એક જ દિવસમાં Heart Attackને કારણે થયા બે લોકોના મોત, મૃતકમાં એક હતો વિદ્યાર્થી અને બીજા હતા અધિકારી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-17 16:12:47

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નાની નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. કોરોના બાદ તો ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં યુવાનો હાર્ટ એટેકનો શિકર બનતા હોય છે. કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. ત્યારે વડોદરામાં એક યુવાન વિદ્યાર્થીનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. એમ.એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં દીપ અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીઓ પણ મોતને ભેટી રહ્યા છે. બીજો એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે. 


એમ.એસ.યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીનું થયું હાર્ટ એટેકને કારણે મોત

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. થોડા સમય પહેલા એક વિદ્યાર્થીનીનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. તે બાદ એક વિદ્યાર્થીનું મોત ગુરૂ પૂર્ણિમાના દિવસે હાર્ટ એટેકને કારણે થયું હતું. ત્યારે વધુ એક યુવાનનો ભોગ હાર્ટ એટેકનો ભોગ બન્યો છે. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીનું મોત હૃદલ હુમલાને કારણે થયું છે. 


સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ પણ બની રહ્યા છે હાર્ટ એટેકનો શિકાર

જે વિદ્યાર્થીનું મોત થયું છે તેનું નામ દીપ ચૌધરી છે. પોતાના મિત્રોને મળવા તે હોસ્ટેલમાં ગયો હતો તે દરમિયાન મિત્રો સાથે વાતો કરતા કરતા તે ઢળી પડ્યો. જે બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેને મૃત જાહેર કરી દીધા હતા. વિદ્યાર્થીના મોતથી પરિવારમાં તેમજ મિત્રોમાં દુખની લાગણી પ્રસરી છે. મહત્વનું છે કે પહેલા એવું માનવામાં આવતું હતું કે હાર્ટ એટેક માત્ર મોટી ઉંમરના લોકોને જ આવે છે, પરંતુ ધીમે ધીમે યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને જોતા લાગે છે કે જીવનનો કોઈ ભરોસો રહ્યો નથી. 


રાજકોટથી પણ સામે આવ્યો હાર્ટ એટેકનો કિસ્સો

રાજકોટથી પણ હાર્ટ એટેકને કારણે મોત થયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે કામ કરતા વી.વી પટેલનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું છે. તાત્કાલિક સારવાર મળે તે માટે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કરી દીધા હતા. જે ટાઉન પ્લાનરનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે તેમની બદલી થોડા સમય પહેલા જ થઈ હતી. પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.