ત્યાગવલ્લભ સ્વામી સામે નોંધાઈ પોલીસ ફરિયાદ, રૂ.32.26 કરોડનું કૌભાંડ કર્યાનો આરોપ, ધરપકડથી બચવા સ્વામી ફરાર


  • Published By :
  • Published Date : 2023-06-23 22:13:52

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રીમાં સંપ્રદાયના સાધુઓને ધનનો સ્પર્શ કરવાનો પણ નિષેધ કર્યો છે. જો કે કાળક્રમે સંપ્રદાયના સાધુ-સંતો ભગવાને કરેલી આજ્ઞા ભૂલી ગયા છે. હાલ હરિધામ સોખડાના ત્યાગવલ્લભ સ્વામી સામે નોંધાયેલી ફરિયાદના કારણે ચકચાર મચી ગઈ છે. રાજકોટની આત્મીય યુનિવર્સિટીના ત્યાગવલ્લભ સ્વામી સામે રૂ. 32.26 કરોડની છેતરપિંડીનો કેસ નોંધાયો છે.રાજકોટ પોલીસે ત્યાગવલ્લભ સ્વામી સહિત 5 લોકો સામે કરોડોના કૌભાંડની ફરિયાદ નોંધી છે. પોતાની વિરૂદ્ધ ફરિયાદ દાખલ થતાં જ સ્વામી ત્યાગવલ્લભ ફરાર થઈ ગયા છે. 


આગોતરા જામીન અરજી અંગે સોમવારે સુનાવણી 


ત્યાગવલ્લભ સ્વામી સહિત તેમના મળતીયાઓએ ધરપકડથી બચવા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. જેના પર સોમવારે સુનાવણી હાથ ધરાશે. પોલીસે ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને બેંક તથા ચેરિટી કમિશનરની ઓફિસ પાસે આત્મીય ટ્રસ્ટના આર્થિક વ્યવહારોની વિગતો માંગી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ત્યાગ વલ્લભ સ્વામી પર 32.26 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે. હરિધામ સોખડા સાથે સંકળાયેલા ત્યાગવલ્લભ સ્વામી પર 20 બેંક ખાતા દ્વારા આ છેતરપિંડી કરવાનો આરોપ છે. આ સમગ્ર કૌભાંડ રાજકોટ સ્થિત આત્મીય યુનિવર્સિટી સાથે સંબંધિત છે. પોલીસના જણાવ્યા અનુસાર સ્વામી કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ભુગર્ભમાં ઉતરી ગયા છે. આત્મીય યુનિવર્સિટીના નામે કરોડોના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ ત્યાગની મૂર્તિ એવા ત્યાગ વલ્લભ સ્વામી અને તેમના મળતીયાઓ ફરાર થઇ ગયા છે. ત્યાગવલ્લભ સ્વામી જે ઓફિસમાં બેસીને કૌભાંડનો વહીવટ કરતા હતા તે ઓફિસના પ્રવેશદ્વાર પર મીડિયા સહિત તમામના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. એટલું જ નહીં માત્ર સ્ટાફ અને ખાસ અનુયાયીઓ સિવાય તમામની એન્ટ્રી પર રોક લગાવી દેવાઇ છે. રાજકોટ પોલીસના જણાવ્યા મુજબ ત્યાગ વલ્લભ સ્વામીની શોધખોળ ચાલી રહી છે. 


ચેરીટીની રકમનો ઉપયોગ અંગત કાર્યો માટે 


સાધુ ત્યાગવલ્લભદાસસ્વામીએ જુદા જુદા સમયે ટ્રસ્ટમાંથી તથા ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંસ્થાઓમાંથી મોટે પાયે રોકડ રકમો બેંક ખાતાંમાંથી ઉપાડી એને પોતાના અંગત હેતુ માટે ઉપયોગમાં લીધી હતી. પોતાની માલિકીની રકમ હોય એ રીતે તમામ રકમને ઉચાપત કરવાના ઇરાદાથી કોઈપણ કર્મચારીઓને ચૂકવાયેલા ન હોવા છતાં આ રકમને સેલરી એકાઉન્ટ ખાતે ઉધારી હતી. ભૂતિયા કર્મચારીઓના નામે તથા ગેરકાયદે રોકડ વ્યવહારથી રૂપિયા 30 કરોડની અંગત લાભ માટે ઉચાપત કરી છે. ત્યાગવલ્લભ સ્વામી પર આરોપ છે કે તેમણે ચેરિટીમાં મળેલી રકમનો ઉપયોગ પોતાના અંગત કાર્યોમાં કર્યો છે. સેવકો વતી આ આક્ષેપ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, ત્યાગ વલ્લભ સ્વામી પર એવા આરોપો છે કે તેમણે મનસ્વી રીતે કામ કર્યું અને પોતાના હિસાબે ફંડનો ખર્ચ કર્યો. ત્યાગ વલ્લભ સ્વામીએ નાણાકીય વ્યવહારો માટે લગભગ 20 ખાતા ખોલ્યા હતા. એટલું જ નહીં આ તમામ ખાતા સત્સંગીઓના નામે હોવાનું બહાર આવ્યું છે. જેમાંથી 9 બેંક ખાતા મહિલા સત્સંગીઓના નામે હોવાનું બહાર આવ્યું છે. આરોપ છે કે તેણે આ તમામ બેંક ખાતા અને જમીનના દસ્તાવેજો પોતાની પાસે રાખ્યા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.