વિકાસ સપ્તાહ હેઠળ ફીટ ઇન્ડિયાનું અભિયાન, રેડ ક્રોસ સાથે મળીને મીડિયા કર્મીઓનું બોડી ચેકઅપ કરાવાયુ


  • Published By :
  • Published Date : 2024-10-15 17:08:57

દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવી રહ્યું છે.. વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.. ત્યારે અમદાવાદ ખાતે મીડિયા કર્મીઓ માટે વિશેષ મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો.. 

વિકાસ સપ્તાહ અંતર્ગત મીડિયા કર્મીઓ માટે કરાયું ખાસ આયોજન

આપણે ત્યાં કહેવાયું છે કે પહેલું સુખ તે જાતે નર્યા.. જો આપણે સાજા હોઈશું તો આપણે કામ કરી શકીશું.. ત્યારે મીડિયા કર્મીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.. વિકાસ સપ્તાહ નિમીત્તે ગુજરાત સરકારના માહિતી ખાતા અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મીડિયા કર્મીઓ માટે  હેલ્થ સ્ક્રીનિંગ કાર્યક્રમ 'ફીટ ઈન્ડીયા, ફીટ મીડિયા'નો શુભારંભ કરવામાં આવ્યો છે..


શું કહ્યું મુખ્યમંત્રીએ?

મુખ્યમંત્રી દ્વારા આનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસામાન્ય માટે આરોગ્ય સુખાકારીની ચિંતા કરીને ફિટ ઈન્ડિયાની કલ્પના આપી છે.. મીડિયા કર્મીઓ માટે તેમણે કહ્યું કે પત્રકારિતાને લોકશાહીનો ચોથો સ્તંભ ગણાવતાં કહ્યું હતું કે, જનતાનો અવાજ બનતા પત્રકારો સ્વસ્થ-તંદુરસ્ત હશે તો પત્રકારિતા થકી સમાજને જાગૃત રાખવાનું કામ સારી રીતે કરી શકશે.  



વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.