કેન્દ્ર સરકારે 'મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર'ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું, રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ બદલ પ્રતિબંધ લગાવ્યો


  • Published By :
  • Published Date : 2023-12-27 18:07:54

કેન્દ્ર સરકારે મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીર નામના સંગઠનને ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું છે. આતંકવાદ વિરોધી કાયદા હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે આ માહિતી આપી હતી. આ સંગઠનનું નેતૃત્વ ઓલ ઈન્ડિયા હુર્રિયત કોન્ફરન્સના કટ્ટરપંથી જૂથના ચેરમેન મસરત આલમ કરે છે. આ એ જ જૂથ છે જેનું નેતૃત્વ અગાઉ અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની કરતા હતા.


અમીત શાહે  કર્યું ટ્વીટ


ગૃહમંત્રી અમીત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગે એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, 'આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્ર વિરોધી અને અલગતાવાદી ગતિવિધિઓમાં સામેલ છે. આ સંગઠન આતંકવાદી ગતિવિધિઓને સમર્થન આપે છે. જમ્મુ-કાશ્મીરમાં ઈસ્લામિક શાસન સ્થાપિત કરવા લોકોને ઉશ્કેરે છે.


દેશની એકતા વિરુદ્ધ કામ કરનારાઓને બક્ષવામાં આવશે નહીં


અમિત શાહે કહ્યું કે ભારતની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ કામ કરનાર કોઈ પણને બક્ષવામાં આવશે નહીં. ગૃહમંત્રીના જણાવ્યા અનુસાર, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનો સંદેશ સ્પષ્ટ છે કે આપણા દેશની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ કામ કરનાર કોઈપણને બક્ષવામાં આવશે નહીં. તેણે કાયદાના સંપૂર્ણ રોષનો સામનો કરવો પડશે.


સંગઠનના પાકિસ્તાન સાથે સંબંધો છે..


ગૃહ મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સંગઠન તેના ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી પ્રચાર માટે જાણીતું છે. તેના નેતાઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે પાકિસ્તાન અને તેના પ્રોક્સી સંગઠનો સહિત વિવિધ સ્ત્રોતો પાસેથી ફંડ એકત્રિત કરવામાં સામેલ છે. સંગઠનના સભ્યો અલગતાવાદી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યા છે. તેમને દેશની બંધારણીય સત્તા માટે કોઈ સન્માન નથી. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે સંગઠનના નેતાઓ, ખાસ કરીને તેના પ્રમુખ મસરત આલમ, દેશની એકતા, અખંડિતતા, સુરક્ષા અને સાંપ્રદાયિક સૌહાર્દને નુકસાન પહોંચાડતી ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યા છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.