વિકાસ સપ્તાહ હેઠળ ફીટ ઇન્ડિયાનું અભિયાન, રેડ ક્રોસ સાથે મળીને મીડિયા કર્મીઓનું બોડી ચેકઅપ કરાવાયુ


  • Published By :
  • Published Date : 2024-10-15 17:08:57

દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવી રહ્યું છે.. વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.. ત્યારે અમદાવાદ ખાતે મીડિયા કર્મીઓ માટે વિશેષ મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો.. 

વિકાસ સપ્તાહ અંતર્ગત મીડિયા કર્મીઓ માટે કરાયું ખાસ આયોજન

આપણે ત્યાં કહેવાયું છે કે પહેલું સુખ તે જાતે નર્યા.. જો આપણે સાજા હોઈશું તો આપણે કામ કરી શકીશું.. ત્યારે મીડિયા કર્મીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.. વિકાસ સપ્તાહ નિમીત્તે ગુજરાત સરકારના માહિતી ખાતા અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મીડિયા કર્મીઓ માટે  હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમ 'ફીટ ઈન્ડીયા, ફીટ મીડિયા'નો શુભારંભ કરવામાં આવ્યો છે..


શું કહ્યું મુખ્યમંત્રીએ?

મુખ્યમંત્રી દ્વારા આનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસામાન્ય માટે આરોગ્ય સુખાકારીની ચિંતા કરીને ફિટ ઈન્ડિયાની કલ્પના આપી છે.. મીડિયા કર્મીઓ માટે તેમણે કહ્યું કે પત્રકારિતાને લોકશાહીનો ચોથો સ્તંભ ગણાવતાં કહ્યું હતું કે, જનતાનો અવાજ બનતા પત્રકારો સ્વસ્થ-તંદુરસ્ત હશે તો પત્રકારિતા થકી સમાજને જાગૃત રાખવાનું કામ સારી રીતે કરી શકશે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.