Rajasthanના કોટામાં વધુ બે વિદ્યાર્થીઓએ ટૂંકાવ્યું જીવન, છેલ્લા એક મહિનામાં 5 વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-28 11:44:11

આત્મહત્યા કરી વિદ્યાર્થીઓ પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. રાજસ્થાનના કોટામાં બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગયો છે. રવિવારે મેડિકલ એન્ટરન્સ એક્ઝામની તૈયારીઓ કરી રહેલા બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી જીવનનો અંત કરી દીધો છે. આ મામલે મળતી વિગતો અનુસાર મરનાર વિદ્યાર્થીઓમાંનો એક વિદ્યાર્થી મહારાષ્ટ્રમાં રહેતો હતો. જ્યારે બીજો વિદ્યાર્થી બિહારનો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવવાના ડરને લઈ વિદ્યાર્થીઓએ આ પગલું ઉઠાવ્યું હોય.   


એક મહિનાની અંદર પાંચ વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યા 

આજકાલની જનરેશનને જોતા એવું લાગે કે આ પેઢી બહુ જલ્દી હાર માની લે તેવી છે. નાની નાની નિષ્ફળતાઓને ધ્યાનમાં રાખી એવું મોટું પગલું ઉપાડી લે જેને ભોગવવાનો વારો તેમના માતા પિતાને આવતો હોય છે. વિદ્યાર્થીઓ નાની વાતમાં હિંમત ગુમાવી દેતા હોય છે, અને પરીક્ષામાં નપાસ થઈ જશે તો શું કરશે તેવો વિચાર કરી પોતાના જીવનનો અંત કરી લેતા હોય છે.  પરીક્ષામાં મળેલી નિષ્ફળતા જીવનની નિષ્ફળતા નથી તે વિદ્યાર્થીઓ જાણતા નથી. જેને કારણે તેઓ જલ્દી હતાશ થઈ આવા પગલા લેતા હોય છે. આજે આવી વાત એટલા માટે કરવી છે કારણ કે કોટામાં બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. છેલ્લા એક  મહિનાની અંદર કોટામાં આત્મહત્યાનો બનેલો આ પાંચમો બનાવ છે. એક મહિનાની અંદર 5 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. જ્યારે એક વર્ષમાં 23 વિદ્યાર્થીઓએ પોતાનો જીવ લઈ લીધો છે. 


કયા વિદ્યાર્થીઓએ ટૂંકાવ્યું જીવન?

જે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી તેમની વાત કરીએ તો મહારાષ્ટ્રના 16 વર્ષીય છોકરાએ કોચિંગ સેન્ટરમાં ટેસ્ટ આપી, અને તે બાદ બપોરના સમયે કોચિંગ સેન્ટરમાં વિદ્યાર્થીએ આ કદમ ઉઠાવી લીધું. બીજી ઘટના તેના 6 કલાક બાદ બની. કોટાના કુનાડી વિસ્તારમાં રહેતા 18 વર્ષીય વિદ્યાર્થીએ પોતાના ભાડાવાળા ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીએ પોતાને રૂમમાં બંધ કરી દીધો. જ્યારે પરિવારના સભ્યોએ દરવાજો ખખડાવ્યો ત્યારે તેણે દરવાજો ખોલ્યો ન હતો. જે બાદ દરવાજાને તોડવામાં આવ્યો અને જ્યારે દરવાજા ખુલ્યો ત્યારે છોકરો મૃતહાલતમાં દેખાયો હતો. બંનેને હોસ્પિટલ તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરાયા હતા.   


પ્રશાસને કોચિંગ સેન્ટરને આપ્યા આ આદેશ 

આ ઘટના બાદ પ્રશાસન એક્ટિવ મોડમાં આવી ગયું છે. કોચિંગ સેન્ટરમાં આગામી બે મહિના સુધી કોઈ પરીક્ષા ન લેવી તેવા આદેશ આપ્યા છે. મહત્વનું છે કે વિદ્યાર્થીઓમાં વધતા આત્મહત્યા કરવાના કિસ્સાઓ ચિંતાજનક છે. નાની ઉંમરે યુવાનો આત્મહત્યાનું પગલું લઈ રહ્યા છે.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .