કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું વર્ષ 2024 માટેનું બજેટ, જાણો શેમાં શું કરવામાં આવ્યો બદલાવ?


  • Published By :
  • Published Date : 2024-07-23 16:20:08

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આજે બજેટ રજૂ કર્યું છે. બજેટ રજૂ કરતી વખતે એવું કહેવામાં આવ્યું કે તેમનું આ બજેટ ગરીબ,ખેડૂત, યુવા અને મહિલાઓ માટે છે. ઉપરાંત સરકાર આ બજેટને નવી ક્રાંતિ લાવનારું પણ ગણાવે છે. હજારો કરોડો રૂપિયા અનેક યોજનાઓ માટે ફાળવવામાં આવ્યા છે. મહિલાઓ, યુવાઓ, ખેડૂતો માટે અનેક જાહેરાત કરવામાં આવી છે. 

Income Tax સ્લેબમાં કરવામાં આવ્યા આ બદલાવ

સૌ કોઈની નજર ઈન્કમ ટેક્સના સ્લેબ પર રહેલી હતી.. ઈન્ક્મ ટેક્સના સ્લેબમાં બદલાવ જાહેર કર્યા છે. નવા ટેક્સ સ્લેબ પ્રમાણે ૩ લાખ સુધીની આવક પર નીલ, આ પછી 3 થી 7 લાખ સુધીની આવક પર 10 ટકા, 10 લાખથી 12 લાખ સુધીની આવક પર 15 ટકા, 12થી 15 લાખ સુધીની આવક પર 20 ટકા, 15 લાખથી વધુની આવક પર 30 ટકા કરના દર હશે. આ તરફ સરકારે, લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સમાં 10 ટકાથી વધારો કરીને 12.5 ટકા કર્યો છે. અને શોર્ટ ટર્મ કેપિટલ ગેન ટેક્સ તો હવે 20 ટકા હશે . અહીં સરકારે એક હાથથી આપવાની તો બીજી બાજુ એક હાથથી લેવાની નીતિ અપનાવી છે. 

યુવાનો માટે શું કરવામાં આવી જાહેરાત?

હવે વાત કરીએ યુવા વર્ગની તો, સરકારે આ બજેટમાં રોજગારી, શિક્ષણ અને સ્કિલ માટે 2 લાખ કરોડ રૂપિયાની પાંચ યોજનાઓ જાહેર કરી છે. જોકે ઇકોનોમિક સર્વે જે ગઈકાલે આવ્યો તેમાં જાહેરાત કરવામાં આવી હતી કે , ભારતની કુલ 65 ટકા વસ્તીએ ૩૫ વર્ષથી ઓછી ઉંમરની છે . જેમાંથી માત્ર ૫૧ ટકા યુવાનો રોજગારી મેળવવા ફિટ છે , એટલે આ સર્વે એક વસ્તુ પર પ્રકાશ પાડે છે કે , દર બે માંથી 1 graduateએ UNFIT છે  નોકરી મેળવવા. એટલે સરકાર પાસે યુવાનોને નોકરી આપવા માટે કોઈ ઠોસ યોજના જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. 

બિહાર અને આંધ્ર પ્રદેશને આપવામાં આવ્યું ફંડ

સરકારે આંધ્રપ્રદેશ અને બિહારને સ્પેશ્યલ કેટેગરી સ્ટેટસ તો નથી આપ્યું પણ પેકેજ આપવામાં આવ્યું છે. જેમ કે બિહારને 26000 કરોડ આપવાની જાહેરાત કરી છે. સરકારે પૂર્વોદય યોજનાનો શુભારંભ કર્યો છે. જેનાથી બિહારમાં Road નેટવર્કનો વિકાસ કરવામાં આવશે. અમ્રિતસર અને કોલકાતા વચ્ચે એક Industrial કોરિડોર બનાવામાં આવશે . હવે વાત કરીએ આંધ્ર પ્રદેશની તો , ત્યાંની રાજધાની અમરાવતીના વિકાસ માટે 15000 હજાર કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે . અહીં એક બીજો પ્રશ્ન થાય છે આ સિવાય જે બીજા અલ્પવિકસિત રાજ્યો છે તેમની માટે શું?  

આટલી વસ્તુઓ થઈ સસ્તી

સરકારે તો તેમના  ગઠબંધન સાથીઓને સાચવી લીધા . કેન્દ્ર સરકાર પાસે તક હતી કે , મધ્યમ વર્ગને સાચવી લે પણ તેમણે આવું નથી કર્યું. સરકારે બજેટમાં કેટલીક મહત્વની વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત કરી છે, જેમ કે મેડિસિન , મોબાઈલ , લિથિયમ જેવા મિનરલ છે , સાથે જ X રે , સોલાર પેનલ, ચામડાની વસ્તુઓ પર. મહત્વનું છે કે મોંઘવારી સતત વધી રહી છે.. ત્યારે આ બજેટ તમને કેવું લાગ્યું તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો. 



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.