ભારત વિશ્વમાં પાંચમું સૌથી મોટું અર્થતંત્ર પણ માનવ વિકાસમાં 132માં ક્રમે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-08 18:55:53

ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર છે, આ સપ્તાહે જ ભારતે બ્રિટનને પાછળ રાખી દુનિયાની અગ્રણી પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે. જો કે દેશનો માનવવિકાસનો સ્તર સૌથી ચિંતાજનક બાબત છે. વર્ષ 2021ના માનવ વિકાસના દુનિયાના રેન્કિંગ આપતા યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)ના અહેવાલ અનુસાર વિશ્વના 191 દેશોમાં ભારતનો ક્રમ 132મો આવ્યો છે. આટલો નીચો ક્રમ પુરવાર કરે છે કે સંકલિત માનવ વિકાસ અને અર્થતંત્રના વિકાસનો પૂરો ફાયદો દેશના દરેક નાગરિકને હજુ સુંધી મળી રહ્યો નથી. 


વર્ષ 2020માં ભારતનો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 0.642 હતો અને ત્યારે 189 દેશોમાં ભારતનો ક્રમ 131 હતો. આ 2921ના રિપોર્ટમાં ભારતનો ઇન્ડેક્સ ઘટી 0.633 આવ્યો છે અને ક્રમ પણ એક સ્થાન નીચે 132 ઉપર આવ્યો છે. માનવ વિકાસમાં ભારત કરતા આગળ હોય તેવા પાડોશી દેશોમાં ચીન (79), શ્રી લંકા (73) અને બાંગ્લાદેશ (129)નો સમાવેશ થાય છે. 


આ લિસ્ટમાં ટોચના ક્રમે સ્વિત્ઝર્લેન્ડ, નોર્વે,  અને આઈસલેન્ડ આવે છે. જ્યારે દક્ષિણ સુદાન, ચાડ, અને નિગર સૌથી નીચલા ક્રમે છે. અત્રે ઉલ્લેખનિચ છે ટોચના ત્રણેય દેશ યુરોપના અને નીચલા સ્થાને રહેલા દેશ આફ્રિકાના અત્યંત ગરીબ અને પછાત દેશો છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .