Bharuch Loksabha Seatનું સમજો સમીકરણ જ્યાં ભાજપ તરફથી મનસુખ વસાવા ઉમેદવાર છે તો સામે ચૂંટણી મેદાનમાં ચૈતર વસાવા છે...


  • Published By :
  • Published Date : 2024-03-15 18:00:45

લોકસભા ચૂંટણીને લઈ આવતી કાલે તારીખ જાહેર થઈ જશે. ગુજરાતની 24 બેઠકો માટે ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ બે બેઠકો માટે ગઠબંધન કર્યું છે. ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યા છે. ભરૂચ લોકસભા બેઠક પર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ તેમના હાલના સાંસદ મનસુખ વસાવાને રિપીટ કર્યા છે. ભાજપ જ્યારે પણ કોઈ ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારે છે ત્યારે અનેક સમીકરણોને ધ્યાનમાં રાખતી હોય છે. ત્યારે આજે જાણીએ ભરૂચ લોકસભાના સમીકરણ વિશે....


શું છે ભરૂચ લોકસભા બેઠકનો ઈતિહાસ?

છેલ્લા ઘણા સમયથી ભરૂચ લોકસભા ચર્ચામાં છે. ચર્ચામાં હોવાના અનેક કારણો છે પરંતુ સૌથી મોટું કારણ કે ચૈતર વસાવા તેમજ મનસુખ વસાવા દ્વારા આપવામાં આવતા નિવેદનો. ભરૂચ લોકસભા બેઠક હાઈ પ્રોફાઈલ બેઠક છે. ૧૯૮૯ સુધી અહેમદ પટેલ અહીંના સાંસદ હતા, ૧૯૮૯માં ચંદુભાઈ દેશમુખે અહેમદ પટેલને હરાવ્યા , ૧૯૮૯થી ૧૯૯૮ સુધી ચંદુભાઈ સાંસદ રહ્યા આ પછી ૧૯૯૮થી છેલ્લા ૨૬ વર્ષ થી મનસુખ વસાવા જ સાંસદ છે.  આ વખતે આ ૨૦૨૪નો જંગ ખુબજ રસપ્રદ રહેશે , કેમ કે સામે ઇન્ડિયા ગઠબંધનમાંથી ચૈતર વસાવા છે .લોકસભા ચૂંટણીને લઈ ચૈતર વસાવા દ્વારા  " તમારો દીકરો , તમારા દ્વાર" કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.  


2024માં ભરૂચની જનતા કોને પહોંચાડશે સંસદમાં? 

ભરૂચ લોકસભા બેઠકના જાતીય સમીકરણ અંગે વાત કરીએ તો અનુસૂચિત જનજાતિના ૪,૮૧ , ૦૦૦ જેટલા મતદારો છે , મુસ્લિમ સમાજના ૧,૪૮, ૦૦૦ , પટેલ સમાજના ૧૮૬૦૦૦ જેટલા મતદારો છે . આ લોકસભામાં આવે છે ૭ વિધાનસભાઓ કરજણ , ડેડીયાપાડા , જંબુસર , વાગરા , ઝગડીયા , ભરૂચ , અંકલેશ્વર . ૨૦૨૨માં ડેડીયાપાડા પરથી આપ ના ચૈતરભાઈ જીત્યા હતા આ સિવાયની બધીજ બેઠકો BJP એ જીતી લીધી હતી . તો જોઈએ ૨૦૨૪ના લોકસભામાં ભરૂચ પોતાના કયા દીકરાને સંસદમાં પહોંચાડે છે ? 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.