કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું વર્ષ 2024 માટેનું બજેટ, જાણો શેમાં શું કરવામાં આવ્યો બદલાવ?


  • Published By :
  • Published Date : 2024-07-23 16:20:08

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આજે બજેટ રજૂ કર્યું છે. બજેટ રજૂ કરતી વખતે એવું કહેવામાં આવ્યું કે તેમનું આ બજેટ ગરીબ,ખેડૂત, યુવા અને મહિલાઓ માટે છે. ઉપરાંત સરકાર આ બજેટને નવી ક્રાંતિ લાવનારું પણ ગણાવે છે. હજારો કરોડો રૂપિયા અનેક યોજનાઓ માટે ફાળવવામાં આવ્યા છે. મહિલાઓ, યુવાઓ, ખેડૂતો માટે અનેક જાહેરાત કરવામાં આવી છે. 

Income Tax સ્લેબમાં કરવામાં આવ્યા આ બદલાવ

સૌ કોઈની નજર ઈન્કમ ટેક્સના સ્લેબ પર રહેલી હતી.. ઈન્ક્મ ટેક્સના સ્લેબમાં બદલાવ જાહેર કર્યા છે. નવા ટેક્સ સ્લેબ પ્રમાણે ૩ લાખ સુધીની આવક પર નીલ, આ પછી 3 થી 7 લાખ સુધીની આવક પર 10 ટકા, 10 લાખથી 12 લાખ સુધીની આવક પર 15 ટકા, 12થી 15 લાખ સુધીની આવક પર 20 ટકા, 15 લાખથી વધુની આવક પર 30 ટકા કરના દર હશે. આ તરફ સરકારે, લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સમાં 10 ટકાથી વધારો કરીને 12.5 ટકા કર્યો છે. અને શોર્ટ ટર્મ કેપિટલ ગેન ટેક્સ તો હવે 20 ટકા હશે . અહીં સરકારે એક હાથથી આપવાની તો બીજી બાજુ એક હાથથી લેવાની નીતિ અપનાવી છે. 

યુવાનો માટે શું કરવામાં આવી જાહેરાત?

હવે વાત કરીએ યુવા વર્ગની તો, સરકારે આ બજેટમાં રોજગારી, શિક્ષણ અને સ્કિલ માટે 2 લાખ કરોડ રૂપિયાની પાંચ યોજનાઓ જાહેર કરી છે. જોકે ઇકોનોમિક સર્વે જે ગઈકાલે આવ્યો તેમાં જાહેરાત કરવામાં આવી હતી કે , ભારતની કુલ 65 ટકા વસ્તીએ ૩૫ વર્ષથી ઓછી ઉંમરની છે . જેમાંથી માત્ર ૫૧ ટકા યુવાનો રોજગારી મેળવવા ફિટ છે , એટલે આ સર્વે એક વસ્તુ પર પ્રકાશ પાડે છે કે , દર બે માંથી 1 graduateએ UNFIT છે  નોકરી મેળવવા. એટલે સરકાર પાસે યુવાનોને નોકરી આપવા માટે કોઈ ઠોસ યોજના જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. 

બિહાર અને આંધ્ર પ્રદેશને આપવામાં આવ્યું ફંડ

સરકારે આંધ્રપ્રદેશ અને બિહારને સ્પેશ્યલ કેટેગરી સ્ટેટસ તો નથી આપ્યું પણ પેકેજ આપવામાં આવ્યું છે. જેમ કે બિહારને 26000 કરોડ આપવાની જાહેરાત કરી છે. સરકારે પૂર્વોદય યોજનાનો શુભારંભ કર્યો છે. જેનાથી બિહારમાં Road નેટવર્કનો વિકાસ કરવામાં આવશે. અમ્રિતસર અને કોલકાતા વચ્ચે એક Industrial કોરિડોર બનાવામાં આવશે . હવે વાત કરીએ આંધ્ર પ્રદેશની તો , ત્યાંની રાજધાની અમરાવતીના વિકાસ માટે 15000 હજાર કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે . અહીં એક બીજો પ્રશ્ન થાય છે આ સિવાય જે બીજા અલ્પવિકસિત રાજ્યો છે તેમની માટે શું?  

આટલી વસ્તુઓ થઈ સસ્તી

સરકારે તો તેમના  ગઠબંધન સાથીઓને સાચવી લીધા . કેન્દ્ર સરકાર પાસે તક હતી કે , મધ્યમ વર્ગને સાચવી લે પણ તેમણે આવું નથી કર્યું. સરકારે બજેટમાં કેટલીક મહત્વની વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત કરી છે, જેમ કે મેડિસિન , મોબાઈલ , લિથિયમ જેવા મિનરલ છે , સાથે જ X રે , સોલાર પેનલ, ચામડાની વસ્તુઓ પર. મહત્વનું છે કે મોંઘવારી સતત વધી રહી છે.. ત્યારે આ બજેટ તમને કેવું લાગ્યું તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.