Isudan Gadhvi પાસેથી સમજોAAP - Congressના ગઠબંધન પાછળની ગણતરી, Visavadar પેટા ચૂંટણી માટે કોણ હશે ઉમેદવાર Isudan Gadhvi કે Gopal Italia?


  • Published By :
  • Published Date : 2024-02-29 14:08:50

લોકસભા ચૂંટણીને લઈ દેશના અનેક રાજ્યોમાં કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ગઠબંધન કરવામાં આવ્યું છે. અનેક રાજ્યો માટે લોકસભા ઉમેદવાર પણ જાહેર કરવામાં આવ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા. દિલ્હી લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત થોડા સમય પહેલા કરી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન અંતર્ગત ગુજરાતની 24 બેઠકો પર કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે અને આમ આદમી પાર્ટી બે સીટો પર ઉમેદવાર ઉતારશે. ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવા અને ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. ગઠબંધન અંગે ઈસુદાન ગઢવીએ વાત કરી હતી.

પેટા ચૂંટણીને લઈ ગમે ત્યારે ઉમેદવારોના નામની થઈ શકે છે જાહેરાત! 

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં અનેક વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. ગુજરાતની જનતાએ જેમને જીતાડ્યા, ધારાસભ્ય બન્યા અને પછી તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. રાજીનામું આપવામાં કોંગ્રેસના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો હતા. રાજીનામું આપ્યા બાદ બધા ભાજપમાં જોડાઈ ગયા છે અને એવી માહિતી સામે આવી છે કે ભાજપ પેટાચૂંટણી માટે તે જ પૂર્વ ધારાસભ્યોને ઉમેદવાર તરીકે ઉતારી શકે છે. આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે વિસાવદરથી પેટા ચૂંટણી માટે ઈસુદાન ગઢવીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી શકે છે. એવી પણ વાતો ચાલી રહી છે કે ઈસુદાન ગઢવી ઉપરાંત ગોપાલ ઈટાલિયાના નામ અંગે પણ ચર્ચા થઈ રહી છે. 


વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે કોના નામની થશે જાહેરાત? 

ગઠબંધનને લઈ જ્યારે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી ત્યારે એવું લાગતું હતું કે પેટા ચૂંટણીને લઈ જાહેરાત કરવામાં આવી શકે છે પરંતુ તે વખતે આ અંગેની જાહેરાત કરવામાં આવી ન હતી. ગમે ત્યારે વિસાવદર પેટા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં  આવી શકે છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા ગોપાલ ઈટાલિયાએ એક ટ્વિટ કરી હતી જેમાં લખ્યું હતું ગુડ મોર્નિંગ વિથ ગુડ ન્યુઝ. આ બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે તે વિસાવદર પેટા ચૂંટણીને લઈ વાત કરી રહ્યા છે પરંતુ તે વાત કદાચ ગઠબંધનને લઈ કરી રહ્યા હતા. ત્યારે જોવું રહ્યું વિસાવદર પેટા ચૂંટણી માટે ઈસુદાન ગઢવીનું નામ ફાઈનલ થાય, ગોપાલ ઈટાલિયાના નામની જાહેરાત થાય છે કે પછી કોઈ ત્રીજાના નામની જાહેરાત કરવામાં આવે છે તે જોવું રહ્યું....        



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.