આ બજેટથી શું રોજગારી વધશે, નાણામંત્રીએ નોકરીઓ વધારવા અંગે શું વાયદા કર્યા છે?


  • Published By :
  • Published Date : 2023-02-01 16:29:48

નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે બુધવારે, 1 ફેબ્રુઆરીના દિવસે મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ હતું. આવી સ્થિતીમાં સીતારમણે તમામ મોટી જાહેરાત કરી છે. તેમણે બજેટ 2023માં રોજગારને લઈ શું જાહેરાતો કરી છે તે જાણીએ.


સ્કિલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર

નાણામંત્રીના જણાવ્યા અનુસાર, સ્ટાર્ટઅપ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઈનોવેશન અને રિસર્ચ માટે નેશનલ ડેટા ગવર્નન્સ પોલિસી લાવવામાં આવશે. આનાથી દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ ડેટા એક્સેસ કરવાનું સરળ બનશે. આ યુવાનોને આંતરરાષ્ટ્રીય તકો માટે તૈયાર કરશે. આ યોજનાના અમલા માટે વિવિધ રાજ્યોમાં 30 સ્કીલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરો સ્થાપવામાં આવશે. આ સાથે જ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના ચોથા તબક્કાની શરૂઆત કરવામાં આવશે.


 ગામડા સુધી રોજગાર

બજેટ 2023માં સરકારે ગામડાઓમાં યુવાનોને રોજગાર આપવાની વાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણના જણાવ્યા અનુસાર, કૃષિ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે એગ્રીકલ્ચર ફંડની સ્થાપના કરવામાં આવશે. આગામી 3 વર્ષ સુધી 1 કરોડ ખેડૂતોને કુદરતી ખેતીમાં મદદ કરવામાં આવશે. આ માટે 10,000 બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે.

 

5Gથી રોજગારીનો માર્ગ

નાણામંત્રીના જણાવ્યા અનુસાર, 5G સેવા પર ચાલતી એપ્સ વિકસાવવા માટે એન્જિનિયરિંગ સંસ્થાઓમાં 100 લેબની સ્થાપના કરવામાં આવશે. આ લેબ દ્વારા નવા બિઝનેસ મોડલ અને રોજગારની શક્યતાઓ ઉભી કરવામાં આવશે. આ લેબ્સમાં સ્માર્ટ ક્લાસરૂમ, પ્રિસાઈજન ફાર્મિંગ, ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અને હેલ્થકેર જેવા ક્ષેત્રો માટેની એપ્સ વિકસાવવામાં આવશે.


શિક્ષકોની ભરતી, ડીજીટલ લાયબ્રેરી

બજેટ 2023માં આદિવાસીઓ માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. આ મુજબ આગામી 3 વર્ષમાં 740 એકલવ્ય શાળાઓ માટે 38 હજાર 800 શિક્ષકો અને સહાયક કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે. 3.5 લાખ આદિવાસી વિદ્યાર્થીઓને આનો લાભ મળશે તેવું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત 2014થી હાલની 157 મેડિકલ કોલેજો સાથે 157 નવી નર્સિંગ કોલેજો ખોલવામાં આવશે. આ ઉપરાંત અનેક યુવાનો માટે રોજગારની વ્યવસ્થા કરવામાં આવશે.



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.