મંદીના એંધાણ વચ્ચે અમદાવાદમાં આજે 6100 ટુ વ્હીલર અને 2200 જેટલા ફોર વ્હીલરનું વેચાણ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 16:25:01

કોરોના કાળ દરમિયાન ઓટો મોબાઈલ સેક્ટર લગભગ ઠપ થઈ ગયુ હતું. કોરોના મહામારીને કારણે ઓટો મોબાઈલ સેક્ટરમાં ભારે મંદી જોવા મળી હતી જેથી વાહનોના વેચાણમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. જો કે હવે બે વર્ષ પછી ઓટોમોબાઈલ સેક્ટર પુનર્જીવિત થયું છે.  આજે દશેરાના દિવસે અમદાવાદમાં આજે 6100 ટુ વ્હીલર અને 2200 જેટલા ફોર વ્હીલરનું વેચાણ થયું, આ વખતે મોટરકારના શોખિન ગ્રાહકોમાં SUV કારની ડિમાન્ડ  સૌથી વધુ જોવા મળી છે.


અમદાવાદમાં વાહનોનું વેચાણ 30થી 35 ટકા વધ્યું 


અમદાવાદ શહેરમાં ગયા વર્ષ કરતા આ વર્ષે દશેરાના તહેવારમાં વાહનોના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. સવારથી જ ટુ વ્હિલર અને ફોર વ્હિલકના શો- રૂમમાં લોકોની ભીડ જોવા મળી હતી. આજે દશેરાના દિવસે અમદાવાદમાં 30થી 35 ટકા વાહન વેચાણ વધ્યું છે. શહેરમાં 6100 ટુ વ્હીલર અને 2200 જેટલા ફોર વ્હીલરનું વેચાણ થયું છે. જ્યારે ઈલેક્ટ્રીક વ્હીકલની વાત કરીએ તો વર્ષ 2019થી વર્ષ 2022 સુધીમાં 1%થી લઈ 4% સુધીનો વધારો થયો છે. જોકે ઈલેક્ટ્રીક વ્હીકલમાં ગત વર્ષ કરતાં આ વખતે તેના વેચાણમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.


દશેરાના દિવસે જ વાહનોની ખરીદી શા માટે?


ભારતમાં પ્રાચીન સમયથી જ દશેરાના તહેવારનું અનેરૂ મહાત્મ્ય રહ્યું છે. દશેરા એટલે કે વિજ્યાદશમીને શાસ્ત્રોમાં વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. આવા શુભ મુહૂર્તના દિવસે જ ક્ષત્રિયો  શસ્ત્રપૂજા કરે છે. દશેરાના દિવસે નવા વાહનોની ખરીદી કરવી શુભ મનાય છે. આ દિવસે જ વાહનોની પૂજા પણ કરવામાં આવે છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.