ઉદ્ધવની શિવસેના દશેરા રેલી માટે હાઈકોર્ટ પહોંચી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 10:20:07

મુંબઈના શિવાજી પાર્કમાં દર વર્ષે શિવસેના દ્વારા યોજાતી દશેરા રેલી પર આ વખતે સંકટ નડ્યો છે. ઉદ્ધવ જૂથના લોકોએ રેલી માટે ઓગસ્ટમાં BMC (બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) પાસેથી પરવાનગી માગી હતી. પરંતુ, BMC તરફથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. જેના પર ઉદ્ધવ જૂથે હવે હાઈકોર્ટેના દરવાજા ખખડાવ્યા છે. હાઈકોર્ટમાં આ અરજી પર 22 સપ્ટેમ્બરે સુનાવણી થશે. શિવસેનાને 1966થી દર વર્ષે શિવાજી પાર્કમાં રેલીનું આયોજન કરે છે.

હાઈકોર્ટમાં અરજી દાખલ કરી

High Court of Jharkhand, India

ઉદ્ધવ જૂથની શિવસેનાના સેક્રેટરી અનિલ દેસાઈએ અરજી દાખલ કરી છે. અરજીમાં તેમણે કહ્યું કે, BMC એ રેલીની પરવાનગીને લઈ ઓગસ્ટથી લઈ હમણાં સુધી કોઈ નિર્ણય લીધો નથી. આ કારણે પાર્ટીએ નાછૂટકે હાઈકોર્ટમાં અરજી કરી છે. BMC એ દશેરા રેલી માટે વહેલી તકે પરવાનગીને મંજૂર કરવી જોઈએ.

શિવસેના કોની?

Supreme Court posts hearing of Thackeray vs Shinde on August 1

ઉદ્ધવ અને શિંદે વચ્ચેનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છેઉદ્ધવના નેતૃત્વમાં મહા વિકાસ અઘાડી (MVA) ની સરકાર રચવામાં આવી હતી, જેમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોગ્રેંસ પાર્ટી (NCP) અને કોંગ્રેસનો સમાવેશ થતો હતો. શિવસેનાનો વિવાદ 20 જૂનથી શરૂ થયો હતો, જ્યારે શિંદેના નેતૃત્વમાં 20 ધારાસભ્યો સુરત થઈને ગુવાહાટી ગયા હતા. ત્યારબાદ શિંદે જૂથે શિવસેનાના 55 માંથી 39 ધારાસભ્યો સાથે હોવાનો દાવો કર્યો હતો. એ પછી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપી દીધું હતું. બાદમાં એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બન્યા. સરકાર પડતા ઉદ્ધવ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.26 જૂનના રોજ થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે શિવસેના, કેન્દ્ર, મહારાષ્ટ્ર પોલીસ અને ડેપ્યુટી સ્પીકરને નોટિસ પાઠવી હતી. બળવાખોર ધારાસભ્યોને કોર્ટમાંથી રાહત મળી છે. આ કેસ 3 મહિના સુધી કોર્ટમાં ચાલ્યો હતો. ત્યારબાદ 3 ઓગસ્ટે આ કેસ સુપ્રીમ કોર્ટમાં બંધારણીય બેન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.