Parliamentમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ કરી રહ્યા છે શ્વેત પત્ર રજૂ, પરિવારવાદ પર નાણામંત્રીએ કહ્યું કે..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-09 13:32:11

સંસદમાં આજે કેન્દ્રીય નાણામંત્રી શ્વેત પત્ર રજૂ કરી રહ્યા છે. શ્વેત પત્રને રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. પોતાના સંબોધનમાં નાણામંત્રીએ કોંગ્રેસના સમયનો ઉલ્લેખ કર્યો હતો. ગઈકાલથી આને લઈ ચર્ચા કરવામાં આવી રહી છે. લોકસભામાં શ્વેત પત્ર પર ચર્ચા કરતા નાણામંત્રીએ કહ્યું કે એક સરકારના 10 વર્ષ અમુક કટોકટી સાથે અને 10 વર્ષ અલગ સરકારના વિવિધ કટોકટી સાથે. આ 'વ્હાઈટ પેપર'માં દર્શાવેલ સરખામણી સ્પષ્ટપણે જણાવે છે કે જો સરકાર સાચી ઈમાનદારી, પારદર્શિતા અને રાષ્ટ્રને પ્રથમ સ્થાને રાખીને તેને કેવી રીતે હેન્ડલ કરે છે, તો તેના પરિણામો દરેકને જોવા માટે છે.

"જ્યારે તમે રાષ્ટ્રને પ્રથમ સ્થાન ન આપો ત્યારે..."

કોંગ્રેસ પર તો તેમણે પ્રહાર કર્યા પરંતુ પરિવારવાદને લઈને તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પ્રહાર કરતા તેમણે કહ્યું જ્યારે તમે રાષ્ટ્રને પ્રથમ સ્થાન ન આપો, જ્યારે તમે તમારા કુટુંબને પ્રથમ સ્થાન આપો, અને જ્યારે તમારી પાસે પારદર્શિતા સિવાય અન્ય વિચારણા હોય, ત્યારે પરિણામો તમારા માટે બહાર છે. તેથી 2008 પછી શું થયું જ્યારે વૈશ્વિક નાણાકીય કટોકટી હતી અને કોવિડ પછી શું થયું તે સ્પષ્ટપણે દર્શાવે છે કે જો સરકારનો ઉદ્દેશ નિષ્ઠાવાન હશે તો પરિણામો સારા આવશે...  



આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.