રાજસ્થાનના બેરોજગાર અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય આવ્યા !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 19:15:31

 

ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે રાજસ્થાનના બેરોજગાર યુવાનો અશોક ગેહલોત સરકારનો વિરોધ કરવા આજે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ કરીને રાજસ્થાનથી આવેલા બેરોજગાર યુવાનોએ આંદોલન શરૂ કર્યું છે. યુવાઓએ રાજસ્થાનની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ કેટલીક માગણીઓને લઈને દાંડી યાત્રા કાઢી છે.

 

કેટલી માંગણીઓને લઈને યાત્રા કાઢી ?

  • કોમ્પ્યુટર પ્રશિક્ષકની ભરતીમાં 40%ની ફરજિયાત છૂટ આપીને તમામ ખાલી જગ્યાઓ ભરવામાં આવે.
  • 2100+544 જગ્યાઓ માટે પંચાયતી રાજ JEN ભરતીની રજૂઆત.
  • ગ્રામ પંચાયત -મિત્ર ઓપરેટર એસોસિએશન સાથે સંકળાયેલા -મિત્ર ઓપરેટર ઉમેદવારોની તમામ માંગણીઓ વહેલી તકે પૂરી કરવામાં આવે.
  • ITI કોલેજોમાં જુનિયર પ્રશિક્ષકની 1500 જગ્યાઓ પર વહેલી તકે ભરતી જારી કરવી જોઈએ.
  • શિક્ષકની ભરતીમાં વિશેષ શિક્ષકોની વધુને વધુ જગ્યાઓ દૂર કરવી જોઈએ.
  • સ્પર્ધાત્મક ભરતીની પરીક્ષાઓમાં OBC EWSના નવીનતમ પ્રમાણપત્રોને માન્ય કરેલ છે અને પ્રમાણપત્રને કારણે કોઈપણ પસંદ કરેલ ઉમેદવારોને બાકાત રાખવા જોઈએ નહીં.

 

ઉપરાંત યુવાનોએ નવી ભરતીની પણ માંગ કરી છે તેમને રેડિયોગ્રાફર, લેબ ટેકનિશિયન, જુનિયર એકાઉન્ટન્ટ, એગ્રીકલ્ચર સુપરવાઈઝર, એલડીસી, આરએએસ, ઈસીજી, એસઆઈ, સીએચઓ, ઈન્ફોર્મેટિક્સ આસિસ્ટન્ટ, પ્રોગ્રામર, ડેન્ટીસ્ટ ચિકિત્સક, નર્સ ગ્રેડ 2, એએનએમ, પશુધન મદદનીશ, OT ટેકનિશિયન, સ્ટેનોગ્રાફર APRO PRO, મદદનીશ ખેતી અધિકારી, સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-4 ના કર્મચારી, કોલેજ શિક્ષણમાં પીટીઆઈ લાઈબ્રેરીયન અને પાણી પુરવઠા વિભાગમાં નવી ભરતી થવી જોઈએ. 

 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.