ઉદ્ધવની શિવસેના દશેરા રેલી માટે હાઈકોર્ટ પહોંચી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 10:20:07

મુંબઈના શિવાજી પાર્કમાં દર વર્ષે શિવસેના દ્વારા યોજાતી દશેરા રેલી પર આ વખતે સંકટ નડ્યો છે. ઉદ્ધવ જૂથના લોકોએ રેલી માટે ઓગસ્ટમાં BMC (બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) પાસેથી પરવાનગી માગી હતી. પરંતુ, BMC તરફથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. જેના પર ઉદ્ધવ જૂથે હવે હાઈકોર્ટેના દરવાજા ખખડાવ્યા છે. હાઈકોર્ટમાં આ અરજી પર 22 સપ્ટેમ્બરે સુનાવણી થશે. શિવસેનાને 1966થી દર વર્ષે શિવાજી પાર્કમાં રેલીનું આયોજન કરે છે.

હાઈકોર્ટમાં અરજી દાખલ કરી

High Court of Jharkhand, India

ઉદ્ધવ જૂથની શિવસેનાના સેક્રેટરી અનિલ દેસાઈએ અરજી દાખલ કરી છે. અરજીમાં તેમણે કહ્યું કે, BMC એ રેલીની પરવાનગીને લઈ ઓગસ્ટથી લઈ હમણાં સુધી કોઈ નિર્ણય લીધો નથી. આ કારણે પાર્ટીએ નાછૂટકે હાઈકોર્ટમાં અરજી કરી છે. BMC એ દશેરા રેલી માટે વહેલી તકે પરવાનગીને મંજૂર કરવી જોઈએ.

શિવસેના કોની?

Supreme Court posts hearing of Thackeray vs Shinde on August 1

ઉદ્ધવ અને શિંદે વચ્ચેનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છેઉદ્ધવના નેતૃત્વમાં મહા વિકાસ અઘાડી (MVA) ની સરકાર રચવામાં આવી હતી, જેમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોગ્રેંસ પાર્ટી (NCP) અને કોંગ્રેસનો સમાવેશ થતો હતો. શિવસેનાનો વિવાદ 20 જૂનથી શરૂ થયો હતો, જ્યારે શિંદેના નેતૃત્વમાં 20 ધારાસભ્યો સુરત થઈને ગુવાહાટી ગયા હતા. ત્યારબાદ શિંદે જૂથે શિવસેનાના 55 માંથી 39 ધારાસભ્યો સાથે હોવાનો દાવો કર્યો હતો. એ પછી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપી દીધું હતું. બાદમાં એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બન્યા. સરકાર પડતા ઉદ્ધવ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.26 જૂનના રોજ થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે શિવસેના, કેન્દ્ર, મહારાષ્ટ્ર પોલીસ અને ડેપ્યુટી સ્પીકરને નોટિસ પાઠવી હતી. બળવાખોર ધારાસભ્યોને કોર્ટમાંથી રાહત મળી છે. આ કેસ 3 મહિના સુધી કોર્ટમાં ચાલ્યો હતો. ત્યારબાદ 3 ઓગસ્ટે આ કેસ સુપ્રીમ કોર્ટમાં બંધારણીય બેન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો.



યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .

થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .