UGC NET પરીક્ષા કરાઈ Cancel - એક દિવસ પહેલા લેવાઇ પરીક્ષા બીજા જ દિવસે પરીક્ષા કરી કેન્સલ, જાણો શા માટે લેવાયો આ નિર્ણય?


  • Published By :
  • Published Date : 2024-06-20 11:21:49

આપણા દેશમાં પરીક્ષા લેવાવી અને પછી એ પરીક્ષામાં કઈક છબરડા થાય એટલે એ કેન્સલ કરવી એ સામાન્ય બાબત થઈ ગઈ છે અત્યારે નીટની પરીક્ષામાં ગેરરીતિનો વિવાદ ચાલી રહ્યો હતો અને આ બધાની વચ્ચે UGC-NETની પરીક્ષા રદ કરવામાં આવી છે... શિક્ષણ મંત્રાલય દ્વારા આ પરીક્ષાને કેન્સલ કરવામાં આવી છે. નવેસરથી આ પરીક્ષા લેવામાં આવશે...   

News18


મંગળવારે લેવાઈ હતી પરીક્ષા અને બીજા દિવસે... 

તમે એક દિવસ પહેલા પરીક્ષા આપો અને પરીક્ષાના બીજા જ દિવસે તે પરીક્ષા રદ્દ કરવામાં આવે તો? આવું જ કંઈક આ પરીક્ષામાં થયું છે. કેન્દ્ર સરકારે 19 જૂને એટલે કે ગઈકાલે UGC-NET પરીક્ષા રદ્દ કરી દીધી છે. આ પરીક્ષા એક દિવસ અગાઉ એટલે કે 18 જૂન મંગળવારે લેવાઈ હતી. પરીક્ષા બે શિફ્ટમાં લેવાઈ હતી. પહેલી પરીક્ષા પૂર્ણ થઈ તે બાદ પરીક્ષામાં ધાંધીયા શરૂ થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે. ગેરરીતિના સમાચાર સામે આવતા શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાને લઈ નિર્ણય લીધો અને પરીક્ષાને રદ્દ કરી. 



શિક્ષણ મંત્રાલયે આદેશ કર્યો કે... 

જોકે 19 જૂનના રોજ, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ને ગૃહ મંત્રાલયના ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર તરફથી પરીક્ષામાં ગેરરીતિ થયા હોવાના ઇનપુટ મળ્યા, તે બાદ એક્શન લેવાયા. શિક્ષણ મંત્રાલયે પરીક્ષા પ્રક્રિયાની પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTAને  આદેશ કર્યો પરીક્ષા કેન્સલ કરવાનો. આ એ જ એજન્સી છે જે નીટની પરીક્ષામાં ગેરરીતિ માટે ખૂબ ચર્ચામાં છે. 

એનટીએ આજકાલ ખૂબ ચર્ચામાં છે કારણ કે.. 

જે પરીક્ષા કેન્સલ થઈ છે તેની વાત કરીએ તો UGC-NET પરીક્ષા Ph.D એડમિશન્સ, જુનિયર રિસર્ચ ફેલોશિપ એટલે કે JRF અને દેશભરની યુનિવર્સિટીઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ માટે લેવામાં આવે છે. 18મી જૂને આ પરીક્ષા OMR એટલે કે પેન-પેપર મોડમાં લેવાઈ હતી. આ વખતે UGC-NETના 83 વિષયોની પરીક્ષા એક જ દિવસે બે શિફ્ટમાં લેવામાં આવી હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA પહેલેથી જ NEET UG 2024 વિવાદને લગતા આરોપોથી ઘેરાયેલી છે. આ મામલે સુપ્રીમ કોર્ટે NTAને બે અઠવાડિયાની નોટિસ પણ આપી છે. તેની આગામી સુનાવણી 8મી જુલાઈએ થશે.



પરીક્ષા કેન્સલ થયા પર કોંગ્રેસે સાધ્યું નિશાન

UCG-NET પરીક્ષા રદ્દ કરવા પર કોંગ્રેસે X પર કહ્યું- મોદી સરકાર યુવાનોના ભવિષ્ય સાથે રમત રમી રહી છે. ગઈકાલે દેશના વિવિધ શહેરોમાં UGC-NETની પરીક્ષા લેવામાં આવી હતી. પેપર લીકની આશંકાને કારણે આજે પરીક્ષા રદ કરવામાં આવી હતી. પહેલા NEETનું પેપર લીક થયું અને હવે UGC-NET, મોદી સરકાર 'પેપર લીક થયેલી સરકાર' બની ગઈ છે.

પ્રિયંકા ગાંધીએ લખ્યું કે.... 

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું- ભાજપ સરકારની નોકરશાહી અને ભ્રષ્ટાચાર યુવાનો માટે ઘાતક છે. NEET પરીક્ષામાં ગોટાળાના સમાચાર બાદ હવે 18મી જૂને યોજાનારી NETની પરીક્ષા પણ ગેરરીતિના ડરથી રદ કરવામાં આવી છે. શું હવે જવાબદારી નક્કી થશે? શું શિક્ષણ મંત્રી આ નબળી વ્યવસ્થાની જવાબદારી લેશે? 


વિદ્યાર્થીઓના ભવિષ્ય મૂકાય છે ખતરામાં 

છેલ્લે પ્રશ્ન તો એજ આવે છે કે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આ લોકો જે રમત રમે છે એની જવબદારી કોણ લેશે? જો આ રીતે જ દરેક પરીક્ષાઓમાં ધાંધીયા થશે તો યુવાનોનો ભરોસો ઉઠી જશે તંત્ર પરથી. આ મામલે તમારું શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવો..  



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.