ત્યાગવલ્લભ સ્વામી સામે નોંધાઈ પોલીસ ફરિયાદ, રૂ.32.26 કરોડનું કૌભાંડ કર્યાનો આરોપ, ધરપકડથી બચવા સ્વામી ફરાર


  • Published By :
  • Published Date : 2023-06-23 22:13:52

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રીમાં સંપ્રદાયના સાધુઓને ધનનો સ્પર્શ કરવાનો પણ નિષેધ કર્યો છે. જો કે કાળક્રમે સંપ્રદાયના સાધુ-સંતો ભગવાને કરેલી આજ્ઞા ભૂલી ગયા છે. હાલ હરિધામ સોખડાના ત્યાગવલ્લભ સ્વામી સામે નોંધાયેલી ફરિયાદના કારણે ચકચાર મચી ગઈ છે. રાજકોટની આત્મીય યુનિવર્સિટીના ત્યાગવલ્લભ સ્વામી સામે રૂ. 32.26 કરોડની છેતરપિંડીનો કેસ નોંધાયો છે.રાજકોટ પોલીસે ત્યાગવલ્લભ સ્વામી સહિત 5 લોકો સામે કરોડોના કૌભાંડની ફરિયાદ નોંધી છે. પોતાની વિરૂદ્ધ ફરિયાદ દાખલ થતાં જ સ્વામી ત્યાગવલ્લભ ફરાર થઈ ગયા છે. 


આગોતરા જામીન અરજી અંગે સોમવારે સુનાવણી 


ત્યાગવલ્લભ સ્વામી સહિત તેમના મળતીયાઓએ ધરપકડથી બચવા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. જેના પર સોમવારે સુનાવણી હાથ ધરાશે. પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને બેંક તથા ચેરિટી કમિશનરની ઓફિસ પાસે આત્મીય ટ્રસ્ટના આર્થિક વ્યવહારોની વિગતો માંગી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ત્યાગ વલ્લભ સ્વામી પર 32.26 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે. હરિધામ સોખડા સાથે સંકળાયેલા ત્યાગવલ્લભ સ્વામી પર 20 બેંક ખાતા દ્વારા આ છેતરપિંડી કરવાનો આરોપ છે. આ સમગ્ર કૌભાંડ રાજકોટ સ્થિત આત્મીય યુનિવર્સિટી સાથે સંબંધિત છે. પોલીસના જણાવ્યા અનુસાર સ્વામી કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ભુગર્ભમાં ઉતરી ગયા છે. આત્મીય યુનિવર્સિટીના નામે કરોડોના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ ત્યાગની મૂર્તિ એવા ત્યાગ વલ્લભ સ્વામી અને તેમના મળતીયાઓ ફરાર થઇ ગયા છે. ત્યાગવલ્લભ સ્વામી જે ઓફિસમાં બેસીને કૌભાંડનો વહીવટ કરતા હતા તે ઓફિસના પ્રવેશદ્વાર પર મીડિયા સહિત તમામના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. એટલું જ નહીં માત્ર સ્ટાફ અને ખાસ અનુયાયીઓ સિવાય તમામની એન્ટ્રી પર રોક લગાવી દેવાઇ છે. રાજકોટ પોલીસના જણાવ્યા મુજબ ત્યાગ વલ્લભ સ્વામીની શોધખોળ ચાલી રહી છે. 


ચેરીટીની રકમનો ઉપયોગ અંગત કાર્યો માટે 


સાધુ ત્યાગવલ્લભદાસસ્વામીએ જુદા જુદા સમયે ટ્રસ્ટમાંથી તથા ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંસ્થાઓમાંથી મોટે પાયે રોકડ રકમો બેંક ખાતાંમાંથી ઉપાડી એને પોતાના અંગત હેતુ માટે ઉપયોગમાં લીધી હતી. પોતાની માલિકીની રકમ હોય એ રીતે તમામ રકમને ઉચાપત કરવાના ઇરાદાથી કોઈપણ કર્મચારીઓને ચૂકવાયેલા ન હોવા છતાં આ રકમને સેલરી એકાઉન્ટ ખાતે ઉધારી હતી. ભૂતિયા કર્મચારીઓના નામે તથા ગેરકાયદે રોકડ વ્યવહારથી રૂપિયા 30 કરોડની અંગત લાભ માટે ઉચાપત કરી છે. ત્યાગવલ્લભ સ્વામી પર આરોપ છે કે તેમણે ચેરિટીમાં મળેલી રકમનો ઉપયોગ પોતાના અંગત કાર્યોમાં કર્યો છે. સેવકો વતી આ આક્ષેપ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, ત્યાગ વલ્લભ સ્વામી પર એવા આરોપો છે કે તેમણે મનસ્વી રીતે કામ કર્યું અને પોતાના હિસાબે ફંડનો ખર્ચ કર્યો. ત્યાગ વલ્લભ સ્વામીએ નાણાકીય વ્યવહારો માટે લગભગ 20 ખાતા ખોલ્યા હતા. એટલું જ નહીં આ તમામ ખાતા સત્સંગીઓના નામે હોવાનું બહાર આવ્યું છે. જેમાંથી 9 બેંક ખાતા મહિલા સત્સંગીઓના નામે હોવાનું બહાર આવ્યું છે. આરોપ છે કે તેણે આ તમામ બેંક ખાતા અને જમીનના દસ્તાવેજો પોતાની પાસે રાખ્યા છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.