રાજસ્થાનના બેરોજગાર અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય આવ્યા !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 19:15:31

 

ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે રાજસ્થાનના બેરોજગાર યુવાનો અશોક ગેહલોત સરકારનો વિરોધ કરવા આજે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ કરીને રાજસ્થાનથી આવેલા બેરોજગાર યુવાનોએ આંદોલન શરૂ કર્યું છે. યુવાઓએ રાજસ્થાનની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ કેટલીક માગણીઓને લઈને દાંડી યાત્રા કાઢી છે.

 

કેટલી માંગણીઓને લઈને યાત્રા કાઢી ?

  • કોમ્પ્યુટર પ્રશિક્ષકની ભરતીમાં 40%ની ફરજિયાત છૂટ આપીને તમામ ખાલી જગ્યાઓ ભરવામાં આવે.
  • 2100+544 જગ્યાઓ માટે પંચાયતી રાજ JEN ભરતીની રજૂઆત.
  • ગ્રામ પંચાયત -મિત્ર ઓપરેટર એસોસિએશન સાથે સંકળાયેલા -મિત્ર ઓપરેટર ઉમેદવારોની તમામ માંગણીઓ વહેલી તકે પૂરી કરવામાં આવે.
  • ITI કોલેજોમાં જુનિયર પ્રશિક્ષકની 1500 જગ્યાઓ પર વહેલી તકે ભરતી જારી કરવી જોઈએ.
  • શિક્ષકની ભરતીમાં વિશેષ શિક્ષકોની વધુને વધુ જગ્યાઓ દૂર કરવી જોઈએ.
  • સ્પર્ધાત્મક ભરતીની પરીક્ષાઓમાં OBC EWSના નવીનતમ પ્રમાણપત્રોને માન્ય કરેલ છે અને પ્રમાણપત્રને કારણે કોઈપણ પસંદ કરેલ ઉમેદવારોને બાકાત રાખવા જોઈએ નહીં.

 

ઉપરાંત યુવાનોએ નવી ભરતીની પણ માંગ કરી છે તેમને રેડિયોગ્રાફર, લેબ ટેકનિશિયન, જુનિયર એકાઉન્ટન્ટ, એગ્રીકલ્ચર સુપરવાઈઝર, એલડીસી, આરએએસ, ઈસીજી, એસઆઈ, સીએચઓ, ઈન્ફોર્મેટિક્સ આસિસ્ટન્ટ, પ્રોગ્રામર, ડેન્ટીસ્ટ ચિકિત્સક, નર્સ ગ્રેડ 2, એએનએમ, પશુધન મદદનીશ, OT ટેકનિશિયન, સ્ટેનોગ્રાફર APRO PRO, મદદનીશ ખેતી અધિકારી, સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-4 ના કર્મચારી, કોલેજ શિક્ષણમાં પીટીઆઈ લાઈબ્રેરીયન અને પાણી પુરવઠા વિભાગમાં નવી ભરતી થવી જોઈએ. 

 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.