ઉનાના BJPના MLA કે સી રાઠોડનું વિપક્ષના નેતાઓને ભાજપમાં જોડાવા ખુલ્લુ આમંત્રણ, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-02-11 17:51:12

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ભાજપે તો પાર્ટીમાં જોડાવા માટે રીતસર ભરતી મેળો શરૂ કર્યો છે. ભાજપના નેતાઓ વિપક્ષન કાર્યકરો અને નેતાઓને ભાજપમાં જોડાવા માટે આમંત્રણ આપી રહ્યા છે. ભાજપના ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે પણ આ મુદ્દે એક નિવેદન આપ્યું છે.  ઉનાના ભાજપના ધારાસભ્ય કે. સી. રાઠોડે મોટું નિવેદન આપતા કહ્યું કે ભાજપમાં ભરતીમેળો શરૂ છે આવી જાઓ. કેસી રાઠોડનું આ નિવેદન સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થયું છે. 


 કે સી રાઠોડે શું કહ્યું?


ઉનાના ભાજપના ધારાસભ્ય કે સી રાઠોડનું એક નિવેદન આજકાલ ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે વિપક્ષના ધારાસભ્યો અને પદાધિકારીઓને ઉદ્દેશીને ભાજપમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે "સત્તા વગરના હવાતિયાં મારતા લોકો આવી ભાજપમાં જોડાઈ જાઓ. ભાજપમાં ભરતીમેળો શરૂ છે આવી જાઓ. જો કે ધારાસભ્ય કે સી રાઠોડે પોતાના વક્તવ્યમાં ભરતીમેળાને લઇ મોટી ચોખવટ કરી હતી. ભાજપમાં ભરતી મેળો ચાલું છે પણ એક શરત છે કે હોદ્દા સાથે નહીં કાર્યક્રર બનીને આવવું હોઈ તો હું વેલકમ કરું છું. પ્રજાના કામ કરવા હોઈ તો કાર્યકર બનીને આવો."



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.