વધતી મોંઘવારી અને બેરોજગારી ભારતના લોકોની મોટી ચિંતા: સર્વે


  • Published By :
  • Published Date : 2023-07-31 17:46:16

ભારતના લોકો માટે સૌથી મોટો ચિંતાનો વિષય કયો છે? આ સવાલના અનેક જવાબ મળી શકે. વિશ્વના અગ્રણી માર્કેટ રિસર્ચર ઈપ્સોસ (Ipsos) દ્વારા કરવામાં આવેલા સર્વે ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. ઈપ્સોસ દ્વારા જાહેર કરાયેલો રિપોર્ટ વ્હોટ વરીઝ ધ વર્લ્ડ નામના વૈશ્વિક મેગેઝીનમાં પ્રગટ થયો છે. આ સર્વે મુજબ ભારતના લોકો માટે મોંઘવારી અને બેકારી ટોચની સમસ્યાઓ છે. 40 ટકા લોકોએ બેરોજગારી જ્યારે 45 ટકા લોકોએ મોંઘવારી મુખ્ય ચિંતા ગણાવી હતી. આ પછી નાણાકીય અને રાજકીય ભ્રષ્ટાચાર 27 ટકા, અપરાધ અને હિંસા 24 ટકા અને અંતે ગરીબી અને સામાજિક અસમાનતા 22 ટકા હતી.

 

સર્વેમાં બીજું શું બહાર આવ્યું?


સર્વેના તારણો પર પ્રકાશ પાડતા, ઈપ્સોસે જણાવ્યું હતું કે જુલાઈ 2023માં મોંઘવારી અને બેરોજગારીમાં થોડી રાહત જોવા મળી હતી જે "સારો સંકેત" છે.  સુધારાઓ હોવા છતાં, મુદ્દાઓનો વ્યાપ યથાવત છે, જે તંગદીલીપૂર્ણ વૈશ્વિક વાતાવરણ, વૈશ્વિક આર્થિક મંદી અને યુક્રેનમાં યુદ્ધ, પૂર અને અતિશય વરસાદને કારણે સમસ્યા યથાવત છે. જો કે, કેટલાક રાજ્યોમાં ખેત પેદાશોનું વિપુલ ઉત્પાદન પાક સાથે આગામી ત્રિમાસિકમાં સ્થિતિ વધુ સ્થિર થવાની ધારણા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.