યા છે.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.