કેન્દ્ર સરકારે 'મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર'ને આતંકવાદી સંગઠન જાહેર કર્યું, રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ બદલ પ્રતિબંધ લગાવ્યો


  • Published By :
  • Published Date : 2023-12-27 18:07:54

કેન્દ્ર સરકારે મુસ્લિમ લીગ જમ્મુ-કાશ્મીર નામના સંગઠનને ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું છે. આતંકવાદ વિરોધી કાયદા હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે આ માહિતી આપી હતી. આ સંગઠનનું નેતૃત્વ ઓલ ઈન્ડિયા હુર્રિયત કોન્ફરન્સના કટ્ટરપંથી જૂથના ચેરમેન મસરત આલમ કરે છે. આ એ જ જૂથ છે જેનું નેતૃત્વ અગાઉ અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની કરતા હતા.


અમીત શાહે  કર્યું ટ્વીટ


ગૃહમંત્રી અમીત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગે એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, 'આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્ર વિરોધી અને અલગતાવાદી ગતિવિધિઓમાં સામેલ છે. આ સંગઠન આતંકવાદી ગતિવિધિઓને સમર્થન આપે છે. જમ્મુ-કાશ્મીરમાં ઈસ્લામિક શાસન સ્થાપિત કરવા લોકોને ઉશ્કેરે છે.


દેશની એકતા વિરુદ્ધ કામ કરનારાઓને બક્ષવામાં આવશે નહીં


અમિત શાહે કહ્યું કે ભારતની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ કામ કરનાર કોઈ પણને બક્ષવામાં આવશે નહીં. ગૃહમંત્રીના જણાવ્યા અનુસાર, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારનો સંદેશ સ્પષ્ટ છે કે આપણા દેશની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ કામ કરનાર કોઈપણને બક્ષવામાં આવશે નહીં. તેણે કાયદાના સંપૂર્ણ રોષનો સામનો કરવો પડશે.


સંગઠનના પાકિસ્તાન સાથે સંબંધો છે..


ગૃહ મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સંગઠન તેના ભારત વિરોધી અને પાકિસ્તાન તરફી પ્રચાર માટે જાણીતું છે. તેના નેતાઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવા માટે પાકિસ્તાન અને તેના પ્રોક્સી સંગઠનો સહિત વિવિધ સ્ત્રોતો પાસેથી ફંડ એકત્રિત કરવામાં સામેલ છે. સંગઠનના સભ્યો અલગતાવાદી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યા છે. તેમને દેશની બંધારણીય સત્તા માટે કોઈ સન્માન નથી. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે સંગઠનના નેતાઓ, ખાસ કરીને તેના પ્રમુખ મસરત આલમ, દેશની એકતા, અખંડિતતા, સુરક્ષા અને સાંપ્રદાયિક સૌહાર્દને નુકસાન પહોંચાડતી ગેરકાનૂની પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યા છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે