કોરોનાના બે વર્ષ બાદ નડિયાદના સંતરામ મંદિરમાં કરાઈ સાકરવર્ષાની ઉજવણી, હજારો ભક્તોએ ઝીલ્યો પ્રસાદ


  • Published By :
  • Published Date : 2023-02-06 16:21:53

નડિયાદ ખાતે આવેલા સંતરામ મંદિરમાં દર વર્ષે ધામધૂમથી મહા મહિનાની પૂનમના દિવસે સાકરવર્ષા કરવામાં આવે છે. વર્ષોથી ચાલતી પરંપરામાં લાખો ભક્તોએ આ સાકરવર્ષામાં લાભ લીધો હતો. મહાસુદ પૂનમે મંદિરના પરિસરમાં સાંજના સમયે કરવામાં આવતી આરતીમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાના બે વર્ષ બાદ આ ઉત્સવ ધામધૂમથી ઉજવાતા ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.




વર્ષમાં એક વખત થાય મહાઆરતીનું આયોજન 

મહા મહિનાની પૂનમના રોજ સંતરામ મંદિરમાં ધામધૂમથી શ્રી સંતરામ મહારાજનો 192મો સમાધી મહોત્સવ ઉજવાયો હતો. એવું માનવામાં આવે છે કે આ દિવસે સંતરામ મહારાજ સમાધિ લીન થયા હતા. તે સમયે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ હતી. આ પ્રસંગને યાદ કરવા દર વર્ષે પૂનમા દિવસે સાકરવર્ષા કરવામાં આવે છે. આ પરંપરા અનેક વર્ષો પછી પણ યથાવત જોવા મળી છે. પૂનમની સાંજે મહારાજના હસ્તે દિવ્ય આરતી કરવામાં આવે છે. મહાઆરતીનો લાભ લેવા અનેક ભક્તો ઉમટી પડે છે. 


ભક્તોએ ઝીલ્યો હતો કોપરા તેમજ સાકરનો પ્રસાદ  

વર્ષમાં માત્ર એક જ વાર મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. આરતી થયા બાદ ઓમકારના નાદ સાથે સાકરવર્ષાનો પ્રારંભ થાય છે અને આ સમય દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી સાકરવર્ષાનો લાભ લેતા હોય છે. મંદિર પરિસરમાં ગોઠવાયેલા સ્વયંસેવકો દ્વારા સાકરની ઉછામણી કરવામાં આવી હતી અને ભક્તોએ સાકર તથા સુકા કોપરાનો પ્રસાદ જીલ્યો હતો. મહા મહિનામાં સાકરવર્ષા કરવામાં આવે છે તો પોષ મહિનાની પૂનમ પર બોર ઉછાળવામાં આવે છે.   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.