ત્યાગવલ્લભ સ્વામી સામે નોંધાઈ પોલીસ ફરિયાદ, રૂ.32.26 કરોડનું કૌભાંડ કર્યાનો આરોપ, ધરપકડથી બચવા સ્વામી ફરાર


  • Published By :
  • Published Date : 2023-06-23 22:13:52

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રીમાં સંપ્રદાયના સાધુઓને ધનનો સ્પર્શ કરવાનો પણ નિષેધ કર્યો છે. જો કે કાળક્રમે સંપ્રદાયના સાધુ-સંતો ભગવાને કરેલી આજ્ઞા ભૂલી ગયા છે. હાલ હરિધામ સોખડાના ત્યાગવલ્લભ સ્વામી સામે નોંધાયેલી ફરિયાદના કારણે ચકચાર મચી ગઈ છે. રાજકોટની આત્મીય યુનિવર્સિટીના ત્યાગવલ્લભ સ્વામી સામે રૂ. 32.26 કરોડની છેતરપિંડીનો કેસ નોંધાયો છે.રાજકોટ પોલીસે ત્યાગવલ્લભ સ્વામી સહિત 5 લોકો સામે કરોડોના કૌભાંડની ફરિયાદ નોંધી છે. પોતાની વિરૂદ્ધ ફરિયાદ દાખલ થતાં જ સ્વામી ત્યાગવલ્લભ ફરાર થઈ ગયા છે. 


આગોતરા જામીન અરજી અંગે સોમવારે સુનાવણી 


ત્યાગવલ્લભ સ્વામી સહિત તેમના મળતીયાઓએ ધરપકડથી બચવા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. જેના પર સોમવારે સુનાવણી હાથ ધરાશે. પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને બેંક તથા ચેરિટી કમિશનરની ઓફિસ પાસે આત્મીય ટ્રસ્ટના આર્થિક વ્યવહારોની વિગતો માંગી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ત્યાગ વલ્લભ સ્વામી પર 32.26 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે. હરિધામ સોખડા સાથે સંકળાયેલા ત્યાગવલ્લભ સ્વામી પર 20 બેંક ખાતા દ્વારા આ છેતરપિંડી કરવાનો આરોપ છે. આ સમગ્ર કૌભાંડ રાજકોટ સ્થિત આત્મીય યુનિવર્સિટી સાથે સંબંધિત છે. પોલીસના જણાવ્યા અનુસાર સ્વામી કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ભુગર્ભમાં ઉતરી ગયા છે. આત્મીય યુનિવર્સિટીના નામે કરોડોના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ ત્યાગની મૂર્તિ એવા ત્યાગ વલ્લભ સ્વામી અને તેમના મળતીયાઓ ફરાર થઇ ગયા છે. ત્યાગવલ્લભ સ્વામી જે ઓફિસમાં બેસીને કૌભાંડનો વહીવટ કરતા હતા તે ઓફિસના પ્રવેશદ્વાર પર મીડિયા સહિત તમામના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. એટલું જ નહીં માત્ર સ્ટાફ અને ખાસ અનુયાયીઓ સિવાય તમામની એન્ટ્રી પર રોક લગાવી દેવાઇ છે. રાજકોટ પોલીસના જણાવ્યા મુજબ ત્યાગ વલ્લભ સ્વામીની શોધખોળ ચાલી રહી છે. 


ચેરીટીની રકમનો ઉપયોગ અંગત કાર્યો માટે 


સાધુ ત્યાગવલ્લભદાસસ્વામીએ જુદા જુદા સમયે ટ્રસ્ટમાંથી તથા ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંસ્થાઓમાંથી મોટે પાયે રોકડ રકમો બેંક ખાતાંમાંથી ઉપાડી એને પોતાના અંગત હેતુ માટે ઉપયોગમાં લીધી હતી. પોતાની માલિકીની રકમ હોય એ રીતે તમામ રકમને ઉચાપત કરવાના ઇરાદાથી કોઈપણ કર્મચારીઓને ચૂકવાયેલા ન હોવા છતાં આ રકમને સેલરી એકાઉન્ટ ખાતે ઉધારી હતી. ભૂતિયા કર્મચારીઓના નામે તથા ગેરકાયદે રોકડ વ્યવહારથી રૂપિયા 30 કરોડની અંગત લાભ માટે ઉચાપત કરી છે. ત્યાગવલ્લભ સ્વામી પર આરોપ છે કે તેમણે ચેરિટીમાં મળેલી રકમનો ઉપયોગ પોતાના અંગત કાર્યોમાં કર્યો છે. સેવકો વતી આ આક્ષેપ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, ત્યાગ વલ્લભ સ્વામી પર એવા આરોપો છે કે તેમણે મનસ્વી રીતે કામ કર્યું અને પોતાના હિસાબે ફંડનો ખર્ચ કર્યો. ત્યાગ વલ્લભ સ્વામીએ નાણાકીય વ્યવહારો માટે લગભગ 20 ખાતા ખોલ્યા હતા. એટલું જ નહીં આ તમામ ખાતા સત્સંગીઓના નામે હોવાનું બહાર આવ્યું છે. જેમાંથી 9 બેંક ખાતા મહિલા સત્સંગીઓના નામે હોવાનું બહાર આવ્યું છે. આરોપ છે કે તેણે આ તમામ બેંક ખાતા અને જમીનના દસ્તાવેજો પોતાની પાસે રાખ્યા છે.



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?