Isudan Gadhvi પાસેથી સમજોAAP - Congressના ગઠબંધન પાછળની ગણતરી, Visavadar પેટા ચૂંટણી માટે કોણ હશે ઉમેદવાર Isudan Gadhvi કે Gopal Italia?


  • Published By :
  • Published Date : 2024-02-29 14:08:50

લોકસભા ચૂંટણીને લઈ દેશના અનેક રાજ્યોમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે. અનેક રાજ્યો માટે લોકસભા ઉમેદવાર પણ જાહેર કરવામાં આવ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા. દિલ્હી લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત થોડા સમય પહેલા કરી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન અંતર્ગત ગુજરાતની 24 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે અને આમ આદમી પાર્ટી બે સીટો પર ઉમેદવાર ઉતારશે. ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવા અને ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. ગઠબંધન અંગે ઈસુદાન ગઢવીએ વાત કરી હતી.

પેટા ચૂંટણીને લઈ ગમે ત્યારે ઉમેદવારોના નામની થઈ શકે છે જાહેરાત! 

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં અનેક વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. ગુજરાતની જનતાએ જેમને જીતાડ્યા, ધારાસભ્ય બન્યા અને પછી તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. રાજીનામું આપવામાં કોંગ્રેસના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો હતા. રાજીનામું આપ્યા બાદ બધા ભાજપમાં જોડાઈ ગયા છે અને એવી માહિતી સામે આવી છે કે ભાજપ પેટાચૂંટણી માટે તે જ પૂર્વ ધારાસભ્યોને ઉમેદવાર તરીકે ઉતારી શકે છે. આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે વિસાવદરથી પેટા ચૂંટણી માટે ઈસુદાન ગઢવીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી શકે છે. એવી પણ વાતો ચાલી રહી છે કે ઈસુદાન ગઢવી ઉપરાંત ગોપાલ ઈટાલિયાના નામ અંગે પણ ચર્ચા થઈ રહી છે. 


વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે કોના નામની થશે જાહેરાત? 

ગઠબંધનને લઈ જ્યારે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી ત્યારે એવું લાગતું હતું કે પેટા ચૂંટણીને લઈ જાહેરાત કરવામાં આવી શકે છે પરંતુ તે વખતે આ અંગેની જાહેરાત કરવામાં આવી ન હતી. ગમે ત્યારે વિસાવદર પેટા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં  આવી શકે છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા ગોપાલ ઈટાલિયાએ એક ટ્વિટ કરી હતી જેમાં લખ્યું હતું ગુડ મોર્નિંગ વિથ ગુડ ન્યુઝ. આ બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે તે વિસાવદર પેટા ચૂંટણીને લઈ વાત કરી રહ્યા છે પરંતુ તે વાત કદાચ ગઠબંધનને લઈ કરી રહ્યા હતા. ત્યારે જોવું રહ્યું વિસાવદર પેટા ચૂંટણી માટે ઈસુદાન ગઢવીનું નામ ફાઈનલ થાય, ગોપાલ ઈટાલિયાના નામની જાહેરાત થાય છે કે પછી કોઈ ત્રીજાના નામની જાહેરાત કરવામાં આવે છે તે જોવું રહ્યું....        



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.