તમિલનાડુના CMના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનનો બફાટ "સનાતન ધર્મ ડેન્ગ્યુ-મેલેરિયા જેવો, ખતમ કરવો જરૂરી"


  • Published By :
  • Published Date : 2023-09-03 16:53:43

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર અને દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) સરકારમાં મંત્રી ઉદયનિધિ સ્ટાલિને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ઉદયનિધિ સ્ટાલિને શનિવારે કહ્યું કે સનાતન ધર્મ મેલેરિયા અને ડેન્ગ્યુ જેવો છે. તેથી જ તેનો વિરોધ ન કરવો જોઈએ પરંતુ તેને સંપૂર્ણપણે નાબૂદ કરવો જોઈએ. ઉદયનિધિના આ સનાતન હિન્દુ ધર્મ વિરોધી નિવેદનને લઈ રાજનીતિ શરૂ થઈ ગઈ છે અને તેમના પર ચારેબાજુથી શાબ્દિક હુમલા કરવામાં આવી રહ્યા છે.


સનાતન ધર્મને સમાપ્ત કરો


ઉદયનિધિ સ્ટાલિને ચેન્નાઈના થેનામપેટમાં તમિલનાડુ પ્રોગ્રેસિવ રાઈટર્સ આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ કાર્યક્રમનું શીર્ષક હતું – સનાતન ઓઝિપ્પૂ માનાડૂ એટલે કે સનાતનને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટેનું પરિષદ. આ કોન્ફરન્સમાં ઉદયનિધિએ કહ્યું કે "કેટલીક બાબતો એવી છે જેને આપણે ખતમ કરવી પડશે. અમે માત્ર વિરોધ કરી શકતા નથી. મચ્છર, ડેન્ગ્યુ તાવ, મેલેરિયા, કોરોના, આ બધી એવી વસ્તુઓ છે જેનો આપણે વિરોધ કરી શકતા નથી. આપણે તેમને સમાપ્ત કરવા પડશે. સનાતન ધર્મ પણ આવો છે. ઉદયનિધિએ કહ્યું કે સનાતન ધર્મને નાબૂદ કરવા માટે આ સંમેલનમાં મને બોલવાની તક આપવા બદલ હું આયોજકોનો આભાર માનું છું. X (અગાઉ ટ્વિટર) પર શેર કરવામાં આવેલ તેમના ભાષણની એક વિડિયો ક્લિપમાં તેમણે કહ્યું, "હું આયોજકોને 'સનાતન ધર્મનો વિરોધ' કરવાને બદલે 'સનાતન ધર્મને નાબૂદ કરો' કહેવા બદલ અભિનંદન આપું છું. ઉદયનિધિએ કહ્યું કે આપણું પ્રથમ કાર્ય સનાતન ધર્મનો નાશ કરવાનું હોવું જોઈએ. સનાતન શું છે? સનાતન નામ સંસ્કૃતમાંથી આવ્યું છે. સનાતન સમાનતા અને સામાજિક ન્યાયની વિરુદ્ધ છે. સનાતનનો અર્થ 'સ્થાયીત્વ' સિવાય બીજું કંઈ નથી. તે બદલી શકાતું નથી. કોઈ પ્રશ્ન કરી શકે નહીં. આ જ સનાતનનો અર્થ છે."


'ભાજપનું એક દેશ, એક ધર્મ અને એક ભાષા પર જોર'


ઉદયનિધિ સ્ટાલિને વધુમાં કહ્યું કે કેન્દ્રની ભાજપ સરકાર શરૂઆતથી જ એક દેશ, એક ધર્મ અને એક ભાષા પર જોર આપી રહી છે અને ડીએમકે તેનો વિરોધ કરતી રહેશે. મુંબઈમાં વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ની ત્રીજી બેઠકમાં વિશેષ સમિતિ બનાવવા અંગેના પ્રશ્ન પર તેમણે કહ્યું કે તેઓ (ભાજપના નેતાઓ) ડરી ગયા છે. નીતિવિષયક મતભેદો હોવા છતાં અમે ભાજપ સરકારને પછાડવા માટે સાથે આવ્યા છીએ. તેમણે કહ્યું કે 'I.N.D.I.A.' ગઠબંધનથી બીજેપીમાં ભય પેદા થયો છે અને આ કારણથી જ ભાજપને વિશેષ સંસદીય સત્ર બોલાવવું પડ્યું છે.


ઉદયનિધિએ કર્યો ખુલાસો  


આ મામલે સમગ્ર દેશમાં ઉગ્ર વિવાદ થતા ઉદયનિધિએ સોશિયલ મીડિયા પર તેના વિશે સ્પષ્ટતા કરી અને કહ્યું કે તેણે સનાતન ધર્મમાં માનનારાઓના નરસંહાર વિશે વાત કરી નથી. તેમણે કહ્યું, "મેં ક્યારેય સનાતન ધર્મનું પાલન કરનારાઓના નરસંહારની અપીલ કરી નથી. સનાતન ધર્મ એ એક સિદ્ધાંત છે જે જાતિ અને ધર્મના નામે લોકોને વિભાજિત કરે છે. માનવતા અને સમાનતાને જાળવી રાખવા માટે સનાતન ધર્મને ઉખેડી નાખવો છે." તેમણે લખ્યું, "હું મારા નિવેદન પર અડગ છું. મેં આ વાતો હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને સનાતન ધર્મના કારણે પીડાતા લોકોના પ્રતિનિધિ તરીકે કહી છે. હું પેરિયાર અને આંબેડકરના સનાતન ધર્મ પરના કાર્ય અને સમાજ પર તેની નકારાત્મક અસરની ટીકા કરું છું. તેમનું ઊંડું સંશોધન તમારી સામે મૂકવા તૈયાર છું."



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.