Parliamentમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ કરી રહ્યા છે શ્વેત પત્ર રજૂ, પરિવારવાદ પર નાણામંત્રીએ કહ્યું કે..


  • Published By :
  • Published Date : 2024-02-09 13:32:11

સંસદમાં આજે કેન્દ્રીય નાણામંત્રી શ્વેત પત્ર રજૂ કરી રહ્યા છે. શ્વેત પત્રને રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. પોતાના સંબોધનમાં નાણામંત્રીએ કોંગ્રેસના સમયનો ઉલ્લેખ કર્યો હતો. ગઈકાલથી આને લઈ ચર્ચા કરવામાં આવી રહી છે. લોકસભામાં શ્વેત પત્ર પર ચર્ચા કરતા નાણામંત્રીએ કહ્યું કે એક સરકારના 10 વર્ષ અમુક કટોકટી સાથે અને 10 વર્ષ અલગ સરકારના વિવિધ કટોકટી સાથે. આ 'વ્હાઈટ પેપર'માં દર્શાવેલ સરખામણી સ્પષ્ટપણે જણાવે છે કે જો સરકાર સાચી ઈમાનદારી, પારદર્શિતા અને રાષ્ટ્રને પ્રથમ સ્થાને રાખીને તેને કેવી રીતે હેન્ડલ કરે છે, તો તેના પરિણામો દરેકને જોવા માટે છે.

"જ્યારે તમે રાષ્ટ્રને પ્રથમ સ્થાન ન આપો ત્યારે..."

કોંગ્રેસ પર તો તેમણે પ્રહાર કર્યા પરંતુ પરિવારવાદને લઈને તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પ્રહાર કરતા તેમણે કહ્યું જ્યારે તમે રાષ્ટ્રને પ્રથમ સ્થાન ન આપો, જ્યારે તમે તમારા કુટુંબને પ્રથમ સ્થાન આપો, અને જ્યારે તમારી પાસે પારદર્શિતા સિવાય અન્ય વિચારણા હોય, ત્યારે પરિણામો તમારા માટે બહાર છે. તેથી 2008 પછી શું થયું જ્યારે વૈશ્વિક નાણાકીય કટોકટી હતી અને કોવિડ પછી શું થયું તે સ્પષ્ટપણે દર્શાવે છે કે જો સરકારનો ઉદ્દેશ નિષ્ઠાવાન હશે તો પરિણામો સારા આવશે...  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.