ભારત વિશ્વમાં પાંચમું સૌથી મોટું અર્થતંત્ર પણ માનવ વિકાસમાં 132માં ક્રમે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 18:55:53

ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે, આ સપ્તાહે જ ભારતે બ્રિટનને પાછળ રાખી દુનિયાની અગ્રણી પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. જો કે દેશનો માનવવિકાસનો સ્તર સૌથી ચિંતાજનક બાબત છે. વર્ષ 2021ના માનવ વિકાસના દુનિયાના રેન્કિંગ આપતા યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)ના અહેવાલ અનુસાર વિશ્વના 191 દેશોમાં ભારતનો ક્રમ 132મો આવ્યો છે. આટલો નીચો ક્રમ પુરવાર કરે છે કે સંકલિત માનવ વિકાસ અને અર્થતંત્રના વિકાસનો પૂરો ફાયદો દેશના દરેક નાગરિકને હજુ સુંધી મળી રહ્યો નથી. 


વર્ષ 2020માં ભારતનો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 0.642 હતો અને ત્યારે 189 દેશોમાં ભારતનો ક્રમ 131 હતો. આ 2921ના રિપોર્ટમાં ભારતનો ઇન્ડેક્સ ઘટી 0.633 આવ્યો છે અને ક્રમ પણ એક સ્થાન નીચે 132 ઉપર આવ્યો છે. માનવ વિકાસમાં ભારત કરતા આગળ હોય તેવા પાડોશી દેશોમાં ચીન (79), શ્રી લંકા (73) અને બાંગ્લાદેશ (129)નો સમાવેશ થાય છે. 


આ લિસ્ટમાં ટોચના ક્રમે સ્વિત્ઝર્લેન્ડ, નોર્વે,  અને આઈસલેન્ડ આવે છે. જ્યારે દક્ષિણ સુદાન, ચાડ, અને નિગર સૌથી નીચલા ક્રમે છે. અત્રે ઉલ્લેખનિચ છે ટોચના ત્રણેય દેશ યુરોપના અને નીચલા સ્થાને રહેલા દેશ આફ્રિકાના અત્યંત ગરીબ અને પછાત દેશો છે. 



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.