Isudan Gadhvi પાસેથી સમજોAAP - Congressના ગઠબંધન પાછળની ગણતરી, Visavadar પેટા ચૂંટણી માટે કોણ હશે ઉમેદવાર Isudan Gadhvi કે Gopal Italia?


  • Published By :
  • Published Date : 2024-02-29 14:08:50

લોકસભા ચૂંટણીને લઈ દેશના અનેક રાજ્યોમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે. અનેક રાજ્યો માટે લોકસભા ઉમેદવાર પણ જાહેર કરવામાં આવ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા. દિલ્હી લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત થોડા સમય પહેલા કરી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન અંતર્ગત ગુજરાતની 24 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે અને આમ આદમી પાર્ટી બે સીટો પર ઉમેદવાર ઉતારશે. ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવા અને ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. ગઠબંધન અંગે ઈસુદાન ગઢવીએ વાત કરી હતી.

પેટા ચૂંટણીને લઈ ગમે ત્યારે ઉમેદવારોના નામની થઈ શકે છે જાહેરાત! 

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં અનેક વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. ગુજરાતની જનતાએ જેમને જીતાડ્યા, ધારાસભ્ય બન્યા અને પછી તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. રાજીનામું આપવામાં કોંગ્રેસના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો હતા. રાજીનામું આપ્યા બાદ બધા ભાજપમાં જોડાઈ ગયા છે અને એવી માહિતી સામે આવી છે કે ભાજપ પેટાચૂંટણી માટે તે જ પૂર્વ ધારાસભ્યોને ઉમેદવાર તરીકે ઉતારી શકે છે. આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે વિસાવદરથી પેટા ચૂંટણી માટે ઈસુદાન ગઢવીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી શકે છે. એવી પણ વાતો ચાલી રહી છે કે ઈસુદાન ગઢવી ઉપરાંત ગોપાલ ઈટાલિયાના નામ અંગે પણ ચર્ચા થઈ રહી છે. 


વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે કોના નામની થશે જાહેરાત? 

ગઠબંધનને લઈ જ્યારે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી ત્યારે એવું લાગતું હતું કે પેટા ચૂંટણીને લઈ જાહેરાત કરવામાં આવી શકે છે પરંતુ તે વખતે આ અંગેની જાહેરાત કરવામાં આવી ન હતી. ગમે ત્યારે વિસાવદર પેટા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં  આવી શકે છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા ગોપાલ ઈટાલિયાએ એક ટ્વિટ કરી હતી જેમાં લખ્યું હતું ગુડ મોર્નિંગ વિથ ગુડ ન્યુઝ. આ બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે તે વિસાવદર પેટા ચૂંટણીને લઈ વાત કરી રહ્યા છે પરંતુ તે વાત કદાચ ગઠબંધનને લઈ કરી રહ્યા હતા. ત્યારે જોવું રહ્યું વિસાવદર પેટા ચૂંટણી માટે ઈસુદાન ગઢવીનું નામ ફાઈનલ થાય, ગોપાલ ઈટાલિયાના નામની જાહેરાત થાય છે કે પછી કોઈ ત્રીજાના નામની જાહેરાત કરવામાં આવે છે તે જોવું રહ્યું....        



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .