ઉદ્ધવની શિવસેના દશેરા રેલી માટે હાઈકોર્ટ પહોંચી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 10:20:07

મુંબઈના શિવાજી પાર્કમાં દર વર્ષે શિવસેના દ્વારા યોજાતી દશેરા રેલી પર આ વખતે સંકટ નડ્યો છે. ઉદ્ધવ જૂથના લોકોએ રેલી માટે ઓગસ્ટમાં BMC (બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) પાસેથી પરવાનગી માગી હતી. પરંતુ, BMC તરફથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. જેના પર ઉદ્ધવ જૂથે હવે હાઈકોર્ટેના દરવાજા ખખડાવ્યા છે. હાઈકોર્ટમાં આ અરજી પર 22 સપ્ટેમ્બરે સુનાવણી થશે. શિવસેનાને 1966થી દર વર્ષે શિવાજી પાર્કમાં રેલીનું આયોજન કરે છે.

હાઈકોર્ટમાં અરજી દાખલ કરી

High Court of Jharkhand, India

ઉદ્ધવ જૂથની શિવસેનાના સેક્રેટરી અનિલ દેસાઈએ અરજી દાખલ કરી છે. અરજીમાં તેમણે કહ્યું કે, BMC એ રેલીની પરવાનગીને લઈ ઓગસ્ટથી લઈ હમણાં સુધી કોઈ નિર્ણય લીધો નથી. આ કારણે પાર્ટીએ નાછૂટકે હાઈકોર્ટમાં અરજી કરી છે. BMC એ દશેરા રેલી માટે વહેલી તકે પરવાનગીને મંજૂર કરવી જોઈએ.

શિવસેના કોની?

Supreme Court posts hearing of Thackeray vs Shinde on August 1

ઉદ્ધવ અને શિંદે વચ્ચેનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છેઉદ્ધવના નેતૃત્વમાં મહા વિકાસ અઘાડી (MVA) ની સરકાર રચવામાં આવી હતી, જેમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોગ્રેંસ પાર્ટી (NCP) અને કોંગ્રેસનો સમાવેશ થતો હતો. શિવસેનાનો વિવાદ 20 જૂનથી શરૂ થયો હતો, જ્યારે શિંદેના નેતૃત્વમાં 20 ધારાસભ્યો સુરત થઈને ગુવાહાટી ગયા હતા. ત્યારબાદ શિંદે જૂથે શિવસેનાના 55 માંથી 39 ધારાસભ્યો સાથે હોવાનો દાવો કર્યો હતો. એ પછી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપી દીધું હતું. બાદમાં એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બન્યા. સરકાર પડતા ઉદ્ધવ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.26 જૂનના રોજ થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે શિવસેના, કેન્દ્ર, મહારાષ્ટ્ર પોલીસ અને ડેપ્યુટી સ્પીકરને નોટિસ પાઠવી હતી. બળવાખોર ધારાસભ્યોને કોર્ટમાંથી રાહત મળી છે. આ કેસ 3 મહિના સુધી કોર્ટમાં ચાલ્યો હતો. ત્યારબાદ 3 ઓગસ્ટે આ કેસ સુપ્રીમ કોર્ટમાં બંધારણીય બેન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.