ઉનાના BJPના MLA કે સી રાઠોડનું વિપક્ષના નેતાઓને ભાજપમાં જોડાવા ખુલ્લુ આમંત્રણ, જાણો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-02-11 17:51:12

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ભાજપે તો પાર્ટીમાં જોડાવા માટે રીતસર ભરતી મેળો શરૂ કર્યો છે. ભાજપના નેતાઓ વિપક્ષન કાર્યકરો અને નેતાઓને ભાજપમાં જોડાવા માટે આમંત્રણ આપી રહ્યા છે. ભાજપના ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે પણ આ મુદ્દે એક નિવેદન આપ્યું છે.  ઉનાના ભાજપના ધારાસભ્ય કે. સી. રાઠોડે મોટું નિવેદન આપતા કહ્યું કે ભાજપમાં ભરતીમેળો શરૂ છે આવી જાઓ. કેસી રાઠોડનું આ નિવેદન સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થયું છે. 


 કે સી રાઠોડે શું કહ્યું?


ઉનાના ભાજપના ધારાસભ્ય કે સી રાઠોડનું એક નિવેદન આજકાલ ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે વિપક્ષના ધારાસભ્યો અને પદાધિકારીઓને ઉદ્દેશીને ભાજપમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે "સત્તા વગરના હવાતિયાં મારતા લોકો આવી ભાજપમાં જોડાઈ જાઓ. ભાજપમાં ભરતીમેળો શરૂ છે આવી જાઓ. જો કે ધારાસભ્ય કે સી રાઠોડે પોતાના વક્તવ્યમાં ભરતીમેળાને લઇ મોટી ચોખવટ કરી હતી. ભાજપમાં ભરતી મેળો ચાલું છે પણ એક શરત છે કે હોદ્દા સાથે નહીં કાર્યક્રર બનીને આવવું હોઈ તો હું વેલકમ કરું છું. પ્રજાના કામ કરવા હોઈ તો કાર્યકર બનીને આવો."



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.