સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં બે લોકોના હાર્ટ એટેકથી મોત, ઇમર્જન્સી સારવારના અભાવને મુદ્દે લોકોમાં રોષ


  • Published By :
  • Published Date : 2023-11-15 16:33:58

ગુજરાતમાં કોરોના કાળ બાદ હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે, અબાલ-વૃધ્ધ અને યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે.  રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો સીલસીલો નવા વર્ષે પણ યથાવત રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં એક જ દિવસે બે લોકોના મોત થયા છે. ઉલ્લેખનિય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક જ મહિનામાં 15થી વધુ લોકોનું હાર્ટ એટેકથી મોત થયું છે. જિલ્લામાં વધી રહેલા હાર્ટ એટેકથી સ્થાનિક લોકો પણ ચિંતિંત બન્યા છે, તેમણે જિલ્લામાં આરોગ્ય સુવિધાના અભાવને લઈ તંત્ર સામે ઉગ્ર અસંતોષ વ્યક્ત કર્યો હતો.


હાર્ટ એટેકથી માહોલ ગમગીન 


સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલા ડેરવાળા ગામે રહેતા આધેડ નીરુભા રાણાને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડતા થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરતું ફરજ પરના ડોક્ટરે આધેડને મૃત જાહેર કર્યા હતા. આ જ પ્રકારે હાર્ટ એટેકની બીજી ઘટના લખતર તાલુકાના લીલાપુરમાં બની હતી. ગામની એક મહિલાને પણ હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું. હ્રદય રોગના હુમલાના પગલે મોતને ભેટેલા બંને લોકોના પરિવારજનો હાલ શોકમગ્ન બન્યા છે. પરિવારજનોના કરૂણ આક્રંદથી માહોલ ગમગીન બન્યો હતો.


લોકોમાં ભારે આક્રોશ 


સુરેન્દ્રનગર જિલ્લામાં વધી રહેલી હાર્ટ એટેકની ઘટનાઓના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ જિલ્લામાં ઇમર્જન્સી સારવારનો અભાવ મોત પાછળ જવાબદાર હોવાનું લોકોએ જણાવ્યું હતું. લોકોના જણાવ્યા પ્રમાણે અમુક વિસ્તારમાં રોડ, રસ્તા અને આરોગ્યની સુવિધા ન હોવાથી ઇમરજન્સી કેસમાં દર્દીને મોટા શહેરોમાં લઈ જવાની સ્થિતી સર્જાય છે. જે સમયસર ન મળતા અમુક કિસ્સા દર્દી મોતને ભેટે છે.



As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે.આજે રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું છે. આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઇ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ D P મકવાણા જોડે બેઠક યોજી હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે.

ગુજરાતમાં BJPમાં આતુરતાનો અંત આવ્યો છે. BJPએ નિકોલના MLA અને ગુજરાત સરકારમાં મંત્રી એવા જગદીશ પંચાલને પ્રદેશપ્રમુખના પદે બેસાડ્યા છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને ભાજપમાં પ્રદેશપ્રમુખના પદે પાંચ વર્ષ કરતા વધારેનો સમય થઇ ગયો હતો. આપણે નજર કરીએ જગદીશ પંચાલની રાજકીય કારકિર્દી પર.