રાજસ્થાનના બેરોજગાર અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય આવ્યા !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 19:15:31

 

ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે રાજસ્થાનના બેરોજગાર યુવાનો અશોક ગેહલોત સરકારનો વિરોધ કરવા આજે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ કરીને રાજસ્થાનથી આવેલા બેરોજગાર યુવાનોએ આંદોલન શરૂ કર્યું છે. યુવાઓએ રાજસ્થાનની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ કેટલીક માગણીઓને લઈને દાંડી યાત્રા કાઢી છે.

 

કેટલી માંગણીઓને લઈને યાત્રા કાઢી ?

  • કોમ્પ્યુટર પ્રશિક્ષકની ભરતીમાં 40%ની ફરજિયાત છૂટ આપીને તમામ ખાલી જગ્યાઓ ભરવામાં આવે.
  • 2100+544 જગ્યાઓ માટે પંચાયતી રાજ JEN ભરતીની રજૂઆત.
  • ગ્રામ પંચાયત -મિત્ર ઓપરેટર એસોસિએશન સાથે સંકળાયેલા -મિત્ર ઓપરેટર ઉમેદવારોની તમામ માંગણીઓ વહેલી તકે પૂરી કરવામાં આવે.
  • ITI કોલેજોમાં જુનિયર પ્રશિક્ષકની 1500 જગ્યાઓ પર વહેલી તકે ભરતી જારી કરવી જોઈએ.
  • શિક્ષકની ભરતીમાં વિશેષ શિક્ષકોની વધુને વધુ જગ્યાઓ દૂર કરવી જોઈએ.
  • સ્પર્ધાત્મક ભરતીની પરીક્ષાઓમાં OBC EWSના નવીનતમ પ્રમાણપત્રોને માન્ય કરેલ છે અને પ્રમાણપત્રને કારણે કોઈપણ પસંદ કરેલ ઉમેદવારોને બાકાત રાખવા જોઈએ નહીં.

 

ઉપરાંત યુવાનોએ નવી ભરતીની પણ માંગ કરી છે તેમને રેડિયોગ્રાફર, લેબ ટેકનિશિયન, જુનિયર એકાઉન્ટન્ટ, એગ્રીકલ્ચર સુપરવાઈઝર, એલડીસી, આરએએસ, ઈસીજી, એસઆઈ, સીએચઓ, ઈન્ફોર્મેટિક્સ આસિસ્ટન્ટ, પ્રોગ્રામર, ડેન્ટીસ્ટ ચિકિત્સક, નર્સ ગ્રેડ 2, એએનએમ, પશુધન મદદનીશ, OT ટેકનિશિયન, સ્ટેનોગ્રાફર APRO PRO, મદદનીશ ખેતી અધિકારી, સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-4 ના કર્મચારી, કોલેજ શિક્ષણમાં પીટીઆઈ લાઈબ્રેરીયન અને પાણી પુરવઠા વિભાગમાં નવી ભરતી થવી જોઈએ. 

 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.