વધતી મોંઘવારી અને બેરોજગારી ભારતના લોકોની મોટી ચિંતા: સર્વે


  • Published By :
  • Published Date : 2023-07-31 17:46:16

ભારતના લોકો માટે સૌથી મોટો ચિંતાનો વિષય કયો છે? આ સવાલના અનેક જવાબ મળી શકે. વિશ્વના અગ્રણી માર્કેટ રિસર્ચર ઈપ્સોસ (Ipsos) દ્વારા કરવામાં આવેલા સર્વે ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. ઈપ્સોસ દ્વારા જાહેર કરાયેલો રિપોર્ટ વ્હોટ વરીઝ ધ વર્લ્ડ નામના વૈશ્વિક મેગેઝીનમાં પ્રગટ થયો છે. આ સર્વે મુજબ ભારતના લોકો માટે મોંઘવારી અને બેકારી ટોચની સમસ્યાઓ છે. 40 ટકા લોકોએ બેરોજગારી જ્યારે 45 ટકા લોકોએ મોંઘવારી મુખ્ય ચિંતા ગણાવી હતી. આ પછી નાણાકીય અને રાજકીય ભ્રષ્ટાચાર 27 ટકા, અપરાધ અને હિંસા 24 ટકા અને અંતે ગરીબી અને સામાજિક અસમાનતા 22 ટકા હતી.

 

સર્વેમાં બીજું શું બહાર આવ્યું?


સર્વેના તારણો પર પ્રકાશ પાડતા, ઈપ્સોસે જણાવ્યું હતું કે જુલાઈ 2023માં મોંઘવારી અને બેરોજગારીમાં થોડી રાહત જોવા મળી હતી જે "સારો સંકેત" છે.  સુધારાઓ હોવા છતાં, મુદ્દાઓનો વ્યાપ યથાવત છે, જે તંગદીલીપૂર્ણ વૈશ્વિક વાતાવરણ, વૈશ્વિક આર્થિક મંદી અને યુક્રેનમાં યુદ્ધ, પૂર અને અતિશય વરસાદને કારણે સમસ્યા યથાવત છે. જો કે, કેટલાક રાજ્યોમાં ખેત પેદાશોનું વિપુલ ઉત્પાદન પાક સાથે આગામી ત્રિમાસિકમાં સ્થિતિ વધુ સ્થિર થવાની ધારણા છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .