ઉદ્ધવની શિવસેના દશેરા રેલી માટે હાઈકોર્ટ પહોંચી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 10:20:07

મુંબઈના શિવાજી પાર્કમાં દર વર્ષે શિવસેના દ્વારા યોજાતી દશેરા રેલી પર આ વખતે સંકટ નડ્યો છે. ઉદ્ધવ જૂથના લોકોએ રેલી માટે ઓગસ્ટમાં BMC (બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) પાસેથી પરવાનગી માગી હતી. પરંતુ, BMC તરફથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. જેના પર ઉદ્ધવ જૂથે હવે હાઈકોર્ટેના દરવાજા ખખડાવ્યા છે. હાઈકોર્ટમાં આ અરજી પર 22 સપ્ટેમ્બરે સુનાવણી થશે. શિવસેનાને 1966થી દર વર્ષે શિવાજી પાર્કમાં રેલીનું આયોજન કરે છે.

હાઈકોર્ટમાં અરજી દાખલ કરી

High Court of Jharkhand, India

ઉદ્ધવ જૂથની શિવસેનાના સેક્રેટરી અનિલ દેસાઈએ અરજી દાખલ કરી છે. અરજીમાં તેમણે કહ્યું કે, BMC એ રેલીની પરવાનગીને લઈ ઓગસ્ટથી લઈ હમણાં સુધી કોઈ નિર્ણય લીધો નથી. આ કારણે પાર્ટીએ નાછૂટકે હાઈકોર્ટમાં અરજી કરી છે. BMC એ દશેરા રેલી માટે વહેલી તકે પરવાનગીને મંજૂર કરવી જોઈએ.

શિવસેના કોની?

Supreme Court posts hearing of Thackeray vs Shinde on August 1

ઉદ્ધવ અને શિંદે વચ્ચેનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છેઉદ્ધવના નેતૃત્વમાં મહા વિકાસ અઘાડી (MVA) ની સરકાર રચવામાં આવી હતી, જેમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોગ્રેંસ પાર્ટી (NCP) અને કોંગ્રેસનો સમાવેશ થતો હતો. શિવસેનાનો વિવાદ 20 જૂનથી શરૂ થયો હતો, જ્યારે શિંદેના નેતૃત્વમાં 20 ધારાસભ્યો સુરત થઈને ગુવાહાટી ગયા હતા. ત્યારબાદ શિંદે જૂથે શિવસેનાના 55 માંથી 39 ધારાસભ્યો સાથે હોવાનો દાવો કર્યો હતો. એ પછી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપી દીધું હતું. બાદમાં એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બન્યા. સરકાર પડતા ઉદ્ધવ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.26 જૂનના રોજ થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે શિવસેના, કેન્દ્ર, મહારાષ્ટ્ર પોલીસ અને ડેપ્યુટી સ્પીકરને નોટિસ પાઠવી હતી. બળવાખોર ધારાસભ્યોને કોર્ટમાંથી રાહત મળી છે. આ કેસ 3 મહિના સુધી કોર્ટમાં ચાલ્યો હતો. ત્યારબાદ 3 ઓગસ્ટે આ કેસ સુપ્રીમ કોર્ટમાં બંધારણીય બેન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો.



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?