કોરોનાના બે વર્ષ બાદ નડિયાદના સંતરામ મંદિરમાં કરાઈ સાકરવર્ષાની ઉજવણી, હજારો ભક્તોએ ઝીલ્યો પ્રસાદ


  • Published By :
  • Published Date : 2023-02-06 16:21:53

નડિયાદ ખાતે આવેલા સંતરામ મંદિરમાં દર વર્ષે ધામધૂમથી મહા મહિનાની પૂનમના દિવસે સાકરવર્ષા કરવામાં આવે છે. વર્ષોથી ચાલતી પરંપરામાં લાખો ભક્તોએ આ સાકરવર્ષામાં લાભ લીધો હતો. મહાસુદ પૂનમે મંદિરના પરિસરમાં સાંજના સમયે કરવામાં આવતી આરતીમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાના બે વર્ષ બાદ આ ઉત્સવ ધામધૂમથી ઉજવાતા ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.




વર્ષમાં એક વખત થાય મહાઆરતીનું આયોજન 

મહા મહિનાની પૂનમના રોજ સંતરામ મંદિરમાં ધામધૂમથી શ્રી સંતરામ મહારાજનો 192મો સમાધી મહોત્સવ ઉજવાયો હતો. એવું માનવામાં આવે છે કે આ દિવસે સંતરામ મહારાજ સમાધિ લીન થયા હતા. તે સમયે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ હતી. આ પ્રસંગને યાદ કરવા દર વર્ષે પૂનમા દિવસે સાકરવર્ષા કરવામાં આવે છે. આ પરંપરા અનેક વર્ષો પછી પણ યથાવત જોવા મળી છે. પૂનમની સાંજે મહારાજના હસ્તે દિવ્ય આરતી કરવામાં આવે છે. મહાઆરતીનો લાભ લેવા અનેક ભક્તો ઉમટી પડે છે. 


ભક્તોએ ઝીલ્યો હતો કોપરા તેમજ સાકરનો પ્રસાદ  

વર્ષમાં માત્ર એક જ વાર મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. આરતી થયા બાદ ઓમકારના નાદ સાથે સાકરવર્ષાનો પ્રારંભ થાય છે અને આ સમય દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી સાકરવર્ષાનો લાભ લેતા હોય છે. મંદિર પરિસરમાં ગોઠવાયેલા સ્વયંસેવકો દ્વારા સાકરની ઉછામણી કરવામાં આવી હતી અને ભક્તોએ સાકર તથા સુકા કોપરાનો પ્રસાદ જીલ્યો હતો. મહા મહિનામાં સાકરવર્ષા કરવામાં આવે છે તો પોષ મહિનાની પૂનમ પર બોર ઉછાળવામાં આવે છે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.