Ujjain Rape Case : 12 વર્ષની દીકરી પર થયો દુષ્કર્મ, ઘટના સામે આવ્યા બાદ લોકોમાં રોષ, જીંદગી અને મોત વચ્ચે ઝઝુમતી દીકરી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-28 14:50:11

આપણે ત્યાં દીકરીને માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે, સ્ત્રીને શક્તિનો અંશ માનવામાં આવે છે. અનેક લોકો દીકરીઓની પૂજા કરે છે પરંતુ હવે તો નાની દીકરીઓ હવસનો ભોગ બની રહી છે. ત્યારે મધ્યપ્રદેશથી એક સમાચાર સામે આવ્યા છે જે સાંભળીને રૂંવાડા ઉભા કરી દેશે. 12 વર્ષની દીકરી લોહીલુહાણ અવસ્થામાં મળી આવી હતી. સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. પોલીસને આ અંગેની જાણ થતાં સગીરાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. ત્યારે એવી માહિતી સામે આવી રહી છે કે સગીરાની હાલત નાજુક છે. જીવન અને મોત વચ્ચે સગીરા ઝઝુમી રહી છે.

Delhi Police File 400-Page Chargesheet Against 4 Accused In Rape & Murder  Case Of 9-

અનેક કિસ્સાઓમાં પિતા જ બનતા હોય છે હેવાન 

દેશમાં દુષ્કર્મની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સ્ત્રીઓ હવસનો શિકાર બની રહી છે. નાની નાની દીકરીઓ પણ દુષ્કર્મનો  ભોગ  બની રહી છે. અનેક ઘટનાઓ તો એવી હોય છે જેને સાંભળીને આપણને થાય કે આપણો સમાજ કઈ દિશા તરફ આગળ વધી રહ્યો છે. નાની માસુમ બાળકીઓ અનેક વખત પોતાના પિતાના જ હવસનો શિકાર બનતી હોય છે. આવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જે પિતા પુત્રીના સંબંધને લજવે છે. જે પિતાની હાજરીથી પુત્રી સુરક્ષિત મહેસુસ કરતી હોય છે તે જ પિતાથી તેને ડર લાગવા લાગે છે. 

17 વર્ષની રેપ પીડિતાના ગર્ભપાત માટે HCમાં રિટ, તબીબી તપાસના આદેશ | Gujarati  News, News in Gujarati – ગુજરાત સમાચાર | નવગુજરાત સમય - NavGujarat Samay

12  વર્ષની દીકરી પર આચરવામાં આવ્યો રેપ

ત્યારે ઉજ્જેનમાં 12 વર્ષીય બાળકી રસ્તા પર રઝળતી હાલતમાં મળી આવી હતી.  12 વર્ષની બાળકી પર રેપ થયા હોવાનો મામલો સામે આવતા સનસનાટી મચી ગઈ છે. મહાકાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બડનગર રોડ પર દાંડીઆશ્રમ નજીક બાળકી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. બાળકીની હાલત નાજુક છે, તેના કપડા ખૂનથી લતપત હતા. અર્ધ વસ્ત્રોમાં બાળકી અનેક કલાકો સુધી ભટકતી રહી. ઘાયલ થયેલી હાલતમાં બાળકી આઠ કલાક સુધી ભટકતી રહી. બાળકી એક જ વાત કહી રહી હતી કે તેની મા સાથે પણ ખોટું થયું છે.


ઓટો ડ્રાઈવર વિરૂદ્ધ પોલીસે કરી કાર્યવાહી 

બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. સારવાર અર્થે બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઉજ્જેનના એસપીએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે બાળકી કદાચ પ્રયાગરાજની રહેવાસી છે. તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. આ મામલે સીસીટીવીના આધારે પોલીસ તપાસ કરી રહી છે. આ મામલે મળતી માહિતી અનુસાર અનેક લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. ઓટો ડ્રાઈવર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.  

જીવન અને મરણ વચ્ચે શ્વાસ લઈ રહી છે સગીરા 

તપાસ દરમિયાન પોલીસને જાણ થઈ કે બાળકી રિક્ષામાં બેઠી હતી. જીવનખીરી વિસ્તારમાં બાળકી રિક્ષામાં બેસે છે તે જાણકારી સીસીટીવીના આધારે પોલીસને મળી છે. આરોપી રિક્ષા ડ્રાઈવરની રિક્ષામાં લોહીના ડાઘા પણ દેખાય છે. તે ઉપરાંત ત્રણ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. હોસ્પિટલ બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી ત્યાં તેની પર રેપ થયો હોય તેની પુષ્ટિ થઈ ગઈ છે. બાળકીની હાલત ગંભીર છે. 


કોંગ્રેસે મધ્યપ્રદેશ સરકાર પર કર્યા પ્રહાર 

આ ઘટના સામે આવ્યા બાદ અનેક રાજનેતાઓએ, રાજકીય પાર્ટીઓએ ઘટનાને લઈ દુખ વ્યક્ત કર્યું છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રીએ આ ઘટનાને દુર્ભાગ્ય ગણાવી છે. કોંગ્રેસ દ્વારા અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. ભાજપની સરકાર પર કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસે ટ્વિટ કર્યું કે મહિલાઓ તેમજ નાની ઉંમરની દીકરીઓ વિરૂદ્ધ દુષ્કર્મની સંખ્યામાં સતત વધારો મધ્યપ્રદેશમાં થઈ રહ્યો છે. 



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે આઝાદીના પર્વ લાલ કિલ્લાની પ્રાચીર પરથી , દેશના યુવાનોને રોજગાર આપવા માટે , "પીએમ વિકસિત ભારત રોજગાર યોજના"ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , "આ યોજનાનો કુલ ખર્ચો ૧ લાખ કરોડ છે સાથે જ આવનારા બે વર્ષમાં ૩.૫ કરોડથી વધારે નોકરીઓનું સર્જન થશે." તો હવે લોકસભાના વિરોધપક્ષના નેતા નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આ યોજનાને લઇને કહ્યું છે કે , "આ ૧ લાખ કરોડનો નવો જુમલો આપવામાં આવ્યો. મોદીજી પાસે નવા કોઈ જ નવા આઈડિયા નથી. "

આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.