રખડતા ઢોર તેમજ રખડતા શ્વાનને કારણે બે લોકોએ ગુમાવ્યા જીવ, જીવના જોખમ પર લોકો નીકળે છે રસ્તા પર!


  • Published By :
  • Published Date : 2023-07-27 13:12:12

રાજ્યમાં એક તરફ રાહદારીઓને ફૂલ સ્પીડમાં આવતા વાહનોથી ખતરો છે તો બીજી તરફ રખડતાં ઢોર તેમજ શ્વાનને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાય છે. છેલ્લા ઘણા સમયથી અનેક લોકો રખડતાં શ્વાન તેમજ ઢોરના હુમલાનો શિકાર બન્યા છે. ત્યારે આજે પણ બે લોકોના મોત તેમની અડફેટે આવતા થયા છે. ભાવનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં વાહનચાલક રખડતાં ઢોરની અડફેટે આવી ગયા છે. તો બીજો કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. જેમાં રખડતા શ્વાનના હુમલાનો ભોગ એક વ્યક્તિ બન્યો છે.     

  

રસ્તાની વચ્ચોવચ બેઠેલા દેખાય છે ઢોર    

આપણે ત્યાં પહેલા કહેવત હતી કે દીકરીને ગાય દોરે ત્યાં જાય.. મતલબ જ્યાં તમે લઈ જાવ ત્યાં તે જાય.. પરંતુ આજના જમાનામાં સમય બદલાયો છે. અહીંયા વાત દીકરીની નહીં પરંતુ ગાયની કરવી છે. પહેલાના સમયમાં એક ફોટો આપણે જોતા હતા કે ગોવાળિયાની પાછળ ગાયો જાય છે, પરંતુ આજના જમાનામાં જ્યાં ગાય જાય છે ત્યાં તેની સાથે આયેલા લોકો જાય છે. જો ગાય રોંગ સાઈડમાં ઘૂસી હોય તો રોંગ સાઈડ પર તેની પાછળ જવાનું. રખડતાં શ્વાન તેમજ રખડતાં ઢોરનો આતંક સતત વધતો જઈ રહ્યો છે. બે લોકોના મોત તેમના હુમલાને કારણે થયા છે. 


રખડતા ઢોરને કારણે બે લોકોએ ગુમાવ્યો જીવ

એક ઘટના વડોદરામાં બની છે જ્યાં રખડતાં શ્વાનના હુમલાને કારણે નિલેશ સપકાળ નામના વ્યક્તિનું મોત થયું છે. કારવણ અને ડભોઈ વચ્ચેના રસ્તેથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે શ્વાન રસ્તાની આડે આવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થઈ ગયું હતું. બીજી એક ઘટના ભાવનગરથી સામે આવી છે. શુભમ ડાભી નામનો વ્યક્તિ પોતાના બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે ઘોઘા રોડ ચકુ તલવાડી પાસે સાંઢે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. આવી ઘટના સર્જાતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થઈ ગયું હતું. મહત્વનું છે દિવસેને દિવસે આવી ઘટનાઓ બની રહી છે. અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.