નવા સંસદ ભવનના ઉદ્ધાટન દરમિયાન રાષ્ટ્રપતિની ગેરહાજરીને લઈ ઉદયનિધિ સ્ટાલિને ઉઠાવ્યા સવાલ, કહ્યું


  • Published By :
  • Published Date : 2023-09-21 11:09:51

સનાતન ધર્મને લઈ તમિલનાડુ સીએમના પુત્ર ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. સનાતન ધર્મને લઈ નિવેદન આપ્યું તે બાદ રાજકારણ ગરમાયું હતું. સનાતન ધર્મ માટે તેમણે કહ્યું હતુંકે સનાતન ધર્મ ડેન્ગ્યુ-મલેરિયા જેવો છે, ખતમ કરવો જરૂરી છે. ત્યારે ફરી એક વખત ઉદયનિધિ સ્ટાલિને વિવાદિત નિવેદન આપ્યું છે. સ્ટાલિને નવા સંસદ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ ન આપવા બદલ સવાલો ઉઠાવ્યા છે. સ્ટાલિને કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુને એટલા માટે ન બોલાવાયા કેમ કે તે વિધવા છે અને આદિવાસી સમુદાયથી સંબંધ ધરાવે છે.    

નવા સંસદ ભવનના ઉદ્ધાટન કાર્યક્રમમાં જોવા મળી હતી રાષ્ટ્રપતિની ગેરહાજરી!

નવા સંસદ ભવનને લઈ રાજનીતિ તો થઈ રહી છે. વિપક્ષ દ્વારા અનેક વખત નવા સંસદ ભવનને લઈ નિવદનો આપવામાં આવતા હોય છે. ઈતિહાસને બદલવા માગે છે સહિતના નિવેદનો સામે આવ્યા હતા. નવા સંસદ ભવનનું ઉદ્ધાટન થઈ ગયું, ગણેશ ચતુર્થીના દિવસે સાંસદો નવા સંસદ ભવનમાં શિફ્ટ થયા હતા. વિશેષ સત્રની કાર્યવાહી બીજા દિવસથી નવા સંસદ ભવનમાં થઈ રહી છે. ત્યારે નવા સંસદ ભવનના ઉદ્ધાટનમાં રાષ્ટ્રપતિની ગેરહાજરી જોવા મળી હતી. સાંસદો હાજર હતા પરંતુ રાષ્ટ્રપતિ હાજર ન હતા. રાષ્ટ્રપતિને આમંત્રણ નથી આપવામાં આવ્યું તેવી વાત ઉદયનિધિએ કરી છે. અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. 


ઉદયનિધિ સ્ટાલિને આમંત્રણ ન આપવાને લઈ ઉઠાવ્યા સવાલ!

ઉદયનિધિએ એ વાત પર વધારે ભાર મૂક્યો કે આશરે 800 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા નવા સંસદ ભવનનો પ્રોજેક્ટ યાદગાર છે. તેમ છતાં ભારતના પ્રથમ નાગરિક હોવા છતાં રાષ્ટ્રપતિ મુર્મુને આમંત્રિત ન કરાયા કેમ કે તેમની આદિવાસી પૃષ્ઠભૂમિ અને એક વિધવા હોવાને લીધે તેમને આ કાર્યક્રમથી દૂર રાખવામાં આવ્યા. વધુમાં ઉદયનિધિએ કહ્યું કે તમિલનાડુથી અધિનમોને બોલાવ્યા પણ ભારતના રાષ્ટ્રપતિને ન બોલાવ્યા. કેમ કે તે વિધવા છે અને આદિવાસી સમુદાયથી છે, શું આ સનાતન ધર્મ છે?     


સનાતન ધર્મને લઈ આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન 

મહત્વનું છે કે થોડા સમય પહેલા સનાતન ધર્મને લઈ તેમણે નિવેદન આપ્યું હતું જેને કારણે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ઉદયનિધિ સ્ટાલિને ચેન્નાઈના થેનામપેટમાં તમિલનાડુ પ્રોગ્રેસિવ રાઈટર્સ આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ કાર્યક્રમનું શીર્ષક હતું – સનાતન ઓઝિપ્પૂ માનાડૂ એટલે કે સનાતનને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટેનું પરિષદ. આ કોન્ફરન્સમાં ઉદયનિધિએ કહ્યું કે "કેટલીક બાબતો એવી છે જેને આપણે ખતમ કરવી પડશે. અમે માત્ર વિરોધ કરી શકતા નથી. મચ્છર, ડેન્ગ્યુ તાવ, મેલેરિયા, કોરોના, આ બધી એવી વસ્તુઓ છે જેનો આપણે વિરોધ કરી શકતા નથી. આપણે તેમને સમાપ્ત કરવા પડશે. સનાતન ધર્મ પણ આવો છે. ઉદયનિધિએ કહ્યું કે સનાતન ધર્મને નાબૂદ કરવા માટે આ સંમેલનમાં મને બોલવાની તક આપવા બદલ હું આયોજકોનો આભાર માનું છું. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે