Parliamentમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ કરી રહ્યા છે શ્વેત પત્ર રજૂ, પરિવારવાદ પર નાણામંત્રીએ કહ્યું કે..


  • Published By :
  • Published Date : 2024-02-09 13:32:11

સંસદમાં આજે કેન્દ્રીય નાણામંત્રી શ્વેત પત્ર રજૂ કરી રહ્યા છે. શ્વેત પત્રને રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. પોતાના સંબોધનમાં નાણામંત્રીએ કોંગ્રેસના સમયનો ઉલ્લેખ કર્યો હતો. ગઈકાલથી આને લઈ ચર્ચા કરવામાં આવી રહી છે. લોકસભામાં શ્વેત પત્ર પર ચર્ચા કરતા નાણામંત્રીએ કહ્યું કે એક સરકારના 10 વર્ષ અમુક કટોકટી સાથે અને 10 વર્ષ અલગ સરકારના વિવિધ કટોકટી સાથે. આ 'વ્હાઈટ પેપર'માં દર્શાવેલ સરખામણી સ્પષ્ટપણે જણાવે છે કે જો સરકાર સાચી ઈમાનદારી, પારદર્શિતા અને રાષ્ટ્રને પ્રથમ સ્થાને રાખીને તેને કેવી રીતે હેન્ડલ કરે છે, તો તેના પરિણામો દરેકને જોવા માટે છે.

"જ્યારે તમે રાષ્ટ્રને પ્રથમ સ્થાન ન આપો ત્યારે..."

કોંગ્રેસ પર તો તેમણે પ્રહાર કર્યા પરંતુ પરિવારવાદને લઈને તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પ્રહાર કરતા તેમણે કહ્યું જ્યારે તમે રાષ્ટ્રને પ્રથમ સ્થાન ન આપો, જ્યારે તમે તમારા કુટુંબને પ્રથમ સ્થાન આપો, અને જ્યારે તમારી પાસે પારદર્શિતા સિવાય અન્ય વિચારણા હોય, ત્યારે પરિણામો તમારા માટે બહાર છે. તેથી 2008 પછી શું થયું જ્યારે વૈશ્વિક નાણાકીય કટોકટી હતી અને કોવિડ પછી શું થયું તે સ્પષ્ટપણે દર્શાવે છે કે જો સરકારનો ઉદ્દેશ નિષ્ઠાવાન હશે તો પરિણામો સારા આવશે...  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.