રખડતા ઢોર તેમજ રખડતા શ્વાનને કારણે બે લોકોએ ગુમાવ્યા જીવ, જીવના જોખમ પર લોકો નીકળે છે રસ્તા પર!


  • Published By :
  • Published Date : 2023-07-27 13:12:12

રાજ્યમાં એક તરફ રાહદારીઓને ફૂલ સ્પીડમાં આવતા વાહનોથી ખતરો છે તો બીજી તરફ રખડતાં ઢોર તેમજ શ્વાનને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાય છે. છેલ્લા ઘણા સમયથી અનેક લોકો રખડતાં શ્વાન તેમજ ઢોરના હુમલાનો શિકાર બન્યા છે. ત્યારે આજે પણ બે લોકોના મોત તેમની અડફેટે આવતા થયા છે. ભાવનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં વાહનચાલક રખડતાં ઢોરની અડફેટે આવી ગયા છે. તો બીજો કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. જેમાં રખડતા શ્વાનના હુમલાનો ભોગ એક વ્યક્તિ બન્યો છે.     

  

રસ્તાની વચ્ચોવચ બેઠેલા દેખાય છે ઢોર    

આપણે ત્યાં પહેલા કહેવત હતી કે દીકરીને ગાય દોરે ત્યાં જાય.. મતલબ જ્યાં તમે લઈ જાવ ત્યાં તે જાય.. પરંતુ આજના જમાનામાં સમય બદલાયો છે. અહીંયા વાત દીકરીની નહીં પરંતુ ગાયની કરવી છે. પહેલાના સમયમાં એક ફોટો આપણે જોતા હતા કે ગોવાળિયાની પાછળ ગાયો જાય છે, પરંતુ આજના જમાનામાં જ્યાં ગાય જાય છે ત્યાં તેની સાથે આયેલા લોકો જાય છે. જો ગાય રોંગ સાઈડમાં ઘૂસી હોય તો રોંગ સાઈડ પર તેની પાછળ જવાનું. રખડતાં શ્વાન તેમજ રખડતાં ઢોરનો આતંક સતત વધતો જઈ રહ્યો છે. બે લોકોના મોત તેમના હુમલાને કારણે થયા છે. 


રખડતા ઢોરને કારણે બે લોકોએ ગુમાવ્યો જીવ

એક ઘટના વડોદરામાં બની છે જ્યાં રખડતાં શ્વાનના હુમલાને કારણે નિલેશ સપકાળ નામના વ્યક્તિનું મોત થયું છે. કારવણ અને ડભોઈ વચ્ચેના રસ્તેથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે શ્વાન રસ્તાની આડે આવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થઈ ગયું હતું. બીજી એક ઘટના ભાવનગરથી સામે આવી છે. શુભમ ડાભી નામનો વ્યક્તિ પોતાના બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે ઘોઘા રોડ ચકુ તલવાડી પાસે સાંઢે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. આવી ઘટના સર્જાતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થઈ ગયું હતું. મહત્વનું છે દિવસેને દિવસે આવી ઘટનાઓ બની રહી છે. અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.