Rajasthanના કોટામાં વધુ બે વિદ્યાર્થીઓએ ટૂંકાવ્યું જીવન, છેલ્લા એક મહિનામાં 5 વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યા! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-28 11:44:11

આત્મહત્યા કરી વિદ્યાર્થીઓ પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. રાજસ્થાનના કોટામાં બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગયો છે. રવિવારે મેડિકલ એન્ટરન્સ એક્ઝામની તૈયારીઓ કરી રહેલા બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી જીવનનો અંત કરી દીધો છે. આ મામલે મળતી વિગતો અનુસાર મરનાર વિદ્યાર્થીઓમાંનો એક વિદ્યાર્થી મહારાષ્ટ્રમાં રહેતો હતો. જ્યારે બીજો વિદ્યાર્થી બિહારનો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવવાના ડરને લઈ વિદ્યાર્થીઓએ આ પગલું ઉઠાવ્યું હોય.   


એક મહિનાની અંદર પાંચ વિદ્યાર્થીઓએ કરી આત્મહત્યા 

આજકાલની જનરેશનને જોતા એવું લાગે કે આ પેઢી બહુ જલ્દી હાર માની લે તેવી છે. નાની નાની નિષ્ફળતાઓને ધ્યાનમાં રાખી એવું મોટું પગલું ઉપાડી લે જેને ભોગવવાનો વારો તેમના માતા પિતાને આવતો હોય છે. વિદ્યાર્થીઓ નાની વાતમાં હિંમત ગુમાવી દેતા હોય છે, અને પરીક્ષામાં નપાસ થઈ જશે તો શું કરશે તેવો વિચાર કરી પોતાના જીવનનો અંત કરી લેતા હોય છે.  પરીક્ષામાં મળેલી નિષ્ફળતા જીવનની નિષ્ફળતા નથી તે વિદ્યાર્થીઓ જાણતા નથી. જેને કારણે તેઓ જલ્દી હતાશ થઈ આવા પગલા લેતા હોય છે. આજે આવી વાત એટલા માટે કરવી છે કારણ કે કોટામાં બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. છેલ્લા એક  મહિનાની અંદર કોટામાં આત્મહત્યાનો બનેલો આ પાંચમો બનાવ છે. એક મહિનાની અંદર 5 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. જ્યારે એક વર્ષમાં 23 વિદ્યાર્થીઓએ પોતાનો જીવ લઈ લીધો છે. 


કયા વિદ્યાર્થીઓએ ટૂંકાવ્યું જીવન?

જે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી તેમની વાત કરીએ તો મહારાષ્ટ્રના 16 વર્ષીય છોકરાએ કોચિંગ સેન્ટરમાં ટેસ્ટ આપી, અને તે બાદ બપોરના સમયે કોચિંગ સેન્ટરમાં વિદ્યાર્થીએ આ કદમ ઉઠાવી લીધું. બીજી ઘટના તેના 6 કલાક બાદ બની. કોટાના કુનાડી વિસ્તારમાં રહેતા 18 વર્ષીય વિદ્યાર્થીએ પોતાના ભાડાવાળા ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીએ પોતાને રૂમમાં બંધ કરી દીધો. જ્યારે પરિવારના સભ્યોએ દરવાજો ખખડાવ્યો ત્યારે તેણે દરવાજો ખોલ્યો ન હતો. જે બાદ દરવાજાને તોડવામાં આવ્યો અને જ્યારે દરવાજા ખુલ્યો ત્યારે છોકરો મૃતહાલતમાં દેખાયો હતો. બંનેને હોસ્પિટલ તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરાયા હતા.   


પ્રશાસને કોચિંગ સેન્ટરને આપ્યા આ આદેશ 

આ ઘટના બાદ પ્રશાસન એક્ટિવ મોડમાં આવી ગયું છે. કોચિંગ સેન્ટરમાં આગામી બે મહિના સુધી કોઈ પરીક્ષા ન લેવી તેવા આદેશ આપ્યા છે. મહત્વનું છે કે વિદ્યાર્થીઓમાં વધતા આત્મહત્યા કરવાના કિસ્સાઓ ચિંતાજનક છે. નાની ઉંમરે યુવાનો આત્મહત્યાનું પગલું લઈ રહ્યા છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.