મંદીના એંધાણ વચ્ચે અમદાવાદમાં આજે 6100 ટુ વ્હીલર અને 2200 જેટલા ફોર વ્હીલરનું વેચાણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 16:25:01

કોરોના કાળ દરમિયાન ઓટો મોબાઈલ સેક્ટર લગભગ ઠપ થઈ ગયુ હતું. કોરોના મહામારીને કારણે ઓટો મોબાઈલ સેક્ટરમાં ભારે મંદી જોવા મળી હતી જેથી વાહનોના વેચાણમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જો કે હવે બે વર્ષ પછી ઓટોમોબાઈલ સેક્ટર પુનર્જીવિત થયું છે.  આજે દશેરાના દિવસે અમદાવાદમાં આજે 6100 ટુ વ્હીલર અને 2200 જેટલા ફોર વ્હીલરનું વેચાણ થયું, આ વખતે મોટરકારના શોખિન ગ્રાહકોમાં SUV કારની ડિમાન્ડ  સૌથી વધુ જોવા મળી છે.


અમદાવાદમાં વાહનોનું વેચાણ 30થી 35 ટકા વધ્યું 


અમદાવાદ શહેરમાં ગયા વર્ષ કરતા આ વર્ષે દશેરાના તહેવારમાં વાહનોના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. સવારથી જ ટુ વ્હિલર અને ફોર વ્હિલકના શો- રૂમમાં લોકોની ભીડ જોવા મળી હતી. આજે દશેરાના દિવસે અમદાવાદમાં 30થી 35 ટકા વાહન વેચાણ વધ્યું છે. શહેરમાં 6100 ટુ વ્હીલર અને 2200 જેટલા ફોર વ્હીલરનું વેચાણ થયું છે. જ્યારે ઈલેક્ટ્રીક વ્હીકલની વાત કરીએ તો વર્ષ 2019થી વર્ષ 2022 સુધીમાં 1%થી લઈ 4% સુધીનો વધારો થયો છે. જોકે ઈલેક્ટ્રીક વ્હીકલમાં ગત વર્ષ કરતાં આ વખતે તેના વેચાણમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.


દશેરાના દિવસે જ વાહનોની ખરીદી શા માટે?


ભારતમાં પ્રાચીન સમયથી જ દશેરાના તહેવારનું અનેરૂ મહાત્મ્ય રહ્યું છે. દશેરા એટલે કે વિજ્યાદશમીને શાસ્ત્રોમાં વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. આવા શુભ મુહૂર્તના દિવસે જ ક્ષત્રિયો  શસ્ત્રપૂજા કરે છે. દશેરાના દિવસે નવા વાહનોની ખરીદી કરવી શુભ મનાય છે. આ દિવસે જ વાહનોની પૂજા પણ કરવામાં આવે છે. 




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .