Porbandar Loksabha Seatનું સમજો સમીકરણ, BJP તરફથી Manskukh Mandavia છે ઉમેદવાર, તો કોંગ્રેસે Lalit Vasoyaની કરી પસંદગી..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-18 14:28:02

લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી થવાની છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી છે. ગુજરાતમાં 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે જ્યારે 2 બેઠકો પર આપ ઉમેદવાર ઉતારવાની છે. ભાજપ દ્વારા 22 બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે વાત કરીએ પોરબંદર લોકસભા સીટની જ્યાં ભાજપે મનસુખ માંડવિયાને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે લલિત વસોયાને ઉમેદવાર બનાવ્યા છે. જાણીએ પોરબંદર સીટના સમીકરણો વિશે...



પોરબંદર લોકસભા બેઠક પર થશે આ બે દિગ્ગજ નેતાઓની ટક્કર 

પોરબંદર લોકસભા સીટની વાત કરીએ તો આ લોકસભામાં ૭ વિધાનસભાઓ આવે છે. સાત વિધાનસભા આ પ્રમાણે છે ગોંડલ , જેતપુર , ધોરાજી , પોરબંદર , કુતિયાણા , માણાવદર , કેશોદ. ૨૦૨૨માં પોરબંદર અને માણાવદર બેઠકો કોંગ્રેસના ખાતામાં ગઈ હતી જ્યારે કુતિયાણા SPના ખાતામાં, જયારે બીજી બધી બેઠકો  BJPના ફાળામાં ગઈ હતી.  આ લોકસભા બેઠક પર છેલ્લે કોંગ્રેસમાંથી વિઠ્ઠલભાઈ રાદડિયા ૨૦૦૯માં  જીત્યા આ પછી તેઓ ભાજપમાં જતા રહ્યા. હાલમાં BJP એ sitting MP રમેશ ધડુકની ટિકિટ કાપી મનસુખ માંડવીયાને ટિકિટ આપી છે , સામે કોંગ્રેસે લલિત વસોયાને ટિકિટ આપી છે . હવે આ જંગ લેઉવા Vs લેઉવા  થઇ ગયો છે . 



અર્જુન મોઢવાડિયા તેમજ અરવિંદ લાડાણી જોડાઈ ગયા છે ભાજપમાં

વાત કરીએ જાતિગત સમીકરણોની તો મેર સમાજ , લેઉવા પટેલ સમાજ અને દલિત સમાજ બહુમતવાળી સીટ છે . આ વખતે કોંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડીયા અને માણાવદર MLA અરવિંદ લાડાણી BJPમાં જોડાઈ ગયા છે . આ તરફ મુલકોંગ્રેસી ૨૦૨૨માં BJP માંથી હારી ગયેલા માણાવદરના MLA જવાહર ચાવડા નારાજ ચાલી રહ્યા છે. ત્યારે જોવું રહ્યું કે પોરબંદર બેઠક માટે મતદાતાઓ કોની પસંદગી કરે છે. 



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે