કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું વર્ષ 2024 માટેનું બજેટ, જાણો શેમાં શું કરવામાં આવ્યો બદલાવ?


  • Published By :
  • Published Date : 2024-07-23 16:20:08

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આજે બજેટ રજૂ કર્યું છે. બજેટ રજૂ કરતી વખતે એવું કહેવામાં આવ્યું કે તેમનું આ બજેટ ગરીબ,ખેડૂત, યુવા અને મહિલાઓ માટે છે. ઉપરાંત સરકાર આ બજેટને નવી ક્રાંતિ લાવનારું પણ ગણાવે છે. હજારો કરોડો રૂપિયા અનેક યોજનાઓ માટે ફાળવવામાં આવ્યા છે. મહિલાઓ, યુવાઓ, ખેડૂતો માટે અનેક જાહેરાત કરવામાં આવી છે. 

Income Tax સ્લેબમાં કરવામાં આવ્યા આ બદલાવ

સૌ કોઈની નજર ઈન્કમ ટેક્સના સ્લેબ પર રહેલી હતી.. ઈન્ક્મ ટેક્સના સ્લેબમાં બદલાવ જાહેર કર્યા છે. નવા ટેક્સ સ્લેબ પ્રમાણે ૩ લાખ સુધીની આવક પર નીલ, આ પછી 3 થી 7 લાખ સુધીની આવક પર 10 ટકા, 10 લાખથી 12 લાખ સુધીની આવક પર 15 ટકા, 12થી 15 લાખ સુધીની આવક પર 20 ટકા, 15 લાખથી વધુની આવક પર 30 ટકા કરના દર હશે. આ તરફ સરકારે, લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સમાં 10 ટકાથી વધારો કરીને 12.5 ટકા કર્યો છે. અને શોર્ટ ટર્મ કેપિટલ ગેન ટેક્સ તો હવે 20 ટકા હશે . અહીં સરકારે એક હાથથી આપવાની તો બીજી બાજુ એક હાથથી લેવાની નીતિ અપનાવી છે. 

યુવાનો માટે શું કરવામાં આવી જાહેરાત?

હવે વાત કરીએ યુવા વર્ગની તો, સરકારે આ બજેટમાં રોજગારી, શિક્ષણ અને સ્કિલ માટે 2 લાખ કરોડ રૂપિયાની પાંચ યોજનાઓ જાહેર કરી છે. જોકે ઇકોનોમિક સર્વે જે ગઈકાલે આવ્યો તેમાં જાહેરાત કરવામાં આવી હતી કે , ભારતની કુલ 65 ટકા વસ્તીએ ૩૫ વર્ષથી ઓછી ઉંમરની છે . જેમાંથી માત્ર ૫૧ ટકા યુવાનો રોજગારી મેળવવા ફિટ છે , એટલે આ સર્વે એક વસ્તુ પર પ્રકાશ પાડે છે કે , દર બે માંથી 1 graduateએ UNFIT છે  નોકરી મેળવવા. એટલે સરકાર પાસે યુવાનોને નોકરી આપવા માટે કોઈ ઠોસ યોજના જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. 

બિહાર અને આંધ્ર પ્રદેશને આપવામાં આવ્યું ફંડ

સરકારે આંધ્રપ્રદેશ અને બિહારને સ્પેશ્યલ કેટેગરી સ્ટેટસ તો નથી આપ્યું પણ પેકેજ આપવામાં આવ્યું છે. જેમ કે બિહારને 26000 કરોડ આપવાની જાહેરાત કરી છે. સરકારે પૂર્વોદય યોજનાનો શુભારંભ કર્યો છે. જેનાથી બિહારમાં Road નેટવર્કનો વિકાસ કરવામાં આવશે. અમ્રિતસર અને કોલકાતા વચ્ચે એક Industrial કોરિડોર બનાવામાં આવશે . હવે વાત કરીએ આંધ્ર પ્રદેશની તો , ત્યાંની રાજધાની અમરાવતીના વિકાસ માટે 15000 હજાર કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે . અહીં એક બીજો પ્રશ્ન થાય છે આ સિવાય જે બીજા અલ્પવિકસિત રાજ્યો છે તેમની માટે શું?  

આટલી વસ્તુઓ થઈ સસ્તી

સરકારે તો તેમના  ગઠબંધન સાથીઓને સાચવી લીધા . કેન્દ્ર સરકાર પાસે તક હતી કે , મધ્યમ વર્ગને સાચવી લે પણ તેમણે આવું નથી કર્યું. સરકારે બજેટમાં કેટલીક મહત્વની વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત કરી છે, જેમ કે મેડિસિન , મોબાઈલ , લિથિયમ જેવા મિનરલ છે , સાથે જ X રે , સોલાર પેનલ, ચામડાની વસ્તુઓ પર. મહત્વનું છે કે મોંઘવારી સતત વધી રહી છે.. ત્યારે આ બજેટ તમને કેવું લાગ્યું તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી