Porbandar Loksabha Seatનું સમજો સમીકરણ, BJP તરફથી Manskukh Mandavia છે ઉમેદવાર, તો કોંગ્રેસે Lalit Vasoyaની કરી પસંદગી..


  • Published By :
  • Published Date : 2024-03-18 14:28:02

લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી થવાની છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી છે. ગુજરાતમાં 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે જ્યારે 2 બેઠકો પર આપ ઉમેદવાર ઉતારવાની છે. ભાજપ દ્વારા 22 બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે વાત કરીએ પોરબંદર લોકસભા સીટની જ્યાં ભાજપે મનસુખ માંડવિયાને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે લલિત વસોયાને ઉમેદવાર બનાવ્યા છે. જાણીએ પોરબંદર સીટના સમીકરણો વિશે...



પોરબંદર લોકસભા બેઠક પર થશે આ બે દિગ્ગજ નેતાઓની ટક્કર 

પોરબંદર લોકસભા સીટની વાત કરીએ તો આ લોકસભામાં ૭ વિધાનસભાઓ આવે છે. સાત વિધાનસભા આ પ્રમાણે છે ગોંડલ , જેતપુર , ધોરાજી , પોરબંદર , કુતિયાણા , માણાવદર , કેશોદ. ૨૦૨૨માં પોરબંદર અને માણાવદર બેઠકો કોંગ્રેસના ખાતામાં ગઈ હતી જ્યારે કુતિયાણા SPના ખાતામાં, જયારે બીજી બધી બેઠકો  BJPના ફાળામાં ગઈ હતી.  આ લોકસભા બેઠક પર છેલ્લે કોંગ્રેસમાંથી વિઠ્ઠલભાઈ રાદડિયા ૨૦૦૯માં  જીત્યા આ પછી તેઓ ભાજપમાં જતા રહ્યા. હાલમાં BJP એ sitting MP રમેશ ધડુકની ટિકિટ કાપી મનસુખ માંડવીયાને ટિકિટ આપી છે , સામે કોંગ્રેસે લલિત વસોયાને ટિકિટ આપી છે . હવે આ જંગ લેઉવા Vs લેઉવા  થઇ ગયો છે . 



અર્જુન મોઢવાડિયા તેમજ અરવિંદ લાડાણી જોડાઈ ગયા છે ભાજપમાં

વાત કરીએ જાતિગત સમીકરણોની તો મેર સમાજ , લેઉવા પટેલ સમાજ અને દલિત સમાજ બહુમતવાળી સીટ છે . આ વખતે કોંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડીયા અને માણાવદર MLA અરવિંદ લાડાણી BJPમાં જોડાઈ ગયા છે . આ તરફ મુલકોંગ્રેસી ૨૦૨૨માં BJP માંથી હારી ગયેલા માણાવદરના MLA જવાહર ચાવડા નારાજ ચાલી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે પોરબંદર બેઠક માટે મતદાતાઓ કોની પસંદગી કરે છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.