આ બજેટથી શું રોજગારી વધશે, નાણામંત્રીએ નોકરીઓ વધારવા અંગે શું વાયદા કર્યા છે?


  • Published By :
  • Published Date : 2023-02-01 16:29:48

નાણામંત્રી નિર્મલા સિતારમણે આજે બુધવારે, 1 ફેબ્રુઆરીના દિવસે મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ હતું. આવી સ્થિતીમાં સીતારમણે તમામ મોટી જાહેરાત કરી છે. તેમણે બજેટ 2023માં રોજગારને લઈ શું જાહેરાતો કરી છે તે જાણીએ.


સ્કિલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર

નાણામંત્રીના જણાવ્યા અનુસાર, સ્ટાર્ટઅપ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઈનોવેશન અને રિસર્ચ માટે નેશનલ ડેટા ગવર્નન્સ પોલિસી લાવવામાં આવશે. આનાથી દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ ડેટા એક્સેસ કરવાનું સરળ બનશે. આ યુવાનોને આંતરરાષ્ટ્રીય તકો માટે તૈયાર કરશે. આ યોજનાના અમલા માટે વિવિધ રાજ્યોમાં 30 સ્કીલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટરો સ્થાપવામાં આવશે. આ સાથે જ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના ચોથા તબક્કાની શરૂઆત કરવામાં આવશે.


 ગામડા સુધી રોજગાર

બજેટ 2023માં સરકારે ગામડાઓમાં યુવાનોને રોજગાર આપવાની વાત કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણના જણાવ્યા અનુસાર, કૃષિ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે એગ્રીકલ્ચર ફંડની સ્થાપના કરવામાં આવશે. આગામી 3 વર્ષ સુધી 1 કરોડ ખેડૂતોને કુદરતી ખેતીમાં મદદ કરવામાં આવશે. આ માટે 10,000 બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે.

 

5Gથી રોજગારીનો માર્ગ

નાણામંત્રીના જણાવ્યા અનુસાર, 5G સેવા પર ચાલતી એપ્સ વિકસાવવા માટે એન્જિનિયરિંગ સંસ્થાઓમાં 100 લેબની સ્થાપના કરવામાં આવશે. આ લેબ દ્વારા નવા બિઝનેસ મોડલ અને રોજગારની શક્યતાઓ ઉભી કરવામાં આવશે. આ લેબ્સમાં સ્માર્ટ ક્લાસરૂમ, પ્રિસાઈજન ફાર્મિંગ, ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અને હેલ્થકેર જેવા ક્ષેત્રો માટેની એપ્સ વિકસાવવામાં આવશે.


શિક્ષકોની ભરતી, ડીજીટલ લાયબ્રેરી

બજેટ 2023માં આદિવાસીઓ માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. આ મુજબ આગામી 3 વર્ષમાં 740 એકલવ્ય શાળાઓ માટે 38 હજાર 800 શિક્ષકો અને સહાયક કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે. 3.5 લાખ આદિવાસી વિદ્યાર્થીઓને આનો લાભ મળશે તેવું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત 2014થી હાલની 157 મેડિકલ કોલેજો સાથે 157 નવી નર્સિંગ કોલેજો ખોલવામાં આવશે. આ ઉપરાંત અનેક યુવાનો માટે રોજગારની વ્યવસ્થા કરવામાં આવશે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.