કોરોનાના બે વર્ષ બાદ નડિયાદના સંતરામ મંદિરમાં કરાઈ સાકરવર્ષાની ઉજવણી, હજારો ભક્તોએ ઝીલ્યો પ્રસાદ


  • Published By :
  • Published Date : 2023-02-06 16:21:53

નડિયાદ ખાતે આવેલા સંતરામ મંદિરમાં દર વર્ષે ધામધૂમથી મહા મહિનાની પૂનમના દિવસે સાકરવર્ષા કરવામાં આવે છે. વર્ષોથી ચાલતી પરંપરામાં લાખો ભક્તોએ આ સાકરવર્ષામાં લાભ લીધો હતો. મહાસુદ પૂનમે મંદિરના પરિસરમાં સાંજના સમયે કરવામાં આવતી આરતીમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાના બે વર્ષ બાદ આ ઉત્સવ ધામધૂમથી ઉજવાતા ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.




વર્ષમાં એક વખત થાય મહાઆરતીનું આયોજન 

મહા મહિનાની પૂનમના રોજ સંતરામ મંદિરમાં ધામધૂમથી શ્રી સંતરામ મહારાજનો 192મો સમાધી મહોત્સવ ઉજવાયો હતો. એવું માનવામાં આવે છે કે આ દિવસે સંતરામ મહારાજ સમાધિ લીન થયા હતા. તે સમયે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ હતી. આ પ્રસંગને યાદ કરવા દર વર્ષે પૂનમા દિવસે સાકરવર્ષા કરવામાં આવે છે. આ પરંપરા અનેક વર્ષો પછી પણ યથાવત જોવા મળી છે. પૂનમની સાંજે મહારાજના હસ્તે દિવ્ય આરતી કરવામાં આવે છે. મહાઆરતીનો લાભ લેવા અનેક ભક્તો ઉમટી પડે છે. 


ભક્તોએ ઝીલ્યો હતો કોપરા તેમજ સાકરનો પ્રસાદ  

વર્ષમાં માત્ર એક જ વાર મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. આરતી થયા બાદ ઓમકારના નાદ સાથે સાકરવર્ષાનો પ્રારંભ થાય છે અને આ સમય દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી સાકરવર્ષાનો લાભ લેતા હોય છે. મંદિર પરિસરમાં ગોઠવાયેલા સ્વયંસેવકો દ્વારા સાકરની ઉછામણી કરવામાં આવી હતી અને ભક્તોએ સાકર તથા સુકા કોપરાનો પ્રસાદ જીલ્યો હતો. મહા મહિનામાં સાકરવર્ષા કરવામાં આવે છે તો પોષ મહિનાની પૂનમ પર બોર ઉછાળવામાં આવે છે.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.