ભારત વિશ્વમાં પાંચમું સૌથી મોટું અર્થતંત્ર પણ માનવ વિકાસમાં 132માં ક્રમે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 18:55:53

ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે, આ સપ્તાહે જ ભારતે બ્રિટનને પાછળ રાખી દુનિયાની અગ્રણી પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. જો કે દેશનો માનવવિકાસનો સ્તર સૌથી ચિંતાજનક બાબત છે. વર્ષ 2021ના માનવ વિકાસના દુનિયાના રેન્કિંગ આપતા યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)ના અહેવાલ અનુસાર વિશ્વના 191 દેશોમાં ભારતનો ક્રમ 132મો આવ્યો છે. આટલો નીચો ક્રમ પુરવાર કરે છે કે સંકલિત માનવ વિકાસ અને અર્થતંત્રના વિકાસનો પૂરો ફાયદો દેશના દરેક નાગરિકને હજુ સુંધી મળી રહ્યો નથી. 


વર્ષ 2020માં ભારતનો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 0.642 હતો અને ત્યારે 189 દેશોમાં ભારતનો ક્રમ 131 હતો. આ 2921ના રિપોર્ટમાં ભારતનો ઇન્ડેક્સ ઘટી 0.633 આવ્યો છે અને ક્રમ પણ એક સ્થાન નીચે 132 ઉપર આવ્યો છે. માનવ વિકાસમાં ભારત કરતા આગળ હોય તેવા પાડોશી દેશોમાં ચીન (79), શ્રી લંકા (73) અને બાંગ્લાદેશ (129)નો સમાવેશ થાય છે. 


આ લિસ્ટમાં ટોચના ક્રમે સ્વિત્ઝર્લેન્ડ, નોર્વે,  અને આઈસલેન્ડ આવે છે. જ્યારે દક્ષિણ સુદાન, ચાડ, અને નિગર સૌથી નીચલા ક્રમે છે. અત્રે ઉલ્લેખનિચ છે ટોચના ત્રણેય દેશ યુરોપના અને નીચલા સ્થાને રહેલા દેશ આફ્રિકાના અત્યંત ગરીબ અને પછાત દેશો છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.