વધતી મોંઘવારી અને બેરોજગારી ભારતના લોકોની મોટી ચિંતા: સર્વે


  • Published By :
  • Published Date : 2023-07-31 17:46:16

ભારતના લોકો માટે સૌથી મોટો ચિંતાનો વિષય કયો છે? આ સવાલના અનેક જવાબ મળી શકે. વિશ્વના અગ્રણી માર્કેટ રિસર્ચર ઈપ્સોસ (Ipsos) દ્વારા કરવામાં આવેલા સર્વે ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. ઈપ્સોસ દ્વારા જાહેર કરાયેલો રિપોર્ટ વ્હોટ વરીઝ ધ વર્લ્ડ નામના વૈશ્વિક મેગેઝીનમાં પ્રગટ થયો છે. આ સર્વે મુજબ ભારતના લોકો માટે મોંઘવારી અને બેકારી ટોચની સમસ્યાઓ છે. 40 ટકા લોકોએ બેરોજગારી જ્યારે 45 ટકા લોકોએ મોંઘવારી મુખ્ય ચિંતા ગણાવી હતી. આ પછી નાણાકીય અને રાજકીય ભ્રષ્ટાચાર 27 ટકા, અપરાધ અને હિંસા 24 ટકા અને અંતે ગરીબી અને સામાજિક અસમાનતા 22 ટકા હતી.

 

સર્વેમાં બીજું શું બહાર આવ્યું?


સર્વેના તારણો પર પ્રકાશ પાડતા, ઈપ્સોસે જણાવ્યું હતું કે જુલાઈ 2023માં મોંઘવારી અને બેરોજગારીમાં થોડી રાહત જોવા મળી હતી જે "સારો સંકેત" છે.  સુધારાઓ હોવા છતાં, મુદ્દાઓનો વ્યાપ યથાવત છે, જે તંગદીલીપૂર્ણ વૈશ્વિક વાતાવરણ, વૈશ્વિક આર્થિક મંદી અને યુક્રેનમાં યુદ્ધ, પૂર અને અતિશય વરસાદને કારણે સમસ્યા યથાવત છે. જો કે, કેટલાક રાજ્યોમાં ખેત પેદાશોનું વિપુલ ઉત્પાદન પાક સાથે આગામી ત્રિમાસિકમાં સ્થિતિ વધુ સ્થિર થવાની ધારણા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.