કોરોનાના બે વર્ષ બાદ નડિયાદના સંતરામ મંદિરમાં કરાઈ સાકરવર્ષાની ઉજવણી, હજારો ભક્તોએ ઝીલ્યો પ્રસાદ


  • Published By :
  • Published Date : 2023-02-06 16:21:53

નડિયાદ ખાતે આવેલા સંતરામ મંદિરમાં દર વર્ષે ધામધૂમથી મહા મહિનાની પૂનમના દિવસે સાકરવર્ષા કરવામાં આવે છે. વર્ષોથી ચાલતી પરંપરામાં લાખો ભક્તોએ આ સાકરવર્ષામાં લાભ લીધો હતો. મહાસુદ પૂનમે મંદિરના પરિસરમાં સાંજના સમયે કરવામાં આવતી આરતીમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાના બે વર્ષ બાદ આ ઉત્સવ ધામધૂમથી ઉજવાતા ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.




વર્ષમાં એક વખત થાય મહાઆરતીનું આયોજન 

મહા મહિનાની પૂનમના રોજ સંતરામ મંદિરમાં ધામધૂમથી શ્રી સંતરામ મહારાજનો 192મો સમાધી મહોત્સવ ઉજવાયો હતો. એવું માનવામાં આવે છે કે આ દિવસે સંતરામ મહારાજ સમાધિ લીન થયા હતા. તે સમયે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ હતી. આ પ્રસંગને યાદ કરવા દર વર્ષે પૂનમા દિવસે સાકરવર્ષા કરવામાં આવે છે. આ પરંપરા અનેક વર્ષો પછી પણ યથાવત જોવા મળી છે. પૂનમની સાંજે મહારાજના હસ્તે દિવ્ય આરતી કરવામાં આવે છે. મહાઆરતીનો લાભ લેવા અનેક ભક્તો ઉમટી પડે છે. 


ભક્તોએ ઝીલ્યો હતો કોપરા તેમજ સાકરનો પ્રસાદ  

વર્ષમાં માત્ર એક જ વાર મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. આરતી થયા બાદ ઓમકારના નાદ સાથે સાકરવર્ષાનો પ્રારંભ થાય છે અને આ સમય દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી સાકરવર્ષાનો લાભ લેતા હોય છે. મંદિર પરિસરમાં ગોઠવાયેલા સ્વયંસેવકો દ્વારા સાકરની ઉછામણી કરવામાં આવી હતી અને ભક્તોએ સાકર તથા સુકા કોપરાનો પ્રસાદ જીલ્યો હતો. મહા મહિનામાં સાકરવર્ષા કરવામાં આવે છે તો પોષ મહિનાની પૂનમ પર બોર ઉછાળવામાં આવે છે.   




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.