Ujjain Rape Case : 12 વર્ષની દીકરી પર થયો દુષ્કર્મ, ઘટના સામે આવ્યા બાદ લોકોમાં રોષ, જીંદગી અને મોત વચ્ચે ઝઝુમતી દીકરી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-28 14:50:11

આપણે ત્યાં દીકરીને માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે, સ્ત્રીને શક્તિનો અંશ માનવામાં આવે છે. અનેક લોકો દીકરીઓની પૂજા કરે છે પરંતુ હવે તો નાની દીકરીઓ હવસનો ભોગ બની રહી છે. ત્યારે મધ્યપ્રદેશથી એક સમાચાર સામે આવ્યા છે જે સાંભળીને રૂંવાડા ઉભા કરી દેશે. 12 વર્ષની દીકરી લોહીલુહાણ અવસ્થામાં મળી આવી હતી. સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. પોલીસને આ અંગેની જાણ થતાં સગીરાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. ત્યારે એવી માહિતી સામે આવી રહી છે કે સગીરાની હાલત નાજુક છે. જીવન અને મોત વચ્ચે સગીરા ઝઝુમી રહી છે.

Delhi Police File 400-Page Chargesheet Against 4 Accused In Rape & Murder  Case Of 9-

અનેક કિસ્સાઓમાં પિતા જ બનતા હોય છે હેવાન 

દેશમાં દુષ્કર્મની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સ્ત્રીઓ હવસનો શિકાર બની રહી છે. નાની નાની દીકરીઓ પણ દુષ્કર્મનો  ભોગ  બની રહી છે. અનેક ઘટનાઓ તો એવી હોય છે જેને સાંભળીને આપણને થાય કે આપણો સમાજ કઈ દિશા તરફ આગળ વધી રહ્યો છે. નાની માસુમ બાળકીઓ અનેક વખત પોતાના પિતાના જ હવસનો શિકાર બનતી હોય છે. આવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જે પિતા પુત્રીના સંબંધને લજવે છે. જે પિતાની હાજરીથી પુત્રી સુરક્ષિત મહેસુસ કરતી હોય છે તે જ પિતાથી તેને ડર લાગવા લાગે છે. 

17 વર્ષની રેપ પીડિતાના ગર્ભપાત માટે HCમાં રિટ, તબીબી તપાસના આદેશ | Gujarati  News, News in Gujarati – ગુજરાત સમાચાર | નવગુજરાત સમય - NavGujarat Samay

12  વર્ષની દીકરી પર આચરવામાં આવ્યો રેપ

ત્યારે ઉજ્જેનમાં 12 વર્ષીય બાળકી રસ્તા પર રઝળતી હાલતમાં મળી આવી હતી.  12 વર્ષની બાળકી પર રેપ થયા હોવાનો મામલો સામે આવતા સનસનાટી મચી ગઈ છે. મહાકાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બડનગર રોડ પર દાંડીઆશ્રમ નજીક બાળકી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. બાળકીની હાલત નાજુક છે, તેના કપડા ખૂનથી લતપત હતા. અર્ધ વસ્ત્રોમાં બાળકી અનેક કલાકો સુધી ભટકતી રહી. ઘાયલ થયેલી હાલતમાં બાળકી આઠ કલાક સુધી ભટકતી રહી. બાળકી એક જ વાત કહી રહી હતી કે તેની મા સાથે પણ ખોટું થયું છે.


ઓટો ડ્રાઈવર વિરૂદ્ધ પોલીસે કરી કાર્યવાહી 

બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. સારવાર અર્થે બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઉજ્જેનના એસપીએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે બાળકી કદાચ પ્રયાગરાજની રહેવાસી છે. તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. આ મામલે સીસીટીવીના આધારે પોલીસ તપાસ કરી રહી છે. આ મામલે મળતી માહિતી અનુસાર અનેક લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. ઓટો ડ્રાઈવર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.  

જીવન અને મરણ વચ્ચે શ્વાસ લઈ રહી છે સગીરા 

તપાસ દરમિયાન પોલીસને જાણ થઈ કે બાળકી રિક્ષામાં બેઠી હતી. જીવનખીરી વિસ્તારમાં બાળકી રિક્ષામાં બેસે છે તે જાણકારી સીસીટીવીના આધારે પોલીસને મળી છે. આરોપી રિક્ષા ડ્રાઈવરની રિક્ષામાં લોહીના ડાઘા પણ દેખાય છે. તે ઉપરાંત ત્રણ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. હોસ્પિટલ બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી ત્યાં તેની પર રેપ થયો હોય તેની પુષ્ટિ થઈ ગઈ છે. બાળકીની હાલત ગંભીર છે. 


કોંગ્રેસે મધ્યપ્રદેશ સરકાર પર કર્યા પ્રહાર 

આ ઘટના સામે આવ્યા બાદ અનેક રાજનેતાઓએ, રાજકીય પાર્ટીઓએ ઘટનાને લઈ દુખ વ્યક્ત કર્યું છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રીએ આ ઘટનાને દુર્ભાગ્ય ગણાવી છે. કોંગ્રેસ દ્વારા અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. ભાજપની સરકાર પર કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસે ટ્વિટ કર્યું કે મહિલાઓ તેમજ નાની ઉંમરની દીકરીઓ વિરૂદ્ધ દુષ્કર્મની સંખ્યામાં સતત વધારો મધ્યપ્રદેશમાં થઈ રહ્યો છે. 



જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.