રખડતા ઢોર તેમજ રખડતા શ્વાનને કારણે બે લોકોએ ગુમાવ્યા જીવ, જીવના જોખમ પર લોકો નીકળે છે રસ્તા પર!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-27 13:12:12

રાજ્યમાં એક તરફ રાહદારીઓને ફૂલ સ્પીડમાં આવતા વાહનોથી ખતરો છે તો બીજી તરફ રખડતાં ઢોર તેમજ શ્વાનને કારણે લોકોના જીવ જોખમમાં મૂકાય છે. છેલ્લા ઘણા સમયથી અનેક લોકો રખડતાં શ્વાન તેમજ ઢોરના હુમલાનો શિકાર બન્યા છે. ત્યારે આજે પણ બે લોકોના મોત તેમની અડફેટે આવતા થયા છે. ભાવનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં વાહનચાલક રખડતાં ઢોરની અડફેટે આવી ગયા છે. તો બીજો કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. જેમાં રખડતા શ્વાનના હુમલાનો ભોગ એક વ્યક્તિ બન્યો છે.     

  

રસ્તાની વચ્ચોવચ બેઠેલા દેખાય છે ઢોર    

આપણે ત્યાં પહેલા કહેવત હતી કે દીકરીને ગાય દોરે ત્યાં જાય.. મતલબ જ્યાં તમે લઈ જાવ ત્યાં તે જાય.. પરંતુ આજના જમાનામાં સમય બદલાયો છે. અહીંયા વાત દીકરીની નહીં પરંતુ ગાયની કરવી છે. પહેલાના સમયમાં એક ફોટો આપણે જોતા હતા કે ગોવાળિયાની પાછળ ગાયો જાય છે, પરંતુ આજના જમાનામાં જ્યાં ગાય જાય છે ત્યાં તેની સાથે આયેલા લોકો જાય છે. જો ગાય રોંગ સાઈડમાં ઘૂસી હોય તો રોંગ સાઈડ પર તેની પાછળ જવાનું. રખડતાં શ્વાન તેમજ રખડતાં ઢોરનો આતંક સતત વધતો જઈ રહ્યો છે. બે લોકોના મોત તેમના હુમલાને કારણે થયા છે. 


રખડતા ઢોરને કારણે બે લોકોએ ગુમાવ્યો જીવ

એક ઘટના વડોદરામાં બની છે જ્યાં રખડતાં શ્વાનના હુમલાને કારણે નિલેશ સપકાળ નામના વ્યક્તિનું મોત થયું છે. કારવણ અને ડભોઈ વચ્ચેના રસ્તેથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે શ્વાન રસ્તાની આડે આવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું. સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થઈ ગયું હતું. બીજી એક ઘટના ભાવનગરથી સામે આવી છે. શુભમ ડાભી નામનો વ્યક્તિ પોતાના બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે ઘોઘા રોડ ચકુ તલવાડી પાસે સાંઢે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. આવી ઘટના સર્જાતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થઈ ગયું હતું. મહત્વનું છે દિવસેને દિવસે આવી ઘટનાઓ બની રહી છે. અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 




ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે