વધતી મોંઘવારી અને બેરોજગારી ભારતના લોકોની મોટી ચિંતા: સર્વે


  • Published By :
  • Published Date : 2023-07-31 17:46:16

ભારતના લોકો માટે સૌથી મોટો ચિંતાનો વિષય કયો છે? આ સવાલના અનેક જવાબ મળી શકે. વિશ્વના અગ્રણી માર્કેટ રિસર્ચર ઈપ્સોસ (Ipsos) દ્વારા કરવામાં આવેલા સર્વે ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. ઈપ્સોસ દ્વારા જાહેર કરાયેલો રિપોર્ટ વ્હોટ વરીઝ ધ વર્લ્ડ નામના વૈશ્વિક મેગેઝીનમાં પ્રગટ થયો છે. આ સર્વે મુજબ ભારતના લોકો માટે મોંઘવારી અને બેકારી ટોચની સમસ્યાઓ છે. 40 ટકા લોકોએ બેરોજગારી જ્યારે 45 ટકા લોકોએ મોંઘવારી મુખ્ય ચિંતા ગણાવી હતી. આ પછી નાણાકીય અને રાજકીય ભ્રષ્ટાચાર 27 ટકા, અપરાધ અને હિંસા 24 ટકા અને અંતે ગરીબી અને સામાજિક અસમાનતા 22 ટકા હતી.

 

સર્વેમાં બીજું શું બહાર આવ્યું?


સર્વેના તારણો પર પ્રકાશ પાડતા, ઈપ્સોસે જણાવ્યું હતું કે જુલાઈ 2023માં મોંઘવારી અને બેરોજગારીમાં થોડી રાહત જોવા મળી હતી જે "સારો સંકેત" છે.  સુધારાઓ હોવા છતાં, મુદ્દાઓનો વ્યાપ યથાવત છે, જે તંગદીલીપૂર્ણ વૈશ્વિક વાતાવરણ, વૈશ્વિક આર્થિક મંદી અને યુક્રેનમાં યુદ્ધ, પૂર અને અતિશય વરસાદને કારણે સમસ્યા યથાવત છે. જો કે, કેટલાક રાજ્યોમાં ખેત પેદાશોનું વિપુલ ઉત્પાદન પાક સાથે આગામી ત્રિમાસિકમાં સ્થિતિ વધુ સ્થિર થવાની ધારણા છે.



લોકસભા ચૂંટણીમાં સૌથી વધારે રાજકોટ લોકસભા બેઠકની ચર્ચા થઈ હતી. પરેશ ધાનાણીએ મતદાન પૂર્ણ થયા બાદ પ્રતિક્રિયા આપી છે જેમાં તે કહી રહ્યા છે કે રાજકોટ કોંગ્રેસ જીતે છે.

ગુજરાતમાં સાતમી તારીખે લોકસભા ચૂંટણી માટે મતદાન થયું હતું. આ વખતની ચૂંટણીમાં મતદાતાઓમાં નિરસતા દેખાઈ હતી.. ચૂંટણી પંચ દ્વારા ક્યા કેટલું મતદાન થયું તેનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે... જે મુજબ ગુજરાતમાં 60.13 ટકા મતદાન થયું છે...

સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.