કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું વર્ષ 2024 માટેનું બજેટ, જાણો શેમાં શું કરવામાં આવ્યો બદલાવ?


  • Published By :
  • Published Date : 2024-07-23 16:20:08

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આજે બજેટ રજૂ કર્યું છે. બજેટ રજૂ કરતી વખતે એવું કહેવામાં આવ્યું કે તેમનું આ બજેટ ગરીબ,ખેડૂત, યુવા અને મહિલાઓ માટે છે. ઉપરાંત સરકાર આ બજેટને નવી ક્રાંતિ લાવનારું પણ ગણાવે છે. હજારો કરોડો રૂપિયા અનેક યોજનાઓ માટે ફાળવવામાં આવ્યા છે. મહિલાઓ, યુવાઓ, ખેડૂતો માટે અનેક જાહેરાત કરવામાં આવી છે. 

Income Tax સ્લેબમાં કરવામાં આવ્યા આ બદલાવ

સૌ કોઈની નજર ઈન્કમ ટેક્સના સ્લેબ પર રહેલી હતી.. ઈન્ક્મ ટેક્સના સ્લેબમાં બદલાવ જાહેર કર્યા છે. નવા ટેક્સ સ્લેબ પ્રમાણે ૩ લાખ સુધીની આવક પર નીલ, આ પછી 3 થી 7 લાખ સુધીની આવક પર 10 ટકા, 10 લાખથી 12 લાખ સુધીની આવક પર 15 ટકા, 12થી 15 લાખ સુધીની આવક પર 20 ટકા, 15 લાખથી વધુની આવક પર 30 ટકા કરના દર હશે. આ તરફ સરકારે, લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સમાં 10 ટકાથી વધારો કરીને 12.5 ટકા કર્યો છે. અને શોર્ટ ટર્મ કેપિટલ ગેન ટેક્સ તો હવે 20 ટકા હશે . અહીં સરકારે એક હાથથી આપવાની તો બીજી બાજુ એક હાથથી લેવાની નીતિ અપનાવી છે. 

યુવાનો માટે શું કરવામાં આવી જાહેરાત?

હવે વાત કરીએ યુવા વર્ગની તો, સરકારે આ બજેટમાં રોજગારી, શિક્ષણ અને સ્કિલ માટે 2 લાખ કરોડ રૂપિયાની પાંચ યોજનાઓ જાહેર કરી છે. જોકે ઇકોનોમિક સર્વે જે ગઈકાલે આવ્યો તેમાં જાહેરાત કરવામાં આવી હતી કે , ભારતની કુલ 65 ટકા વસ્તીએ ૩૫ વર્ષથી ઓછી ઉંમરની છે . જેમાંથી માત્ર ૫૧ ટકા યુવાનો રોજગારી મેળવવા ફિટ છે , એટલે આ સર્વે એક વસ્તુ પર પ્રકાશ પાડે છે કે , દર બે માંથી 1 graduateએ UNFIT છે  નોકરી મેળવવા. એટલે સરકાર પાસે યુવાનોને નોકરી આપવા માટે કોઈ ઠોસ યોજના જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. 

બિહાર અને આંધ્ર પ્રદેશને આપવામાં આવ્યું ફંડ

સરકારે આંધ્રપ્રદેશ અને બિહારને સ્પેશ્યલ કેટેગરી સ્ટેટસ તો નથી આપ્યું પણ પેકેજ આપવામાં આવ્યું છે. જેમ કે બિહારને 26000 કરોડ આપવાની જાહેરાત કરી છે. સરકારે પૂર્વોદય યોજનાનો શુભારંભ કર્યો છે. જેનાથી બિહારમાં Road નેટવર્કનો વિકાસ કરવામાં આવશે. અમ્રિતસર અને કોલકાતા વચ્ચે એક Industrial કોરિડોર બનાવામાં આવશે . હવે વાત કરીએ આંધ્ર પ્રદેશની તો , ત્યાંની રાજધાની અમરાવતીના વિકાસ માટે 15000 હજાર કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે . અહીં એક બીજો પ્રશ્ન થાય છે આ સિવાય જે બીજા અલ્પવિકસિત રાજ્યો છે તેમની માટે શું?  

આટલી વસ્તુઓ થઈ સસ્તી

સરકારે તો તેમના  ગઠબંધન સાથીઓને સાચવી લીધા . કેન્દ્ર સરકાર પાસે તક હતી કે , મધ્યમ વર્ગને સાચવી લે પણ તેમણે આવું નથી કર્યું. સરકારે બજેટમાં કેટલીક મહત્વની વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત કરી છે, જેમ કે મેડિસિન , મોબાઈલ , લિથિયમ જેવા મિનરલ છે , સાથે જ X રે , સોલાર પેનલ, ચામડાની વસ્તુઓ પર. મહત્વનું છે કે મોંઘવારી સતત વધી રહી છે.. ત્યારે આ બજેટ તમને કેવું લાગ્યું તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો. 



In India, marriage is considered a sacred institution, in which love, trust and dedication are expected. Incidents like the one that have happened recently have changed the very definition of this sacred bond. Cases of brutal murder of husbands by wives have shocked the society. Cases like Pragati, Muskan, Aftab and similar incidents that have happened in the last few years have raised a big question mark and also on the entire system because every person, be it a man or a woman, is in fear of whether to get married or not. Even memes have become like that.

લોકતાંત્રિક દેશના કોઇપણ ખૂણામાં ભાષા અને ભાષાકીય જૂથ સંગઠન પોતાને સર્વસર્વા માની નાગરિકો સાથે મનમાની કરી જાય તો કાયદો અને વ્યવસ્થા શું મુકપ્રક્ષક બનીને રહશે !

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતમાં બ્રેન્ડન લિન્ચના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ મોકલ્યું છે . આ પ્રતિનિધિ મંડળ ૨જી એપ્રિલથી ભારત પર જે ટેરિફ લગાવવામાં આવશે તેની પર ચર્ચા કરશે . જોઈએ કે આ વાટાઘાટોથી કેટલો ફર્ક પડે છે . જો અમેરિકાએ ૨જી એપ્રિલથી ટેરિફ લગાવ્યા તો ભારતને લગભગ ૫ લાખ કરોડનું નુકશાન થઈ શકે છે .

સુરત સહિત સમગ્ર રાજ્યનો હીરા ઉદ્યોગમાં મંદીમાથી પસાર થઈ રહ્યો છે. ત્યારે સરકારે એક્શન પ્લાન 2 દિવસમાં બનાવવા કહ્યું હતું. પરંતુ 10 દિવસે પણ કોઈ નિરાકરણ લવાયું નથી. ત્યારે 30 માર્ચે સુરત ડાયમંડ વર્કર યુનિયને હડતાળનું એલાન કર્યું છે. છેલ્લા અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કથળી છે. યુનિયનના જણાવ્યા પ્રમાણે, એક વર્ષમાં 50થી વધુ રત્નકલાકારે આપઘાત કર્યા છે છતાં હજી સુધી સરકારે કોઈ ઠોસ પગલાં લીધાં નથી.