Bharuch Loksabha Seatનું સમજો સમીકરણ જ્યાં ભાજપ તરફથી મનસુખ વસાવા ઉમેદવાર છે તો સામે ચૂંટણી મેદાનમાં ચૈતર વસાવા છે...


  • Published By :
  • Published Date : 2024-03-15 18:00:45

લોકસભા ચૂંટણીને લઈ આવતી કાલે તારીખ જાહેર થઈ જશે. ગુજરાતની 24 બેઠકો માટે ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ બે બેઠકો માટે ગઠબંધન કર્યું છે. ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યા છે. ભરૂચ લોકસભા બેઠક પર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ તેમના હાલના સાંસદ મનસુખ વસાવાને રિપીટ કર્યા છે. ભાજપ જ્યારે પણ કોઈ ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારે છે ત્યારે અનેક સમીકરણોને ધ્યાનમાં રાખતી હોય છે. ત્યારે આજે જાણીએ ભરૂચ લોકસભાના સમીકરણ વિશે....


શું છે ભરૂચ લોકસભા બેઠકનો ઈતિહાસ?

છેલ્લા ઘણા સમયથી ભરૂચ લોકસભા ચર્ચામાં છે. ચર્ચામાં હોવાના અનેક કારણો છે પરંતુ સૌથી મોટું કારણ કે ચૈતર વસાવા તેમજ મનસુખ વસાવા દ્વારા આપવામાં આવતા નિવેદનો. ભરૂચ લોકસભા બેઠક હાઈ પ્રોફાઈલ બેઠક છે. ૧૯૮૯ સુધી અહેમદ પટેલ અહીંના સાંસદ હતા, ૧૯૮૯માં ચંદુભાઈ દેશમુખે અહેમદ પટેલને હરાવ્યા , ૧૯૮૯થી ૧૯૯૮ સુધી ચંદુભાઈ સાંસદ રહ્યા આ પછી ૧૯૯૮થી છેલ્લા ૨૬ વર્ષ થી મનસુખ વસાવા જ સાંસદ છે.  આ વખતે આ ૨૦૨૪નો જંગ ખુબજ રસપ્રદ રહેશે , કેમ કે સામે ઇન્ડિયા ગઠબંધનમાંથી ચૈતર વસાવા છે .લોકસભા ચૂંટણીને લઈ ચૈતર વસાવા દ્વારા  " તમારો દીકરો , તમારા દ્વાર" કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.  


2024માં ભરૂચની જનતા કોને પહોંચાડશે સંસદમાં? 

ભરૂચ લોકસભા બેઠકના જાતીય સમીકરણ અંગે વાત કરીએ તો અનુસૂચિત જનજાતિના ૪,૮૧ , ૦૦૦ જેટલા મતદારો છે , મુસ્લિમ સમાજના ૧,૪૮, ૦૦૦ , પટેલ સમાજના ૧૮૬૦૦૦ જેટલા મતદારો છે . આ લોકસભામાં આવે છે ૭ વિધાનસભાઓ કરજણ , ડેડીયાપાડા , જંબુસર , વાગરા , ઝગડીયા , ભરૂચ , અંકલેશ્વર . ૨૦૨૨માં ડેડીયાપાડા પરથી આપ ના ચૈતરભાઈ જીત્યા હતા આ સિવાયની બધીજ બેઠકો BJP એ જીતી લીધી હતી . તો જોઈએ ૨૦૨૪ના લોકસભામાં ભરૂચ પોતાના કયા દીકરાને સંસદમાં પહોંચાડે છે ? 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.