સમજો કેમ Bharuch Loksabhaનો જંગ પાણીપતનું ચોથું યુદ્ધ સાબિત થશે? શા માટે BJPએ મનસુખ વસાવાને બનાવ્યા ભરૂચ લોકસભા માટે ઉમેદવાર?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-09 12:42:58

લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીઓ માટે ગમે ત્યારે આચારસંહિતા લાગુ થઈ શકે છે . આ બાજુ BJPએ ગુજરાતમાંથી ૧૫ બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે તો બીજી બાજુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન પણ થઈ ચૂક્યું છે . અને ભરૂચ લોકસભા પરથી INDIA ગઠબંધનના ઉમેદવાર છે ચૈતર વસાવા અને સામે BJP ના ઉમેદવાર છે મનસુખ વસાવા. ત્યારે આજે સમજીએ ભરૂચ લોકસભા ચૂંટણી માટે બીજેપીએ કેમ મનસુખ વસાવાને પસંદ કર્યા? આ પાછળ ભાજપનું શું ગણિત રહેલું છે?  

ચૈતર વસાવાએ બનાવી દીધો ચૂંટણીનો માહોલ!

ભરૂચમાં અનેક વખત મનસુખ વસાવા Vs ચૈતર વસાવા જોવા મળતું હોય છે. એકબીજા પર આડકતરી રીતે અથવા તો સીધી રીતે એકબીજા પર વાર કરવામાં આવતા હોય છે. ભરૂચ લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ચૈતર વસાવા જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ડેડીયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા. જ્યારથી ૨૦૨૩ના ઓક્ટોબર મહિનામાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર extortionનો કેસ થયો આ પછી જેલમાં ગયા પછી બહાર આવ્યા ત્યારથી જ ભરૂચ લોકસભા પર ચૈતર વસાવાએ ચૂંટણીનો માહોલ બનાવી લીધો છે.


શું છે ભરૂચ લોકસભા સીટનો ઈતિહાસ? 

ભરૂચ લોકસભાને વિસ્તારથી સમજીએ તો આ ભરૂચ લોકસભામાં આવે છે ૭ વિધાનસભાઓ આવે છે. તે છે કરજણ , ડેડીયાપાડા , જંબુસર , વાગરા , ઝઘડીયા , ભરૂચ , અંકલેશ્વર . ૨૦૨૨ની વિધાનસભામાં ડેડીયાપાડા સિવાયની તમામે તમામ બેઠક BJPના ફાળે ગઈ હતી. જયારે એક માત્ર ડેડીયાપાડા પર આમ આદમી પાર્ટી એ વિજય પતાકા  લહેરાવી દીધી હતી.મહત્વનું છે કે ભરૂચ લોકસભા પર ૪૦ ટકા અનુસૂચિત જનજાતિના લોકો છે. આ બેઠક વિશે તમને જણાવી દઈએ કે તે ઓપન સીટ છે. ૧૯૭૭ થી લઈ ૧૯૮૯ સુધી કોંગ્રેસ નેતા અહેમદ પટેલ અહીંથી સાંસદ હતા , આ પછી BJP એ આ સીટ જીતવા ૧૯૮૯માં ચંદુભાઈ દેશમુખને ટિકિટ આપી , અને પછી  BJPએ ૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણીઓમાં નાંદોદ વિધાનસભા પરથી  આજ ચંદુભાઈ દેશમુખના દીકરી Dr દર્શનાબેન દેશમુખને ટિકિટ આપી હતી .

શું છે બીજેપીનો વોટ શેર?

જો ૧૯૯૦ના દાયકાની વાત કરીએ તો મનસુખ વસાવા છેક ૧૯૯૮ની પેટાચૂંટણીઓથી  ભરૂચ લોકસભાના સાંસદ છે . વાત કરીએ ભરૂચ લોકસભા પરના BJP પરના વોટ શેરની તો ૨૦૦૪ માં આ વોટ શેર ૪૪.૦૧ ટકા હતો આ પછી વધીને ૨૦૧૯માં ૫૫.૪૭ ટકા થઈ ગયો હતો . પંરતુ ૨૦૧૯થી મનસુખ વસાવાનો આ કાર્યકાલ ખુબજ વિવાદોમાં રહેલો છે. તેમણે બહુ જ બધી વાર પોતાની પાર્ટી BJPનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે , જેમ કે ૨૦૨૦માં તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. કારણ કે Ministry Of enviroment એ નર્મદા જિલ્લાના ૧૨૧ આદિવાસી ગામોને " Eco sensitive ZOne "માં નાખી દીધા હતા . જોકે આ પછી બીજા જ દિવસે તેમણે પોતાનું રાજીનામુ પાછું લઈ  લીધું હતું. 


આદિવાસી વિસ્તારમાં ઉમેદવારના ચહેરાને જોઈ થાય છે વોટ!

આ પછી તેમણે BJPમાં બહારથી આવેલા નેતાઓને લઈ આવવા પરનો વિરોધ કર્યો હતો , પાછલા સપ્ટેમ્બરમાં તો તેમણે પોતાની પાર્ટીના નેતાઓ પર ચૈતર વસાવાને બહારથી BJPમાં લઈ લેવા પર ખુલ્લો વિરોધ કર્યો હતો.  હવે BJP પાર્ટી તો ખુબ જ શિષ્ટાચાર વાળી પાર્ટી છે , તેમાં તો જે વિરોધ કરે તે પૂરું થઈ જાય તો પછી મનસુખ વસાવાને કેમ ફરી રિપીટ કરાયા છે ?તો વાત એમ છે કે આદિવાસી વિસ્તારોમાં વોટિંગ પાર્ટી જોઈને નથી થતું પણ ચેહરાઓ પર થાય છે.


પીએમ મોદી મળ્યા હતા મનસુખ વસાવાને!

બીજું કે ફેબ્રુઆરીના મધ્યમાં જયારે મધ્યપ્રદેશના જાબુંઆમાં BJPનું  National Tribal કન્વેનશન ભરાયું ત્યારે  PM મોદી વિવિધ આદિવાસી નેતાઓને મળ્યા હતા ત્યારે મનસુખભાઈનું નામ આ કન્વેનશનમાં ચર્ચામાં આવ્યું હતું . આ કન્વેનશન પછી એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે , મનસુખ વસાવા ફરી BJPનો ચેહરો બનશે . ત્રીજું કારણ કે મનસુખ વસાવાની છબી ખુબ જ સ્વચ્છ છે , તેમના બિઝિનેસ એટલે કે વેપારી પ્રજા સાથે ખુબ સારા સંબંધો છે. આ કારણોને ધ્યાનમાં રાખી બીજેપીએ મનસુખ વસાવાને ભરૂચ બેઠક માટે રિપીટ કર્યા હોય તેવી ગણતરી છે.  

 



ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..

ગુજરાતની સુરત લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ્દ થયું. તે બાદ સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે.. તેઓ ભાજપમાં જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે..