Bharuch Loksabha Seatનું સમજો સમીકરણ જ્યાં ભાજપ તરફથી મનસુખ વસાવા ઉમેદવાર છે તો સામે ચૂંટણી મેદાનમાં ચૈતર વસાવા છે...


  • Published By :
  • Published Date : 2024-03-15 18:00:45

લોકસભા ચૂંટણીને લઈ આવતી કાલે તારીખ જાહેર થઈ જશે. ગુજરાતની 24 બેઠકો માટે ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ બે બેઠકો માટે ગઠબંધન કર્યું છે. ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યા છે. ભરૂચ લોકસભા બેઠક પર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ તેમના હાલના સાંસદ મનસુખ વસાવાને રિપીટ કર્યા છે. ભાજપ જ્યારે પણ કોઈ ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારે છે ત્યારે અનેક સમીકરણોને ધ્યાનમાં રાખતી હોય છે. ત્યારે આજે જાણીએ ભરૂચ લોકસભાના સમીકરણ વિશે....


શું છે ભરૂચ લોકસભા બેઠકનો ઈતિહાસ?

છેલ્લા ઘણા સમયથી ભરૂચ લોકસભા ચર્ચામાં છે. ચર્ચામાં હોવાના અનેક કારણો છે પરંતુ સૌથી મોટું કારણ કે ચૈતર વસાવા તેમજ મનસુખ વસાવા દ્વારા આપવામાં આવતા નિવેદનો. ભરૂચ લોકસભા બેઠક હાઈ પ્રોફાઈલ બેઠક છે. ૧૯૮૯ સુધી અહેમદ પટેલ અહીંના સાંસદ હતા, ૧૯૮૯માં ચંદુભાઈ દેશમુખે અહેમદ પટેલને હરાવ્યા , ૧૯૮૯થી ૧૯૯૮ સુધી ચંદુભાઈ સાંસદ રહ્યા આ પછી ૧૯૯૮થી છેલ્લા ૨૬ વર્ષ થી મનસુખ વસાવા જ સાંસદ છે.  આ વખતે આ ૨૦૨૪નો જંગ ખુબજ રસપ્રદ રહેશે , કેમ કે સામે ઇન્ડિયા ગઠબંધનમાંથી ચૈતર વસાવા છે .લોકસભા ચૂંટણીને લઈ ચૈતર વસાવા દ્વારા  " તમારો દીકરો , તમારા દ્વાર" કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.  


2024માં ભરૂચની જનતા કોને પહોંચાડશે સંસદમાં? 

ભરૂચ લોકસભા બેઠકના જાતીય સમીકરણ અંગે વાત કરીએ તો અનુસૂચિત જનજાતિના ૪,૮૧ , ૦૦૦ જેટલા મતદારો છે , મુસ્લિમ સમાજના ૧,૪૮, ૦૦૦ , પટેલ સમાજના ૧૮૬૦૦૦ જેટલા મતદારો છે . આ લોકસભામાં આવે છે ૭ વિધાનસભાઓ કરજણ , ડેડીયાપાડા , જંબુસર , વાગરા , ઝગડીયા , ભરૂચ , અંકલેશ્વર . ૨૦૨૨માં ડેડીયાપાડા પરથી આપ ના ચૈતરભાઈ જીત્યા હતા આ સિવાયની બધીજ બેઠકો BJP એ જીતી લીધી હતી . તો જોઈએ ૨૦૨૪ના લોકસભામાં ભરૂચ પોતાના કયા દીકરાને સંસદમાં પહોંચાડે છે ? 



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે