નવા સંસદ ભવનના ઉદ્ધાટન દરમિયાન રાષ્ટ્રપતિની ગેરહાજરીને લઈ ઉદયનિધિ સ્ટાલિને ઉઠાવ્યા સવાલ, કહ્યું


  • Published By :
  • Published Date : 2023-09-21 11:09:51

સનાતન ધર્મને લઈ તમિલનાડુ સીએમના પુત્ર ડીએમકે નેતા ઉદયનિધિ સ્ટાલિને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. સનાતન ધર્મને લઈ નિવેદન આપ્યું તે બાદ રાજકારણ ગરમાયું હતું. સનાતન ધર્મ માટે તેમણે કહ્યું હતુંકે સનાતન ધર્મ ડેન્ગ્યુ-મલેરિયા જેવો છે, ખતમ કરવો જરૂરી છે. ત્યારે ફરી એક વખત ઉદયનિધિ સ્ટાલિને વિવાદિત નિવેદન આપ્યું છે. સ્ટાલિને નવા સંસદ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આમંત્રણ ન આપવા બદલ સવાલો ઉઠાવ્યા છે. સ્ટાલિને કહ્યું કે રાષ્ટ્રપતિ મુર્મુને એટલા માટે ન બોલાવાયા કેમ કે તે વિધવા છે અને આદિવાસી સમુદાયથી સંબંધ ધરાવે છે.    

નવા સંસદ ભવનના ઉદ્ધાટન કાર્યક્રમમાં જોવા મળી હતી રાષ્ટ્રપતિની ગેરહાજરી!

નવા સંસદ ભવનને લઈ રાજનીતિ તો થઈ રહી છે. વિપક્ષ દ્વારા અનેક વખત નવા સંસદ ભવનને લઈ નિવદનો આપવામાં આવતા હોય છે. ઈતિહાસને બદલવા માગે છે સહિતના નિવેદનો સામે આવ્યા હતા. નવા સંસદ ભવનનું ઉદ્ધાટન થઈ ગયું, ગણેશ ચતુર્થીના દિવસે સાંસદો નવા સંસદ ભવનમાં શિફ્ટ થયા હતા. વિશેષ સત્રની કાર્યવાહી બીજા દિવસથી નવા સંસદ ભવનમાં થઈ રહી છે. ત્યારે નવા સંસદ ભવનના ઉદ્ધાટનમાં રાષ્ટ્રપતિની ગેરહાજરી જોવા મળી હતી. સાંસદો હાજર હતા પરંતુ રાષ્ટ્રપતિ હાજર ન હતા. રાષ્ટ્રપતિને આમંત્રણ નથી આપવામાં આવ્યું તેવી વાત ઉદયનિધિએ કરી છે. અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. 


ઉદયનિધિ સ્ટાલિને આમંત્રણ ન આપવાને લઈ ઉઠાવ્યા સવાલ!

ઉદયનિધિએ એ વાત પર વધારે ભાર મૂક્યો કે આશરે 800 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા નવા સંસદ ભવનનો પ્રોજેક્ટ યાદગાર છે. તેમ છતાં ભારતના પ્રથમ નાગરિક હોવા છતાં રાષ્ટ્રપતિ મુર્મુને આમંત્રિત ન કરાયા કેમ કે તેમની આદિવાસી પૃષ્ઠભૂમિ અને એક વિધવા હોવાને લીધે તેમને આ કાર્યક્રમથી દૂર રાખવામાં આવ્યા. વધુમાં ઉદયનિધિએ કહ્યું કે તમિલનાડુથી અધિનમોને બોલાવ્યા પણ ભારતના રાષ્ટ્રપતિને ન બોલાવ્યા. કેમ કે તે વિધવા છે અને આદિવાસી સમુદાયથી છે, શું આ સનાતન ધર્મ છે?     


સનાતન ધર્મને લઈ આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન 

મહત્વનું છે કે થોડા સમય પહેલા સનાતન ધર્મને લઈ તેમણે નિવેદન આપ્યું હતું જેને કારણે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ઉદયનિધિ સ્ટાલિને ચેન્નાઈના થેનામપેટમાં તમિલનાડુ પ્રોગ્રેસિવ રાઈટર્સ આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ કાર્યક્રમનું શીર્ષક હતું – સનાતન ઓઝિપ્પૂ માનાડૂ એટલે કે સનાતનને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટેનું પરિષદ. આ કોન્ફરન્સમાં ઉદયનિધિએ કહ્યું કે "કેટલીક બાબતો એવી છે જેને આપણે ખતમ કરવી પડશે. અમે માત્ર વિરોધ કરી શકતા નથી. મચ્છર, ડેન્ગ્યુ તાવ, મેલેરિયા, કોરોના, આ બધી એવી વસ્તુઓ છે જેનો આપણે વિરોધ કરી શકતા નથી. આપણે તેમને સમાપ્ત કરવા પડશે. સનાતન ધર્મ પણ આવો છે. ઉદયનિધિએ કહ્યું કે સનાતન ધર્મને નાબૂદ કરવા માટે આ સંમેલનમાં મને બોલવાની તક આપવા બદલ હું આયોજકોનો આભાર માનું છું. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.