Isudan Gadhvi પાસેથી સમજોAAP - Congressના ગઠબંધન પાછળની ગણતરી, Visavadar પેટા ચૂંટણી માટે કોણ હશે ઉમેદવાર Isudan Gadhvi કે Gopal Italia?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-29 14:08:50

લોકસભા ચૂંટણીને લઈ દેશના અનેક રાજ્યોમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે. અનેક રાજ્યો માટે લોકસભા ઉમેદવાર પણ જાહેર કરવામાં આવ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા. દિલ્હી લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત થોડા સમય પહેલા કરી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન અંતર્ગત ગુજરાતની 24 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે અને આમ આદમી પાર્ટી બે સીટો પર ઉમેદવાર ઉતારશે. ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવા અને ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. ગઠબંધન અંગે ઈસુદાન ગઢવીએ વાત કરી હતી.

પેટા ચૂંટણીને લઈ ગમે ત્યારે ઉમેદવારોના નામની થઈ શકે છે જાહેરાત! 

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં અનેક વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. ગુજરાતની જનતાએ જેમને જીતાડ્યા, ધારાસભ્ય બન્યા અને પછી તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. રાજીનામું આપવામાં કોંગ્રેસના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો હતા. રાજીનામું આપ્યા બાદ બધા ભાજપમાં જોડાઈ ગયા છે અને એવી માહિતી સામે આવી છે કે ભાજપ પેટાચૂંટણી માટે તે જ પૂર્વ ધારાસભ્યોને ઉમેદવાર તરીકે ઉતારી શકે છે. આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે વિસાવદરથી પેટા ચૂંટણી માટે ઈસુદાન ગઢવીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી શકે છે. એવી પણ વાતો ચાલી રહી છે કે ઈસુદાન ગઢવી ઉપરાંત ગોપાલ ઈટાલિયાના નામ અંગે પણ ચર્ચા થઈ રહી છે. 


વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે કોના નામની થશે જાહેરાત? 

ગઠબંધનને લઈ જ્યારે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી ત્યારે એવું લાગતું હતું કે પેટા ચૂંટણીને લઈ જાહેરાત કરવામાં આવી શકે છે પરંતુ તે વખતે આ અંગેની જાહેરાત કરવામાં આવી ન હતી. ગમે ત્યારે વિસાવદર પેટા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં  આવી શકે છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા ગોપાલ ઈટાલિયાએ એક ટ્વિટ કરી હતી જેમાં લખ્યું હતું ગુડ મોર્નિંગ વિથ ગુડ ન્યુઝ. આ બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે તે વિસાવદર પેટા ચૂંટણીને લઈ વાત કરી રહ્યા છે પરંતુ તે વાત કદાચ ગઠબંધનને લઈ કરી રહ્યા હતા. ત્યારે જોવું રહ્યું વિસાવદર પેટા ચૂંટણી માટે ઈસુદાન ગઢવીનું નામ ફાઈનલ થાય, ગોપાલ ઈટાલિયાના નામની જાહેરાત થાય છે કે પછી કોઈ ત્રીજાના નામની જાહેરાત કરવામાં આવે છે તે જોવું રહ્યું....        



મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગામના લોકોએ તેમના લગ્ન કરાવી દીધા હતા.

ગુજરાતમાં એક તરફ કમસોમી વરસાદની આગહી કરવામાં આવી છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 17 તારીખ સુધી અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.

મહીસાગરથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કેનાલ લિકેજના કારણે ખેતરો જાણે તળાવ બની ગયા છે... મહીસાગરના લુણાવાડાના, અરીઠા, કડિયાવાડ, અને કોઠા ગામના ખેડૂતો માટે કેનાલ આફત સમાન સાબિત થઈ રહી છે..

માતા પિતા પણ સાથે નથી રહેતા હતા હવે તો.. અનેક લોકો એવા હોય છે જે માતા પિતાની સાથે તો રહે છે પરંતુ તેમને દુ:ખી કરે છે.. બાળકના વ્યવહારથી માતા પિતાનું દિલ દુભાય છે.. પરિવારનું મહત્વ શું હોય છે તે જાણવું હોયને તો એક વખત અનાથાશ્રમની મુલાકાત લેવી જોઈએ..