રખડતા ઢોર તેમજ રખડતા શ્વાનને કારણે બે લોકોએ ગુમાવ્યા જીવ, જીવના જોખમ પર લોકો નીકળે છે રસ્તા પર!


  • Published By :
  • Published Date : 2023-07-27 13:12:12

રાજ્યમાં એક તરફ રાહદારીઓને ફૂલ સ્પીડમાં આવતા વાહનોથી ખતરો છે તો બીજી તરફ રખડતાં ઢોર તેમજ શ્વાનને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાય છે. છેલ્લા ઘણા સમયથી અનેક લોકો રખડતાં શ્વાન તેમજ ઢોરના હુમલાનો શિકાર બન્યા છે. ત્યારે આજે પણ બે લોકોના મોત તેમની અડફેટે આવતા થયા છે. ભાવનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં વાહનચાલક રખડતાં ઢોરની અડફેટે આવી ગયા છે. તો બીજો કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. જેમાં રખડતા શ્વાનના હુમલાનો ભોગ એક વ્યક્તિ બન્યો છે.     

  

રસ્તાની વચ્ચોવચ બેઠેલા દેખાય છે ઢોર    

આપણે ત્યાં પહેલા કહેવત હતી કે દીકરીને ગાય દોરે ત્યાં જાય.. મતલબ જ્યાં તમે લઈ જાવ ત્યાં તે જાય.. પરંતુ આજના જમાનામાં સમય બદલાયો છે. અહીંયા વાત દીકરીની નહીં પરંતુ ગાયની કરવી છે. પહેલાના સમયમાં એક ફોટો આપણે જોતા હતા કે ગોવાળિયાની પાછળ ગાયો જાય છે, પરંતુ આજના જમાનામાં જ્યાં ગાય જાય છે ત્યાં તેની સાથે આયેલા લોકો જાય છે. જો ગાય રોંગ સાઈડમાં ઘૂસી હોય તો રોંગ સાઈડ પર તેની પાછળ જવાનું. રખડતાં શ્વાન તેમજ રખડતાં ઢોરનો આતંક સતત વધતો જઈ રહ્યો છે. બે લોકોના મોત તેમના હુમલાને કારણે થયા છે. 


રખડતા ઢોરને કારણે બે લોકોએ ગુમાવ્યો જીવ

એક ઘટના વડોદરામાં બની છે જ્યાં રખડતાં શ્વાનના હુમલાને કારણે નિલેશ સપકાળ નામના વ્યક્તિનું મોત થયું છે. કારવણ અને ડભોઈ વચ્ચેના રસ્તેથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે શ્વાન રસ્તાની આડે આવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થઈ ગયું હતું. બીજી એક ઘટના ભાવનગરથી સામે આવી છે. શુભમ ડાભી નામનો વ્યક્તિ પોતાના બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે ઘોઘા રોડ ચકુ તલવાડી પાસે સાંઢે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. આવી ઘટના સર્જાતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થઈ ગયું હતું. મહત્વનું છે દિવસેને દિવસે આવી ઘટનાઓ બની રહી છે. અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.