સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં બે લોકોના હાર્ટ એટેકથી મોત, ઇમર્જન્સી સારવારના અભાવને મુદ્દે લોકોમાં રોષ


  • Published By :
  • Published Date : 2023-11-15 16:33:58

ગુજરાતમાં કોરોના કાળ બાદ હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે, અબાલ-વૃધ્ધ અને યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે.  રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો સીલસીલો નવા વર્ષે પણ યથાવત રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં એક જ દિવસે બે લોકોના મોત થયા છે. ઉલ્લેખનિય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક જ મહિનામાં 15થી વધુ લોકોનું હાર્ટ એટેકથી મોત થયું છે. જિલ્લામાં વધી રહેલા હાર્ટ એટેકથી સ્થાનિક લોકો પણ ચિંતિંત બન્યા છે, તેમણે જિલ્લામાં આરોગ્ય સુવિધાના અભાવને લઈ તંત્ર સામે ઉગ્ર અસંતોષ વ્યક્ત કર્યો હતો.


હાર્ટ એટેકથી માહોલ ગમગીન 


સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલા ડેરવાળા ગામે રહેતા આધેડ નીરુભા રાણાને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડતા થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરતું ફરજ પરના ડોક્ટરે આધેડને મૃત જાહેર કર્યા હતા. આ જ પ્રકારે હાર્ટ એટેકની બીજી ઘટના લખતર તાલુકાના લીલાપુરમાં બની હતી. ગામની એક મહિલાને પણ હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું. હ્રદય રોગના હુમલાના પગલે મોતને ભેટેલા બંને લોકોના પરિવારજનો હાલ શોકમગ્ન બન્યા છે. પરિવારજનોના કરૂણ આક્રંદથી માહોલ ગમગીન બન્યો હતો.


લોકોમાં ભારે આક્રોશ 


સુરેન્દ્રનગર જિલ્લામાં વધી રહેલી હાર્ટ એટેકની ઘટનાઓના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ જિલ્લામાં ઇમર્જન્સી સારવારનો અભાવ મોત પાછળ જવાબદાર હોવાનું લોકોએ જણાવ્યું હતું. લોકોના જણાવ્યા પ્રમાણે અમુક વિસ્તારમાં રોડ, રસ્તા અને આરોગ્યની સુવિધા ન હોવાથી ઇમરજન્સી કેસમાં દર્દીને મોટા શહેરોમાં લઈ જવાની સ્થિતી સર્જાય છે. જે સમયસર ન મળતા અમુક કિસ્સા દર્દી મોતને ભેટે છે.



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.