Bharuch Loksabha Seatનું સમજો સમીકરણ જ્યાં ભાજપ તરફથી મનસુખ વસાવા ઉમેદવાર છે તો સામે ચૂંટણી મેદાનમાં ચૈતર વસાવા છે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-15 18:00:45

લોકસભા ચૂંટણીને લઈ આવતી કાલે તારીખ જાહેર થઈ જશે. ગુજરાતની 24 બેઠકો માટે ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ બે બેઠકો માટે ગઠબંધન કર્યું છે. ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીએ ઉમેદવાર ઉતાર્યા છે. ભરૂચ લોકસભા બેઠક પર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ તેમના હાલના સાંસદ મનસુખ વસાવાને રિપીટ કર્યા છે. ભાજપ જ્યારે પણ કોઈ ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારે છે ત્યારે અનેક સમીકરણોને ધ્યાનમાં રાખતી હોય છે. ત્યારે આજે જાણીએ ભરૂચ લોકસભાના સમીકરણ વિશે....


શું છે ભરૂચ લોકસભા બેઠકનો ઈતિહાસ?

છેલ્લા ઘણા સમયથી ભરૂચ લોકસભા ચર્ચામાં છે. ચર્ચામાં હોવાના અનેક કારણો છે પરંતુ સૌથી મોટું કારણ કે ચૈતર વસાવા તેમજ મનસુખ વસાવા દ્વારા આપવામાં આવતા નિવેદનો. ભરૂચ લોકસભા બેઠક હાઈ પ્રોફાઈલ બેઠક છે. ૧૯૮૯ સુધી અહેમદ પટેલ અહીંના સાંસદ હતા, ૧૯૮૯માં ચંદુભાઈ દેશમુખે અહેમદ પટેલને હરાવ્યા , ૧૯૮૯થી ૧૯૯૮ સુધી ચંદુભાઈ સાંસદ રહ્યા આ પછી ૧૯૯૮થી છેલ્લા ૨૬ વર્ષ થી મનસુખ વસાવા જ સાંસદ છે.  આ વખતે આ ૨૦૨૪નો જંગ ખુબજ રસપ્રદ રહેશે , કેમ કે સામે ઇન્ડિયા ગઠબંધનમાંથી ચૈતર વસાવા છે .લોકસભા ચૂંટણીને લઈ ચૈતર વસાવા દ્વારા  " તમારો દીકરો , તમારા દ્વાર" કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.  


2024માં ભરૂચની જનતા કોને પહોંચાડશે સંસદમાં? 

ભરૂચ લોકસભા બેઠકના જાતીય સમીકરણ અંગે વાત કરીએ તો અનુસૂચિત જનજાતિના ૪,૮૧ , ૦૦૦ જેટલા મતદારો છે , મુસ્લિમ સમાજના ૧,૪૮, ૦૦૦ , પટેલ સમાજના ૧૮૬૦૦૦ જેટલા મતદારો છે . આ લોકસભામાં આવે છે ૭ વિધાનસભાઓ કરજણ , ડેડીયાપાડા , જંબુસર , વાગરા , ઝગડીયા , ભરૂચ , અંકલેશ્વર . ૨૦૨૨માં ડેડીયાપાડા પરથી આપ ના ચૈતરભાઈ જીત્યા હતા આ સિવાયની બધીજ બેઠકો BJP એ જીતી લીધી હતી . તો જોઈએ ૨૦૨૪ના લોકસભામાં ભરૂચ પોતાના કયા દીકરાને સંસદમાં પહોંચાડે છે ? 



જમાવટની ઈલેક્શન યાત્રા દ્વારકા પહોંચી હતી જે જામનગર લોકસભા સીટ અંતર્ગત આવે છે. દ્વારકાના મતદાતાઓ કયા મુદ્દાઓને જોઈને વોટ આપે છે, પીએમ તરીકે કોણ છે તેમની પસંદ તે જાણવાની કોશિશ જમાવટની ટીમે કરી હતી.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને આ બધા વચ્ચે જામનગર પહોંચ્યા હતા જીજ્ઞેશ મેવાણી. ઉપવાસ કરી રહેલી મહિલાઓને તેમણે પારણા કરાવ્યા હતા.

ગુજરાતમાં થોડા વર્ષો પહેલા પાટીદાર અનામત આંદોલન થયું હતું. સરકાર સામે આંદોલન શરૂ કરવા વાળા અનેક નેતાઓ રાજકીય પાર્ટીમાં જોડાઈ ગયા છે.. કોઈ ભાજપમાં તો કોઈ બીજી અન્ય પાર્ટીમાં જોડાઈ ગયા છે...

વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.