Porbandar Loksabha Seatનું સમજો સમીકરણ, BJP તરફથી Manskukh Mandavia છે ઉમેદવાર, તો કોંગ્રેસે Lalit Vasoyaની કરી પસંદગી..


  • Published By :
  • Published Date : 2024-03-18 14:28:02

લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી થવાની છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી છે. ગુજરાતમાં 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે જ્યારે 2 બેઠકો પર આપ ઉમેદવાર ઉતારવાની છે. ભાજપ દ્વારા 22 બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે વાત કરીએ પોરબંદર લોકસભા સીટની જ્યાં ભાજપે મનસુખ માંડવિયાને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે લલિત વસોયાને ઉમેદવાર બનાવ્યા છે. જાણીએ પોરબંદર સીટના સમીકરણો વિશે...



પોરબંદર લોકસભા બેઠક પર થશે આ બે દિગ્ગજ નેતાઓની ટક્કર 

પોરબંદર લોકસભા સીટની વાત કરીએ તો આ લોકસભામાં ૭ વિધાનસભાઓ આવે છે. સાત વિધાનસભા આ પ્રમાણે છે ગોંડલ , જેતપુર , ધોરાજી , પોરબંદર , કુતિયાણા , માણાવદર , કેશોદ. ૨૦૨૨માં પોરબંદર અને માણાવદર બેઠકો કોંગ્રેસના ખાતામાં ગઈ હતી જ્યારે કુતિયાણા SPના ખાતામાં, જયારે બીજી બધી બેઠકો  BJPના ફાળામાં ગઈ હતી.  આ લોકસભા બેઠક પર છેલ્લે કોંગ્રેસમાંથી વિઠ્ઠલભાઈ રાદડિયા ૨૦૦૯માં  જીત્યા આ પછી તેઓ ભાજપમાં જતા રહ્યા. હાલમાં BJP એ sitting MP રમેશ ધડુકની ટિકિટ કાપી મનસુખ માંડવીયાને ટિકિટ આપી છે , સામે કોંગ્રેસે લલિત વસોયાને ટિકિટ આપી છે . હવે આ જંગ લેઉવા Vs લેઉવા  થઇ ગયો છે . 



અર્જુન મોઢવાડિયા તેમજ અરવિંદ લાડાણી જોડાઈ ગયા છે ભાજપમાં

વાત કરીએ જાતિગત સમીકરણોની તો મેર સમાજ , લેઉવા પટેલ સમાજ અને દલિત સમાજ બહુમતવાળી સીટ છે . આ વખતે કોંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડીયા અને માણાવદર MLA અરવિંદ લાડાણી BJPમાં જોડાઈ ગયા છે . આ તરફ મુલકોંગ્રેસી ૨૦૨૨માં BJP માંથી હારી ગયેલા માણાવદરના MLA જવાહર ચાવડા નારાજ ચાલી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે પોરબંદર બેઠક માટે મતદાતાઓ કોની પસંદગી કરે છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.