ભારત વિશ્વમાં પાંચમું સૌથી મોટું અર્થતંત્ર પણ માનવ વિકાસમાં 132માં ક્રમે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 18:55:53

ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે, આ સપ્તાહે જ ભારતે બ્રિટનને પાછળ રાખી દુનિયાની અગ્રણી પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. જો કે દેશનો માનવવિકાસનો સ્તર સૌથી ચિંતાજનક બાબત છે. વર્ષ 2021ના માનવ વિકાસના દુનિયાના રેન્કિંગ આપતા યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)ના અહેવાલ અનુસાર વિશ્વના 191 દેશોમાં ભારતનો ક્રમ 132મો આવ્યો છે. આટલો નીચો ક્રમ પુરવાર કરે છે કે સંકલિત માનવ વિકાસ અને અર્થતંત્રના વિકાસનો પૂરો ફાયદો દેશના દરેક નાગરિકને હજુ સુંધી મળી રહ્યો નથી. 


વર્ષ 2020માં ભારતનો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 0.642 હતો અને ત્યારે 189 દેશોમાં ભારતનો ક્રમ 131 હતો. આ 2921ના રિપોર્ટમાં ભારતનો ઇન્ડેક્સ ઘટી 0.633 આવ્યો છે અને ક્રમ પણ એક સ્થાન નીચે 132 ઉપર આવ્યો છે. માનવ વિકાસમાં ભારત કરતા આગળ હોય તેવા પાડોશી દેશોમાં ચીન (79), શ્રી લંકા (73) અને બાંગ્લાદેશ (129)નો સમાવેશ થાય છે. 


આ લિસ્ટમાં ટોચના ક્રમે સ્વિત્ઝર્લેન્ડ, નોર્વે,  અને આઈસલેન્ડ આવે છે. જ્યારે દક્ષિણ સુદાન, ચાડ, અને નિગર સૌથી નીચલા ક્રમે છે. અત્રે ઉલ્લેખનિચ છે ટોચના ત્રણેય દેશ યુરોપના અને નીચલા સ્થાને રહેલા દેશ આફ્રિકાના અત્યંત ગરીબ અને પછાત દેશો છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.