નવા સંસદ ભવનના ઉદ્ધાટન દરમિયાન રાષ્ટ્રપતિની ગેરહાજરીને લઈ ઉદયનિધિ સ્ટાલિને ઉઠાવ્યા સવાલ, કહ્યું


  • Published By :
  • Published Date : 2023-09-21 11:09:51

સનાતન ધર્મને લઈ તમિલનાડુ સીએમના પુત્ર ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. સનાતન ધર્મને લઈ નિવેદન આપ્યું તે બાદ રાજકારણ ગરમાયું હતું. સનાતન ધર્મ માટે તેમણે કહ્યું હતુંકે સનાતન ધર્મ ડેન્ગ્યુ-મલેરિયા જેવો છે, ખતમ કરવો જરૂરી છે. ત્યારે ફરી એક વખત ઉદયનિધિ સ્ટાલિને વિવાદિત નિવેદન આપ્યું છે. સ્ટાલિને નવા સંસદ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ ન આપવા બદલ સવાલો ઉઠાવ્યા છે. સ્ટાલિને કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુને એટલા માટે ન બોલાવાયા કેમ કે તે વિધવા છે અને આદિવાસી સમુદાયથી સંબંધ ધરાવે છે.    

નવા સંસદ ભવનના ઉદ્ધાટન કાર્યક્રમમાં જોવા મળી હતી રાષ્ટ્રપતિની ગેરહાજરી!

નવા સંસદ ભવનને લઈ રાજનીતિ તો થઈ રહી છે. વિપક્ષ દ્વારા અનેક વખત નવા સંસદ ભવનને લઈ નિવદનો આપવામાં આવતા હોય છે. ઈતિહાસને બદલવા માગે છે સહિતના નિવેદનો સામે આવ્યા હતા. નવા સંસદ ભવનનું ઉદ્ધાટન થઈ ગયું, ગણેશ ચતુર્થીના દિવસે સાંસદો નવા સંસદ ભવનમાં શિફ્ટ થયા હતા. વિશેષ સત્રની કાર્યવાહી બીજા દિવસથી નવા સંસદ ભવનમાં થઈ રહી છે. ત્યારે નવા સંસદ ભવનના ઉદ્ધાટનમાં રાષ્ટ્રપતિની ગેરહાજરી જોવા મળી હતી. સાંસદો હાજર હતા પરંતુ રાષ્ટ્રપતિ હાજર ન હતા. રાષ્ટ્રપતિને આમંત્રણ નથી આપવામાં આવ્યું તેવી વાત ઉદયનિધિએ કરી છે. અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. 


ઉદયનિધિ સ્ટાલિને આમંત્રણ ન આપવાને લઈ ઉઠાવ્યા સવાલ!

ઉદયનિધિએ એ વાત પર વધારે ભાર મૂક્યો કે આશરે 800 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા નવા સંસદ ભવનનો પ્રોજેક્ટ યાદગાર છે. તેમ છતાં ભારતના પ્રથમ નાગરિક હોવા છતાં રાષ્ટ્રપતિ મુર્મુને આમંત્રિત ન કરાયા કેમ કે તેમની આદિવાસી પૃષ્ઠભૂમિ અને એક વિધવા હોવાને લીધે તેમને આ કાર્યક્રમથી દૂર રાખવામાં આવ્યા. વધુમાં ઉદયનિધિએ કહ્યું કે તમિલનાડુથી અધિનમોને બોલાવ્યા પણ ભારતના રાષ્ટ્રપતિને ન બોલાવ્યા. કેમ કે તે વિધવા છે અને આદિવાસી સમુદાયથી છે, શું આ સનાતન ધર્મ છે?     


સનાતન ધર્મને લઈ આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન 

મહત્વનું છે કે થોડા સમય પહેલા સનાતન ધર્મને લઈ તેમણે નિવેદન આપ્યું હતું જેને કારણે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ઉદયનિધિ સ્ટાલિને ચેન્નાઈના થેનામપેટમાં તમિલનાડુ પ્રોગ્રેસિવ રાઈટર્સ આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ કાર્યક્રમનું શીર્ષક હતું – સનાતન ઓઝિપ્પૂ માનાડૂ એટલે કે સનાતનને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટેનું પરિષદ. આ કોન્ફરન્સમાં ઉદયનિધિએ કહ્યું કે "કેટલીક બાબતો એવી છે જેને આપણે ખતમ કરવી પડશે. અમે માત્ર વિરોધ કરી શકતા નથી. મચ્છર, ડેન્ગ્યુ તાવ, મેલેરિયા, કોરોના, આ બધી એવી વસ્તુઓ છે જેનો આપણે વિરોધ કરી શકતા નથી. આપણે તેમને સમાપ્ત કરવા પડશે. સનાતન ધર્મ પણ આવો છે. ઉદયનિધિએ કહ્યું કે સનાતન ધર્મને નાબૂદ કરવા માટે આ સંમેલનમાં મને બોલવાની તક આપવા બદલ હું આયોજકોનો આભાર માનું છું. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.